Wednesday 9 October 2013

ગંગા સતી અને કબીરના ભજન



ગંગા સતી અને કબીરના ભજન
વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
નાનકડા ગામડામાં વસનાર ગંગાસતીએ ચોપડીયો અભ્યાસ ન કર્યો હોય પરંતુ અધ્યાત્મ માર્ગના ઊંડા રહસ્યો તેમના પદોમાં રહસ્યોદઘાટિત થતા જોઈ શકાય છે.
ડાબી ઈંગલા ને જમણી છે પિંગલા
રાખવું સ્વરભેદમાં ધ્યાન રે….
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું
એમ કાયમ લેવું વ્રતમાન રે…..માં યોગમાર્ગના રહસ્યો, પ્રાણાયામનું વિજ્ઞાન રજૂ થયું છે. તો એમના પ્રસિદ્ધ ભજન વીજળીને ચમકારેમાં એમની કોઠાસૂઝ કે ગણિતની આવડત અનોખી રીતે છતી થઈ છે.
જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઈ
એકવીસ હજાર છસ્સો કાળ ખાશે.
માણસ દર મિનિટે 15 શ્વાસોશ્વાસ લેતો હોય છે. આ ગણત્રી પ્રમાણે એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ થાય. એટલે એમની પંક્તિમાં એકવીસ હજાર છસ્સોની ગણના કેટલી વૈજ્ઞાનિક આધારવાળી છે.
ગંગાસતીના ભજનોની રચના પાછળની કથા કંઈક આ પ્રમાણે છે. એકવાર એક ખેડૂતની ગાય સર્પદંશથી મરણ પામી. જીવદયાથી કે લોકોના વ્યંગને કારણે ગંગાસતીના પતિ કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એથી ગાય સજીવન થઈ અને ચોતરફ વાત ફેલાઈ ગઈ. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામસ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહત્યાગનો સંકલ્પ કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી.  કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યારપછી એમ કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ. ગુજરાતી ભાષાના અધ્યાત્મ આકાશમાં વીજળીની જેમ ચમકી રહેલી એમની કેટલીક રચનાઓને અહીં પ્રસ્તુત કરી છે.

#
1
1731
2
2028
3
1985
4
1317
5
1179
6
1208
7
1123
8
1219
9
1381
10
1182
11
1043
12
1295
13
1120
14
1044
15
1090
16
1056
17
1347
18
1057
19
1006
20
1283

 

ગુપત રસ આ જાણી લેજો

ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ!
જેથી જાણવું રહે નહિ કાંઈ,
ઓઘ રે આનંદના કાયમ રહે,
ને સેજે સંશય બધા મટી જાય ... ગુપત.
શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ,
માયલું મન ફરી ઊભું ન થાય;
કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ,
જેથી જનમ મરણ સહેજે મટી જાય ... ગુપત.
પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ,
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ,
ભાવ કભાવ મનમાં નહિ થાય ... ગુપત.
મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ,
ભજન કરો ભરપૂર,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
વરસાવો નિર્મળ નર ... ગુપત.
- ગંગા સતી

 

નવધા ભક્તિમાં નિર્મળ રહેવું

નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
ને રાખવો વચનનો વિશ્વાસ રે
સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં
ને થઈને રહેવું એના દાસ રે ... નવધા ભક્તિમાં
રંગ ને રૂપમાં રમવું નહીં
ને કરવો ભજનનો અભ્યાસ રે,
સતગુરુ સંગે નીર્મળ રહેવું
ને તજી દેવી ફળ કેરી આશ રે .... નવધા ભક્તિમાં
દાતા ને ભોક્તા હરિ એમ કહેવું
ને રાખવું નીર્મળ ધ્યાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવવું
ને ધરવું ગુરુજીનું ધ્યાન રે ... નવધા ભક્તિમાં
અભ્યાસી થઈને પાનબાઈ એવી રીતે રહેવું
ને જાણવો વચનનો મરમ રે
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,
છોડી દેવાં અશુધ્ધ કરમ રે .. નવધા ભક્તિમાં
ગંગા સતી

 

 

 

 

 

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ
ઉપજે આનંદ કેરા ઓઘ રે,
સિદ્ધ અનુભવો જેના ઉરમાં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે ... સાનમાં રે
ચૌદ લોકથી વતન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લો ઓળખાણ રે,
વ્યથા રતે બોધ વચનનો સુણો પાનબાઈ
મટી જાય મનની તાણવાણ રે ... સાનમાં રે
વચન થકી ચૌદ લોક રચાણાં ને,
વચન થકી ચંદા ને સૂરજ રે,
વચન થકી રે માયા ને મેલવી રે
વચન થકી વરસે સાચા નૂર રે .... સાનમાં રે
વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ
ભણવું પડે બીજું કાંઈ ન રે,
ગંગા સતી એમ કરી બોલ્યાં રે
નડે નહીં માયા કેરી છાંય રે .... સાનમાં રે
- ગંગા સતી

 

 

છૂટાં છૂટા તીર અમને મારો મા

છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી
મુજથી સહ્યાં નવ જાય રે
કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટું ફાટું થાય રે .... છૂટાં છૂટાં તીર
બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા
મુખથી નવ સહેવાય રે
આપોને વસ્તુ અમને લાભ જ લેવા
પરિપૂર્ણ કરોને કાય રે ...  છૂટાં છૂટાં તીર
બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ
બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહની દશા મટી જાય રે .... છૂટાં છૂટાં તીર
બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈ
પરિપૂર્ણ વચનમાં વર્તાય જો,
ગંગા સતી રે એમ જ બોલિયા
પૂર્ણ અધિકારી કહેવાય જો .... છૂટાં છૂટાં તીર
- ગંગા સતી

 

 

 

 

અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં

અભ્યાસ જાગ્યા પછી
MP3 Audio
અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
ને રહેવું નહીં ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે ... અભ્યાસ જાગ્યા પછી
તીરથ વ્રત પછી કરવા નહીં
ને કરવા નહીં સતગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ ... અભ્યાસ જાગ્યા પછી
હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પર પંથથી રહેવું દુર રે,
મોહ તો સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે ... અભ્યાસ જાગ્યા પછી
મંડપને મેલા પછી કરવા નહીં 
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા
બાળવા હોય પરિપૂર્ણ રાગ રે .... અભ્યાસ જાગ્યા પછી
- ગંગા સતી

 

 

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સમજવી સદગુરુ કેરી શાન રે,
વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી
મેલી દેવું અંતરનું માન રે .... સર્વ ઈતિહાસનો
પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે
જેણે શીશને કર્યા કુરબાન રે,
વિપત તો એના ઉરમાં ન આવે
જેને મહારાજ થયા મહેરબાન રે ... સર્વ ઈતિહાસનો
શીશ તો પડે જેના, ધડ નવ રહે
જેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે,
પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું,
ત્યારે રીઝે આતમરામ રે .... સર્વ ઈતિહાસનો
ભક્તિ વિના પાનબાઈ, ભગવાન રીઝે નહીં
ભલે કોટિ રે કરે ઉપાય રે,
ગંગા સતી તો એમ જ બોલિયા
આપદા ભક્તિ વિના નવ જાય રે ... સર્વ ઈતિહાસનો
- ગંગા સતી

 

 

 

 

પદમાવતીના રે જયદેવ સ્વામી

પદમાવતીના રે જયદેવ સ્વામી
તેનો પૂરણ કહું ઈતિહાસ રે,
એકાગ્ર ચિત્તથી તમે સાંભળજો,
એ તો હતા હરિનાં દાસજી ... પદ્માવતીના.
ગીત ગોવિંદ જ્યારે લખ્યું જયદેવે,
જેનું નામ અષ્ટપદી કહેવાયજી,
પદ પદ પ્રત્યે ભક્તિરસ પ્રગટ્યો,
જેથી પદમાવતી સજીવ થાયજી ... પદ્માવતીના.
ગોપીયું ને કૃષ્ણની લીલા લખતાં,
જયદેવ રહ્યા સમસમીજી,
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા,
પ્રત્યક્ષ હસ્તગુણ માંહીજી ... પદ્માવતીના.
ભક્તિ એવી પાનબાઈ પરમપદદાયિની
તમને કહું છું, સમજાયજી,
ગંગા રે સતી એમ બોલિયાં,
જીવ મટીને શિવ થાયજી .... પદ્માવતીના.
- ગંગા સતી

 

 

 

 

સદગુરુના વચનના થવા અધિકારી

સદગુરુ વચનના થવા અધિકારી
મેલી દો અંતરનું અભિમાન,
માન મેલીને તમે આવો મેદાનમાં,
સમજો ગુરુજીની શાન રે ... સદગુરુના.
અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે
નહીં થાય સાચેસાચી વાત,
આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે
પ્રભુજી દેખાશે આપોઆપ રે ... સદગુરુના.
સત્સંગ રસ એ તો અગમ અપાર છે,
તે તો પીવે કોઈ પીવનહાર,
તનમનની જ્યારે સુધબુધ ભૂલાશે
ત્યારે અરસપરસ મળશે એકતાર રે ... સદગુરુના.
ધડ રે ઉપર જેને શીશ નવ મળે
એવો ખેલ છે ખાંડા કેરી ધાર,
એમ રે તમારું તમે શીશ ઉતારો
તો તમને રમાડું બાવન વાર રે ... સદગુરુના.
હું અને મારું ઈતો મનનું કારણ પાનબાઈ!
એ મન જ્યારે મટી જાય,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
ત્યારે અંતરમાં અલખ દેખાય રે ... સદગુરુના.
- ગંગા સતી

 

ગુપત રસ આ જાણી લેજો

ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ!
જેથી જાણવું રહે નહિ કાંઈ,
ઓઘ રે આનંદના કાયમ રહે,
ને સેજે સંશય બધા મટી જાય ... ગુપત.
શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ,
માયલું મન ફરી ઊભું ન થાય;
કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ,
જેથી જનમ મરણ સહેજે મટી જાય ... ગુપત.
પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ,
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ,
ભાવ કભાવ મનમાં નહિ થાય ... ગુપત.
મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ,
ભજન કરો ભરપૂર,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
વરસાવો નિર્મળ નર ... ગુપત.
- ગંગા સતી

 

 

 

 

ઝીલવો જ હોય તો રસ

ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ,
પછી પસ્તાવો થાશે;
અગમ અગોચર રસનું નામ છે,
એ તો પુરણ અધિકારીને ઠેરાશ ... ઝીલવો જ હોય
માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ!
જુઓને વિચારી તમે મનમાં,
દૃશ્ય પદારથ નથી રે'વાનું પાનબાઈ,
સુણોને ચિત્ત દઈને વચનમાં ... ઝીલવો જ હોય.
આ તો ગુંજાનો લાડવો પાનબાઈ,
અહંભાવ ગયા વિના ન ખવાય.
કોટિ કે જનમની મટાડો કલ્પના ત્યારે,
જાતિ રે પણું વયું જાય ... ઝીલવો જ હોય.
દૃષ્ટિ રાખો ગુપત ચાખો પાનબાઈ,
તો તો સેજે આનંદ વરતાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
આપમાં આપ મળી જાય ... ઝીલવો જ હોય.
- ગંગા સતી

 

 

 

પરિપૂર્ણ સતસંગ

પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું,
ને આપું જોને નિર્મળ જ્ઞાન રે,
જનમવા મરવાનું તમારું મટાડીને
ધરાવું અવિનાશીનું ધ્યાન રે ... પરિપૂર્ણ.
નામરૂપને મિથ્યા જાણો ને
મેલી દેજો મનની તાણાવાણ રે,
આવો બેસો એકાંતમાં ને તમને,
પદ આપું નિર્વાણ રે ... પરિપૂર્ણ.
સદા રહો સતસંગમાં ને
કરો અગમની ઓળખાણ રે,
નુરત સુરતથી નિજ નામ પકડીને
જેથી થાય હરિની જાણ રે ... પરિપૂર્ણ.
મેલ ટળે ને વાસના ગળે,
ન કરો પુરણનો અભિયાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં,
થાય મૂળ પ્રકૃતિનો નાશ રે ... પરિપૂર્ણ.
- ગંગા સતી

 

 

 

 

કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ

કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે,
ને સમજીને રહીએ ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,
ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે ..
ભજની જનોએ ભક્તિમાં રેવું ને,
કરવો સ્મરણ નિરધાર રે….
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,
બાંધવા સૂરતા કેરા તાર રે કુપાત્રની પાસે
ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી
ને ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે,
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે કુપાત્રની પાસે
સંશય ટળે ને મનડું ગળે ને
રાખે નહીં કોઈના પર દ્વેષ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
એવાને દેખાડવો હરિનો દેશ રે કુપાત્રની પાસે
- ગંગા સતી

 

 

 

 

ધ્યાન ધારણા કાયમ રાખવી

ધ્યાન ધારણા કાયમ રાખવી,
ને કાયમ કરવો અભ્યાસ રે,
ભાળી ગયા પછી તરપત ન થાવું,
વિશેષ રાખવો ઉલ્લાસ રે ... ધ્યાન.
ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું;
ને કાયમ કરવું ભજન રે,
આળસ કરીને સુઈ ન રહેવું,
ને ભલે કબજે કર્યું પોતાનું મન રે ... ધ્યાન.
આઠે પહોર રે'વું આનંદમાં,
જેથી વધુ વધુ જાગે પ્રેમ રે;
હંમેશા અભ્યાસ મૂકવો નહિ,
ને છોડી દેવું નહિ નીમ રે ... ધ્યાન.
નિત્ય પવન ઊલટાવવો,
ને રમવું સદા હરિની સંગ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
પછી ચડે નહિ દુજો રંગ રે ... ધ્યાન.
- ગંગા સતી

 

 

 

 

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે
MP3 Audio
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે
પાનબાઈને થયો અફસોસ રે,
વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો
ને મટી ગયો મનનો સર્વે શોક રે ... ગંગા સતી
અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં
સંકલ્પ સમરું ચિત્તમાંહી રે,
હાણ ને લાભની મટી ગઈ કલ્પના
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે ... ગંગા સતી
જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને
રસ તો પીધો અગમ અપાર રે,
એક નવધા ભક્તિને સાધતાં,
મળી ગયો તુરિયામાં તાર રે .... ગંગા સતી
ત્યાં તો એટલામાં અજુભા આવ્યા
તેને કરાવ્યો સત્સંગ રે,
ગંગા સતી પ્રતાપે પાનબાઈ બોલિયા રે
હવે કોણ ચડાવે પુરણ રંગ રે ... ગંગા સતી
- ગંગા સતી

 

 

 

કાળધર્મ ને સ્વભાવને જીતવો

કાળધર્મ ને સ્વભાવને જીતવો,
રાખવો નહિ અંતરમાં ક્રોધ રે
સમાનપણેથી સરવેમાં વરતવું,
ને ટાળી દેવો મનનો વિરોધ રે ... કાળધર્મ.
નિર્મળ થઈને કામને જીતવો,
ને રાખવો અંતરમાં વૈરાગ રે,
જગતના વૈભવને મિથ્યા જાણી,
ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે ... કાળધર્મ.
આલોક પરલોકની આંહા તજવી,
ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે,
તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી,
ને મેલવું અંતરનું માન રે ... કાળધર્મ.
ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું,
ને વરતવું વચનની માંય રે,
ગંગી સતી એમ બોલિયાં રે,
એને નડે નહિ જગતમાં કાંઈ રે ... કાળધર્મ.
- ગંગા સતી

 

 

 

 

એટલી શિખામણ દઈ

એટલી શિખામણ દઈ
MP3 Audio
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું,
ને વાળ્યું સતીએ પદ્માસન રે,
મન વચનને સ્થિર કરી દીધું
ને અંતર જેનું છે પ્રસન્ન રે...એટલી.
ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું
ને લાગી સમાધિ અખંડ રે,
મહાદશ પ્રગટાવી તે ઘડી
ને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રે...એટલી.
બ્રહ્મ રૂપ જેની વૃત્તિ બની ગઈ
ને અંતર રહ્યું નહિ લગાર રે,
સુરતાએ સુનમાં જઈ વાસ કીધો,
ને અરસપરસ થયા એકતાર રે..એટલી.
નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ
ને વૃત્તિ લાગી પીંડની પાર રે,
ગંગા સતીનું શરીર પડી ગયું,
ને મળી ગયો હરિમાં તાર રે...એટલી.
- ગંગા સતી

 

 

 

ચક્ષુ બદલાણી ને

ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી,
ને ફળી ગઈ પૂરવની પ્રીત રે.
ટળી ગઈ અંતરની આપદા,
ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે ... ચક્ષુ.
નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો,
ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,
સુસ્તી ચડી ગઈ સૂનમાં,
ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે ... ચક્ષુ.
અવિગત અલખ અખંડ અવિનાશી રે
અવ્યકતા પુરૂષ અવિનાશી રે,
બાળીને સુરતા એમાં લય થઈ ગઈ,
હવે મટી ગયો જન્મનો ભાસ રે ... ચક્ષુ.
ઉપદેશ મળી ગયો
ને કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
ને આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે ... ચક્ષુ.
- ગંગા સતી

 

 

 

 

કળજુગ આવ્યો હવે કારમો

કળજુગ આવ્યો હવે કારમો રે,
તમે સુણજો નર ને નાર,
ભક્તિ ધરમ તે માંહે લોપાશે,
રહેશે નહિ તેની મર્યાદ .... કળજુગ.
ગુરુજીના કીધાં ચેલો નહીં માને
ને ઘેરઘેર જગાવશે જ્યોત
નર ને નારી મળી એકાંતે બેસશે,
ને રહેશે નહિ આત્મ ઓળખાણ ... કળજુગ.
વિષયના વેપારમાં ગુરુજીને વામશે,
જૂઠાં હશે નર ને નાર,
આડ ધરમની ઓથ લેશે,
પણ રાખે નહિ અલખ ઓળખાણ ... કળજુગ.
એક બીજાના અવગુણ જોવાશે
ને કરશે તાણવાણ રે,
કજીયા કલેશની વૃદ્ધિ થાશે ત્યારે,
નહિ આવે ધણી મારો દ્વાર .... કળજુગ.
સાચા મારા ભઈલા અલખ આરાધે
ને ધણી પધારે એને દ્વાર રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે કરજો સાચાનો સંગ ... કળજુગ.
- ગંગા સતી

જીવ ને શિવની થઈ એકતા

જીવ ને શિવની થઈ એકતા
ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે
સમાઈ રહ્યો સુનની માંય રે ... જીવ ને.
તમે હરિ હવે ભરપૂર ભાળ્યા
ને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,
રમો સદા એના સંગમાં
ને સુરતા લગાડો બાવન બાર રે ... જીવ ને.
મૂળ પ્રકૃતિથી છૂટી ગયા
ને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું,
ને જ્યાં વરસો સદા સ્વાંત રે ... જીવ ને.
સદા આનંદ હરિના સ્વરૂપમાં જે
જ્યાં મટી મનની તાણા વાણ રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે પદ પામ્યા નિર્વાણ રે ... જીવ ને.
- ગંગા સતી

દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું

દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
ને એવું કરવું નહિ કામ રે,
આપણી વસ્તુ ન જાય અવસ્થા
ને એ જવાનું લેવું નહિ નામ રે ... દળી દળીને.
સેવા કરવી છેલ્લા જનમવાળાની
ને ભજનમાં જોવા સંસ્કાર રે,
જોવા પૂરવનું પુરૂષારથ હોય એહનું
ને તો મેળવવો વાતનો એકતાર રે .... દળી દળીને.
વિષયવાળાને આ વાત ન કહેવી,
ને એથી રાખવું અલોપ રે,
દેખાદેખી એ મરને કંઠી બંધાવે,
ને શુદ્ધ રંગનો ચડે ના ઓપ રે ... દળી દળીને.
ઉત્તમ જો કર્મ કરે ફળની આશાએ
ને એવાને ન લાગે હરિનો લેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે ... દળી દળીને.
- ગંગા સતી

અંત:કરણથી પૂજાવાની આશા

અંત:કરણથી પૂજાવાની આશા રાખે
ને એને કેમ લાગે હરિનો સંગ રે,
શિષ્ય કરવા નહિ એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે ... અંતઃકરણથી.
અંતર નથી જેનું ઉજળું,
ને જેને મોટાપણું મનમાંય રે,
તેને બોધ નવ દીજીએ
ને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રે ... અંતઃકરણથી.
શઠ નવ સમજે સાનમાં
ને ભલે કોટિ ઉપાય કરે,
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય
ને એવાની અંતે ફજેતી થાય રે ... અંતઃકરણથી.
એવાને ઉપદેશ કદી નવ દેવો
ને ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
એવાનો કરવો નહિ ઈતબાર રે ... અંતઃકરણથી.
- ગંગા સતી

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો,
ને રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો,
ને જેનું મન સદા વિપરીત રે ... સ્થિરતાએ.
આગળ ઘણાં મહાત્મા થઈ ગયા
ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો
ને ઉપજાવે અંતરમાં ખેદ રે ... સ્થિરતાએ
લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું,
ને આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો
ને જેને લાગે નહિ લેશ ઉરમાંય રે ... સ્થિરતાએ.
ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું
ને ચુકવો નહિ અભ્યાસ રે,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
ત્યાં ટકે નહિ દુરજનનો વાસ રે ... સ્થિરતાએ.
- ગંગા સતી

હેઠા ઊતરીને પાસ લાગ્યા

હેઠા ઊતરીને પાસ લાગ્યા
ને ઘણો છે એનો ઉપકાર રે,
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી,
ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે હેઠા.
અખંડ અમર અવિનાશી ભાળ્યા,
ને વસ્તુ છે અગમ અપાર રે,
દયા કરીને મુજને દરસાવ્યા
ને અનામ એક નિરધાર રે હેઠા.
સમજીને વાસના સમાઈ ગઈ,
ને અનુપમ છે એક રૂપ રે,
આતમને ભિન્ન નવ જાણો,
ને એ તો છે શુદ્ધ નિરંજન ભુપ રે હેઠા.
સરવેની સાથે મિત્રતા રાખજો,
ને નહિ પ્રીત નહિ વેર રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે,
એવું સમજીને કરવી લે'ર રે હેઠા.

ઊલટ સમાવ્યો સૂલટમાં

ઊલટ સમાવ્યો સૂલટમાં
ને સૂરતા ગઈ સૂન માંય રે,
ભાળી સ્વામીની ભોમકા
ને હરિ જોયા અખંડ સુન માંય રે ... ઉલટ.
આવરણ મટી ગયા
ને હવે થયો છે આનંદ રે,
બ્રહ્મ ભાળ્યા એક તારમાં
ને તૂટ્યો પ્રપંચનો ફંદ રે ... ઉલટ.
અવિનાશી મેં અખંડ જોયા
ને જ્યાં નામ રૂપનો નાશ રે,
સચ્ચિદાનંદ પુરણ સદા સ્વામી
ને તેને જોઈ લ્યો ઉલ્લાસ રે ... ઉલટ.
અવાચ પદ અખંડ અનામી
ને તેને જોઈ થયો ઉલ્લાસ રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં
ને કીધો મુળ અવિદ્યાનો નાશ રે ... ઉલટ.

અસલી જે સંત હોય તે

અસલી જે સંત હોય તે
MP3 Audio
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
કપટ નહીં મન માંહ્ય જી,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.
દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
ગુરુજીના વેચાયે વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી ... અસલી જે સંત
અમરીયા બની જે નિતનિત ખેલે રે
મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહીં જરી જોને ઝાળ રે ... અસલી સંત.
જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
લાભ ને હાનિ મટી જાય જી,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી ... અસલી સંત
મનથી રે રાજી તમે એમ જ રહેજો
તો રીઝે સદા નકળંક રાયજી
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
અસલી રે સંત ઈ ગણાય જી ... અસલી જે સંત
- ગંગા સતી

પાની મેં મીન પિયાસી

પાની મેં મીન પિયાસી (સ્વર - જગજીત સિંહ, પુરુષોત્તમ જલોટા)
MP3 Audio
પાની મેં મીન પિયાસી, મોહિ સુન સુન આવત હાંસી.

આતમ જ્ઞાન બિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી,
જૈસે મૃગા નાભિ કસ્તુરી, બન બન ફિરત ઉદાસી પાની મેં

જલ બિચ કમલ, કમલ બિચ કલિયાં, તા પર ભંવર નિવાસી,
સો મન બસ ત્રિલોક ભયો હૈ, યતી સતી સંન્યાસી પાની મેં

જાકો ધ્યાન ધરે વિધિ હરિહર, મુનિજન સહસ અઠાસી,
સો તેરે ઘટમાંહી બિરાજે, પરમ પુરૂષ અવિનાશી પાની મેં

હૈ હાજિર તોહિ દૂર દિખાવે, દૂરકી બાત નિરાસી,
કહે કબીર સુનો ભાઈ સાધો, ગુરૂ બિન ભરમ ન જાસી પાની મેં
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે માછલી પાણીમાં રહેતી હોવા છતાં તરસી છે એ વાત સાંભળીને જેમ હસવું આવે એવી જ રીતે જીવ પરમાત્માનો અંશ હોવા છતાં, ઘટ ઘટમાં રમી રહેલ પરમાત્માને પામી શકતો નથી અને સાંસારિક વિષયોમાં ફસાય છે એ જોઈ મને હસવું આવે છે. જેમ મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે પણ તે આખા જંગલમાં દોડી દોડીને તેને શોધે છે તેમ સ્વરૂપની અનુભૂતિ ન હોવાથી માનવ પણ કાશી મથુરા જેવા તીર્થસ્થાનોમાં તેની ખોજ કરે છે. જળની વચ્ચે કમળ ઊગે છે અને તેની પર ભ્રમર ફરે છે તેવી જ રીતે આ ત્રિલોકમાં વસીને માનવ - પછી તે યતિ હોય, સતી હોય કે સંન્યાસી હોય, એનું ધ્યાન ધરે છે. બ્રહ્મા, વિષ્ણુ મહેશ તથા અગણિત મુનિજનો જેને સેવે છે તે અવિનાશી પરમાત્મા તો આપણા હૃદયમાં વિરાજમાન છે. તેને ઓળખવાની કોશિશ કરો. એ નજીક હોવા છતાં દૂર માલૂમ પડે છે, અને દૂર હોવાની વાતને કારણે  માનવને એની શોધમાં નિરાશા સાંપડે છે. અંતે કબીર સાહેબ કહે છે કે ઈશ્વર પોતાના અંતરમાં વિરાજેલ છે, અને તેના સુધી સરળતાથી પહોંચવાનો માર્ગ ગુરુ વિના મળવો મુશ્કેલ છે.
English
Paani me meen piyasi, mohe sun sun aave hansi,

Aatam gyan bina nar bhatake, koi Mathura koi Kashi,
Mirga nabhi base kasturi, ban ban firat udasi  … paani

Jal bich kamal, kamal bich kaliya, ta par bhavar nivasi,
So man bas trilok bhayo hai, yati, sati, sanyasi … paani

Ja ko dhyan dhare vidhi harihar, muni jan sahasra athasi,
So tere ghat mahi biraji, param purush avinashi …paani

Hai hajir tehi dur batave, dur ki baat nirasi,
Kahat kabir suno bhai sadho, Guru bin maram na jasi … paani.
Hindi
पानी में मीन पियासी, मोहि सुन-सुन हावे हाँसी ।

आतम ज्ञान बिना नर भटके, कोई मथुरा कोई काशी ।
मिरगा नाभि बसे कस्तूरी, बन बन फिरत उदासी ॥

जल बिच कमल कमल बिच कलियाँ, तापर भँवर निवासी ।
सो मन बस त्रैलोक्य भयो हैं, यति सती सन्यासी ॥

जाको ध्यान धरे विधि हरिहर, मुनिजन सहस्त्र अठासी ।
सो तेरे घटमांही बिराजे, परम पुरुष अविनाशी ॥

है हाजिर तेहि दूर बतावें, दूर की बात निरासी ।
कहत कबीर सुनो भाई साधो गुर बिन मरम न जासी ॥

બરસન લાગ્યો રંગ

બરસન લાગ્યો રંગ (સ્વર - મદન ગોપાલ)
MP3 Audio
બરસન લાગ્યો રંગ શબદ ચઢ લાગ્યો રી

જનમ મરણ કી દુવિધા ભારી,
સમરથ નામ ભજન લત લાગી
મેરે સતગુરુ દીન્હીં સૈન સત્ય કર પા ગયો રી ... બરસન લાગ્યો

ચઢી સૂરજ પશ્ચિમ દરવાજા,
ભ્રુકુટિ મહેલ પુરુષ એક રાજા
અનહદ કી ઝંકાર બજે વહાં બાજા રી ... બરસન લાગ્યો

અપને પિયા સંગ જાકર સોઈ,
સંશય શોક રહા નહીં કોઈ,
કટ ગયે કરમ કલેશ, ભરમ ભય ભાગા રી ... બરસન લાગ્યો રંગ

શબદ વિહંગમ ચાલ હમારી
કહ કબીર સતગુરુ દઈ તારી
રિમઝિમ રિમઝિમ હોય તાલ બસ આઈ ગયો રી ... બરસન લાગ્યો રંગ.
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ પોતાની અનુભૂતિનું વર્ણન કરે છે. જન્મ મરણના ચક્રમાં ફસાયેલ જીવને સદગુરુનું શરણ અને મંગલ માર્ગદર્શન મળે અને એ પ્રમાણે એ ચાલે તો એનો બેડો પાર થઈ જાય. કબીર સાહેબ યોગના ગુઢ જ્ઞાનને પોતાના ભજનમાં સુંદર રીતે પ્રસ્ફુટિત કરતાં કહે છે કે કુંડલિની જાગ્રત થતાં પ્રાણ કરોડરજ્જુના માર્ગે પાછળના દરવાજેથી ઉપર ચઢી ભ્રમર મધ્યે પહોંચે છે જ્યાં આત્મદેવ વિરાજે છે. એમ થવાથી સમાધિ દશાનો અનુભવ થાય છે. અનાહત નાદ સંભળાય છે. જ્યારે આવો અનુભવ થાય છે ત્યારે કોઈ સંશય રહેતા નથી, ભયનો નાશ થાય છે અને માયાનો પડદો હટી જતાં બધા જ ભ્રમ ભાંગી જાય છે. કર્મોના બંધન અને ક્લેશનો નાશ થાય છે. કબીર સાહેબ કહે છે કે સદગુરુએ મને આ માર્ગ બતાવ્યો અને ભવબંધનમાંથી તારી લીધો. હવે એ પથ પર હું આનંદ આનંદનો અનુભવ કરતાં ચાલી રહ્યો છું.
English
Barasan lagyo rang shabad chadh lagyo ri

janam maran kee duvidha bhari,
samarath nam bhajan lat lagi
mere sataguru dinhin sain saty kar pa gayo ri ... barasan lagyo

chadhi sooraj pashchim darawaja,
bhrukuti mahel purush ek raja
anahad kee jhankar baje vahan baja ri ... barasan lagyo

apane piya sang jakar soee,
sanshay shok raha nahin koee,
kat gaye karam kalesh, bharam bhay bhaga ri ... barasan lagyo rang

shabad vihangam chal hamari
kah Kabir sataguru daee tari
rimajhim rimajhim hoy tal bas aaee gayo ri ... barasan lagyo rang.
Hindi
बरसन लाग्यो रंग शबद चढ लाग्यो री

जनम मरण की दुविधा भारी,
समरथ नाम भजन लत लागी
मेरे सतगुरु दीन्हीं सैन सत्य कर पा गयो री ... बरसन लाग्यो

चढी सूरज पश्चिम दरवाजा,
भ्रुकुटि महेल पुरुष एक राजा
अनहद की झंकार बजे वहां बाजा री ... बरसन लाग्यो

अपने पिया संग जाकर सोई,
संशय शोक रहा नहीं कोई,
कट गये करम कलेश, भरम भय भागा री ... बरसन लाग्यो रंग

शबद विहंगम चाल हमारी
कह कबीर सतगुरु दई तारी
रिमझिम रिमझिम होय ताल बस आई गयो री ... बरसन लाग्यो रंग.

બીત ગયે દિન ભજન બિના

બીત ગયે દિન ભજન બિના રે
ભજન બિના રે ભજન બિના રે.

બાલ અવસ્થા ખેલ ગવાઁઈ
જબ યૌવન તબ માન ધના રે ... બીત ગયે દિન

લાહે કારણ મૂલ ગવાંયો,
અજહું ન ગઈ મન કી તૃષ્ણા રે ... બીત ગયે દિન

કહત કબીર સુનો ભાઈ સાધો,
પાર ઉતર ગયે સંત જના રે ... બીત ગયે દિન
- સંત કબીર
English
bit gaye din bhajan bina re .
bhajan bina re, bhajan bina re
bal avastha khel gavanyo .
jab yauvan tab maan ghana re
lahe karan mool gavanyo .
ajahun na gayi man ki trishna re
kahat kabir suno bhai sadho .
par utar gaye sant jana re.
Hindi
बीत गये दिन भजन बिना रे ।
भजन बिना रे भजन बिना रे ॥

बाल अवस्था खेल गवांयो ।
जब यौवन तब मान घना रे ॥

लाहे कारण मूल गवाँयो ।
अजहुं न गयी मन की तृष्णा रे ॥

कहत कबीर सुनो भई साधो ।
पार उतर गये संत जना रे ॥

ભજન કર મનજી રામ

ભજન કર મનજી રામ થોડી જીંદગાની

ઈસ માયા કા ગર્વ ન કરીયે, અંત સંગ નહીં આની
ઈસ દેહી કા માન ન કરીયે, યહી ખાક હો જાની ... ભજન કર

ભાઈ બંધુ તેરે કુટુંબ કબીલા, કર રહે ખેંચાતાની
કહત કબીર સુનો ભાઈ સાધો, રહ જાય અમર નિશાની .. ભજન કર.
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ મનજીરામને ભજન કરવાનો સંદેશ આપે છે. તેઓ માનવ મનને સમજાવતાં કહે છે કે માનવજીવન ક્ષણભંગુર છે, ક્યારે સમાપ્ત થઈ જશે તે કહી શકાય તેવું નથી. જે વસ્તુઓ પર માનવ ગર્વ કરે છે તે બધા જ પદાર્થો એની સાથે આવવાના નથી. એનો દેહ પણ એની સાથે આવવાનો નથી, એ તો બળીને ભસ્મ થવાનો છે. એથી નશ્વર દેહ અને નાશ પામનાર પદાર્થો પર ગર્વ કરવાનો કોઈ અર્થ નથી. ઉલટું, માનવે આખી જિંદગી દરમ્યાન જહેમતથી ભેગી કરેલ બધી સંપત્તિ મૃત્યુ બાદ એના કુટુંબ કબીલામાં અશાંતિનું કારણ બનવાની છે. એના ભાગલા પાડવા માટે ખેંચતાણ થવાની છે. એના કરતાં શા માટે કોઈ દૈવી સંપત્તિ ન કમાવી કે જેની મહેક માનવના મૃત્યુ પછી પણ યુગો યુગો સુધી પ્રેરણા ધરે ?
English
bhajan kar manaji ram
thodi jindagani ... bhajan kar

is maya ka garv n kariye,
ant sang nahin aani
is dehi ka man n kariye,
yahi khak ho jani ... bhajan kar

bhai bandhu tere kutunb kabila,
kar rahe khinchatani
kahat kabir suno bhai sadho,
rah jay amar nishani .. bhajan kar.
Hindi
भजन कर मनजी राम थोडी जींदगानी

ईस माया का गर्व न करीये, अंत संग नहीं आनी
ईस देही का मान न करीये, यही खाक हो जानी ... भजन कर

भाई बंधु तेरे कुटुंब कबीला, कर रहे खेंचातानी
कहत कबीर सुनो भाई साधो, रह जाय अमर निशानी .. भजन कर.

ભજો રે ભૈયા રામ ગોવિંદ હરિ

ભજો રે ભૈયા રામગોવિંદ હરિ (સ્વર - શેખર સેન, એમ. એસ. શુભલક્ષ્મી)
MP3 Audio
ભજો રે ભૈયા રામ ગોવિંદ હરિ,
રામ ગોવિંદ હરિ ... ભજો રે ભૈયા
જપ તપ સાધન કછુ નહીં લાગત,
ખરચત નહીં ગઠરી ... ભજો રે ભૈયા
સંતત સંપત સુખ કે કારન,
જાસે ભૂલ પરી ... ભજો રે ભૈયા
કહત કબીર જા મુખ રામ નાહીં
તા મુખ ધૂલ ભરી ... ભજો રે ભૈયા.
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે ઈશ્વરનું સ્મરણ કરો. જપ, તપ વગેરે સાધનો એવા છે કે જેમાં કોઈ જાતનો ખર્ચ નથી કરવો પડતો. એટલે ધની હોય કે નિર્ધન - કોઈ પણ એનો આધાર લઈ શકે છે. વળી સંતતિ અને સંપત્તિ એ બે વસ્તુ એવી છે કે જેને કારણે માનવને બહારથી સુખનો અનુભવ થતો લાગે છે પણ એમ માનવામાં ભૂલ રહેલી છે. જે મર્યા પછી સાથે નથી આવવાની એવી દુન્યવી સંપત્તિ અને જે સંબંધો અહીં જ છોડીને જતા રહેવું પડવાનું છે એને માટે સમય બગાડવા જેવો નથી, ઈશ્વરનું સ્મરણ જ સાથે આવવાનું છે. માટે હે માનવ, તું રામ કે ગોવિંદને ભજ. અંતે કબીર સાહેબ કહે છે જે આ પ્રમાણે નથી ચાલતો, માનવદેહ મેળવીને પણ પ્રભુના ગુણાનુવાદ નથી ગાતો, તેનું જીવન નિરર્થક છે. જેના મુખમાં રામ નથી તે મુખમાં ધૂળ પડેલી જાણજો.
English
Bhajo re bhaiya Ram Govind Hari,
Ram Govind Hari … bhajo re bhaiya
jap tap sadhan nahin kachhu lagat,
kharachat nahin gathari … bhajo re bhaiya
santat sanpat sukh ke karan,
jase bhool pari … bhajo re bhaiya
kahat Kabir ja mukh Ram nahin,
ta mukh dhool bhari … bhajo re bhaiya
Hindi
भजो रे भैया राम गोविंद हरी,
राम गोविंद हरी भजो रे भैया
जप तप साधन नहिं कछु लागत,
खरचत नहिं गठरी भजो रे भैया
संतत संपत सुख के कारन,
जासे भूल परी भजो रे भैया
कहत कबीर जा मुख राम नहीं,
ता मुख धूल भरी भजो रे भैया

મત કર મોહ તુ

મત કર મોહ તુ, હરિભજન કો માન રે.

નયન દિયે દરશન કરને કો,
શ્રવણ દિયે સુન જ્ઞાન રે ... મત કર

વદન દિયા હરિગુણ ગાને કો,
હાથ દિયે કર દાન રે ... મત કર

કહત કબીર સુનો ભાઈ સાધો,
કંચન નિપજત ખાન રે ... મત કર

-
સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ હરિભજન કરવાનો સંદેશ આપે છે. તેઓ કહે છે કે આ સંસારમાં મોહ કરવા જેવું કશું નથી. સ્ત્રી, ઘર, સંતાન, ધન વગેરેની માયા કરવી નકામી છે. અંત સમયે માત્ર હરિભજન જ કામ આવવાનું છે. તેઓ મનુષ્યને કહે છે કે ભગવાને તને આંખો પ્રભુના દર્શન કરવા માટે આપેલી છે, કાન પ્રભુનું નામ સાંભળવા માટે આપેલા છે, વાણી હરિના ગુણગાન ગાવા માટે અને હાથ સત્કર્મો કરવા માટે આપેલા છે. જ્યાં સુધી તારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તું આ બધી ઈન્દ્રિયો વડે એ કામ કરી લે. એક વાર પ્રાણ શરીરમાંથી નીકળી ગયા પછી કશું જ થઈ શકવાનું નથી. જેમ ખાણમાંથી ખોદીને તારવીને સોનું પ્રાપ્ત કરવામાં આવે છે એવી જ રીતે આ મનુષ્ય દેહ એક ખાણ સમાન છે. એમાં તું હરિનામનું કંચન પ્રાપ્ત કરી લે. આત્મ તત્વની અનુભૂતિ કરી લે. ઈશ્વરને પ્રાપ્ત કરી લે.

English
mat kar moh tu,
hari bhajan ko maan re

nayan diye darshan karne ko,
shravan diye sun gyan re ... mat kar

vadan diya hari gun gane ko,
hath diye kar daan re ... mat kar

kahat kabir suno bhai sadho,
kanchan nipajat khan re ... mat kar

Hindi
मत कर मोह तु, हरिभजन को मान रे.

नयन दिये दरशन करने को,
श्रवण दिये सुन ज्ञान रे ... मत कर

वदन दिया हरिगुण गाने को,
हाथ दिये कर दान रे ... मत कर

कहत कबीर सुनो भाई साधो,
कंचन निपजत खान रे ... मत कर

મન તુમ ભજન કરો

મન તુમ ભજન કરો જગ આઈકૈ.

દુર્લભ સાજ મુક્તિ દેહી, ભૂલે માયા પાઈકૈ,
લગી હાટ સૌદા કબ કરિહૌ, કા કરિહૌ ઘર જાઈકૈમન તુમ

ચતુર ચતુર સબ સૌદા કીન્હા, મૂરખ મૂલ ગંવાઈકૈ,
કહૈ કબીર સુનો ભાઈ સાધો, ગુરૂકે ચરણ ચિત લાઈકૈમન તુમ.
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ સંસારને એક હાટડીની ઉપમા આપે છે અને માનવને એક ગ્રાહકની ઉપમા આપી કહે છે કે હે માનવ, તું આ બજારમાં આવ્યો છે, જ્યાં અનેક હાટડીઓ લાગેલી છે. એમાં માયા પણ મળે છે ને મુક્તિ પણ મળે છે. તું સમજદારીથી સોદો કર અને મુક્તિ મેળવી લે. જો તું નાશવંત સાંસારિક પદાર્થો પાછળ પડશે અને એને મેળવવા માટેના પ્રયત્ન કરશે તો તારા જેવો મુરખ બીજો નહીં હોય. કારણ આ માનવ જન્મ પૂરો થયા પછી તું પાછો તારે ઘેર પાછો ફરશે તો ત્યાં તારાથી મુક્તિ માટેના પ્રયત્નો નહીં કરાય. એથી સમજદારી એમાં છે કે તું ગુરુના ચરણમાં ચિત્ત લગાવીને મુક્તિનો સોદો કરી લે.
English
man tum bhajan karo jag aaeekai.

durlabh saj mukti dehi,
bhoole maya paeekai,
lagi hat sauda kab karihau,
ka karihau ghar jaeekai… man tum

chatur chatur sab sauda keenha,
moorakh mool ganvaeekai,
kahai kabir suno bhai sadho,
guru ke charan chit laeekai…man tum.
Hindi
मन तुम भजन करो जग आईकै.

दुर्लभ साज मुक्ति देही, भूले माया पाईकै,
लगी हाट सौदा कब करिहौ, का करिहौ घर जाईकैमन तुम

चतुर चतुर सब सौदा कीन्हा, मूरख मूल गंवाईकै,
कहै कबीर सुनो भाई साधो, गुरूके चरण चित लाईकैमन तुम

મન તોહે કેહિ બિધ કર સમજાઉં

મન તોહે કેહિ બિધ કર સમજાઉં ?
સોના હોય તો સુહાગ મંગાઉ, બંકનાલ રસ લાઉં,
ગ્યાન શબ્દ કી ફૂંક ચલાઉં, પાની કર પિઘલાઉં ... મન તોહે
ઘોડા હોય તો લગામ મંગાઉં, ઉપર જીન કસાઉં,
હોય સવાર તેરે પર બૈઠું, ચાબૂક દેકે ચલાઉં ... મન તોહે
હાથ હોય તો ઝંઝીર ચઢાઉં, ચારો પૈર બંધાઉં,
હોય મહાવત તેરે પર બૈઠું, અંકુશ લેકે ચલાઉં ... મન તોહે
લોહા હોય તો એરણ મંગાઉં, ઉપર ધુંવન ધુંવાઉં,
ધુવન કી ઘનઘોર મચાઉં, જંતર તાર ખિંચાઉં ... મન તોહે
ગ્યાની હોય તો જ્ઞાન શિખાઉં, સત્ય કી રાહ ચલાઉં,
કહેત કબીર સુનો ભાઈ સાધો, અમરાપુર પહુંચાઉં ... મન તોહે
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે હે મન, તને કેવી રીતે સમજાવી શકું ?
તું જો સુવર્ણ સમાન હોય તો તને સુહાગમાં મૂકી અન્ય રસ ભેળવી વાંકી નળીથી ફૂંક મારી મારીને પાણીની જેમ તને પીગળાવી શકું અને ધાર્યો આકાર પણ આપી શકું. તું જો ઘોડા જેવું હોય તો લગામ લગાવી, પીઠ પર જીન સજાવી તારા પર સવાર થઈને ચાબૂકથી વશ કરીને તને ધારેલા માર્ગે ચલાવી શકું.તું જો હાથી હોય તો તેરા પર ઝંઝીર ચઢાવી દઉં ને તારા ચારે પગોને બંધાવી દઉં ને પછી મહાવતની જેમ તારા પર બેસીને અંકુશ વડે તને ધારેલા માર્ગે દોડાવી શકું.તું જો લોઢા જેવું હોય તો ધમણ દ્વારા અગ્નિમાં તપાવી તપાવીને લાલચોળ કરી દઉં અને પછી એરણ મંગાવી તેના પર ટીપી ટીપીને યંત્રના તારની જેમ ધાર્યો આકાર પણ આપી શકું.તું જો જ્ઞાની હોય તો તને જ્ઞાન શીખવી શકું અને સત્યના માર્ગે ચલાવી શકું. કબીર કહે છે કે જ્ઞાન દ્વારા જ તને અમરાપુરમાં પહોંચાડી શકાય.
English
Man tohe kehi bidh kar samjhau
Sona hoy to suhaag mangau, bank naal ras lau
Gyan sabda ki phoonk chalau, pani kar pighlau
Ghoda hoy to lagaam lagau, upar jin kasau,
Hoy savar tere par baithu, chabuk deke chalau
Hathi hoy to zanzir gathau, charo pair bandhau
Hoy mahavat tere par baithu, ankush leke chalau
Loha hoy to eran mangau, upar dhuvan dhuvau
Dhuvan ki ghanghor machau, jantar taar khichau
Gyani hoy to gyan sikhau, satya ki raah chalau
Kahat Kabir suno bhai sadhu, Amarapur pahuchau
Hindi
मन ! तोहे केहि विध कर समझाऊं ।
सोना होय तो सुहाग मंगाऊं, बंकनाल रस लाऊं ।
ग्यान शब्द की फूंक चलाऊं, पानी कर पिघलाऊं ॥१॥
घोड़ा होय तो लगाम लगाऊं, ऊपर जीन कसाऊं ।
होय सवारे तेरे पर बैठूं, चाबुक देके चलाऊं ॥२॥
हाथी होय तो जंजीर गढ़ाऊं, चारों पैर बंधाऊं ।
होय महावत तेरे पर बैठूं, अंकुश लेके चलाऊं ॥३॥
लोहा होय तो एरण मंगाऊं, ऊपर ध्रुवन ध्रुवाऊं ।
ध्रुवन की घनघोर मचाऊं, जंतर तार खिंचाऊं ॥४॥
ग्यानी होय तो ज्ञान सिखाऊं, सत्य की राह चलाऊं ।
कहत कबीर सुनो भाई साधू, अमरापुर पहुंचाऊं ॥५॥

મન ના રંગાયે જોગી

તનકો જોગી સબ કર, મનકો કરે ન કોઈ,
સહજે સબ સિદ્ધિ પાઈયે, જો મન જોગી હોઈ.
હમ તો જોગી મનહી કે, તનકે હય તે ઓર,
મનકો જોગ લગાવતાં, દશા ભઈ કછુ ઓર.
*
મન ના રંગાયે જોગી કપડા રંગાયે,
મન ના ફિરાયે જોગી મનકા ફિરાયે.

આસન માર ગૂફામેં બૈઠે, મનવા ચહુ દિશ જાયે,
ભવસાગર ઘટ બિચ બિરાજે, ખોજન તિરથ જાયેમન ના

પોથી બાંચે યાદ કરાવે, ભક્તિ કછુ નહિં પાયે,
મનકા મન કા ફિરે નાહિ, તુલસી માલા ફિરાયેમન ના

જોગી હોકે જાગા નાહિ, ચોરાસી ભરમાયે,
જોગ જુગત સો દાસ કબીરા, અલખ નિરંજન પાયેમન ના
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ સંન્યાસ ધારણ કરેલા સાધુઓને જાગૃત કરતા કહે છે કે કેવળ કપડાંનો રંગ બદલવાથી અને ઘરનો ત્યાગ કરીને બહાર ફરવાથી સાધુ થવાતું નથી. એને માટે તો મનને ફેરવવું પડે છે. ગુફામાં જઈને આસન પર બેસો પણ મન ચારે દિશામાં ભટકતું હોય તો એનો કશો અર્થ નથી. વળી આત્મદેવ તો પોતાની અંદર વિરાજે છે. એને શોધવા તીર્થમાં જવાની જરૂર નથી. શાસ્ત્રોના પાઠ કરો પણ મનમાં કોઈ પરિવર્તન ન આવે તો એવી રીતે વાંચેલ પોથીપાઠ અને ફેરવેલ માળાના મણકા નકામા છે. સંન્યાસ ગ્રહણ કરીને સાચા અર્થમાં જોગી ન થયા તો ચોર્યાસી લાખ યોનિમાં ફરવાનો વારો આવશે. પણ જો સાચી સમજ સાથે યોગનો આધાર લેશો તો પરમચૈતન્ય સમાન પરમાત્માને પામી જશો.
English
Man na rangaye jogi, kapada rangaye
Man na firaye jogi, manka firaye.

Aasan mar gufa me baithe, manva chahu dish jaye,
Bhavsagar ghat bich biraji, khojan tirath jaaye.

Pothi vanche yaad karave, bhakti kachhu nahi paye,
Manka manka fire nahi, chorasi bharmaye.

Jogi ho ke jaaga nahi, chorasi bharmaye,
Jog jugat so das kabira, alakh niranjan paye.
Hindi
मन ना रंगाये जोगी कपडा रंगाये
मन ना फिराये जोगी मनका फिराये

आसन मार गुफा में बैठे, मनवा चहु दिश जाये,
भवसागर घट बिच बिराजे, खोजन तीरथ जाये ।

पोथी बांचे याद करावे, भक्ति कछु नहीं पाये,
मनका मनका फिरे नाहि, तुलसी माला फिराये ।

जोगी होके जागा नाहि, चौरासी भरमाये,
जोग जुगत सो दास कबीरा, अलख निरंजन पाये ।

મન મસ્ત હુઆ

મન મસ્ત હુઆ તબ ક્યોં બોલે.

હીરા પાયો ગાંઠ ગઠિયાયો, બાર બાર વાંકો ક્યોં ખોલે.
હલકી થી તબ ચડી તરાજુ, પૂરી ભઈ અબ ક્યોં તોલે ?

સુરત કલારી ભઈ મતવારી, મધવા પી ગઈ બિન તોલે.
તેરા સાહિબ હૈ ઘટમાંહી, બાહર નૈનાં ક્યોં ખોલે ?

હંસા પાયો માનસરોવર, તાલ તલૈયાં ક્યાં ખોજે ?
કહત કબીરા સુનો ભાઈ સાધો, સાહિબ મિલ ગયે તિલ ઓલે.
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે જ્યારે મન પરમાત્માના પ્રેમરસમાં ડૂબીને મસ્ત બની ગયું છે તો પછી બોલવાનું ક્યાં બાકી રહ્યું હીરો મળી ગયા પછી એને ગાંઠ બાંધીને સલામત જગ્યાએ મુકી દીધો. હવે વારે વારે ગાંઠ ખોલીને એને જોયા કરવાની શી જરૂર છે ? મર્યાદાની બહાર મદ્યપાન કરવામાં આવે તો મતિ મારી જાય છેએની નિર્ણયશક્તિ નાશ પામે છે. એવી જ રીતે જ્યારે વસ્તુ હલકી (અપૂર્ણ) હોય છે ત્યારે એને ત્રાજવે ચઢાવી તોલવામાં આવે છે. પણ જ્યારે એ પૂર્ણ થઈ જાય છે પછી તેને કોણ ને કેવી રીતે તોલે ? હે સાધક, તારો સાહેબ (પરમાત્મા) તારા શરીરની અંદર છે. એમને અવલોકવા દ્રષ્ટિને બહિર્મુખ શા માટે કરે છે ? રાજહંસને માનસરોવર મળી  જાય પછી તે  તળાવ તથા સરોવરને શા માટે શોધે ? અર્થાત્ આત્માએ એના મૂળ સનાતન સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિતિ કરી લીધી પછી તે દુન્યવી વસ્તુઓમાં ફાંફા શા માટે મારે.  કબીર કહે છે કે હે સાધુપુરૂષ, સાંભળો, જેમ તલમાં તેલ હોય છે તેમ તમારી અંદર જ આત્મા વિરાજી રહ્યો છે. એને પામી લો, પછી કશું પામવાનું બાકી નહી રહે.
English
Man Mustt Hua Tab Kyon Bole

Hira Paya Ganth Ganthiyayo,
Bar Bar Wahko Kyon khole

Halki Thi Jab Chari Tarazu,
Poori Bhayee Tab Kyon Tole

Surat Kalari Bhayee Matwari,
Madwa Pe Gayee Bin Tole

Hansa Paye Mansarover,
Tal Taliya Kyon Dole

Tera Sahib Hai Ghat Mahin,
Bahar Naina Kyon Khole

Kahat Kabir Suno Bhai Sadho,
Sahib Mil Gaye Til Ole
Hindi
मन मस्त हुआ तब क्यों बोले ॥

हीरा पायो गांठ गठियाओ, बार-बार वाको क्यों खोले ।
हलकी थी, तब चढ़ी तराजू पूरी भई तब क्यों तोले ॥

सुरति कलारी भई मतवारी, मदवा पी गई बिन तोले ।
हंसा पाये मान सरोवर, ताल तलैया क्यों डोले ॥

तेरा साहेब है घट माहीं बाहर नैना क्यों खोले ।
कहैं कबीर सुना भाई साधो साहिब मिल गये तिल आले ॥

મન લાગો મેરો યાર ફકીરી મેં

મન લાગો મેરો યાર ફકીરી મેં.

જો સુખ પાયો રામ ભજન મેં, સો સુખ નાહિં અમીરી મેં,
ભલા બુરા સબકા સુન લીજૈ, કર ગુજરાન ગરીબી મેં ... મન લાગો

પ્રેમ નગર મેં રહની હમારી, ભલી બની આઈ સબૂરી મેં,
હાથ મેં કુંડી બગલ મેં સોટા, ચારોં દિશા જાગીરી મેં ... મન લાગો

આખિર યે તન ખાક મિલેગા, કહાં ફિરત મગરૂરી મેં,
કહત કબીર સુનો ભાઈ સાધો, સાહબ મિલે સબૂરી મેં ... મન લાગો.
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે જે સુખ ઈશ્વરના સ્મરણ મનનમાં મળે છે તે સંપત્તિ કે લૌકિક વૈભવથી નથી મળતું. એથી જ ફકીર થઈને ગરીબીમાં ગુજરાન કરવું અને માનાપમાનથી રહિત થઈ લોકોની સ્તુતિ અને નિંદાને અવગણીને રહેતા શીખવું જોઈએ. ફકીર પોતે બધી વસ્તુઓનો ત્યાગ કરીને નીકળી પડે છે. માત્ર કહેવા પૂરતું એક હાથમાં ભિક્ષાપાત્ર અને બીજા હાથમાં દંડ હોય છે. અને તે છતાં તે જાણે આખી પૃથ્વીનો માલિક હોય એમ વિહરે છે. આમ પણ આ પંચમહાભૂતનું બનેલું શરીર ભસ્મ થવાનું છે. એથી ગર્વ કરવાની જરૂર નથી. પદના અંતમાં કબીર સાહેબ કહે છે કે પરમાત્માને પ્રાપ્ત કરવા એ કાંઈ ખાવાનો ખેલ નથી, એને માટે ધીરજની આવશ્યકતા છે.
English
Man lago mero yaar fakiri main

Jo sukh payo Ram bhajan main, so sukh nahi amiri main,
Bhala bura sabka sun lijiye, kar gujraan garibi main.

Prem nagar main rahni hamari, bhali ban aayi saburi main,
Hath main kundi, bagal main sota, charo disha jagiri main.

Akhir yah tan khak milega, kahan firat magroori main,
Kahat kabir suno bhai sadho, sahib mile saboori main.
Hindi
मन लाग्यो मेरो यार फ़कीरी में ॥

जो सुख पायो राम भजन में, सो सुख नाहिं अमीरी में।
भला बुरा सब का सुन लीजै कर गुजरान गरीबी में ॥

प्रेम नगर में रहनी हमारी, भली बन आइ सबूरी में ।
हाथ में कूंडी बगल में सोटा, चारों दिशा जागिरी में ॥

आखिर यह तन खाक मिलेगा, कहाँ फिरत मग़रूरी में ।
कहत कबीर सुनो भाई साधो, साहिब मिले सबूरी में ॥

મેરી સુરતી સુહાગન જાગ રે

મેરી સુરતી સુહાગન જાગ રે.

ક્યા તું સોવે મોહનિંદમેં, ઉઠકે ભજન બિચ લાગ રે,
અનહદ શબદ સુનો ચિત્ત દે કે, ઉઠત મધૂર ધૂન રાગ રે

ચરન શિશ ધર બિનતી કરિયો, પાવેગે અચલ સુહાગ રે,
કહત કબીર સુનો ભાઈ સાધુ, જગત પીઠ દે ભાગ રે
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ પોતાના માંહ્યલાને જગાડતા કહે છે કે જાગી જા. મોહનિંદ્રામાં શું કામ સુતો છે ? જાગ અને ભગવાનના ભજનમાં લાગી જા. અંદરથી આવતા અનાહત નાદમાં ધ્યાન લગાડ અને એ મધુર ધુનમાં પોતાનો રાગ જોડી દે. પ્રભુના ચરણમાં ધ્યાન લગાવવાથી નષ્ટ ન થાય તેવું સુખ મળશે, અખંડ સુહાગની પ્રાપ્તિ થશે. એટલા માટે સંસારના પદાર્થો તરફ જે ધ્યાન છે તેનાથી પીઠ કરી પાછો ફર અને પ્રભુનું નામ લેવા માંડ.
English
Meri surati suhaagan jag re.

Kya tu sove moh nind me, uthake bhajan bich laag re,
Anahad sabad suno chitt deke, uthat madhur dhun raag re.

Charan shish dhar binati kariyo, paavege achal suhaag re
Kahat kabir suno bhai sadho, jagat pith de bhaag re.
Hindi
मेरी सुरती सुहागन जाग रे

क्या तु सोवे मोह निंद में, उठके भजन बिच लाग रे
अनहद शबद सुनो चित्त दे के, उठत मधुर धुन राग रे ... मेरी

चरन शिश धर बिनती करियो, पावेगे अचल सुहाग रे,
कहत कबीर सुनो भाई साधो, जगत पीठ दे भाग रे ... मेरी

મો કો કહાં ઢૂંઢે રે બન્દે

મો કો કહાઁ ઢૂઁઢે રે બન્દે  (સ્વર - અનુપ જલોટા, વાણી જયરામ, ભૂપિન્દર, હેમંત ચૌહાણ)
MP3 Audio
મો કો કહાં ઢૂંઢે રે બન્દે, મૈં તો તેરે પાસ મેં
ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાબા કૈલાસ મેં
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપવાસ મેં
ના મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહીં યોગ સન્યાસ મેં
નહીં પ્રાણ મેં, નહીં પિંડ મેં, ન બ્રહ્માંડ આકાશ મેં
ના મૈં ભ્રુકુટી ભઁવરગુફા મેં, સબ શ્વાસન કી શ્વાસ મેં
ખોજ્યો હોય તુરત મિલી જાઉં પલભર કી તલાશ મેં
કહત કબીર સુનો ભાઈ સાધો, મૈં તો હૂઁ વિશ્વાસ મેં.
 - સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે તું પરમાત્માને ક્યાં શોધે છે ? એ તો તારી પાસે જ છે, તારા હૃદયમાં જ વિરાજેલા છે. એ તીર્થસ્થાનોમાં ફરવાથી નથી મળતા કે નથી મળતા એકાંત સેવનથી. એ નથી રહેતા મંદિરમાં કે નથી રહેતા મસ્જિદમાં, ન તો એ મળે છે કાબા કે કૈલાસમાં. બહુ જપ-તપ કરનારાને, કે વ્રત ઉપવાસ કરનારાને પણ એ પ્રાપ્ત થતા નથી. એનો નિવાસ શરીરની અંદર - પ્રાણ કે પિંડમાં નથી અને બાહ્ય આકાશમાં પણ નથી. ન તો એ શાસ્ત્રમાં કહ્યા મુજબ ભ્રમરમધ્યે નિવાસ કરતો. પણ ખરેખર તો એ  દરેકમાં વિરાજમાન છે અને સાક્ષીભાવે પ્રત્યેક શ્વાસોશ્વાસને જુએ છે. તો પછી એ આત્મા કે પરમાત્માને કેવી રીતે શોધવો ? કબીરજી એનો જવાબ આપતા કહે છે કે જે શ્રદ્ધા અને વિશ્વાસથી સંપન્ન બની મને શોધશે એવા ખરા જિજ્ઞાસુને તો એ પળભરમાં મળી જશે.
English
Moko kahan dhundhe re bande mein to tere paas mein
Na teerath Mein, na moorat mein na ekant niwas mein
Na mandir mein, na masjid mein na kabe Kailas mein
na mein jap mein, na mein tap mein na mein brat-upvaas mein
na mein kriya karam mein rehta nahin yog sanyas mein
nahin pran mein nahin pind mein na brahmand akash mein
na mein brukuti bhawar gufa mein, sab swasan ki swans mein
Khoji hoye turat mil jaoon ik pal ki talash mein
Kahet Kabir suno bhai sadho mein to hun viswash mein
 Hindi
मो को कहाँ ढूँढे रे बन्दे मैं तो तेरे पास में
ना तीरथ में, ना मूरत में, ना एकांतनिवास में ।
ना मंदिर में, ना मस्जिद में, ना काबे कैलाश में ॥
ना मैं जप में, ना मैं तप में, ना मैं ब्रत-उपवास में ।
ना मैं क्रियाकर्म में रहता, नहीं योग संन्यास में ॥
नहीं प्राण में, नहीं पिण्ड में, ना ब्रह्मांड अकाश में ।
ना मैं भ्रुकुटि भँवर गुफा में, सब श्वासन की श्वास में ॥
खोजी होय तुरत मिलि जाउँ, एक ही पल की तलाश में ।
कहत कबीर सुनो भाई साधो, मैं तो हूँ विश्वास में ॥

રામ રહીમ એક હૈ રે

રામ રહીમ એક હૈ રે, કાહે કરો લડાઈ,
વહ નિર્ગુનીયા અગમ અપારા, તીનો લોક સહાઈરામ

વેદ પઢંતે પંડિત હો ગયે, સત્ય નામ નહિં જાના,
કહે કબીરા ધ્યાન ભજનસે, પાયા પદ નિરવાનારામ

એક હી માટી કી સબ કાયા, ઊંચ નીચ કો નાંહિ,
એક હી જ્યોત ભરે કબીરા, સબ ઘટ અંતરમાંહિરામ

યહી અનમોલક જીવન પાકે, સદગુરૂ શબદ ધ્યાવો,
કહેત કબીરા ફલક મેં સારી, એક અલખ દરશાવોરામ
- સંત કબીર
આ પદમાં કબીર સાહેબ ભેદભાવોને દૂર કરીને ઈશ્વરનું સ્મરણ કરવાનું કહે છે. તેઓ કહે છે કે હિંદુઓ રામને માને છે, મુસ્લિમો રહીમને પૂજે છે પણ હકીકતમાં તો બંને એક છે તો પછી લડાઈ કરવાની શી જરૂર છે. કારણ જે પરમ તત્વ છે તે તો અગમ અને અપાર છે અને તે ત્રણે ભુવનમાં વ્યાપ્ત છે. એવી રીતે સાધનાપંથે જનારા લોકોમાંથી અમુક માત્ર જ્ઞાનમાર્ગનો મહિમા ગાય છે. તેઓ શાસ્ત્રોનો પાઠ કરીને પંડિત તો થયા છે, પણ સત્યને જાણ્યું નથી તેમને કબીર સાહેબ કહે છે કે ધ્યાન ભજન કરવાથી પણ નિર્વાણ મળે છે. એવી જ રીતે ઊંચનીચના ભેદ જોતાં લોકોને તેઓ કહે છે કે બધાનું શરીર તો પંચમહાભૂતમાંથી જ બનેલું છે, અને એમાં વસનાર આત્માની જ્યોતિ પણ એક જ છે તો પછી ભેદભાવ શા માટે ? આ અણમોલ માનવ જીવન મળ્યું છે તો સદગુરુએ આપેલ જ્ઞાનને જીવનમાં ઉતારી સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત એક ઈશ્વર કે અલખના દર્શન કરી લો.
English
Ram Rahim ek hai re, kahe karo ladai,
Vah nirguniya agam apara, tino lok sahai.

Ved padhante pandit ho gaye, satya naam nahi jana,
Kahe kabira dhyan bhajan se, paaya pad nirvana.

Ek hi mati ki sab kaya, unch nich kou nahi,
Ek hi jyot bhare kabira, sab ghat antar mahi.

Yahi anmolk jivan pake, sadgure sabad dhyavo,
Kahat kabira falak mein sari, ek alakh darsavo.
Hindi
राम रहीम एक है रे, काहे करो लडाई
वह निर्गुनीया अगम अपारा, तीनो लोक सहाई ।

वेद पढंते पंडित हो गये, सत्य नाम नहीं जाना,
कहे कबीरा ध्यान भजन से पाया पद निर्वाना ।

एक ही माटी की सब काया, उंच नीच कोऊ नांहि,
एक ही ज्योत भरे कबीरा, सब घट अंतरमांहि ।

यही अनमोलक जीवन पाके सदगुरु शबद ध्यावो,
कहत कबीरा फलक मे सारी एक अलख दरसावो ।

સંતન કે સંગ લાગ રે

સંતન કે સંગ લાગ રે,
તેરી ભલી બનેગી ... સંતન કે સંગ

હંસન કી ગતિ હંસ હિ જાનૈ,
ક્યા જાને કોઈ કાગ રે ... સંતન કે સંગ

સંતન કે સંગ પૂર્ણ કમાઈ,
હોય બડો તેરે ભાગ રેસંતન કે સંગ

ધ્રુવ કી બની પ્રહ્લાદ કી બન ગઈ,
ગુરૂ સુમિરન બૈરાગ રે ... સંતન કે સંગ

કહત કબીરા સુનો ભાઈ સાધો,
રામ ભજનમેં લાગ રેસંતન કે સંગ.
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ સત્સંગનો મહિમા ગાય છે. તેઓ માનવને કહે છે કે તું સંતોનો સંગ કર તો તારું ભલું થશે. સંસારમાં બંને પ્રકારના માણસો છે - સજ્જનો અને દુર્જનો. સજ્જનો કે સત્પુરુષો હંસ જેવા છે, નીરક્ષીર વિવેકવાળા છે, જ્યારે દુર્જનો કે દુષ્પુરુષો કાગડા જેવા છે. તેઓ પોતે તો પોતાનો ઉધ્ધાર નહીં સાધી શકે સાથે સાથે તને પણ બુરા માર્ગે દોરશે. સંતોની સાથે રહીશ તો સારા કામો કરીશ, અને પુણ્ય કમાઈશ. ધ્રુવ અને પ્રહ્લાદે સત્પુરુષોનો સંગ કર્યો અને એમના માર્ગે ચાલીને એમનું આત્મકલ્યાણ કર્યું. એથી હે માનવ, તું પણ કોઈ સત્પુરુષનો સંગ સાધી એમના પથપ્રદર્શન પ્રમાણે ભગવાનના ભજનમાં લાગી જા.
English
santan ke sang lag re,
teri bhali banegi ... santan ke sang

hansan ki gati hans hi janai,
kya jane koi kag re ... santan ke sang

santan ke sang purna kamaee,
hoy bado tere bhag re… santan ke sang

dhruv ki bani prahlad ki ban gaee,
guroo sumiran bairag re ... santan ke sang

kahat kabir suno bhai sadho,
ram bhajanamen lag re… santan ke sang.
Hindi
संतन के संग लाग रे,
तेरी भली बनेगी ... संतन के संग

हंसन की गति हंस हि जानै,
क्या जाने कोई काग रे ... संतन के संग

संतन के संग पूर्ण कमाई,
होय बडो तेरे भाग रेसंतन के संग

ध्रुव की बनी प्रह्लाद की बन गई,
गुरू सुमिरन बैराग रे ... संतन के संग

कहत कबीरा सुनो भाई साधो,
राम भजनमें लाग रेसंतन के संग

સંતો જીવત હી કરો આશા

સંતો જીવત હી કરો આશા,
મુએ મુક્તિ, કહે ગુરૂ લોભી, જૂઠા દૈ વિશ્વાસાસંતો

મન હી બંધન, મન સે મુક્તિ, મન કા સકલ વિલાસા,
જો મન ભયો જીયત વશ નાહી તો દેવે બહુ પ્રાસા ... સંતો

જો અબ હૈ તો તબહુ મિલી હૈ જો સ્વપ્ને જગ ભાષા
જહાં આશા તહાં વાસા હોયે મનકા યહી તમાશા ...સંતો

જીવત હોવે દયા સતગુરુ કી ઘટમેં જ્ઞાન પ્રકાશા,
કહત કબીર મુક્તિ તુમ લેવો, જીવત હી ધર્મદાસા ... સંતો
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ ધર્મદાસને સંબોધી સૌને જીવતા જીવત જે કંઈ સાધનભજન કરવાનું છે તે કરી લેવાનું કહે છે. તેઓ કહે છે કે મર્યા પછી મુક્તિ મળશે એમ કહેનારા લોભી ગુરુઓની વાત ન માનશો. એ બધું જૂઠાણું છે. આંખ ખુલ્લી હોય ત્યારે જે પામી શકાય તે જ સત્ય માનો. મુક્તિ વેચનારા દંભી અને પાખંડી ગુરુથી ચેતવતા કબીર સાહેબ કહે છે કે મન જ બંધન અને મુક્તિનું કારણ છે. જો મનને વશ કરવામાં નહીં આવે તો પછી ખુબ મુશ્કેલી પડશે. દંભી લોકો સ્વપ્નો બતાવે છે અને કહે છે કે અહીં અમને પૈસા આપો, વિધિ વિધાનો કરાવો તો મર્યા પછી તમને સ્વર્ગ મળશે, મુક્તિ મળશે. માનવનું મન પણ એવું છે કે જ્યાં આશા દેખાય ત્યાં મન ભરોસો કરી લે છે. એ જ તો મનનો ખેલ છે. પણ હે ધર્મદાસ, સાચી વાત તો એ છે કે જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તમે સદગુરુના માર્ગદર્શન પર ચાલીને જ્ઞાનનો પ્રકાશ મેળવી લો અને જીવતા જીવત જ મુક્તિ મેળવી લો.
નોંધ - આ ભજનનું એક અન્ય સંસ્કરણ પણ પ્રચલિત છે જે વાચકોને માટે અહીં પ્રસ્તુત કર્યું છે.
સાધો જીવત હી કરો આશા,
મુએ મુક્તિ ગુરૂ કહૈં સ્વારથી, જૂઠા દૈ વિશ્વાસાસંતો

જીવત સમઝે, જીવત બૂઝે, જીવત મુક્તિ નિવાસા,
જિયત કર્મ કી ફાંસ ન કાટી, મુએ મુક્તિ કી આશાસંતો

તન છૂટે જિવ મિલન કહત હૈ, સો સબ ઝૂઠી આશા,
અબહું મિલા તો તબહું મિલેગા, નહિં તો યમપુર બાસાસંતો

દૂર-દૂર ઢૂંઢે મન લોભી, મિટૈ ન ગર્ભ તરાસા,
સાધુ સંતકી કરૈ ન સેવા, કાટૈ યમ કા ફાંસાસંતો

સત્ય ગહૈ સદગુરૂ કો ચીન્હૈ, સત્ય જ્ઞાન વિશ્વાસા,
કહૈ કબીર સાધુન હિતકારી, હમ સાધુન કે દાસાસંતો
English
Santo jivat hi karo aasha (2)
mue mukti, kahe Guru lobhi,
jootha dai vishvasa… Santo

man hi bandhan, man se mukti,
man ka sakal vilasa,
jo man bhayo jiyat vash nahi
to deve bahu prasa ... Santo

jo ab hai to tabahu mili hai
jo swapne jag bhasha
jahan aasha tahan vasa hoye
mana ka yahi tamasha ...Santo

jivat hove daya sataguru ki
ghata men gyan prakasha,
kahat Kabir mukti tum levo,
jivat hi dharmadasa ... Santo
Hindi
संतो जीवत ही करो आशा,
मुए मुक्ति, कहे गुरू लोभी, जूठा दै विश्वासासंतो

मन ही बंधन, मन से मुक्ति, मन का सकल विलासा,
जो मन भयो जीयत वश नाही तो देवे बहु प्रासा ... संतो

जो अब है तो तबहु मिली है जो स्वप्ने जग भाषा
जहां आशा तहां वासा होये मनका यही तमाशा ...संतो

जीवत होवे दया सतगुरु की घटमें ज्ञान प्रकाशा,
कहत कबीर मुक्ति तुम लेवो, जीवत ही धर्मदासा ... संतो

સત્યનામ કા સુમિરન કર લે

સત્ય નામ કા સુમિરન કર લે, કલ જાને ક્યા હોય,
જાગ જાગ નર નિજ પાસુન મેં, કાહે બિરથા સોય સત્ય નામ

યેહી કારન તું જગમેં આયા, વો નહિં તુંને કર્મ કમાયા,
મન મૈલા થા મૈલા તેરા, કાયા મલ મલ ધોય સત્ય નામ

દો દિનકા હૈ રૈન બસેરા, કોન હૈ મેરા કોન હૈ તેરા,
હુવા સવેરા ચલે મુસાફીર, અબ ક્યા નયન ભિગોય સત્ય નામ

ગુરૂ કા શબદ જગા લે મનમેં, ચૌરાસી સે છૂટે ક્ષન મેં,
યે તન બારબાર નહિં પાવે, શુભ અવસર ક્યું ખોય સત્ય નામ

યે દુનિયા હૈ એક તમાશા, કર નહિં બંદે કીસી કી આશા,
કહે કબીરા સુનો ભાઈ સાધો, સાંઈ ભજે સુખ હોય સત્ય નામ
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ મનુષ્યને હરિસ્મરણ કરી લેવાનું કહે છે કારણ કે કાલનો કોઈ ભરોસો નથી. તેઓ કહે છે કે હે માનવ, તું સુઈ કેમ રહ્યો છે. તું આ સંસારમાં એટલા માટે જ આવ્યો છે. તારું મન મેલું છે એને ધોવાને બદલે તું તારા મલમલ જેવા બદનને ધોઈ રહ્યો છે. આ સંસાર તો એક ધર્મશાળા જેવું છે. એમાં કોઈ તારું નથી. સવાર પડતાં જેમ ધર્મશાળામાંથી મુસાફરો પોતપોતાના રસ્તે ચાલી નીકળે છે તેવી રીતે તારે પણ નીકળવું પડશે. તો સગાસંબંધીઓ માટે કેમ આંસુ સારે છે. ખરેખર કરવાનું કામ તો હરિનું સ્મરણ છે, તો તું આ ભવના બંધનો અને જન્મમરણના ફેરામાંથી મુક્ત થશે. આ મનુષ્યજન્મ દુર્લભ છે અને વારેવારે નથી મળતું. એથી તું બીજા કોઈની આશા છોડી, સંસારને વ્યર્થ અને ક્ષણભંગુર જાણી હરિસ્મરણ કર.
English
Sat naam ka sumiran kar le, kal jaane kya hoy
Jag jag nar nij pasun me, kahe birtha soy.

Yeh karan tu jag me aaya, voh nahi tune karma kamaya,
Man maila tha maila tera, kaya mal mal dhoy.

Do din ka hai rainbasera, kon hai mera, kon hai tera,
Hua savera chale musafir, ab kya nayan bhigoy?

Guru ka sabad jaga le man me, chorasi se chhute kshan me
Ye tan bar bar nahi pave, subh avsar kyun khoy?

Yeh duniya hai ek tamasha, kar nahi bande kisi ki asha,
Kahe kabir suno bhai sadho, sai bhaje sukh hoy.
Hindi
सत्यनाम का सुमिरन करे ले, कल जाने क्या होय,
जाग जाग नर निज पासुन में काहे बिरथा सोय ।

येही कारन तुं जग में आया, वो नहीं तुने कर्म कमाया,
मन मैला था मैला तेरा, काया मल मल धोय ।

दो दिन का है रैनबसेरा, कौन है मेरा कौन है तेरा,
हुआ सवेरा चले मुसाफिर, अब क्यो नयन भिगोय ।

गुरु का शबद जगा ले मन में, चौरासी से छूटे क्षण में,
ये तन बार बार नहीं पावे, शुभ अवसर क्यूँ खोय ।

ये दुनिया है एक तमाशा, कर नहीं बन्दे किसी की आशा,
कहे कबीर सुनो भाई साधो, साँई भजे सुख होय ।

સાંઈ કી નગરિયાં જાના હૈ

સાંઈ કી નગરિયાં જાના હૈ રે બંદે,
જગ નાહિં અપના, બેગાના હૈ રે બંદે ... સાંઈ કી

પત્તા તૂટા ડાલસે, લે ગઈ પવન ઉડાય,
અબકે બિછુડે ના મિલે, દૂર પડેંગે જાયસાંઈ કી  

માલી આવત દેખકે, કલિયન કરે પૂકાર,
ફુલી ફુલી ચૂન લીયે, કાલ હમારી બારસાંઈ કી

ચલતી ચક્કી દેખ કર, દીયા કબીરા રોય,
દુઈ પાટનકે બીચમેં, સાબૂત બચા ન કોયસાંઈ કી

લૂંટ શકે તો લૂંટ લે, સત્ય નામકી લૂંટ,
પાછે ફિર પછતાઓગે, પ્રાણ જાવે જબ છૂટસાંઈ કી

માટી કહે કુંભારસે, તું ક્યોં રૂંઢે મોય,
એક દિન ઐસા હોયેગા, મેં રુંદુંગી તોયસાંઈ કી

લકડી કહે લુહારસે, તૂં મત જારો મોહે,
એક દિન ઐસા હોયેગા, મેં જારૂંગી તોહેસાંઈ કી

બંદે તું કર બંદગી, તો પાવે દિદાર,
અવસર માનુષ જન્મકા, બહુરી ન બારંબારસાંઈ કી

કબીરા સોયા ક્યા કરે, જાગન જપે મુરારિ,
એક દિન હૈ સોવના, લંબે પાંવ પસારીસાંઈ કી
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ શિખામણ આપે છે કે આ શરીરને છોડીને એક દિવસ જવાનું છે તે યાદ રાખ. જેવી રીતે વૃક્ષ પરથી પર્ણ ખરી પડે છે તેવી જ રીતે આ દેહને છોડીને તારે જવાનું છે. બાગમાં માળી આવીને ફુલને ચૂંટે છે એ સમયે કળીઓ પણ સમજે છે કે કાલે આપણો વારો આવવાનો જ છે. તો હે જીવ તું પણ સમજ કે કાળ એક દિવસ તને પણ લેવા આવવાનો જ છે. જન્મ-મરણના એ ચક્રમાંથી કોઈ બચવાનું નથી. એથી જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તું હરિનામ લઈ લે.
જ્યારે કુંભાર માટીને ટીપી ટીપીને વિવિધ પ્રકારના આકારવાળા સાધનો બનાવે છે ત્યારે માટી કુંભારને કહે છે કે અત્યારે તું ભલે મને ટીપે છે, પણ જ્યારે તારો દેહ પડી જશે અને તું ભસ્મ થઈ જઈશ ત્યારે મારી જેમ તું પણ માટીમાં રગદોળાવાનો છે તેનો ખ્યાલ કરજે. મનુષ્ય જન્મ દુર્લભ છે, અને એ વારંવાર મળતો નથી. એથી એમાં તું થાય એટલું પ્રભુનું સ્મરણ કરી લે. કબીર સાહેબ અંતે પોતાની વાત કરતા કહે છે કે કબીર જાગૃત છે અને પોતાની ક્ષણેક્ષણને ઈશ્વરસ્મરણમાં વિતાવે છે. કારણ એને ખબર છે કે એક દિવસ તો પગ લાંબા કરી કાયમ માટે નિરાંતે સૂવાનો વખત આવવાનો જ છે.
English
Sai ki nagariya jana hai re bande,
Jag nahi apna, begaana hai re bande.

Patta tuta daal se, le gayi pavan uday,
Abke bicchde na mile, dur padenge jay.

Mali aavat dekhke, kaliya kare pukar,
Phul phul chun liye, kaal hamari baar.

Chalati chakki dekh kar diya kabira roy,
Dui patan ke bich me sabut bacha na koy.

Lut sake to lut le, satya naam ki lut,
Pache phir pachataoge, pran jaave jab chhut.

Maati kahe kumbhar se, tu kyu rondhe moy,
Ek din aisa aayega, mei rundhungi toy.

Lakadi kahe luhar se tu mat jaro moy,
Ek din aisa hoyega, me jarungi toy.

Bande tu kar bandagi, to pave didar,
Avasar manush janam ka, bahuri na barambar

Kabira soya kya kare, jagan jape murari,
Ek din hai sovana, lambe paav pasari.
Hindi
सांई की नगरियाँ जाना है रे बन्दे,
जग नाहिं अपना बेगाना है रे बन्दे ... सांई की

पत्ता तूटा डाल से, ले गयी पवन उडाय,
अबके बिछडे ना मिले, दूर पडेंगे जाय ... साँई की

माली आवत देखकर, कलियाँ करे पुकार,
फुल फुल चुन लिये, काल हमारी बार ... साँई की

चलती चक्की देखकर दिया कबीरा रोय,
दुई पाटन के बीचमें साबूत बचा न कोय ... साँई की
लूंट सके तो लूंट ले, सत्य नाम की लूंट,
पाछे फिर पछताओगे, प्राण जावे जब छूट ... साँई की

माटी कहे कुंभार से, तूं क्यो रुँदे मोय,
एक दिन ऐसा आयेगा, मैं रुदुंगी तोय ... साँई की

लकडी कहे लुहार से, तू मत जारो मोय,
एक दिन ऐसा आयेगा, मैं जारुँगी तोय ... साँई की

बन्दे कर तू बंदगी, तो पावे दिदार,
अवसर मानुष जनम का बहुरी न बारंबार ... साँई की

कबीरा सोया क्या करे, जागन जपे मुरारि,
एक दिन है सोवना, लंबे पाँव पसारी ... साँई की

સાંઈ સે લગન કઠિન હૈ

સાંઈ સે લગન કઠિન હૈ ભાઈ
લગન લગે બિનુ કાજ ન સરિહૈં, જીવ પરલય હોય જાઈ સાંઈ સે

સ્વાતિ બુંદકો રટે પપીહા, પિયા પિયા રટ લાઈ,
પ્યાસે પ્રાણ જાત હૈ અબહીં, ઔર નીર નહિં ભાઈ સાંઈ સે

તજી ઘરદ્વાર સતી હોય નિકલી, સત્ય કરનકો જાઈ,
પાવક દેખિ ડરે નહિં તનિકો, કૂદિ પરે હરખાઈ સાંઈ સે

દો દલ આઈ જુડે રણ સન્મુખ,શુરા લેત લડાઈ,
ટૂક ટૂક હોય ગિરે ધરનિપે, ખેત છાંડિ નહિં જાઈ સાંઈ સે

મિરગા નાદ શબ્દકે ભેદી, શબ્દ સુનનકો જાઈ,
સોઈ સબ્દ સુનિ પ્રાણદાન દે, નેક ન મનહિં ડરાઈ સાંઈ સે

છોડહુ અપની તનકી આશા, નિર્ભય હોય ગુણ ગાય,
કહત કબીર સુનો ભાઈ સાધો, નહિં તો જનમ નસાઈ સાંઈ સે
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે ગુરુ સાથે લગની લાગવી અતિ મુશ્કેલ છે. લગની એવી લાગવી જોઈએ કે ગુરુ સિવાય બીજુ કાંઈ જ ન દેખાય, કોઈપણ વસ્તુમાં ચિત્ત ન લાગે. ભલે ને પછી શરીરમાંથી પ્રાણ કેમ ન નીકળી જાય. કબીર સાહેબ આ તડપન અને તરસની પ્રબળતાનું ઉદાહરણ આપતાં કહે છે કે જેવી રીતે ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં પડેલા વરસાદનું પાણી જ પીએ છે, તે સિવાય બીજું કંઈ ગ્રહણ નથી કરતું, ભલેને તરસને લીધે પ્રાણ નીકળી જાય - એવી તરસ ઈશ્વરના દર્શનને માટે લાગવી જોઈએ. સતી થવા નીકળેલી સ્ત્રી પોતાના ઘરબાર કે પુત્રાદિની ચિંતા નથી કરતી પરંતુ પોતાના પતિની ચિતા પર હર્ષથી કૂદીને જીવન સમાપ્ત કરે છે. લડાઈના મેદાનમાં બે દળો આપસમાં યુદ્ધ કરતા હોય ત્યારે શૂરવીર પોતાના શરીરના ટુકડા થઈ જવાની ચિંતા ન કરતાં બહાદુરીથી યુદ્ધ કરે છે. મૃગને સંગીતની ધૂન એવી મસ્ત કરી દે છે કે એ જંગલમાં સિંહ, વાઘ તેને મારી નાખશે એવા ડર વગર એ શબ્દ સાંભળવા નીકળી પડે છે અને પોતાનો જાન ગુમાવે છે. એવી જ રીતે હે જીવ, તું શરીરની આશા છોડીનેનિર્ભય થઈને કેવળ રામનામનું સ્મરણ કર. જો તું એમ કરીશ તો તને એ દર્શન આપશે અને તારો જન્મ સફળ થશે.
English
Sai se lagan kathin hai bhai.
Lagan lage biny kaaj na sarihe, jiv pralay ho jayi … Sai se

Swati bund ko rate papiha, piya piya rat lai,
Pyase pran jaat hai ab hi, aur neer nahi jai … Sai se

Taji ghar dwar sati ho nikli, satya karan ko jai,
Pavak dekh dare nahi man me, kudi pade harshai … Sai se

Do dal aai jude ran sanmukh, shura let ladai,
Tuk tuk hoy gire dharni pe, khet chhandi nahi jai … Sai se

Mirga naad sabda ke bhedi, sabda sunan ko jai,
Soi sabda suni pran daan de, nek ca manhi darai … Sai se

Chhodahu apne tan ki asha, nirbhay hoy gun gai,
Kahat kabir suno bhai sadho, nahi to janam nasai … Sai se.
Hindi
सांई से लगन कठिन है भाई,
लगन लगे बिनु काज न सरिहैं, जीव प्रलय हो जाई ... सांई से

स्वाति बुंद को रटे पपीहा, पिया पिया रट लाइ
प्यासे प्राण जात है अबही, और नीर नहीं जाइ ... सांई से

तजि घरद्वार सती हो निकली, सत्य करन को जाइ
पावक देखि डरे नहीं मन में, कूदि परे हरषाइ ... सांई से

दो दल आइ जूडे रण सन्मुख, शूरा लेत लडाइ ।
टूक टूक होय गिरे धरनी पे, खेत छाडि नहीं जाइ ... सांई से

मिरगा नाद शब्द के भेदी, शब्द सुनन को जाई ।
सोई शब्द सुनि प्राणदान दे, नेक न मनहीं डराई ... सांई से

छोडहु अपने तनकी आशा, निर्भय होय गुण गाइ ।
कहत कबीर सुनो भाई साधो, नहीं तो जनम नसाइ ... सांई से

સાહબ હૈ રંગરેજ

સાહબ હૈ રંગરેજ, ચુનરિ મોરિ રંગ ડારી.
સ્યાહી રંગ છુડાય કે રે, દિયો મજીઠા રંગ
ધોવે સે છૂટે નહિં રે, દિન દિન હોત સુ-રંગ ... સાહબ હૈ
ભાવ કે કુણ્ડ નેહ કે જલ મેં, પ્રેમ રંગ દઈ બોર,
દુઃખ દેઈ મૈલ લુટાય દે રે, ખુબ રંગી ઝકઝોર ... સાહબ હૈ
સાહબને ચુનરી રંગી રે, પ્રીતમ ચતુર સુજાન,
સબ કુછ ઉન પર બાર દુઁ રે, તન મન ધન ઔર પ્રાણ ... સાહબ હૈ
કહૈં કબીર રંગરેજ પિયારે, મુઝ પર હુઆ દયાલ,
શીતલ ચુનરિ ઓઢિ કે રે, ભઈ હૌં મગન નિહાલ ... સાહબ હૈ.
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે મારો સાહેબ રંગરેજ એટલે કે કપડાં રંગવાવાળો છે, જેણે મારી શરીરરૂપી ચુંદડી રંગી નાખી. મોહ, માયા, મમતારૂપી શાહીનો રંગ હઠાવીને મજીઠાનો રંગ (એક પ્રકારની વેલ જેમાંથી સુંદર લાલ રંગ નીકળે) લગાવ્યો. અને એ પણ એવો છે કે ધોવાથી છુટે નહીં અને દિવસે દિવસે ગાઢ થતો જાય. મારી શરીરરૂપી ચુંદડી ઈશ્વરના પ્રેમમાં ન્હાઈને અને પ્રેમરૂપી રંગથી બોળાવાથી દુઃખદાયી મેલથી મુક્ત થઈ છે. મારા ગુરૂ (સાહબ), જેમણે આ કર્યું એના પર હું મારું તન, મન, ધન સર્વસ્વ અર્પણ કરી દઉં. કબીર સાહેબ કહે છે કે મારા સાહેબે મારી પર કૃપા કરી, મને પોતાના સ્વરૂપનો સ્વાનુભવ કરાવ્યો એથી હું હવે જ્ઞાનરૂપી શીતળ ચુંદડી ઓઢીને સર્વ બંધનોથી મુક્ત થઈ ગયો, મગન અને ન્યાલ થઈ ગયો.
English
Sahib Hai Rangrej Chunri Mori Rang Daari
Syaahi Rang Churaye ke re Diyo Majitha Rang
Dhoye Se Chhute Nahin Re Din Din Hote Su rang
Bhav Ke Kund Neh Ke Jal Mein Prem Rang Dayee Bore
Dukh Deh Mael Lutaye De Re Khoob Rangi JhakJhore
Sahib Ne Chunri Rangi Re Preetam Chatur Sujaan
Sab Kutch Un Par Vaar Dun Re Tan Man Dhan Aur Pran
Kahat Kabir Rangrej Piyare Mujh Par Huye Dayal
Seetal Chunri Orike Re Bhayee Haun Magan Nihaal
Hindi
साहब है रंगरेज, चुनरी मोरी रंग डारी ।
स्याही रंग छुडायके रे, दियो मजीठा रंग,
धोये से छूटे नहीं रे, दिन दिन होत सु-रंग .. साहब.
भाव के कूंड नेह के जल में, प्रेम रंग देई बोर,
दुःख देह मैल लुटाय दे रे, खुब रंगी झकझोर ... साहब.
साहब ने चुनरी रंगी रे, प्रीतम चतुर सुजान,
सब कुछ उन पर वार दूँ रे, तन मन धन और प्रान ... साहब.
कहत कबीर रंगरेज पियारे, मुझ पर हुए दयाल,
शीतल चुनरी ओढिके रे, भई हौं मगन निहाल ... साहब.

હમકો ઓઢાવે ચદરિયા

હમકો ઓઢાવે ચદરિયા રે,
ચલત બેરીયા ચલત બેરીયા હમકો ઓઢાવે

પ્રાણ રામ જબ નિકસન લાગે,
ઉલટ ગઈ દો નૈન પુતરિયા હમકો ઓઢાવે

ભિતરસે જબ બાહિર લાયે,
તૂટ ગઈ સબ મહેલ અટરિયા હમકો ઓઢાવે

ચાર જનેં મિલ હાથ ઉઠાઈન,
રોવત લે ચલે ડગર ડગરિયા હમકો ઓઢાવે

કહત કબીરા સુનો ભાઈ સાધુ,
સંગ જલી વો તો તૂટી લકરિયા હમકો ઓઢાવે
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ શરીરની ક્ષણભંગુરતાનું વેધક વર્ણન કરે છે. મૃત્યુ પામ્યા પછી દેહનું શું થાય છે એ બધાને ખબર જ છે. શરીરની ઉપર ચાદર ઓઢાવી દેવામાં આવે છે, અને શરીરને દોરડાથી બાંધી દેવામાં આવે છે. શરીરમાંથી પ્રાણ જતા રહે છે ત્યારે સુંદર દેખાતી આંખની કીકીઓ સાવ નિષ્ક્રિય થઈ જાય છે. ઘરમાંથી શરીરને જ્યારે બાળવા માટે બહાર લઈ જવામાં આવે છે, તે સમયે ધનદૌલત, મકાન, મિલકત બધું જ છૂટી જાય છે. એને પાછળ મૂકીને જીવે એકલું નીકળવું પડે છે. ચાર વ્યક્તિઓ મૃત શરીરને ઉંચકીને રડતા રડતાં સ્મશાને લઈ જાય છે. અને અંતે તો સૂકાં લાકડાંની ભારી જ શરીરના બળવાના કામમાં આવે છે. એથી જ કબીર સાહેબ કહે છે કે તું જે શરીરમાં આસક્ત છે, જેનો તું ગર્વ કરી રહ્યો છે તે દેહ તો નાશવંત છે, એની ક્ષણભંગુરતાનો વિચાર કર. એની આસક્તિ મૂકી ઈશ્વરનું ભજન કર. તે જ કરવા જેવું છે.
English
Humko odhave chadariya,
Chalat bediya chalat bediya. ... humko odhave

Pran Ram jab niksan laage,
Ulat gayi do nain putariya … humko odhave

Bhitar se jab bahir laye,
Tut gayi sab mahel atariya … humko odhave

Char jan mile hath uthaven,
Rovat le chale dagar dagariya … humko odhave

Kahat kabira suno bhai sadho,
Sang jali voh to tuti lakadiya … humko odhave.
Hindi
हमको ओढावे चदरियाँ ।
चलत बेरीया, चलत बेरीया ... हमको

प्राण राम जब निकसन लागे ।
उलट गई दो नैन पुतरीया ... हमको

भीतर से जब बाहिर लाये ।
तूट गये सब महेल अटरियाँ ... हमको

चार जन मिल हाथ उठाइन ।
रोवत ले चले डगर डगरियाँ ... हमको

कहत कबीर सुनो भाई साधो ।
संग जली वो तो तूटी लकडीयाँ ... हमको

હમારે ગુરુ મિલે બ્રહ્મજ્ઞાની

હમારે ગુરૂ મિલે બ્રહ્મજ્ઞાની, પાઈ અમર નિશાની.
કાગ પલટ ગુરૂ હંસા કિન્હે, દિની નામ નિશાની,
હંસા પહુંચે સુખ સાગર પર, મુક્તિ ભરે જહાં પાની હમારે ગુરુ
જલ બીચ કુંભ કુંભ બીચ જલ હૈ, બાહર ભિતર પાની,
નીકસ્યો કુંભ જલ જલહી સમાના, યે ગતિ વિરલેને જાની હમારે ગુરુ
હૈ અથાગ થા સંતનમેં, દરિયા લહર સમાની,
જીવર જાલ ડાલકા તરી હૈ, જબ મીન બિખલ ભય પાની હમારે ગુરુ
અનુભવકા જ્ઞાન ઉજલત કી વાની, સો હૈ અકથ કહાની,
કહત કબીર ગુંગેકી સેના, જીન જાની ઉન માની હમારે ગુરુ.
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ બ્રહ્મજ્ઞાની મહાપુરુષના સંગનું પરિણામ બતાવે છે. કબીર સાહેબ કહે છે કે  બ્રહ્મજ્ઞાની ગુરુ મળવાથી જીવનમાં અમર અને અવિનાશી એવું પરિવર્તન થયું. ગુરુએ કાગડાને પલટાવી હંસ કરી દીધો અર્થાત્ મારી વિષયવતી વૃત્તિઓને ઈશ્વર તરફ વાળી દીધી. મારું મનરૂપી હંસ હવે સુખસાગરમાં સ્નાન કરે છે, જેની આગળ મુક્તિ પણ પાણી ભરે છે. (મુક્તિની પણ વિશેષ મહત્તા નથી.) પાણીની વચ્ચે ઘડો હોય, અને ઘડાની અંદર પાણી ભરેલું હોય એવી સ્થિતિમાં બહાર અને અંદર બધે જ પાણી હોય છે. એ જ રીતે ગુરુની કૃપાથી મારી અંદર અને બહાર મને પરમાત્માનો પ્રકાશ દેખાઈ રહ્યો છે. આ સ્થિતિ કેવળ અનુભવ વડે જ સમજી શકાય તેવી છે. જેમ દરિયામાં લહેર સમાયેલી હોય છે તેવી જ રીતે સંતપુરુષમાં પરમાત્માનો પ્રકાશ પથરાયેલો છે. ગુરુ દ્વારા વ્યક્ત થતું અનુભવનું જ્ઞાન એ પરમાત્માની વાણી જ છે. જેણે એને માણી છે તે જ એને જાણે છે.
English
Hamare Guru mile brahma-jnani, payee amar nishani.
Kaag palat Guru hansa kinhe, dinhi naam nishani,
Hansa pahuche sukh saagar par, mukti bhare jahan paani.
Jal bich kumbh, kumbh bich jal hai, bahar bhitar paani,
Nikasyo kumbh jal, jal hi samana, yeh gati virale ne jaani.
Hai athag tha santan me, dariya lahar samani,
Jivar jaal daal ka tari hai, jab meen bikhal bhay pani.
Anubhav ka gyan ujalat ki vani, so hai akath kahani,
Kahat kabir gunge ki sena, jin jani un maani.
Hindi
हमारे गुरु मिले ब्रह्मज्ञानी, पाई अमर निशानी ॥
काग पलट गुरु हंसा किन्हें, दिनी नाम निशानी ।
हंसा पहूँचे सुख सागर पर मुक्ति भरे जहाँ पानी ॥
जल बीच कुंभ, कुंभ बिच जल है, बाहर भीतर पानी ।
निकस्यो कुंभजल जलही समाना, ये गति विरले ने जानी ॥
है अथाग था संतन में दरिया लहर समानी ।
जीवर जाल डालका तरी है, जब मीन बिखल भय पानी ॥
अनुभव का ज्ञान उजलत दिवानी, सो है अकथ कहानी ।
कहत कबीर गुंगे की सेना, जीन जानी उन मानी ॥

No comments:

Post a Comment