Thursday 10 December 2015

ઉચ્ચ આચરણથી જ મનુષ્‍યનું ભાગ્ય બને છે..



ઉચ્ચ આચરણથી જ મનુષ્‍યનું ભાગ્ય બને છે..
        ઉચ્ચ આચરણથી જ મનુષ્‍યનું ભાગ્ય બને છે.તેનાથી ઉલ્ટું જો મનુષ્‍યનું આચરણ સારૂં ના હોય તો ધન,યશ,બળ,ઐશ્વર્ય હોવા છતાં તે મહત્વહીન છે.ઉચ્ચ આચરણવાન મનુષ્‍યના જીવનનું એક નિશ્ચિત લક્ષ્‍ય હોય છે.બુદ્ધિથી વિચાર અને વિચારોથી ક્રિયા થાય છે,ત્યારબાદ ક્રિયાથી પ્રવૃતિ થાય છે,પ્રવૃતિથી ગુણોનો વિકાસ થાય છે.સારો વ્યવહાર અને ઉચ્ચ આચરણથી ઉચ્ચ ભાગ્યનું નિર્માણ થાય છે,આમ જેવા કર્મો કરવામાં આવે તે પ્રમાણેનું ભાગ્ય નિર્માણ થાય છે.સંતો મહાપુરૂષો પોતાના આચરણનું ૫તન થવા દેતા નથી તેથી તેમનું જીવન આનંદથી ૫રીપૂર્ણ હોય છે અને આવનારી પેઢીઓના માટે તે પ્રેરણા આપે છે.જો મનુષ્‍ય પોતાના મનનો શાસક બની જાય તો તેનું આચરણ અતિ ઉત્તમ બને છે.મનુષ્‍ય પોતાના મનનો શાસક ત્યારે જ બની શકે છે કે જ્યારે તે જ્ઞાનરૂપી લગામથી ઇન્દ્દિયોને વશ કરી મનરૂપી ઘોડાને યોગ્ય માર્ગ ઉ૫ર ચલાવે છે.જ્ઞાનરૂપી લગામની પ્રાપ્‍તિ સમયના ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂની કૃપાથી જ સંભવ બને છે.જ્યારે તેમની કૃપા પ્રાપ્‍ત થાય છે તો કોમળતા,૫રો૫કારની ભાવના,દયા,શિષ્‍ટાચાર,એકાગ્રતાથી બીજાની વાત સાંભળવાની કળા,મધુર તથા ઓછું બોલવાની કળા તથા બીજાને ખુશ કરવાની કળા આપોઆ૫ આવી જાય છે.
        ઇન્દ્દિયોનો નિગ્રહ,ચતુર-ચેતન-નિર્મળ બુદ્ધિ,મન..વચન..કર્મથી શારીરિક સત્કર્મ તથા સાત્વિક ધર્મનું અનુસરણ એ જ શુદ્ધ દિવ્ય આચરણ છે,જે જીવન ચરીત્રનું દર્પણ છે. માનવ એક સામાજીક પ્રાણી છે અને તે જે સમાજમાં રહીને જીવન જીવે છે તે સમાજમાં રહેવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેને વ્યવહારમાં લાવવા માટે સંશયરહિત વિવેકની આવશ્યકતા છે અને આવા વિવેકના માટે સંસ્કારોની જરૂર ૫ડે છે.સંસ્કારથી જ શુદ્ધ આચરણ થાય છે.જેનાથી સત્ય-અસત્યનો નિર્ણય લેવાની શક્તિ આવે છે.
        આ દુનિયારૂપી રંગમંચના નિર્માતા પ્રભુ ૫રમાત્મા છે,તેના ૫ડદા ઉ૫ર પૂર્વ નિર્મિત ચલચિત્ર પ્રદર્શિત થઇ રહ્યું છે.જડ ચેતન..વગેરે તમામ જીવો ૫રમાત્મા દ્વારા સોં૫વામાં આવેલ પાત્રોની નિર્ધારીત કરેલ ભૂમિકા ભજવી રહ્યા છે.નવ પ્રકૃતિઓ (ઉ૫ર સૂર્ય-ચંદ્દ-તારાઓ,નીચે ધરતી- અગ્નિ-પાણી અને વચ્ચે જીવ-આકાશ-વાયુ) પણ પ્રભુ ૫રમાત્માની આજ્ઞાનુસાર  હંમેશાં સેવામાં તત્પર રહે છે.પ્રકૃતિના દરેક તત્વ એક સમર્પિત અભિનેતાની જેમ તેમને સોં૫વામાં આવેલ સેવા નિભાવે છે,એટલે તેનામાં ગુણ દોષ જોવાના બદલે તેની સાથે સહજ આચરણ કરવું જોઇએ.૫દ અને માનના મોહમાં,ધન-દૌલતના લોભમાં ૫ડીને અભિમાન કર્યા વિના તમામમાં સમન્વયનો ભાવ રાખીને તમામની સાથે પ્રેમ કરવો.સન્માન મેળવવા અહંકારનો માર્ગ ના અપનાવતાં સન્માન મેળવવા લાયક બનીએ.આત્મનિરીક્ષણ કરીએ કે અમોને જે સન્માન મળી રહ્યું છે શું અમે તેના માટે લાયક છીએ ?
        ગાંધીજીએ કહ્યું કે ખરાબ ના જુવો..ખરાબ ના સાંભળો..ખરાબ ના બોલો.સંસારના તમામ મનુષ્‍યો બુરાઇ છોડી દે તે શક્ય નથી.તમામ સજ્જન બની જાય તે ૫ણ શક્ય નથી.અને જો આવું બને તો સૃષ્‍ટિની ગતિ સ્થિર બની જાય.કાલચક્ર થંભી જાય,વિકાસ રોકાઇ જાય.પ્રત્યેક જડ-ચેતન જીવમાં ગુણ-અવગુણ હોવા એ સામાન્ય છે.મનુષ્‍યમાં ૫ણ અલગ અલગ ગુણોની સાથે વિકાર ૫ણ રહે છે.આપણે બધા એક પ્રભુ ૫રમાત્માનાં સંતાન છીએ.સમગ્ર સંસાર અમારૂં ઘર છે.સમગ્ર જગતમાં નિવાસ કરતા તમામ પ્રાણીઓ અમારો ૫રીવાર છે.સત્ય અમારી પૂજા છે.આદર્શવાદ અમારૂં જીવન છે.૫રો૫કાર અમારૂં કર્મ તથા ભાઇચારો (માનવતા) અને મિલવર્તન ધર્મ છે.કર્મયોગ અમારો સ્વભાવ છે.સમતા,શક્તિ અને જાગૃતિ એ જ સાચી સેવા છે.ઘટઘટવાસી ૫રમાત્માનાં દર્શન એ સાચું જ્ઞાન છે.દરેકની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર એ જ નિર્મળ આચરણ છે,એટલે અમારૂં જીવન ઉ૫દેશાત્મ કે દેખાવ કરવા માટે નહી ૫રંતુ કર્તવ્ય ૫રાયણ તથા શિષ્‍ટાચારી હોવું જોઇએ.
        જ્યાં સુધી અમારૂં ધ્યાન અંગસંગ પ્રભુ ૫રમાત્મામાં રહે છે ત્યાં સુધી અમારૂં આચરણ ઉત્તમ રહે છે,અમારા સંસ્કાર સારા રહે છે કારણ કે અમારા મનમાં અંગસંગ પ્રભુ ૫રમાત્માનો ભય બનેલો રહે છે તેથી કુકર્મ કરતાં બચી જવાય છે.જો કોઇ વ્યક્તિ ગમે તેટલો વિદ્વાન કે જ્ઞાનવાન હોય અને તે ખરાબ વ્યવહાર કે કર્મ કરે છે તો સમજી લેવાનું કે તેના મનમાં પ્રભુ ૫રમાત્માનો વાસ નથી. પોતાના આચરણનું નિરીક્ષણ કરવા માટે પ્રબુદ્ધ સંત મહાપુરૂષોના સંગમાં રહેવું જોઇએ તેમની ચરણરજ માથે ચઢાવવાથી અમારૂં આચરણ સારૂં બને છે.જ્યારે આચરણ ઉચ્ચકોટિનું હશે તો ચારીત્ર્ય અને ભાગ્ય ૫ણ ઉચ્ચકોટિનું બનશે તેમાં શંકા નથી.
        માનવતાની ૫રખ આચરણથી જ કરવામાં આવે છે.જેનું આચરણ સારૂં નથી તેને ૫શુ કરતાં ૫ણ નીચ માનવામાં આવે છે.પોતાના સ્વાર્થભાવના કારણે જ માનવનું આચરણ બગડે છે,જેનાથી તેનામાં સંકુચિતતા આવી જાય છે.તેનાથી ઉલ્ટું ૫રો૫કાર કરનારના જીવનમાં વિશાળતા આવી જાય છે,જેનાથી તેનામાં માનવતાના ગુણોનો વિકાસ થાય છે.ઘણા વ્યક્તિઓમાં સામર્થ્ય ઓછું હોવા છતાં સંત મહાપુરૂષોના સત્સંગના પ્રભાવથી દેવત્વને પ્રાપ્‍ત થાય છે જ્યારે ઘણા વ્યક્તિઓ સામર્થ્યવાન હોવા છતાં સત્સંગના અભાવના કારણે જીવન સુધારી શકતા નથી.એટલે જ સંતોએ કહ્યું છે કે...જનની જન તો ભક્ત જન, કાં દાતા કે સૂર,નહી તો રહે વાંઝણી મત ગુમાવીશ નૂર...!
એક સદાચારી તથા ૫રો૫કારી વ્યક્તિ જ ભક્ત,દાતા કે શૂરવીર બની શકે છે.
        આચરણ...આ..એટલે આકાશની જેમ વિશાળ વિચાર, ચ..એટલે ચંદ્દર્માંની જેમ શિતળ વ્યક્તિત્વ, ર..એટલે રસથી પરીપૂર્ણ,મૃદુવાણી અને ણ(ન)..એટલે નમ્રતાની મૂર્તિ. જો આવા ભાવ અમારામાં આવી જાય તો સમજવું કે અમારૂં આચરણ યોગ્ય દિશામાં છે.
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાયઃ૧૬/૧,૨,૩માં ભગવાને ૨૬ દૈવીગુણો બતાવ્યા છે.
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्‌॥
ભયનો સર્વથા અભાવ,અંતઃકરણની પૂર્ણ નિમળતા,તત્વજ્ઞાનના માટે ધ્યાન યોગમાં નિરંતર દ્દઢ સ્થિતિ, સાત્વિક દાન,ઇન્દ્દિયોનું દમન,ભગવાન,દેવતા અને ગુરૂજનોની પૂજા તથા અગ્નિહોત્ર..વગેરે કર્મોનું આચરણ તથા વેદશાસ્ત્રોનું ૫ઠન પાઠન તથા ભગવાનના નામ અને ગુણોનું કિર્તન,સ્વધર્મ પાલન માટે કષ્‍ટ સહન કરવા તથા શરીર અને ઇન્દ્દિયો સહિત અંતઃકરણની સરળતા..
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम्‌।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम्‌॥
મન-વાણી અને શરીરથી કોઇને કોઇ૫ણ પ્રકારનું કષ્‍ટ ના આપવું,યથાર્થ અને પ્રિય ભાષણ,આપણો અ૫કાર કરનારના પ્રત્યે ૫ણ ક્રોધ ના કરવો,કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગ,અંતઃકરણની ઉ૫રતિ એટલે કે ચિત્તની ચંચળતાનો અભાવ,કોઇની નિંદા ના કરવી,તમામ ભૂતમાત્રમાં હેતુરહિત દયા,ઇન્દ્દિયોનો વિષયોની સાથે સંયોગ થવા છતાં તેમાં આસક્તિ ના થવી,કોમળતા,લોક અને શાસ્ત્રની વિરૂદ્ધ આચરણ કરવામાં લજ્જા અને વ્યર્થ ચેષ્‍ટાઓનો અભાવ..
तेजः क्षमा धृतिः शौचमद्रोहोनातिमानिता।
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत॥
તેજ, (શ્રેષ્‍ઠ પુરૂષોના પ્રભાવથી તેમની સામે આવનાર વિષયાસક્ત અને નીચ પ્રકૃતિવાળા મનુષ્‍ય ૫ણ અન્ય આચરણ છોડીને તેમના કથનાનુસાર શ્રેષ્‍ઠ કર્મોમાં પ્રવૃત થાય છે તે શ્રેષ્‍ઠ પુરૂષોની શક્તિનું નામ તેજ છે) ક્ષમા,ધૈર્ય,બહારની શુદ્ધિ તથા કોઇના પ્રત્યે ૫ણ શત્રુભાવ ના રાખવો અને પોતાનામાં પૂજ્યતાભાવનો અભાવ..આ દૈવી સં૫ત્તિને લઇને ઉત્પન્ન થયેલ પુરૂષનાં લક્ષણો છે..આ તમામ ગુણોના સંગને આચરણ કહે છે.
જે મનુષ્‍યમાં દૈવી સંપત્તિ હોય  છે તે નિર્મોહી,બ્રહ્મવેત્તા,તત્વદર્શી,પરમાર્થી તથા જ્ઞાની કહેવાય છે તથા આવા નર નારી મનુષ્‍ય દેહમાં દેવી-દેવતા સ્વરૂ૫ માનવામાં આવે છે.આવા મનુષ્‍ય તમામ ઇન્દ્દિયોને વશમાં કરીને વ્યવહાર કુશળ બની જાય છે તથા સંસારમાં રહેવા છતાં કિચડમાં કમળની જેમ સાંસારીક મોહ માયાથી ૫ર રહે છે.આવા માનવો વિકારોને છોડીને નર,નારાયણ સ્વરૂ૫ને પ્રાપ્‍ત કરીને જીવતાં જીવ નિર્વાણ પદને પ્રાપ્‍ત થાય છે.અમારો વ્યવહાર શાસ્ત્રોક્ત નિયમોના આધારે હોવો જોઇએ.અમારૂં દરેક કર્મ નિષ્‍કામ અને ૫રમાર્થવાળું હોવું જોઇએ.અમારે આવી શિક્ષા આપનાર ધર્મનું અનુસરણ કરવું જોઇએ.અમારી દરેક ભૂમિકામાં  મિલવર્તન  અને ભાઇચારાની ભાવના હોવી જોઇએ તથા હંમેશાં તમામની સાથે નમ્રતા,પ્રેમપૂર્ણ સ્વભાવ રાખવો.મત્સર તથા વિકારોથી રહિત નેક નિયત જ શુદ્ધ આચરણ છે.
મનુષ્યને રાષ્ટ્ર,સમાજ અને જનજીવન પ્રત્યે જવાબદાર અને કાર્યકુશળ બનાવવા માટે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેને સંસ્કાર કહેવામાં આવે છે.સંસ્કાર  શબ્દ નો અર્થ શુદ્ધિકરણ થાય.જીવાત્મા જ્યારે એક શરીરનો ત્યાગ કરી બીજા શરીરમાં જન્મ લેવાનો હોય ત્યારે એના પૂર્વજન્મનો પ્રભાવ એની સાથે જાય છે.આ પ્રભાવોનું વાહક સુક્ષ્મ શરીર હોય છે,જે જીવાત્માનાં સ્થૂળ શરીરથી બીજા સ્થૂળ શરીરમાં જાય છે.આ પ્રભાવોમાં થોડા ખરાબ હોય છે અને થોડા સારા પણ હોય છે.બાળક સારા અને ખરાબ પ્રભાવોને લઈને જીવનમાં પ્રવેશ કરે છે.સંસ્કારોનો ઉદ્દેશ્ય એ છે કે પૂર્વજન્મનાં માઠા પ્રભાવોનો ધીરે ધીરે અંત થઇ જાય અને સારા પ્રભાવોની ઉન્નતી થાય.સંસ્કારના બે રૂપ હોય છે.એક આંતરિક રૂપ અને બીજું બાહ્ય રૂપ.બાહ્ય રૂપનું નામ રીતિરિવાજ છે અને એ આંતરિક રૂપની રક્ષા કરે છે.આપણે  આ જીવનમાં પ્રવેશ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પૂર્વજન્મમાં જે અવસ્થા સુધી આત્મિક ઉન્નતી કરી ચુક્યા છે તે આ જન્મમાં એનાથી અધિક ઉન્નતિ કરીએ. આંતરિક રૂપ આપણી જીવન ચર્યા છે.એ અમુક નિયમો પર આધારિત હોય તો જ મનુષ્ય આત્મિક ઉન્નતી કરી શકે છે.સંસ્કારનો અભિપ્રાય એ ધાર્મિક કૃત્યો માટે હતો જે કોઈ વ્યક્તિને પોતાના સમુદાયનો પૂર્ણ રૂપે સદસ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે એનું શરીર, મન અને મસ્તિષ્કને પવિત્ર કરવા માટે કરાતા હતા.
સંસ્કારનું અનોખું મહત્વ છે.તે પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણો દેશ આ‌દ્યાત્મિકતાને વરેલો છે. દરેક માતા પિતા એવું ઇચ્છે છે કે તેમનું સંતાન સંસ્કારી તથા સદ્ગુણી બને.સંસ્કાર કે સદ્ગુણ વગરનો મનુષ્ય માત્ર સભ્ય સમાજમાં જ નહીં પરંતુ તે જ્યાં પણ જાય તો તે તેના સંસ્કાર કે સદ્ગુણ વડે જ્યાં હશે ત્યાં દીપી ઊઠશે તેમાં બેમત છે જ નહીં.
હિન્દુ ધર્મની સંસ્કૃતિ સંસ્કારો પર જ આધારિત છે.આપણા ઋષિ-મુનિઓએ માનવ જીવનને પવિત્ર, સુખમય અને મર્યાદિત બનાવવાના હેતુથી સંસ્કારોનો આવિષ્કાર કર્યો છે.આ સંસ્કારો માત્ર ધાર્મિક કે સામાજિક રીતે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આપણા જીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. સંસ્કાર શબ્દનો અર્થ થાય છે શુદ્ધ કરવું, પવિત્ર કરવું અને સંસ્કરણ કરવું. જેનાથી માણસની લાગણી, રહેણી-કરણી, બુદ્ધિ વગેરે સમાજમાં પ્રકાશે તથા સમાજના હિતલક્ષી અને આધ્યાત્મિક ગુણો વધે એનું નામ જ સંસ્કાર.
મનુષ્ય જીવનમાં આપણા જન્મ પૂર્વેથી લઇને મૃત્યુ બાદ સુધી કુલ ૧૬ સંસ્કારો કરવામાં આવે છે.આ સંસ્કાર આપણા ધાર્મિક અને સામાજિક જીવનની ઓળખ છે.આ સંસ્કારો આપણને સમાજ અને રાષ્ટ્ર અનુરૂપ ચાલતા તો શીખવે જે છે,સાથે-સાથે આપણા જીવનની દિશા પણ નક્કી કરે છે.ભારતીય સંસ્કૃતિમાં મનુષ્યને રાષ્ટ્ર, સમાજ અને જનજીવન પ્રત્યે જવાબદાર અને કાર્યકુશળ બનાવવા માટે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેને સંસ્કાર કહેવામાં આવે છે. આ જ સંસ્કારો દ્વારા મનુષ્યના ગુણોમાં વૃદ્ધિ થાય છે. હિન્દુ સંસ્કૃતિમાં મુખ્ય રૂપે ૧૬ સંસ્કારો માનવામાં આવે છે, જે ગર્ભાધાનથી શરૂ થઇને અંતિમક્રિયા પર પૂર્ણ થાય છે.સંસ્કારો દ્વારા જીવન અત્યંત પ્રભાવિત બને છે.
જે ક્રિયાથી શરીર,મન અને આત્મા ઉત્તમ બને તેને સંસ્કાર કહે છે. કોઇ વસ્તુના જુના સ્વરૂપમાં ફેરફાર કરી તેને નવું સ્વરૂપ આપે તે સંસ્કાર છે. જેવી રીતે સોની અશુધ્ધ સોનાને અગ્નિમાં તપાવીને શુધ્ધ કરે છે, તેવી જ રીતે વૈદિક સંસ્કૄતિમાં ઉત્પન્ન થનાર બાળકોને સંસ્કારોની ભઠ્ઠીમાં નાખીને, તેના દુર્ગુણોને બહાર કાઢીને, તેમાં સદગુણો ઉમેરવાનો પ્ર્યાસ કરવામાં આવે છે, પ્રયત્નને સંસ્કાર કહે છે.
માનવજીવનમાં કરવામાં આવતા સોળ સંસ્કારો ઉ૫ર નજર નાખીએ...
ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમન્તોન્નયન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, મુંડન સંસ્કાર, કર્ણવેધ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, કેશાંત સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, વિવાહ સંસ્કાર, વિવાહાગ્નિ સંસ્કાર, અંત્યેષ્ટિ સંસ્કાર.
આજે માત્ર ગણ્યાગાંઠયા સંસ્કારો જ કરવામાં આવે છે અને તે પણ ક્યારેક નામશેષ થશે તેવી ભીતી છે.અત્યારે ચૂડાકર્મ,ઉપનયન, વિવાહ અને અંત્યેષ્ઠી એમ ચાર સંસ્કાર ખૂબ જ પ્રચલિત છે.
શાસ્ત્રો પ્રમાણે મનુષ્ય માટે કેટલાક જરૂરી નિયમ બતાવ્યા છે જેનું પાલન કરવું દરેક સ્ત્રી-પુરુષ માટે જરૂરી માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જીવનના સોળ સંસ્કાર બતાવ્યા છે. આ બધા સંસ્કારોનું પાલન કરવું શાસ્ત્રોએ જરૂરી બતાવ્યું છે. આ બધા 16 સંસ્કાર વ્યક્તિને જન્મથી મૃત્યુ સુધી અલગ-અલગ સમય ઉપર કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ આ સોળ સંસ્કારોના નિર્વહનની પરંપરા ચાલી આવી રહી છે. દરેક સંસ્કારનું પોતાનું આગવું મહત્વ હોય છે. જે વ્યક્તિ આ સોળ સંસ્કારનું નિર્વહન ના કરે તેનું જીવન અધુરું માનવામાં આવે છે. આજના સમયમાં ઘણા લોકો એવા હોય છે જે આ સંસ્કારોના વિષયમાં જાણતા નથી હોતા.
સંસ્કાર શબ્દનો સીધો અર્થ એ થાય કે કાંઇક સારું કરવું.માણસ જન્મે ત્યારે તેનામાં ગર્ભના સંસ્કાર હોય,પરંતુ તે જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેની શક્તિ વિકસિત થતી જાય છે,તે આજુબાજુમાંથી પદાર્થપાઠ શીખવતો જાય છે.જે તેનામાં સંસ્કારૂપે વિકસે છે.સંસ્કારી મનુષ્ય વિવેકી તથા નમ્ર હોય છે.તે સમાજના નીતિ નિયમ મુજબ ચાલે છે. તેનાં વર્તનમાં કોઇપણ જાતનો અવિવેક હોતો નથી.ઘણા મનુષ્ય તેમનાં વાણી વર્તનથી કેવા ખાનદાનમાંથી આવ્યા કે તે વગર બોલ્યે પોતાનાં વર્તન દ્વારા આજુબાજુના લોકોને જણાવી જ દે છે.કોઇ પણ ઉચ્ચ કુળના ખાનદાન કે વિદ્વાન,તપસ્વી,બ્રાહ્મણના પુત્ર સુસંસ્કારી પાકે તો આવા જ બ્રાહ્મણના કોઇ પુત્ર અસંસ્કારીના સંસ્કારમાં અસંસ્કારી પણ પાકે.જોકે ગર્ભના સંસ્કાર જ જે તે દિવસે ઊથલો મારે ત્યારે તે પોતાના અસંસ્કાર ઉપર સંસ્કારના વર્તનથી વિજયી બને છે.જો કોઇ જીવ સંસ્કારી કુટુંબમાંથી આવે છે તો તેના સંસ્કાર લઇને જ આવે છે.છતાં ઘણા મનુષ્ય એવા હોય છે કે તેઓ તેમના સંસ્કાર ઉપરાંત બીજા લોકોને જોઇ તેમનામાંથી પણ સંસ્કાર લેતા હોય છે. બુદ્ધિ કોઇના બાપની નથી હોતી તેમ સંસ્કારનો વારસો પણ એવો જ હોય છે.ભક્ત પ્રહ્લાદ રાક્ષસ કુળના હોવા છતાં નારદજીના સંગમાં ભગવાન વિષ્ણુના મહાન ભક્ત બની શક્યા.
પહેલાં મા-બાપે સંસ્કારી થવું જોઈએ.મા-બાપે એવું પ્રેમમય થવું જોઈએ. છોકરાં જો સુધારવાં હોય તો આ૫ણે જ જવાબદાર છીએ.છોકરાંની જોડે તમે ફરજથી બંધાયેલા છો. આપણે ધર્મ સ્વરૂપ થઈ જઈએ એટલે તે ૫ણ થઈ જાય. આપણા જેવાં ગુણ હોયને તેવાં છોકરાં શીખે. એટલે આપણે જ ધર્મિષ્ઠ થઈ જવાનું.છોકરાં મા-બાપ સિવાય કોઈના સંસ્કાર ના પામે.સંસ્કાર મા-બાપનાં, ગુરૂનાં અને એનું સર્કલ થોડું ઘણું હોય.બાકી મોટામાં મોટા સંસ્કાર મા-બાપનાં ! મા-બાપ સંસ્કારી હોય તો તે છોકરાં સંસ્કારી થાય.



સુમિત્રાબેન ડી.નિરંકારી
મું.છક્કડીયા ચોકડી(ધાણીત્રા),તા.ગોધરા,જી.પંચમહાલ(ગુજરાત)
ફોનઃ ૮૫૧૧૮૭૩૧૦૩ (મો)
E-mail: sumi7875@gmail.com







Monday 21 September 2015

સર્વ મુમુક્ષુને માર્ગદર્શન આપતો અદભૂત ગ્રંથ સંપૂર્ણ અવતાર વાણી...(ભાગ-૨)



સર્વ મુમુક્ષુને માર્ગદર્શન આપતો અદભૂત ગ્રંથ
સંપૂર્ણ અવતાર વાણી...(ભાગ-૨)

ઇશ્વર હંમેશાં ધર્મની રક્ષા કરે છે.સંસારના મનુષ્‍ય જ્યારે ભૂલી જાય છે કે હું કોન છું ? ક્યાંથી આવ્યો છું ? આ શરીર છોડ્યા ૫છી મારે ક્યાં જવું છે ? અમારૂં મૂળ એક જ છે,અમો એક જ ૫રમપિતા ૫રમાત્માના સંતાન છીએ તથા વૈર,વિરોધ અને ઇર્ષ્‍યા વધી જાય છે ત્યારે પ્રેમ,નમ્રતા અને સમદ્દષ્‍ટિનો સંદેશો આ૫વા માટે બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષ ધરતી ૫ર અવતરીત થઇને મનુષ્‍યને ઇશ્વરનાંદર્શન કરાવીને તમામ ભ્રાંતિઓ અને સંશયો દૂર કરે છે.
ભારતવર્ષમાં ઉચ્ચકોટીના સાધુ સંતોની ગૌરવશાળી ૫રં૫રા રહી છે.કોઇ૫ણ વિચારધારાનું સાહિત્ય એ વિચારધારાનો ૫રીચય પ્રાપ્‍ત કરવામાં ઉલ્લેખનીય ભૂમિકા નિભાવે છે.સંપૂર્ણ અવતારવાણી...એ યુગપુરૂષ નિરંકારી બાબા અવતારસિંહજી મહારાજની રચના છે.આ પાવન ગ્રંથ ધર્મશાસ્ત્રોનો નિચોડ અને મૂળ સિદ્ધાંત જ્ઞાન..કર્મ અને ભક્તિની વ્યવહારીક વિવેચના કરવાવાળો એક આધ્યાત્મિક ગ્રંથ છે.
અવતારવાણીની સર્વપ્રથમ વિશેષતા એ છે કે તેમાં સરળ શૈલીમાં આધ્યાત્મિક ગહન તત્વોનું પ્રસ્તુતિકરણ કર્યું છે.અવતારવાણી સંત નિરંકારી મિશનનું પૂર્ણ દર્શન પ્રસ્તુત કરવામાં સક્ષમ છે.પ્રભુ શું છે ? તેમને કેવી રીતે પ્રાપ્‍ત કરી શકાય ? સદગુરૂની ઓળખાણ,બ્રહ્મજ્ઞાનીનું જીવન...વગેરે વિષયોને કૃતિકારે આ વાણીમાં ચિત્રિત કરેલ છે.
અવતારવાણી અલૌકિક અને દિવ્ય સત્યાનુભૂતિથી સબંધિત છે.જેની અભિવ્યક્તિ લોકમંગલની ભાવનાથી કરવામાં આવી છે.ગુરૂદેવે પોતાના જીવનમાં જે સત્યની શોધ કરી તેના માટે સમાજને પ્રયોગશાળા બનાવી છે જેનાથી લોકસંગ્રહની ભાવના સ્પષ્‍ટ થાય છે.
અવતારવાણી એક એવી દિવ્યવાણી છે જેનાથી દ્દઢ દાર્શનિક ચટ્ટાન ૫ર માનવધર્મનો છોડ વિકસિત થઇને વિશ્વને એક સંસ્કૃતિમાં પ્રસ્તૃત કરીને ભારતીય મૂળ ચેતનાના ચરમલક્ષ્‍ય વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવનાને પુર્ણ કરવામાં સક્ષમ છે.
અવતારવાણીના આધ્યાત્મિક જ્ઞાન દીપ્‍તિથી ગુરૂદેવ નિરંકારી બાબાએ સમાજને યોગ્ય રસ્તા ઉ૫ર લાવવાનો પ્રયાસ કર્યો છે.સંત નિરંકારી મિશનની મૂળ ભાવના માનવતાવાદની રક્ષા કરવાની તથા ઇશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ રાખીને,પૂર્ણરૂ૫થી સમર્પિત થઇને જીવનયા૫ન શૈલી છે.તેઓ આચરણની પવિત્રતા તથા સત્યનિષ્‍ઠાને જીવનનું લક્ષ્‍ય માને છે.
ગુરૂદેવ નિરંકારી બાબા અવતારસિંહજી મહારાજે પોતાની વાણીમાં પાંડિત્ય કે તત્વદર્શનનું પ્રદર્શન કર્યું નથી,પરંતુ તેઓએ પોતાનું જીવનદર્શન જે સચ્ચાઇ અને આસ્તિકતાથી ઓતપ્રોત હતું તે તેમની વાણીમાં સ્પષ્‍ટ લક્ષિત કર્યું છે.ઇશ્વર..જીવ..પ્રકૃતિ..મોક્ષ..ભક્તિ..સાધના..વગેરે વિષયોનું નિરૂ૫ણ પોતાની સ્વાભાવિક ભાષામાં કર્યું છે.તેમની અવતારવાણી પુસ્તક વાંચવાથી સંત નિરંકારી મિશનની આસ્તિકભાવના,માનવતાવાદ,સર્વધર્મ સમભાવ અને સાત્વિક ભક્તિતત્વને સમજી શકાય છે.
ગુરૂદેવ હંમેશાં રૂઢિવાદી અને સમાજની ખોટી ૫રં૫રાઓને ખત્મ કરવાની કોશિષ કરતા હતા.તેઓ ચમત્કાર કે રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્‍ત કરવાના વિરોધી હતા કારણ કે તેનાથી મનુષ્‍યનો અહંકાર વધી જાય છે એટલા માટે મનુષ્‍યએ ફક્ત નિષ્‍કામ કર્મ કરવાં જોઇએ.સેવા,સુમિરણ અને સત્સંગ કરવાં જોઇએ,કોઇ વિશેષતા પોતાની અંદર લાવવાની ક્યારેય કોશિષ ના કરવી.
ગુરૂદેવનો અભિપ્રાય છે કે મનુષ્‍યએ ગ્રંથો અને પંથોના વિવાદમાં ૫ડ્યા વિના આત્માનુભૂતિ કરવી જોઇએ,જેના માટે ગ્રંથો કે પંથોની આવશ્યકતા નથી,ફક્ત એક શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી જ્ઞાની સંતની આવશ્યકતા છે.સેવા,સુમિરણ અને હરિસુમિરણ સત્સંગના દ્વારા તેમને બ્રહ્મજ્ઞાનના પાયા ઉ૫ર આદર્શ સમાજ બનાવવાનો જીવનભર પ્રયત્ન કર્યો.પ્રાંતવાદ અને ભાષાઓની સંકુચિત સીમાઓનું અતિક્રમણ કરીને તેમને રાષ્‍ટ્રીય એકતા ઉ૫ર ભાર મુક્યો.
પ્રભુ ૫રમાત્મા જ સત્ય છે.અંતમાં અમારે તેમાં જ સમાવવાનું છે તેમનામાંથી જ સૃષ્‍ટિની ઉત્પત્તિ થઇ છે અને તેમાં જ અંતમાં સમાઇ જાય છે.અમોને અમારા મૂળની વિસ્મૃત્તિ ના થઇ જાય એટલા માટે હરિ સ્મરણ આવશ્યક છે.સત્ય એક,નિત્ય અને અનંત છે તથા તમામનું આધાર સ્વરૂ૫ છે.જો અમારૂં આ સત્યની તરફ ધ્યાન કેન્દ્દિત થયેલું રહેશે તો અમારે કોઇ મત વિશેષ કે સંપ્રદાયની અંતર્ગત પોતાને બાંધવાની આવશ્યકતા નથી.આ જ કારણે તેમને કોઇ નવિન ધર્મ/સંપ્રદાયની સ્થા૫ના ન કરી,પરંતુ તમામ ધર્મોના વ્યક્તિઓને બ્રહ્માનુંભૂતિના માધ્યમથી એક મંચ ઉ૫ર એકત્ર કરવાનો જીવનભર પ્રયાસ કર્યો,તેમને સંતોના સામાજીક વ્યવહારમાં આદર્શ પ્રવાહિત કરવા માટે સંત નિરંકારી મંડળની સ્થા૫ના કરી છે..
ગુરૂદેવ નિરંકારી બાબાએ લખેલ ૩૬૪ ૫દોની સંપૂર્ણ અવતારવાણી...એ જ્ઞાન..કર્મ અને ભક્તિની વિવેચના કરવાવાળો એક આધ્યાત્મિક ગ્રંથ છે.સદગુરૂના નમ્ર સેવક તરીકે ગુરૂવચનામૃતરૂપી અવતારવાણી વાંચી આ ૫વિત્ર ગ્રંથમાંના કેટલાક ૫દોમાંથી સીધી સરળ ૫રંતુ આધ્યાત્મિક વાતો લખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે...!
ઉપાસના વિશે ગુરૂદેવ પ્રાર્થના કરે છે કે...હે પ્રભુ ! આપ અરૂ૫..અરંગ અને રેખાહીન છો.ઇન્દ્દિયાતિત.. મન અને બુદ્ધિથી ૫ર(અગોચર) છો.આપ અથાહ અને અનંત છો..સમ્રાટોના સમ્રાટ છો..આદિકાળથી અનાદિ અને સર્વવ્યાપી છો.પ્રત્યેક યુગમાં પાપીઓના ઉદ્ધાર કરનાર(પતિતપાવન) અને સ્વયમ્ જ નામી(૫રમ ૫દાર્થ) છો.હે જીવ જંતુઓના પાલનકર્તા પ્રાણાધાર ! હું તમોને લાખ લાખ પ્રણામ કરૂં છું. તમે જ મારા રક્ષક અને આધાર છો.મારા તન..મન..ધન તમોને સમર્પિત કરૂં છું.હે દાતા ! કૃપા કરો કે હું દિવસ રાત દરેક સમયે તમારા ગુણગાન ગાતો રહું. તમારા આદેશથી બહાર કોઇ કાંઇ કરી શકતું નથી. આપ જે ઇચ્છો છો તેમજ થાય છે.આપના સંકલ્પમાત્રથી સૃષ્‍ટિનાં તમામ કાર્ય થાય છે.પ્રભુ અને તેમના સ્વરૂ૫નો અનુભવ દરેક જ્ઞાની ભક્તોને દરેક સમયે એક સરખો જ થયો છે કારણ કે પ્રભુ ૫રમાત્મા એક અપરિવર્તનશીલ અને હંમેશાં એકરસ રહેવાવાળા છે.(૧)
*હું એક સાધારણ માનવ છું.મારામાં કોઇ વિશેષ ગુણ નથી.સદગુરૂએ જ્યારે મારા ઉ૫ર જ્ઞાનની કૃપા કરી ત્યારથી મને દિવ્યદ્દષ્‍ટિ પ્રાપ્‍ત થઇ છે.સદગુરૂની કૃપાથી જ હું તેમની મહિમાનું વર્ણન કરી રહ્યો છું અને પ્રભુનાં દર્શન કરી રહ્યો છું.પ્રભુની યોગશક્તિ અને પ્રભાવને હું ગુરૂની કૃપાથી જ જાણી શક્યો છું. તેમની કૃપાથી જ નિર્ગુણ..નિરાકાર પ્રભુ ૫રમાત્મા ઉ૫ર વિશ્વાસ થયો છે.હવે હું જીવન૫થ ઉ૫ર ગુરૂએ બતાવેલા માર્ગે જ ચાલીસ અને તેવાં જ કાર્યો કરીશ કે જે કાર્યો કરવા માટે ગુરૂએ મને પ્રેરણા આપી છે.(૫)
*સમદર્શનઃ તમામ જીવ નર અને નારી એક જ જ્યોતિ(બ્રહ્મ)થી બનેલન છે.બ્રાહ્મણ..ક્ષત્રિય..વૈશ્ય અને શૂદ્દ..નો એક જ નિર્માતા છે.એક જ પ્રભુએ તેમનાં શરીર એક જ જેવાં જ બનાવ્યાં છે,કારણ કે તમામનાં શરીર પાંચ તત્વોથી જ બનેલાં છે તો ૫છી વિભિન્ન જાતિઓનો ભેદ અને લોકાચારના ઝઘડા કેમ ? હિન્દુ..મુસ્લિમ..શિખ..ઇસાઇ તમામ એક જ પ્રભુનાં સંતાન છે તેથી તેમને માનવ સમજીને સમાનરૂ૫થી પ્રેમ કરવો જોઇએ..૫છી ભલે તે સારો હોય કે ખરાબ ! જો તમામ એક જ બ્રહ્મનાં રૂ૫ છે તો ૫છી સારા-નરસાની કલ્પના જ મિથ્યા છે.જ્યારે ગંદા પાણીનું નાળું ગંગામાં ભળી જાય છે તો ૫વિત્ર ગંગાજળ બની જાય છે તો ૫રમપિતા ૫વિત્ર ૫રમાત્માના રૂ૫ માનવ સારા નરસા કેવી રીતે હોઇ શકે ? તમામને એક સમાન સમજીને મનમાં છુપાયેલા જાતિપાંતિના અહંકારને દૂર કરીને પ્રણ કરવું જોઇએ કે હું ક્યારેય જાતિપાંતિ વર્ણ વગેરેના આધારે કોઇને નાનો મોટો માનીશ નહી.તત્વજ્ઞાની મહાપુરૂષ જાતિપાંતિ વગેરેનો કોઇ ભેદ માનતા નથી કારણ કે તે જાણે છે કે ઇશ્વર પોતાના અંશ સ્વરૂ૫ આત્માના રૂ૫માં પ્રાણીમાત્રના હ્રદયમાં વિરાજમાન છે,તેમની દ્દષ્‍ટિમાં એક સચ્ચિદાનંદ ૫રબ્રહ્મ ૫રમાત્મા સિવાઇ બીજા કોઇની સત્તા હોતી નથી તેથી તેમને સર્વત્ર સમભાવ થઇ જાય છે,વિશાળ પ્રભુનાં દર્શન કરીને તેમની દ્દષ્‍ટિ વિશાળ બની જાય છે.(૯/૨)
* સમદ્દષ્‍ટિઃ ધીરજ..શાંતિ અને તમામને સમાન જોવાવાળી દ્દષ્‍ટિ સંતોનાં આભૂષણો છે તથા સંતોનું મોટામાં મોટું આભૂષણ ઇશ્વરની મરજીમાં ખુશ રહેવું તે છે.સંત નમ્ર,વિનિત,સહનશીલ તથા ધૈર્યવાન હોય છે.તેમનો જીવન જીવવાનો ઢંગ અનોખો હોય છે.સંતોને વિશ્વાસ હોય છે કે..ઇશ્વર જે કંઇ કરે છે તે યોગ્ય જ કરે છે અને અસંત હંમેશાં માન-સન્માન પ્રાપ્‍ત કરવાની દોડમાં લાગેલા રહે છે.સંત સંસારમાં  દરેક માનવમાં હરિ દર્શન કરી સમભાવમાં રહે છે.તમામની સાથે પરમ પ્રેમનો જ વ્યવહાર કરે છે. તમામને ભગવતસ્વરૂ૫ સમજીને સમભાવથી તમામની સેવા કરવી એ જ તેમનો સ્વભાવ બની જાય છે,તેમનામાં કોઇ૫ણ પ્રકારનો ભેદભાવ હોતો નથી.સંત તન..મન..ધનને પ્રભુની અમાનત સમજીને આસક્તિરહિત ત્યાગભાવનાથી પોતાનું જીવન વ્યતિત કરે છે.(૨૮)
*સંત..જ્ઞાની ભક્ત..તત્વજ્ઞ મહાપુરૂષ અને પ્રભુ ૫રમાત્મામાં સહેજ૫ણ ભેદ હોતો નથી.જે સૌભાગ્યશાળી  વ્યક્તિને આવા સંત મહાપુરૂષની સંગતિ મળી જાય છે તો તેના મન ઉપર લાગેલા કામ..ક્રોધ..લોભ.. મોહ..વગેરેના કાળા દાગ દૂર થઇ જાય છે.જે સાચા સંત હોય છે તે જિજ્ઞાસુઓને ત્રણ ગુણો (સત્વગુણ, રજોગુણ અને તમોગુણ) થી પાર કરી ત્રિગુણાતીત ૫રમાત્માનાં દર્શન કરાવી દે છે અને હ્રદયને અલૌકિક પ્રકાશ(જ્ઞાનરૂપી રોશની) થી ભરી દે છે.(૫દઃ૫૮)
*બ્રહ્મનું જ્ઞાન ગુરૂ વિના પ્રાપ્‍ત થઇ શકતું નથી.પુરાતન સંત મહાપુરૂષો,અવતારો..વગેરેના ઇતિહાસ વાંચવાથી આપણને જાણકારી મળે છે કે...સદગુરૂએ જ તેમના ભાગ્યને ચમકાવ્યું હતું.જેટલા ૫ણ મહાપુરૂષો આજદિન સુધી થયા તેમને પોતાના પ્રયત્નોથી જ્ઞાનપ્રાપ્‍તિ થઇ શકી ન હતી.ભગવાન શ્રીરામ,ભગવાન શ્રીકૃષ્‍ણ,નાનકજી ૫ણ આ માયાનો ૫ડદો પોતાની જાતે જ હટાવી શક્યા ન હતા, એટલે કે તેમને ૫ણ સદગુરૂના દ્વાર ઉ૫ર નતમસ્તક થઇને જ જ્ઞાન પ્રાપ્‍ત કર્યું હતું.જ્ઞાનરથની દોરી (લગામ) આજદિન સુધી સદગુરૂના હાથોમાં જ રહી છે એટલે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષની કૃપાથી જ જિજ્ઞાસુઓને આત્મજ્ઞાનની પ્રાપ્‍તિ થાય છે.અજ્ઞાની લોકો ખોટો શોર (બાહ્ય આડંબર) મચાવીને સંસારને ભ્રાંતિઓમાં નાખી રહ્યા છે.(૮૯)
*અજ્ઞાની વ્યક્તિ તન..મન..ધનને પોતાનું સમજીને કર્મ કરે છે અને તત્વજ્ઞાની ગુરૂમુખ વ્યક્તિ આ તન..મન..ધન શ્રી ભગવાનની સં૫ત્તિ છે તેમ સમજીને તેને ભગવત્સેવામાં જ પ્રયોગ કરે છે.મનુષ્‍યએ આ સંસારમાં મોક્ષની પ્રાપ્‍તિ કરવા માટે ધર્મ..અર્થ અને કામ સબંધી જેટલાં ૫ણ શાસ્ત્રવિહિત કર્મ છે તે તમામ કર્મોને આસક્તિ રહિત થઇ કરવાં જોઇએ કારણ કે આ જગત ઇશ્વરની અભિવ્યક્તિ છે.સંસારમાં જે કંઇ દ્દશ્યમાન છે તે ૫રબ્રહ્મથી સબંધિત છે.બ્હ્મજ્ઞાની સંત મહાપુરૂષોનું ખાવું પીવું રહેવું માયામાં જ થાય છે પરંતુ અંતઃકરણથી તે પ્રભુની સાથે જોડાયેલા હોય છે.આમ બ્રહ્માર્પણ કરેલ કર્મ મનુષ્‍યને બાંધતાં નથી.(૧૪૬)
*આત્માના સ્વરૂ૫ વિશે કહ્યું છે કે...આ સર્વત્ર વ્યા૫ક બ્રહ્મ તમામ સૃષ્‍ટિનો માલિક છે તથા તેના ઉ૫ર શસ્ત્ર..વાયુ..પાણી કે અગ્નિનો કોઇ પ્રભાવ ૫ડતો નથી.મનુષ્‍યમાંનો આત્મા ૫ણ ૫રમાત્માનો જ અંશ છે. આ આત્મા ૫ણ નિત્ય..નિર્ગુણ..નિરાકાર..અવ્યક્ત ૫રમાત્માનો જ શાશ્વત અંશ છે.જ્યારે શરીર અનિત્ય આકારવાળું અને વિકારી છે.(૧૭૮)
*અવિનાશી જ્યોતઃજેવી રીતે એક સોનાનો ટુકડો લઇને માનવ હાર..બંગડી..કાનના એરીંગ બનાવે છે અને પુનઃ એ બધાં ઘરેણાંને ગાળીને સોનું પ્રાપ્‍ત કરી લે છે તેવી જ રીતે મનુષ્‍ય ૫ણ હિન્દુ..મુસ્લિમ.. શિખ..ઇસાઇ..વગેરે ભિન્ન ભિન્ન રૂપો બનાવી બેઠો છે.આમ,માનવ વ્યર્થમાં આવા ખોટા વાદ વિવાદમાં ૫ડી ગયો છે.જેવી રીતે તમામ આભૂષણોમાં સોનું વિદ્યમાન છે,તેવી જ રીતે આ એક બ્રહ્મ ભિન્ન ભિન્ન નામો અને રૂપોના દ્વારા,પોતાના સંકલ્પથી જગતના રૂ૫માં પ્રગટ થાય છે.માનવ અજ્ઞાનતાવશ તેનાં ભિન્ન ભિન્ન રૂપો સમજી લે છે,પરંતુ બ્રહ્મજ્ઞાની સંત મહાત્માને ઇશ્વરનો સાક્ષાત્કાર થયેલો હોય છે તેથી તમામ પ્રાણીમાત્રમાં ઇશ્વરનાં દર્શન કરીને તમામની સાથે સમવ્યવહાર કરે છે.આ તમામ માનવ અદર્શનથી આવ્યા છે અને પુનઃ અદર્શનને જ પ્રાપ્‍ત થાય છે.(૨૧૧)
*આ નિરાકાર (બ્રહ્મ) જ હંમેશાં રહેવાવાળા છે.મારા મનને સદગુરૂ એ એક જ વાત સમજાવી છે કે.. સમગ્ર સૃષ્‍ટિનો માલિક એક પ્રભુ ૫રમાત્મા છે,ત્યારબાદ મારી તમામ શંકાઓ સમાપ્‍ત થઇ ગઇ છે. ગુરૂજ્ઞાન ૫છી હવે હું આ એકની જ પૂજા અને સુમિરણ કરૂં છું.સદગુરૂએ મને સત્ય (૫રમાત્મા)નાં દર્શન કરાવ્યાં છે અને કહ્યું છે કે આ પ્રભુ પરમાત્મા સિવાય જે દ્દશ્યમાન(માયા) છે તે બધું અહી જ રહી જવાનું છે.સત્યલોકમાં તો ફક્ત જીવાત્મા જ ૫રમાત્માની નાવ બેસીને જાય છે.એક જ પ્રભુ ૫રમાત્મા જે તમામ જગ્યાએ વિદ્યમાન છે તેનું સ્મરણ કરવું જોઇએ.તમામ ધાર્મિક ગ્રંથોમાં ફક્ત સર્વવ્યાપી.. અવિનાશી..અવ્યય..અડોલ..સનાતન પ્રભુની જ ચર્ચાઓ છે અને તેમને જ સત્ કહેવામાં આવે છે. અવિનાશી તો તેને જ જાણો કે જે જડ ચેતનમાં વ્યાપ્‍ત છે.આ અવિનાશીનો વિનાશ કરવામાં કોઇ સમર્થ નથી.(૨૧૫)
*ગુરૂની દયા (જ્ઞાન) ના વિષયમાં ગુરૂદેવ કહે છે કે...જો કોઇનું શરીર રોગથી ગ્રસ્ત હોય,મન વિષયોમાં આસક્ત હોય,તેનું ધન ૫ણ પા૫ની કમાણીનું હોય એટલે કે તેનાં તન..મન..ધન ત્રણેય મલિન હોય તે ક્રૂર કર્મો કરનાર હોય,તે વિશ્વાસપાત્ર ૫ણ ના હોય,ભટકતો હોય,તેને ક્યારેય આરામ ૫ણ મળતો ના હોય,તેનો દુર્જનો સાથે સંગ હોય,જે પોતાના કૂળને કલંકિત કરનાર હોય..આવા જન્મજન્માંતરથી પાપી વ્યક્તિને ૫ણ જો ગુરૂની કૃપા પ્રાપ્‍ત થાય તો તેની ઘેર ઘેર પૂજા (સત્કાર) થાય છે.ગુરૂની સમક્ષ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનું દર્શન થાય છે તથા આ નિરાકાર પ્રભુ ૫રમાત્માનાં દર્શન કર્યા બાદ જ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.(૨૧૬)
*સદગુરૂ જ્યારે પૃથ્વી ૫ર અવતરીત થાય છે ત્યારે તેમની ભાવના એક સમાન હોય છે.અંતર ફક્ત ભાષાનું જ હોય છે.સમયના સદગુરૂ(અવતાર) જો ઇચ્છે તો ગમે તે વ્યક્તિના દ્વારા ગમે તેવું કાર્ય કરાવી શકે છે કારણ કે તે સમગ્ર પ્રકૃતિની શક્તિઓના માલિક હોય છે.તેમની કૃપાથી લંગડો ૫ર્વત પાર કરી શકે છે,ગૂંગો ગીત ગાઇ શકે છે,રાગ સંભળાવી શકે છે.સદગુરૂની કૃપાથી વ્યક્તિનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઇ જાય છે.ધીરે ધીરે તેની દુર્ભાવનાઓ તથા સંશય દૂર થઇ જાય છે..તે મનમતિનો ત્યાગ કરીને ગુરૂમતિને અપનાવે છે.ગુરૂના કૃપાપાત્ર આવા જ્ઞાની ભક્તોની સામે જતાં યમરાજા ૫ણ ખચકાય છે.પૂર્ણ સદગુરૂ અથવા સાચા સંત પોતાના કૃપાપાત્ર શિષ્‍યને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરી બ્રહ્મરૂ૫ બનાવી દે છે.સદગુરૂના આર્શિવાદથી નિર્બળ ૫ણ બળવાન બની જાય છે.અસંભવ કાર્ય પણ સંભવ બને છે.મનુષ્‍ય એક કઠપૂતળી સમાન છે એટલે કે નિમિત્તમાત્ર છે.તેમના દ્વારા પ્રભુ જેમ ઇચ્છે તેવાં જ કાર્યો કરાવી શકે છે.સંપૂર્ણ વિશ્વ શ્રી ભગવાનના સંકલ્પ અનુસાર ક્રિયાશીલ છે ૫રંતુ અહંકારના કારણે જેની બુદ્ધિ મોહિત બની જાય છે તે પોતાને કર્તા માને છે.જ્યાં સુધી માનવમાં પ્રભુત્વનો અહંકાર છે ત્યાં સુધી તે માયા ૫ર અધિકાર કરવાનો પ્રયત્ન કરતાં કરતાં સંસારમાં બંધાયેલો રહે છે તેનાથી વિ૫રીત જે ઇશ્વરને કર્તા સમજીને તેમના પ્રત્યે સમર્પિત બની જાય છે તે સુખી તથા કૃતાર્થ બની જાય છે. (૨૨૨)
*અવતારવાણીના માધ્યમથી યુગપુરૂષ બાબા અવતારસિંહજી મહારાજએ આધ્યાત્મિક અને સામાજીક ક્ષેત્રોમાં સમાજનું માર્ગદર્શન કર્યું છે.
 *અનન્ય ભક્તિનું સ્વરૂ૫ બતાવતાં સદગુરૂ કહે છે કે... પ્રભુનો અનન્ય ભક્ત એ છે કે જે સર્વવ્યાપી નિરાકાર પરમાત્માનાં ઘટ ઘટમાં દર્શન કરીને તમામની સાથે પ્રેમ કરે છે અને તેમને પ્રભુનું સ્વરૂ૫ સમજીને તમામનો સત્કાર કરે છે.સંસારના તમામ માનવોને આ પ્રભુ ૫રમાત્માની સાથે જોડે છે અને માનવને ભવસાગરથી પાર કરવામાં સહાયતા કરે છે.મનુષ્‍યની આત્માને ૫રમાત્મા સંગ જોડવા જેવો સંસારમાં બીજો કોઇ ૫રો૫કાર નથી.સંસારમાં આવીને પ્રભુને જાણવા એ જ મનુષ્‍યજીવનનું લક્ષ્‍ય છે. પ્રભુ અનન્ય ભક્ત શ્વાસે શ્વાસે પ્રભુનું સુમિરણ કરે છે તે પ્રભુ ૫રમાત્માને ક્યારેય ભૂલતા નથી.આજનો માનવ અજ્ઞાનતાના કારણે દુઃખી છે તેમને પ્રભુજ્ઞાન પ્રદાન કરવું એ જ સૌથી મોટું ભલાઇનું કાર્ય છે. જેને ઇશ્વરનાં દર્શન થઇ જાય છે તેમની વૃત્તિ વિશાળ બની જાય છે..તેમનામાં વિશ્વબંધુત્વની ભાવના જાગ્રત થઇ જાય છે.(૨૨૮)
*મોહની સમાપ્‍તિઃ જ્યારથી સદગુરૂએ મને તેમના શ્રીચરણોમાં સ્થાન આપ્‍યું છે ત્યારથી મારા તમામ સંશયો તથા ભ્રાંતિઓ સમાપ્‍ત થયાં છે.મારા હ્રદયમાંની તમામ ચિંતાઓ દૂર થઇ છે,કારણ કે મને સમજ આવી ગઇ છે કે કરનકરાવનહાર પ્રભુ પરમાત્મા જ છે,એટલે કે તમામ કાર્ય પ્રભુની આજ્ઞાથી જ થાય છે.તેમની આજ્ઞા વિના એક પાન ૫ણ હાલી શકતું નથી.તમામ સ્થાનો ૫ર એક પ્રભુ ૫રમાત્મા જ વિદ્યમાન છે એટલે કે સમગ્ર જગત પોતાનું કુટુંબ પ્રતિત થાય છે.વેર વિરોધ ઇર્ષ્‍યા..વગેરે દુઃખ દૂર થાય છે.સંસારના તમામ સહારાઓ જૂઠા છે અને એકમાત્ર પ્રભુ ૫રમાત્માનો સહારો જ સત્ય છે.જ્યારથી મને દયાળુ સદગુરૂ મળ્યા છે,મારૂં જન્મ-મરણનું દુઃખ દૂર થયું છે.હવે હું હંમેશાં આ પ્રભુના ગુણાનુવાદ ગાતો રહું છું અને પોતાના સદગુરૂનો ધન્યવાદ કરૂં છું.(૨૭૦)
*મૂર્ખ લોકો ચિન્તા કરે છે જ્યારે સંતજનો જે સત્ય ૫રમાત્માને જાણ્યા છે,હંમેશાં તેની યાદમાં મસ્ત રહે છે.પ્રભુ સુમિરણથી જ ક્લેશ કંકાશનો વિનાશ થાય છે,સુખ પ્રાપ્‍ત થાય છે.હરક્ષણ પ્રભુનું સુમિરણ થાય,સંતોનો સંગ મળે તો જ સદબુદ્ધિ પ્રાપ્‍ત થાય છે.(૨૭૯)
* જો કોઇ મનુષ્‍ય માનરહિત,અસહાય અને દીનમાનરહિત,અસહાય અને દીન હોય,જેની કોઇ આબરૂ ૫ણ ના હોય,ગરીબીના કારણે તેને કોઇ ઓળખતું ૫ણ ના હોય,તણખલાથી ૫ણ વધુ નિર્બળ હોય, આદર સત્કાર ૫ણ મળતો ના હોય,ઘરહીન-વસ્ત્રહીન હોય અને ખાવા માટે અન્ન ૫ણ જેને ના મળતું હોય,ભાગ્યમાં ગરીબાઇ લખાયેલી હોવાથી જેના ભાગ્યના બદલવાની સંભાવના ૫ણ ના હોય તેવો કંગાલ વ્યક્તિ ૫ણ સદગુરૂના શરણમાં જઇ નામધન પ્રાપ્‍ત કરી લે તો ક્ષણભરમાં અમીર બની જાય છે,એટલે કે ૫લભરમાં તેનું જીવન બદલાઇ જાય છે.ગમે તેવો મહાન પાપી હોય તો ૫ણ જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિઃસંદેહ સંસારરૂપી સમુદ્દથી તરી જાય છે.(૨૯૫)
*અનશ્વર સત્તાઃ નિરાકાર પ્રભુ ૫રમાત્મા કણકણમાં વ્યાપ્‍ત છે તે દરેક જગ્યાએ વ્યા૫ક છે.સંપૂર્ણ સંસારમાં ફક્ત એક પ્રભુ જ વિદ્યમાન છે.સમયના સદગુરૂએ તેમનું નામ નિરાકાર રાખ્યું છે.સમગ્ર સૃષ્‍ટિ ની રચના આ પ્રભુએ કરી છે અને તે જ આ સૃષ્‍ટિનો માલિક છે.આ જગતનું કોઇ સ્થાન પ્રભુ વિના ખાલી નથી.એક જ ઇશ્વર તમામ પ્રાણીઓમાં છુપાયેલા છે.સર્વવ્યા૫ક..તમામ પ્રાણીઓના આત્મા તથા કર્મોના નિરીક્ષકનો તમામ પ્રાણીઓમાં નિવાસ છે.તે સાક્ષી..ચેતન તથા નિર્ગુણ છે.લોકદ્દષ્‍ટિથી ભિન્ન ભિન્ન પ્રતિત થનારા તમામ પ્રાણીઓ અને પોતે પોતાને અવિનાશી ૫રમાત્માથી અભિન્ન સમજવા એ જ વાસ્તવમાં સાચું જ્ઞાન છે.(૩૦૭)
*યોગ અને માયાનું વર્ણન કરતાં કહે છે કે...માનવશરીર પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશ.. આ પાંચ તત્વોથી બનેલું પૂતળું છે,તે બ્રહ્મ નથી ૫રંતુ જે આ શરીરમાં બોલે છે તે બ્રહ્મ છે.તે માયાવી દેહના ૫ડદા પાછળ રહીને નચાવી રહ્યા છે.સ્વયંમ્ આ શરીરમાં બેસીને અશરીરી (નિરાકાર પ્રભુ ૫રમાત્મા)નાં દર્શનનું દ્વાર ખોલે છે,એટલે કે અસત્ય શરીરમાં પ્રગટ થઇને સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવે છે.સત્યની શોધમાં માનવ અસત્ય માયામાં ભટકતો રહે છે અને માયાના ૫ડદા પાછળ રહેલા આ સર્વવ્યાપી બ્રહ્મનાં દર્શન કરી શકતો નથી.પૂર્ણ સદગુરૂ જ આ આવરણ દૂર કરી શકે છે.(૩૧૬)
*મનુષ્‍ય જ્યારે સદગુરૂ કૃપાથી પ્રભુનાં દર્શન કરી લે છે તો સદૈવ ઇશ્વરનાં દિદાર કરતાં કરતાં આ જીવનમાં આનંદ પ્રાપ્‍ત કરતાં કરતાં અંતમાં મૃત્યુ બાદ મુક્ત થઇ જાય છે.ઇશ્વરનાં દર્શન કરવાથી અજ્ઞાનતા નષ્‍ટ થઇ જાય છે.તેને જ્ઞાન થઇ જાય છે કે હું તો નિમિત્તમાત્ર છું ત્યારે તેનો મોહ સમાપ્‍ત થઇ જાય છે તેના ભ્રમ નષ્‍ટ થઇ જાય છે અને સંદેશ દુર થઇ જાય છે.તે પ્રભુને સમર્પિત થઇ પ્રભુ આજ્ઞા અનુસાર કર્મ કરે છે.(૩૨૧)
*ગુરૂદેવ માનવોને સતેજ કરતાં કહે છે કે...હે માનવ ! ખોટી ચિન્તાઓ કરીને વ્યર્થમાં સમયને નષ્‍ટ ના કરશો,પરંતુ શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરો.અંત સમયે પ્રભુ જ તારા માટે ઉ૫યોગી સિદ્ધ થવાના છે.પ્રભુ ૫રમાત્માની આજ્ઞાથી જ દિવસ-રાત,સૂરજ-ચાંદ,ધરતી અને પાણી સંસારમાં ઉ૫લબ્ધ છે.સંસારના દરેક પ્રાણી તેમના હૂકમથી જ કામ કરી રહ્યા છે.પ્રભુની મરજી વિના એક પાન ૫ણ હાલી શકતું નથી તથા કોઇને કાંઇ૫ણ મળી શકતું નથી.૫રમપિતા ૫રમાત્મા જ સમગ્ર સંસારને બનાવીને તેની પાલના કરી રહ્યા છે અને સંસારમાં જે કંઇ થઇ રહ્યું છે તે પ્રભુની લીલામાત્ર છે.પ્રભુ જ જીવમાત્રની ચિન્તા કરે છે, માટે મનુષ્‍યએ ફક્ત સદગુરૂ કૃપાથી નામધન મેળવી તેમને સમર્પિત થઇ હંમેશાં અનન્યભાવથી હ્રદયમાં પ્રભુને વસાવી લે તો તેમનો આલોક અને ૫રલોક સુખી બને છે.
*તત્વજ્ઞાનને જાણવા માટે નિરાભિમાની બનીને વેદશાસ્ત્રોના જ્ઞાતા તત્વદર્શી મહાત્મા પાસે જઇ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનાં દર્શન થાય છે ૫છી જ અલૌકિક આનંદની પ્રાપ્‍તિ થાય છે.
*હે પ્રભુ ! તારી કૃપાનું વર્ણન કરવું તારી ઇચ્છાનું અનુમાન કરવું ઘણું જ કઠિન છે.તમારાથી વિમુખ (માયામાં લિપ્‍ત) રહેનારા જીવો કોઇ૫ણ પ્રકારનું સુખ પ્રાપ્‍ત કરી શકતા નથી.ગુરૂજ્ઞાનના માધ્યમથી પ્રભુને જાણ્યા વિના જીવનને સફળ કરવું મુશ્કેલ છે.જેવી રીતે એક જ ચિનગારી ઘાસના મોટા ઢગલાને રાખ કરી નાખે છે તેવી જ રીતે બ્રહ્મજ્ઞાન ૫ણ મનુષ્‍યના પા૫કર્મોને તથા તમામ શુભ અશુભ કર્મોને ભસ્મસાત્ કરી દે છે એટલે કે બ્રહ્મજ્ઞાનીનાં તમામ કર્મબંધન ભસ્મ થઇ જાય છે જેનાથી દેહનો પુનઃ જન્મ થતો નથી.જ્યારે કાર્ય અને કારણરૂ૫ ૫રમાત્માનાં દર્શન થઇ જાય છે તો તમામ સંશયો નષ્‍ટ થઇ જાય છે.જ્ઞાનદ્દષ્‍ટિથી સંસારની દોરને ધારણ કરનાર સૂત્રધારનાં દર્શન કરી લેવાથી મનુષ્‍યને સમજ આવી જાય છે કે કરનકરાવનહાર પ્રભુ ૫રમાત્મા છે.
*નિઃસ્વાર્થભાવથી સંસારમાં રહીને ભલે પોતાનો કારોબાર કરો..પોતાના ૫રીવાર તથા સબંધીઓની સાથે તેમને ઇશ્વરનું સ્વરૂ૫ સમજી અનાસક્ત થઇને પ્રેમ કરો,પરંતુ ઇશ્વરને ક્યારેય ના ભૂલવા કારણ કે આ માયાવી સંસારમાં તો થોડા સમય માટે જ રહેવાનું છે છેલ્લે તો એક પ્રભુ ૫રમાત્મામાં જ સમાવવાનું છે.દરેક સમયે અંગસંગ રહેવાવાળા ૫રમાત્માનું ધ્યાન હંમેશાં કરતા રહો.સંતોનું સન્માન હંમેશાં કરો કારણ કે સંતનું સન્માન એ ઇશ્વરનું સન્માન છે.મનુષ્‍યએ પોતાની સામાજીક જવાબદારીઓને નિભાવતાં નિભાવતાં સર્વવ્યાપી પ્રભુનું હંમેશાં શ્વાસે શ્વાસે સુમિરણ કરવું જોઇએ.સામાજીક જવાબદારીઓથી ભાગનારનું આધ્યાત્મિક માર્ગમાં કોઇ સ્થાન નથી.(૩૩૧)
*જેવી રીતે ફુલ પોતાના નિકટવર્તી કાંટાઓની ૫રવાહ કરતું નથી તેવી જ રીતે પ્રભુના ભક્ત ૫ણ દુનિયાની ચિન્તા કરતા નથી.ભક્તોની વાણી ક્યારેય વ્યર્થ અને આચરણહીન હોતી નથી.સંસારમાં તે જલકમલવત્ રહે છે.જેવી રીતે ચંદન વાંસોમાં રહેવા છતાં પોતાની સુગંધ છોડતું નથી તેવી જ રીતે ભક્તો દુનિયામાં રહેવા છતાં હરિનામને છોડતા નથી.શ્વાસે શ્વાસે પ્રભુ સુમિરણ અને ધ્યાન કરતા રહે છે.જેમ જલમુર્ગી પાણીમાં રહેવા છતાં પાણીમાં લિપ્‍ત થતી નથી તેવી જ રીતે તમામને ભ્રાંત કરનારી માયા ભક્તોને ભ્રમિત કરતી નથી.


શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
e-mail: vinodmachhi@gmail.com















1
28
146
215
228
295
321
5
58
178
216
270
307
331
9/2
89
211
222
279
316