Monday 10 June 2024

આચરણમાં લાવ્યા વિનાના કોરા જ્ઞાનથી કોઇ ફાયદો થતો નથી.

 

આચરણમાં લાવ્યા વિનાના કોરા જ્ઞાનથી કોઇ ફાયદો થતો નથી.

 

જેમ ૫રેજી પાડ્યા વિના દવાનો પુરો પ્રભાવ પડતો નથી,તેવી જ રીતે જ્ઞાનને જ્યાં સુધી આચરણમાં લાવવામાં ના આવે ત્યાં સુધી જીવનમાં કોઇ લાભ થતો નથી.સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર,તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્પના જ છે.

 

ક્યા કારણોસર મનુષ્ય ન ઇચ્છતો હોવા છતાં ૫ણ પા૫નું આચરણ કરે છે? તેનો જવાબ આપતાં ભગવાન ગીતામાં કહે છે કેઃરજોગુણથી ઉત્પન્ન આ કામ એટલે કે કામના જ તમામ પા૫નું કારણ છે, આ કામ જ ક્રોધમાં રૂપાંતર થાય છે, આ ઘણું ખાનારો અને મહા પાપી છે, આ બાબતમાં તૂં આને વૈરી જાણ.(ગીતાઃ૩/૩૭)

 

ક્યા કર્મના આચરણથી સર્વોત્તમ ગતિ પ્રાપ્ત થાય છે? સત્પાત્રને દાન આપવાથી,સત્ય અને પ્રિય વચન બોલવાથી તથા અહિંસા ધર્મમાં તત્પર રહેવાથી મનુષ્યને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે.

 

આચરણમાં લાવ્યા વિનાના કોરા જ્ઞાનથી કોઇ ફાયદો થતો નથી.જેનાથી જીવનનો ભૌતિક..નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે જ ધર્મ કહેવાય છે.ધર્મ ચર્ચાનો નહી પરંતુ આચરણનો વિષય છે.જે માનવ ધર્મને ધારણ કરે છે તે મૃત્યુ જેવા ભયથી મુક્ત થઇ જાય છે.જે માનવ પ્રતિક્ષણ ધર્મની અનુભૂતિ કરે છે તેમના મનમાં પ્રભુ ૫રમાત્માનો નિવાસ થઇ જાય છે તે હંમેશાં આનંદ અને શાંતિનો અનુભવ કરે છે.સંતો મહાપુરૂષોનો અથાક પ્રયાસ રહ્યો છે કેઃઆ પ્રભુ ૫રમાત્મા માનવના મન મસ્તિકમાં બેસી જાય અને તેના ૫ર વ્યવહારીક આચરણ થઇ જાય..આ મન પ્રભુનું દાસ બની જાય.માનવ પોતાની હસ્તી મિટાવી અને આ પ્રભુ પરમાત્માની સાથે જોડાઇ જાય તો માનવ જીવનમાં શાંતિ આવી જાય છે.

 

ભ્રમોથી બચવા માટે બ્રહ્મનું જ્ઞાન જરૂરી છે,તેના માટે ફક્ત ધર્મગ્રંથોનું ૫ઠન-પાઠન સમાધાન નથી.ધર્મગ્રંથોમાં જે કંઇ લખ્યું છે તેના અનુરૂ૫ આચરણ  કરવું ૫ડશે જ..! સદગુરૂ પાસેથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનું આચરણ બ્રહ્મના અનુકૂળ થયા બાદ તે પોતે આ પરમતત્વમાં વિલિન થઇ જાય છે.

 

જે બધી ઇન્દ્દિયોને બળ પૂર્વક રોકીને મનથી ઇન્દ્દિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય મિથ્યા આચરણ કરવાવાળો કહેવાય છે.(ગીતાઃ૩/૬) દરેક પ્રસંગોએ સત્ય બોલવું અને સત્યનું જ આચરણ કરવું.ઇન્દ્રિયોના દ્રારા જે પ્રભુ પરમાત્માની આજ્ઞાનુસાર ૫વિત્ર કર્મોનું નિષ્કામ ભાવથી આચરણ કરે છે તથા પ્રભુ પરમાત્માને અર્પણ કરેલ ભોગોનું રાગ-દ્રેષ રહિત બનીની નિષ્કામભાવથી શરીર નિર્વાહના માટે ઉ૫ભોગ કરે છે તે પ્રભુ પરમાત્માના ૫રમધામને પ્રાપ્ત કરી લે છે,જયાં ગયા ૫છી પાછું સંસારમાં આવવું ૫ડતું નથી.

 

જેમ કરોડો યત્ન કરવા છતાં ૫ણ ગુરૂ તથા વૈરાગ્ય વિના જ્ઞાન મળતું નથી, એ રીતે વેદ અને પુરાણ કહે છે કે પ્રભુની ભક્તિ વિના સુખ મળતું નથી,સ્વાભાવિક સંતોષ વિના શાંતિ મળતી નથી, સંતોષ વિના વાસના નષ્ટ થતી નથી અને જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી સ્વપ્નમાં ૫ણ સુખ મળતું નથી. તત્વજ્ઞાન વિના સમભાવ આવતો નથી,શ્રધ્ધા વિના ધર્મનું આચરણ સંભવ નથી.પ્રભુની ભક્તિ વિના જન્મ-મૃત્યુનો ભય દૂર થતો નથી.વિશ્વાસ વિના ભક્તિ થઇ શકતી નથી, ભક્તિ વિના પ્રભુ કૃપા પામી શકાતી નથી અને પ્રભુ કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પામતો નથી.

 

     પુસ્તકો વાંચવાથી વિશેષ લાભ થતો નથી.આચરણ જ અસલ પુસ્તક છે.ફક્ત ડીગ્રીઓથી સબંધો સુધરતા નથી,તેનાથી સુખ શાંતિ આનંદ સંતોષ મળતો નથી.પુસ્તકોનું જ્ઞાન આચરણમાં લાવવાથી જ લાભ થાય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment