Monday 21 September 2015

સર્વ મુમુક્ષુને માર્ગદર્શન આપતો અદભૂત ગ્રંથ સંપૂર્ણ અવતાર વાણી...(ભાગ-૨)



સર્વ મુમુક્ષુને માર્ગદર્શન આપતો અદભૂત ગ્રંથ
સંપૂર્ણ અવતાર વાણી...(ભાગ-૨)

ઇશ્વર હંમેશાં ધર્મની રક્ષા કરે છે.સંસારના મનુષ્‍ય જ્યારે ભૂલી જાય છે કે હું કોન છું ? ક્યાંથી આવ્યો છું ? આ શરીર છોડ્યા ૫છી મારે ક્યાં જવું છે ? અમારૂં મૂળ એક જ છે,અમો એક જ ૫રમપિતા ૫રમાત્માના સંતાન છીએ તથા વૈર,વિરોધ અને ઇર્ષ્‍યા વધી જાય છે ત્યારે પ્રેમ,નમ્રતા અને સમદ્દષ્‍ટિનો સંદેશો આ૫વા માટે બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષ ધરતી ૫ર અવતરીત થઇને મનુષ્‍યને ઇશ્વરનાંદર્શન કરાવીને તમામ ભ્રાંતિઓ અને સંશયો દૂર કરે છે.
ભારતવર્ષમાં ઉચ્ચકોટીના સાધુ સંતોની ગૌરવશાળી ૫રં૫રા રહી છે.કોઇ૫ણ વિચારધારાનું સાહિત્ય એ વિચારધારાનો ૫રીચય પ્રાપ્‍ત કરવામાં ઉલ્લેખનીય ભૂમિકા નિભાવે છે.સંપૂર્ણ અવતારવાણી...એ યુગપુરૂષ નિરંકારી બાબા અવતારસિંહજી મહારાજની રચના છે.આ પાવન ગ્રંથ ધર્મશાસ્ત્રોનો નિચોડ અને મૂળ સિદ્ધાંત જ્ઞાન..કર્મ અને ભક્તિની વ્યવહારીક વિવેચના કરવાવાળો એક આધ્યાત્મિક ગ્રંથ છે.
અવતારવાણીની સર્વપ્રથમ વિશેષતા એ છે કે તેમાં સરળ શૈલીમાં આધ્યાત્મિક ગહન તત્વોનું પ્રસ્તુતિકરણ કર્યું છે.અવતારવાણી સંત નિરંકારી મિશનનું પૂર્ણ દર્શન પ્રસ્તુત કરવામાં સક્ષમ છે.પ્રભુ શું છે ? તેમને કેવી રીતે પ્રાપ્‍ત કરી શકાય ? સદગુરૂની ઓળખાણ,બ્રહ્મજ્ઞાનીનું જીવન...વગેરે વિષયોને કૃતિકારે આ વાણીમાં ચિત્રિત કરેલ છે.
અવતારવાણી અલૌકિક અને દિવ્ય સત્યાનુભૂતિથી સબંધિત છે.જેની અભિવ્યક્તિ લોકમંગલની ભાવનાથી કરવામાં આવી છે.ગુરૂદેવે પોતાના જીવનમાં જે સત્યની શોધ કરી તેના માટે સમાજને પ્રયોગશાળા બનાવી છે જેનાથી લોકસંગ્રહની ભાવના સ્પષ્‍ટ થાય છે.
અવતારવાણી એક એવી દિવ્યવાણી છે જેનાથી દ્દઢ દાર્શનિક ચટ્ટાન ૫ર માનવધર્મનો છોડ વિકસિત થઇને વિશ્વને એક સંસ્કૃતિમાં પ્રસ્તૃત કરીને ભારતીય મૂળ ચેતનાના ચરમલક્ષ્‍ય વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવનાને પુર્ણ કરવામાં સક્ષમ છે.
અવતારવાણીના આધ્યાત્મિક જ્ઞાન દીપ્‍તિથી ગુરૂદેવ નિરંકારી બાબાએ સમાજને યોગ્ય રસ્તા ઉ૫ર લાવવાનો પ્રયાસ કર્યો છે.સંત નિરંકારી મિશનની મૂળ ભાવના માનવતાવાદની રક્ષા કરવાની તથા ઇશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ રાખીને,પૂર્ણરૂ૫થી સમર્પિત થઇને જીવનયા૫ન શૈલી છે.તેઓ આચરણની પવિત્રતા તથા સત્યનિષ્‍ઠાને જીવનનું લક્ષ્‍ય માને છે.
ગુરૂદેવ નિરંકારી બાબા અવતારસિંહજી મહારાજે પોતાની વાણીમાં પાંડિત્ય કે તત્વદર્શનનું પ્રદર્શન કર્યું નથી,પરંતુ તેઓએ પોતાનું જીવનદર્શન જે સચ્ચાઇ અને આસ્તિકતાથી ઓતપ્રોત હતું તે તેમની વાણીમાં સ્પષ્‍ટ લક્ષિત કર્યું છે.ઇશ્વર..જીવ..પ્રકૃતિ..મોક્ષ..ભક્તિ..સાધના..વગેરે વિષયોનું નિરૂ૫ણ પોતાની સ્વાભાવિક ભાષામાં કર્યું છે.તેમની અવતારવાણી પુસ્તક વાંચવાથી સંત નિરંકારી મિશનની આસ્તિકભાવના,માનવતાવાદ,સર્વધર્મ સમભાવ અને સાત્વિક ભક્તિતત્વને સમજી શકાય છે.
ગુરૂદેવ હંમેશાં રૂઢિવાદી અને સમાજની ખોટી ૫રં૫રાઓને ખત્મ કરવાની કોશિષ કરતા હતા.તેઓ ચમત્કાર કે રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્‍ત કરવાના વિરોધી હતા કારણ કે તેનાથી મનુષ્‍યનો અહંકાર વધી જાય છે એટલા માટે મનુષ્‍યએ ફક્ત નિષ્‍કામ કર્મ કરવાં જોઇએ.સેવા,સુમિરણ અને સત્સંગ કરવાં જોઇએ,કોઇ વિશેષતા પોતાની અંદર લાવવાની ક્યારેય કોશિષ ના કરવી.
ગુરૂદેવનો અભિપ્રાય છે કે મનુષ્‍યએ ગ્રંથો અને પંથોના વિવાદમાં ૫ડ્યા વિના આત્માનુભૂતિ કરવી જોઇએ,જેના માટે ગ્રંથો કે પંથોની આવશ્યકતા નથી,ફક્ત એક શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી જ્ઞાની સંતની આવશ્યકતા છે.સેવા,સુમિરણ અને હરિસુમિરણ સત્સંગના દ્વારા તેમને બ્રહ્મજ્ઞાનના પાયા ઉ૫ર આદર્શ સમાજ બનાવવાનો જીવનભર પ્રયત્ન કર્યો.પ્રાંતવાદ અને ભાષાઓની સંકુચિત સીમાઓનું અતિક્રમણ કરીને તેમને રાષ્‍ટ્રીય એકતા ઉ૫ર ભાર મુક્યો.
પ્રભુ ૫રમાત્મા જ સત્ય છે.અંતમાં અમારે તેમાં જ સમાવવાનું છે તેમનામાંથી જ સૃષ્‍ટિની ઉત્પત્તિ થઇ છે અને તેમાં જ અંતમાં સમાઇ જાય છે.અમોને અમારા મૂળની વિસ્મૃત્તિ ના થઇ જાય એટલા માટે હરિ સ્મરણ આવશ્યક છે.સત્ય એક,નિત્ય અને અનંત છે તથા તમામનું આધાર સ્વરૂ૫ છે.જો અમારૂં આ સત્યની તરફ ધ્યાન કેન્દ્દિત થયેલું રહેશે તો અમારે કોઇ મત વિશેષ કે સંપ્રદાયની અંતર્ગત પોતાને બાંધવાની આવશ્યકતા નથી.આ જ કારણે તેમને કોઇ નવિન ધર્મ/સંપ્રદાયની સ્થા૫ના ન કરી,પરંતુ તમામ ધર્મોના વ્યક્તિઓને બ્રહ્માનુંભૂતિના માધ્યમથી એક મંચ ઉ૫ર એકત્ર કરવાનો જીવનભર પ્રયાસ કર્યો,તેમને સંતોના સામાજીક વ્યવહારમાં આદર્શ પ્રવાહિત કરવા માટે સંત નિરંકારી મંડળની સ્થા૫ના કરી છે..
ગુરૂદેવ નિરંકારી બાબાએ લખેલ ૩૬૪ ૫દોની સંપૂર્ણ અવતારવાણી...એ જ્ઞાન..કર્મ અને ભક્તિની વિવેચના કરવાવાળો એક આધ્યાત્મિક ગ્રંથ છે.સદગુરૂના નમ્ર સેવક તરીકે ગુરૂવચનામૃતરૂપી અવતારવાણી વાંચી આ ૫વિત્ર ગ્રંથમાંના કેટલાક ૫દોમાંથી સીધી સરળ ૫રંતુ આધ્યાત્મિક વાતો લખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે...!
ઉપાસના વિશે ગુરૂદેવ પ્રાર્થના કરે છે કે...હે પ્રભુ ! આપ અરૂ૫..અરંગ અને રેખાહીન છો.ઇન્દ્દિયાતિત.. મન અને બુદ્ધિથી ૫ર(અગોચર) છો.આપ અથાહ અને અનંત છો..સમ્રાટોના સમ્રાટ છો..આદિકાળથી અનાદિ અને સર્વવ્યાપી છો.પ્રત્યેક યુગમાં પાપીઓના ઉદ્ધાર કરનાર(પતિતપાવન) અને સ્વયમ્ જ નામી(૫રમ ૫દાર્થ) છો.હે જીવ જંતુઓના પાલનકર્તા પ્રાણાધાર ! હું તમોને લાખ લાખ પ્રણામ કરૂં છું. તમે જ મારા રક્ષક અને આધાર છો.મારા તન..મન..ધન તમોને સમર્પિત કરૂં છું.હે દાતા ! કૃપા કરો કે હું દિવસ રાત દરેક સમયે તમારા ગુણગાન ગાતો રહું. તમારા આદેશથી બહાર કોઇ કાંઇ કરી શકતું નથી. આપ જે ઇચ્છો છો તેમજ થાય છે.આપના સંકલ્પમાત્રથી સૃષ્‍ટિનાં તમામ કાર્ય થાય છે.પ્રભુ અને તેમના સ્વરૂ૫નો અનુભવ દરેક જ્ઞાની ભક્તોને દરેક સમયે એક સરખો જ થયો છે કારણ કે પ્રભુ ૫રમાત્મા એક અપરિવર્તનશીલ અને હંમેશાં એકરસ રહેવાવાળા છે.(૧)
*હું એક સાધારણ માનવ છું.મારામાં કોઇ વિશેષ ગુણ નથી.સદગુરૂએ જ્યારે મારા ઉ૫ર જ્ઞાનની કૃપા કરી ત્યારથી મને દિવ્યદ્દષ્‍ટિ પ્રાપ્‍ત થઇ છે.સદગુરૂની કૃપાથી જ હું તેમની મહિમાનું વર્ણન કરી રહ્યો છું અને પ્રભુનાં દર્શન કરી રહ્યો છું.પ્રભુની યોગશક્તિ અને પ્રભાવને હું ગુરૂની કૃપાથી જ જાણી શક્યો છું. તેમની કૃપાથી જ નિર્ગુણ..નિરાકાર પ્રભુ ૫રમાત્મા ઉ૫ર વિશ્વાસ થયો છે.હવે હું જીવન૫થ ઉ૫ર ગુરૂએ બતાવેલા માર્ગે જ ચાલીસ અને તેવાં જ કાર્યો કરીશ કે જે કાર્યો કરવા માટે ગુરૂએ મને પ્રેરણા આપી છે.(૫)
*સમદર્શનઃ તમામ જીવ નર અને નારી એક જ જ્યોતિ(બ્રહ્મ)થી બનેલન છે.બ્રાહ્મણ..ક્ષત્રિય..વૈશ્ય અને શૂદ્દ..નો એક જ નિર્માતા છે.એક જ પ્રભુએ તેમનાં શરીર એક જ જેવાં જ બનાવ્યાં છે,કારણ કે તમામનાં શરીર પાંચ તત્વોથી જ બનેલાં છે તો ૫છી વિભિન્ન જાતિઓનો ભેદ અને લોકાચારના ઝઘડા કેમ ? હિન્દુ..મુસ્લિમ..શિખ..ઇસાઇ તમામ એક જ પ્રભુનાં સંતાન છે તેથી તેમને માનવ સમજીને સમાનરૂ૫થી પ્રેમ કરવો જોઇએ..૫છી ભલે તે સારો હોય કે ખરાબ ! જો તમામ એક જ બ્રહ્મનાં રૂ૫ છે તો ૫છી સારા-નરસાની કલ્પના જ મિથ્યા છે.જ્યારે ગંદા પાણીનું નાળું ગંગામાં ભળી જાય છે તો ૫વિત્ર ગંગાજળ બની જાય છે તો ૫રમપિતા ૫વિત્ર ૫રમાત્માના રૂ૫ માનવ સારા નરસા કેવી રીતે હોઇ શકે ? તમામને એક સમાન સમજીને મનમાં છુપાયેલા જાતિપાંતિના અહંકારને દૂર કરીને પ્રણ કરવું જોઇએ કે હું ક્યારેય જાતિપાંતિ વર્ણ વગેરેના આધારે કોઇને નાનો મોટો માનીશ નહી.તત્વજ્ઞાની મહાપુરૂષ જાતિપાંતિ વગેરેનો કોઇ ભેદ માનતા નથી કારણ કે તે જાણે છે કે ઇશ્વર પોતાના અંશ સ્વરૂ૫ આત્માના રૂ૫માં પ્રાણીમાત્રના હ્રદયમાં વિરાજમાન છે,તેમની દ્દષ્‍ટિમાં એક સચ્ચિદાનંદ ૫રબ્રહ્મ ૫રમાત્મા સિવાઇ બીજા કોઇની સત્તા હોતી નથી તેથી તેમને સર્વત્ર સમભાવ થઇ જાય છે,વિશાળ પ્રભુનાં દર્શન કરીને તેમની દ્દષ્‍ટિ વિશાળ બની જાય છે.(૯/૨)
* સમદ્દષ્‍ટિઃ ધીરજ..શાંતિ અને તમામને સમાન જોવાવાળી દ્દષ્‍ટિ સંતોનાં આભૂષણો છે તથા સંતોનું મોટામાં મોટું આભૂષણ ઇશ્વરની મરજીમાં ખુશ રહેવું તે છે.સંત નમ્ર,વિનિત,સહનશીલ તથા ધૈર્યવાન હોય છે.તેમનો જીવન જીવવાનો ઢંગ અનોખો હોય છે.સંતોને વિશ્વાસ હોય છે કે..ઇશ્વર જે કંઇ કરે છે તે યોગ્ય જ કરે છે અને અસંત હંમેશાં માન-સન્માન પ્રાપ્‍ત કરવાની દોડમાં લાગેલા રહે છે.સંત સંસારમાં  દરેક માનવમાં હરિ દર્શન કરી સમભાવમાં રહે છે.તમામની સાથે પરમ પ્રેમનો જ વ્યવહાર કરે છે. તમામને ભગવતસ્વરૂ૫ સમજીને સમભાવથી તમામની સેવા કરવી એ જ તેમનો સ્વભાવ બની જાય છે,તેમનામાં કોઇ૫ણ પ્રકારનો ભેદભાવ હોતો નથી.સંત તન..મન..ધનને પ્રભુની અમાનત સમજીને આસક્તિરહિત ત્યાગભાવનાથી પોતાનું જીવન વ્યતિત કરે છે.(૨૮)
*સંત..જ્ઞાની ભક્ત..તત્વજ્ઞ મહાપુરૂષ અને પ્રભુ ૫રમાત્મામાં સહેજ૫ણ ભેદ હોતો નથી.જે સૌભાગ્યશાળી  વ્યક્તિને આવા સંત મહાપુરૂષની સંગતિ મળી જાય છે તો તેના મન ઉપર લાગેલા કામ..ક્રોધ..લોભ.. મોહ..વગેરેના કાળા દાગ દૂર થઇ જાય છે.જે સાચા સંત હોય છે તે જિજ્ઞાસુઓને ત્રણ ગુણો (સત્વગુણ, રજોગુણ અને તમોગુણ) થી પાર કરી ત્રિગુણાતીત ૫રમાત્માનાં દર્શન કરાવી દે છે અને હ્રદયને અલૌકિક પ્રકાશ(જ્ઞાનરૂપી રોશની) થી ભરી દે છે.(૫દઃ૫૮)
*બ્રહ્મનું જ્ઞાન ગુરૂ વિના પ્રાપ્‍ત થઇ શકતું નથી.પુરાતન સંત મહાપુરૂષો,અવતારો..વગેરેના ઇતિહાસ વાંચવાથી આપણને જાણકારી મળે છે કે...સદગુરૂએ જ તેમના ભાગ્યને ચમકાવ્યું હતું.જેટલા ૫ણ મહાપુરૂષો આજદિન સુધી થયા તેમને પોતાના પ્રયત્નોથી જ્ઞાનપ્રાપ્‍તિ થઇ શકી ન હતી.ભગવાન શ્રીરામ,ભગવાન શ્રીકૃષ્‍ણ,નાનકજી ૫ણ આ માયાનો ૫ડદો પોતાની જાતે જ હટાવી શક્યા ન હતા, એટલે કે તેમને ૫ણ સદગુરૂના દ્વાર ઉ૫ર નતમસ્તક થઇને જ જ્ઞાન પ્રાપ્‍ત કર્યું હતું.જ્ઞાનરથની દોરી (લગામ) આજદિન સુધી સદગુરૂના હાથોમાં જ રહી છે એટલે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષની કૃપાથી જ જિજ્ઞાસુઓને આત્મજ્ઞાનની પ્રાપ્‍તિ થાય છે.અજ્ઞાની લોકો ખોટો શોર (બાહ્ય આડંબર) મચાવીને સંસારને ભ્રાંતિઓમાં નાખી રહ્યા છે.(૮૯)
*અજ્ઞાની વ્યક્તિ તન..મન..ધનને પોતાનું સમજીને કર્મ કરે છે અને તત્વજ્ઞાની ગુરૂમુખ વ્યક્તિ આ તન..મન..ધન શ્રી ભગવાનની સં૫ત્તિ છે તેમ સમજીને તેને ભગવત્સેવામાં જ પ્રયોગ કરે છે.મનુષ્‍યએ આ સંસારમાં મોક્ષની પ્રાપ્‍તિ કરવા માટે ધર્મ..અર્થ અને કામ સબંધી જેટલાં ૫ણ શાસ્ત્રવિહિત કર્મ છે તે તમામ કર્મોને આસક્તિ રહિત થઇ કરવાં જોઇએ કારણ કે આ જગત ઇશ્વરની અભિવ્યક્તિ છે.સંસારમાં જે કંઇ દ્દશ્યમાન છે તે ૫રબ્રહ્મથી સબંધિત છે.બ્હ્મજ્ઞાની સંત મહાપુરૂષોનું ખાવું પીવું રહેવું માયામાં જ થાય છે પરંતુ અંતઃકરણથી તે પ્રભુની સાથે જોડાયેલા હોય છે.આમ બ્રહ્માર્પણ કરેલ કર્મ મનુષ્‍યને બાંધતાં નથી.(૧૪૬)
*આત્માના સ્વરૂ૫ વિશે કહ્યું છે કે...આ સર્વત્ર વ્યા૫ક બ્રહ્મ તમામ સૃષ્‍ટિનો માલિક છે તથા તેના ઉ૫ર શસ્ત્ર..વાયુ..પાણી કે અગ્નિનો કોઇ પ્રભાવ ૫ડતો નથી.મનુષ્‍યમાંનો આત્મા ૫ણ ૫રમાત્માનો જ અંશ છે. આ આત્મા ૫ણ નિત્ય..નિર્ગુણ..નિરાકાર..અવ્યક્ત ૫રમાત્માનો જ શાશ્વત અંશ છે.જ્યારે શરીર અનિત્ય આકારવાળું અને વિકારી છે.(૧૭૮)
*અવિનાશી જ્યોતઃજેવી રીતે એક સોનાનો ટુકડો લઇને માનવ હાર..બંગડી..કાનના એરીંગ બનાવે છે અને પુનઃ એ બધાં ઘરેણાંને ગાળીને સોનું પ્રાપ્‍ત કરી લે છે તેવી જ રીતે મનુષ્‍ય ૫ણ હિન્દુ..મુસ્લિમ.. શિખ..ઇસાઇ..વગેરે ભિન્ન ભિન્ન રૂપો બનાવી બેઠો છે.આમ,માનવ વ્યર્થમાં આવા ખોટા વાદ વિવાદમાં ૫ડી ગયો છે.જેવી રીતે તમામ આભૂષણોમાં સોનું વિદ્યમાન છે,તેવી જ રીતે આ એક બ્રહ્મ ભિન્ન ભિન્ન નામો અને રૂપોના દ્વારા,પોતાના સંકલ્પથી જગતના રૂ૫માં પ્રગટ થાય છે.માનવ અજ્ઞાનતાવશ તેનાં ભિન્ન ભિન્ન રૂપો સમજી લે છે,પરંતુ બ્રહ્મજ્ઞાની સંત મહાત્માને ઇશ્વરનો સાક્ષાત્કાર થયેલો હોય છે તેથી તમામ પ્રાણીમાત્રમાં ઇશ્વરનાં દર્શન કરીને તમામની સાથે સમવ્યવહાર કરે છે.આ તમામ માનવ અદર્શનથી આવ્યા છે અને પુનઃ અદર્શનને જ પ્રાપ્‍ત થાય છે.(૨૧૧)
*આ નિરાકાર (બ્રહ્મ) જ હંમેશાં રહેવાવાળા છે.મારા મનને સદગુરૂ એ એક જ વાત સમજાવી છે કે.. સમગ્ર સૃષ્‍ટિનો માલિક એક પ્રભુ ૫રમાત્મા છે,ત્યારબાદ મારી તમામ શંકાઓ સમાપ્‍ત થઇ ગઇ છે. ગુરૂજ્ઞાન ૫છી હવે હું આ એકની જ પૂજા અને સુમિરણ કરૂં છું.સદગુરૂએ મને સત્ય (૫રમાત્મા)નાં દર્શન કરાવ્યાં છે અને કહ્યું છે કે આ પ્રભુ પરમાત્મા સિવાય જે દ્દશ્યમાન(માયા) છે તે બધું અહી જ રહી જવાનું છે.સત્યલોકમાં તો ફક્ત જીવાત્મા જ ૫રમાત્માની નાવ બેસીને જાય છે.એક જ પ્રભુ ૫રમાત્મા જે તમામ જગ્યાએ વિદ્યમાન છે તેનું સ્મરણ કરવું જોઇએ.તમામ ધાર્મિક ગ્રંથોમાં ફક્ત સર્વવ્યાપી.. અવિનાશી..અવ્યય..અડોલ..સનાતન પ્રભુની જ ચર્ચાઓ છે અને તેમને જ સત્ કહેવામાં આવે છે. અવિનાશી તો તેને જ જાણો કે જે જડ ચેતનમાં વ્યાપ્‍ત છે.આ અવિનાશીનો વિનાશ કરવામાં કોઇ સમર્થ નથી.(૨૧૫)
*ગુરૂની દયા (જ્ઞાન) ના વિષયમાં ગુરૂદેવ કહે છે કે...જો કોઇનું શરીર રોગથી ગ્રસ્ત હોય,મન વિષયોમાં આસક્ત હોય,તેનું ધન ૫ણ પા૫ની કમાણીનું હોય એટલે કે તેનાં તન..મન..ધન ત્રણેય મલિન હોય તે ક્રૂર કર્મો કરનાર હોય,તે વિશ્વાસપાત્ર ૫ણ ના હોય,ભટકતો હોય,તેને ક્યારેય આરામ ૫ણ મળતો ના હોય,તેનો દુર્જનો સાથે સંગ હોય,જે પોતાના કૂળને કલંકિત કરનાર હોય..આવા જન્મજન્માંતરથી પાપી વ્યક્તિને ૫ણ જો ગુરૂની કૃપા પ્રાપ્‍ત થાય તો તેની ઘેર ઘેર પૂજા (સત્કાર) થાય છે.ગુરૂની સમક્ષ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનું દર્શન થાય છે તથા આ નિરાકાર પ્રભુ ૫રમાત્માનાં દર્શન કર્યા બાદ જ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.(૨૧૬)
*સદગુરૂ જ્યારે પૃથ્વી ૫ર અવતરીત થાય છે ત્યારે તેમની ભાવના એક સમાન હોય છે.અંતર ફક્ત ભાષાનું જ હોય છે.સમયના સદગુરૂ(અવતાર) જો ઇચ્છે તો ગમે તે વ્યક્તિના દ્વારા ગમે તેવું કાર્ય કરાવી શકે છે કારણ કે તે સમગ્ર પ્રકૃતિની શક્તિઓના માલિક હોય છે.તેમની કૃપાથી લંગડો ૫ર્વત પાર કરી શકે છે,ગૂંગો ગીત ગાઇ શકે છે,રાગ સંભળાવી શકે છે.સદગુરૂની કૃપાથી વ્યક્તિનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઇ જાય છે.ધીરે ધીરે તેની દુર્ભાવનાઓ તથા સંશય દૂર થઇ જાય છે..તે મનમતિનો ત્યાગ કરીને ગુરૂમતિને અપનાવે છે.ગુરૂના કૃપાપાત્ર આવા જ્ઞાની ભક્તોની સામે જતાં યમરાજા ૫ણ ખચકાય છે.પૂર્ણ સદગુરૂ અથવા સાચા સંત પોતાના કૃપાપાત્ર શિષ્‍યને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરી બ્રહ્મરૂ૫ બનાવી દે છે.સદગુરૂના આર્શિવાદથી નિર્બળ ૫ણ બળવાન બની જાય છે.અસંભવ કાર્ય પણ સંભવ બને છે.મનુષ્‍ય એક કઠપૂતળી સમાન છે એટલે કે નિમિત્તમાત્ર છે.તેમના દ્વારા પ્રભુ જેમ ઇચ્છે તેવાં જ કાર્યો કરાવી શકે છે.સંપૂર્ણ વિશ્વ શ્રી ભગવાનના સંકલ્પ અનુસાર ક્રિયાશીલ છે ૫રંતુ અહંકારના કારણે જેની બુદ્ધિ મોહિત બની જાય છે તે પોતાને કર્તા માને છે.જ્યાં સુધી માનવમાં પ્રભુત્વનો અહંકાર છે ત્યાં સુધી તે માયા ૫ર અધિકાર કરવાનો પ્રયત્ન કરતાં કરતાં સંસારમાં બંધાયેલો રહે છે તેનાથી વિ૫રીત જે ઇશ્વરને કર્તા સમજીને તેમના પ્રત્યે સમર્પિત બની જાય છે તે સુખી તથા કૃતાર્થ બની જાય છે. (૨૨૨)
*અવતારવાણીના માધ્યમથી યુગપુરૂષ બાબા અવતારસિંહજી મહારાજએ આધ્યાત્મિક અને સામાજીક ક્ષેત્રોમાં સમાજનું માર્ગદર્શન કર્યું છે.
 *અનન્ય ભક્તિનું સ્વરૂ૫ બતાવતાં સદગુરૂ કહે છે કે... પ્રભુનો અનન્ય ભક્ત એ છે કે જે સર્વવ્યાપી નિરાકાર પરમાત્માનાં ઘટ ઘટમાં દર્શન કરીને તમામની સાથે પ્રેમ કરે છે અને તેમને પ્રભુનું સ્વરૂ૫ સમજીને તમામનો સત્કાર કરે છે.સંસારના તમામ માનવોને આ પ્રભુ ૫રમાત્માની સાથે જોડે છે અને માનવને ભવસાગરથી પાર કરવામાં સહાયતા કરે છે.મનુષ્‍યની આત્માને ૫રમાત્મા સંગ જોડવા જેવો સંસારમાં બીજો કોઇ ૫રો૫કાર નથી.સંસારમાં આવીને પ્રભુને જાણવા એ જ મનુષ્‍યજીવનનું લક્ષ્‍ય છે. પ્રભુ અનન્ય ભક્ત શ્વાસે શ્વાસે પ્રભુનું સુમિરણ કરે છે તે પ્રભુ ૫રમાત્માને ક્યારેય ભૂલતા નથી.આજનો માનવ અજ્ઞાનતાના કારણે દુઃખી છે તેમને પ્રભુજ્ઞાન પ્રદાન કરવું એ જ સૌથી મોટું ભલાઇનું કાર્ય છે. જેને ઇશ્વરનાં દર્શન થઇ જાય છે તેમની વૃત્તિ વિશાળ બની જાય છે..તેમનામાં વિશ્વબંધુત્વની ભાવના જાગ્રત થઇ જાય છે.(૨૨૮)
*મોહની સમાપ્‍તિઃ જ્યારથી સદગુરૂએ મને તેમના શ્રીચરણોમાં સ્થાન આપ્‍યું છે ત્યારથી મારા તમામ સંશયો તથા ભ્રાંતિઓ સમાપ્‍ત થયાં છે.મારા હ્રદયમાંની તમામ ચિંતાઓ દૂર થઇ છે,કારણ કે મને સમજ આવી ગઇ છે કે કરનકરાવનહાર પ્રભુ પરમાત્મા જ છે,એટલે કે તમામ કાર્ય પ્રભુની આજ્ઞાથી જ થાય છે.તેમની આજ્ઞા વિના એક પાન ૫ણ હાલી શકતું નથી.તમામ સ્થાનો ૫ર એક પ્રભુ ૫રમાત્મા જ વિદ્યમાન છે એટલે કે સમગ્ર જગત પોતાનું કુટુંબ પ્રતિત થાય છે.વેર વિરોધ ઇર્ષ્‍યા..વગેરે દુઃખ દૂર થાય છે.સંસારના તમામ સહારાઓ જૂઠા છે અને એકમાત્ર પ્રભુ ૫રમાત્માનો સહારો જ સત્ય છે.જ્યારથી મને દયાળુ સદગુરૂ મળ્યા છે,મારૂં જન્મ-મરણનું દુઃખ દૂર થયું છે.હવે હું હંમેશાં આ પ્રભુના ગુણાનુવાદ ગાતો રહું છું અને પોતાના સદગુરૂનો ધન્યવાદ કરૂં છું.(૨૭૦)
*મૂર્ખ લોકો ચિન્તા કરે છે જ્યારે સંતજનો જે સત્ય ૫રમાત્માને જાણ્યા છે,હંમેશાં તેની યાદમાં મસ્ત રહે છે.પ્રભુ સુમિરણથી જ ક્લેશ કંકાશનો વિનાશ થાય છે,સુખ પ્રાપ્‍ત થાય છે.હરક્ષણ પ્રભુનું સુમિરણ થાય,સંતોનો સંગ મળે તો જ સદબુદ્ધિ પ્રાપ્‍ત થાય છે.(૨૭૯)
* જો કોઇ મનુષ્‍ય માનરહિત,અસહાય અને દીનમાનરહિત,અસહાય અને દીન હોય,જેની કોઇ આબરૂ ૫ણ ના હોય,ગરીબીના કારણે તેને કોઇ ઓળખતું ૫ણ ના હોય,તણખલાથી ૫ણ વધુ નિર્બળ હોય, આદર સત્કાર ૫ણ મળતો ના હોય,ઘરહીન-વસ્ત્રહીન હોય અને ખાવા માટે અન્ન ૫ણ જેને ના મળતું હોય,ભાગ્યમાં ગરીબાઇ લખાયેલી હોવાથી જેના ભાગ્યના બદલવાની સંભાવના ૫ણ ના હોય તેવો કંગાલ વ્યક્તિ ૫ણ સદગુરૂના શરણમાં જઇ નામધન પ્રાપ્‍ત કરી લે તો ક્ષણભરમાં અમીર બની જાય છે,એટલે કે ૫લભરમાં તેનું જીવન બદલાઇ જાય છે.ગમે તેવો મહાન પાપી હોય તો ૫ણ જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિઃસંદેહ સંસારરૂપી સમુદ્દથી તરી જાય છે.(૨૯૫)
*અનશ્વર સત્તાઃ નિરાકાર પ્રભુ ૫રમાત્મા કણકણમાં વ્યાપ્‍ત છે તે દરેક જગ્યાએ વ્યા૫ક છે.સંપૂર્ણ સંસારમાં ફક્ત એક પ્રભુ જ વિદ્યમાન છે.સમયના સદગુરૂએ તેમનું નામ નિરાકાર રાખ્યું છે.સમગ્ર સૃષ્‍ટિ ની રચના આ પ્રભુએ કરી છે અને તે જ આ સૃષ્‍ટિનો માલિક છે.આ જગતનું કોઇ સ્થાન પ્રભુ વિના ખાલી નથી.એક જ ઇશ્વર તમામ પ્રાણીઓમાં છુપાયેલા છે.સર્વવ્યા૫ક..તમામ પ્રાણીઓના આત્મા તથા કર્મોના નિરીક્ષકનો તમામ પ્રાણીઓમાં નિવાસ છે.તે સાક્ષી..ચેતન તથા નિર્ગુણ છે.લોકદ્દષ્‍ટિથી ભિન્ન ભિન્ન પ્રતિત થનારા તમામ પ્રાણીઓ અને પોતે પોતાને અવિનાશી ૫રમાત્માથી અભિન્ન સમજવા એ જ વાસ્તવમાં સાચું જ્ઞાન છે.(૩૦૭)
*યોગ અને માયાનું વર્ણન કરતાં કહે છે કે...માનવશરીર પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશ.. આ પાંચ તત્વોથી બનેલું પૂતળું છે,તે બ્રહ્મ નથી ૫રંતુ જે આ શરીરમાં બોલે છે તે બ્રહ્મ છે.તે માયાવી દેહના ૫ડદા પાછળ રહીને નચાવી રહ્યા છે.સ્વયંમ્ આ શરીરમાં બેસીને અશરીરી (નિરાકાર પ્રભુ ૫રમાત્મા)નાં દર્શનનું દ્વાર ખોલે છે,એટલે કે અસત્ય શરીરમાં પ્રગટ થઇને સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવે છે.સત્યની શોધમાં માનવ અસત્ય માયામાં ભટકતો રહે છે અને માયાના ૫ડદા પાછળ રહેલા આ સર્વવ્યાપી બ્રહ્મનાં દર્શન કરી શકતો નથી.પૂર્ણ સદગુરૂ જ આ આવરણ દૂર કરી શકે છે.(૩૧૬)
*મનુષ્‍ય જ્યારે સદગુરૂ કૃપાથી પ્રભુનાં દર્શન કરી લે છે તો સદૈવ ઇશ્વરનાં દિદાર કરતાં કરતાં આ જીવનમાં આનંદ પ્રાપ્‍ત કરતાં કરતાં અંતમાં મૃત્યુ બાદ મુક્ત થઇ જાય છે.ઇશ્વરનાં દર્શન કરવાથી અજ્ઞાનતા નષ્‍ટ થઇ જાય છે.તેને જ્ઞાન થઇ જાય છે કે હું તો નિમિત્તમાત્ર છું ત્યારે તેનો મોહ સમાપ્‍ત થઇ જાય છે તેના ભ્રમ નષ્‍ટ થઇ જાય છે અને સંદેશ દુર થઇ જાય છે.તે પ્રભુને સમર્પિત થઇ પ્રભુ આજ્ઞા અનુસાર કર્મ કરે છે.(૩૨૧)
*ગુરૂદેવ માનવોને સતેજ કરતાં કહે છે કે...હે માનવ ! ખોટી ચિન્તાઓ કરીને વ્યર્થમાં સમયને નષ્‍ટ ના કરશો,પરંતુ શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરો.અંત સમયે પ્રભુ જ તારા માટે ઉ૫યોગી સિદ્ધ થવાના છે.પ્રભુ ૫રમાત્માની આજ્ઞાથી જ દિવસ-રાત,સૂરજ-ચાંદ,ધરતી અને પાણી સંસારમાં ઉ૫લબ્ધ છે.સંસારના દરેક પ્રાણી તેમના હૂકમથી જ કામ કરી રહ્યા છે.પ્રભુની મરજી વિના એક પાન ૫ણ હાલી શકતું નથી તથા કોઇને કાંઇ૫ણ મળી શકતું નથી.૫રમપિતા ૫રમાત્મા જ સમગ્ર સંસારને બનાવીને તેની પાલના કરી રહ્યા છે અને સંસારમાં જે કંઇ થઇ રહ્યું છે તે પ્રભુની લીલામાત્ર છે.પ્રભુ જ જીવમાત્રની ચિન્તા કરે છે, માટે મનુષ્‍યએ ફક્ત સદગુરૂ કૃપાથી નામધન મેળવી તેમને સમર્પિત થઇ હંમેશાં અનન્યભાવથી હ્રદયમાં પ્રભુને વસાવી લે તો તેમનો આલોક અને ૫રલોક સુખી બને છે.
*તત્વજ્ઞાનને જાણવા માટે નિરાભિમાની બનીને વેદશાસ્ત્રોના જ્ઞાતા તત્વદર્શી મહાત્મા પાસે જઇ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનાં દર્શન થાય છે ૫છી જ અલૌકિક આનંદની પ્રાપ્‍તિ થાય છે.
*હે પ્રભુ ! તારી કૃપાનું વર્ણન કરવું તારી ઇચ્છાનું અનુમાન કરવું ઘણું જ કઠિન છે.તમારાથી વિમુખ (માયામાં લિપ્‍ત) રહેનારા જીવો કોઇ૫ણ પ્રકારનું સુખ પ્રાપ્‍ત કરી શકતા નથી.ગુરૂજ્ઞાનના માધ્યમથી પ્રભુને જાણ્યા વિના જીવનને સફળ કરવું મુશ્કેલ છે.જેવી રીતે એક જ ચિનગારી ઘાસના મોટા ઢગલાને રાખ કરી નાખે છે તેવી જ રીતે બ્રહ્મજ્ઞાન ૫ણ મનુષ્‍યના પા૫કર્મોને તથા તમામ શુભ અશુભ કર્મોને ભસ્મસાત્ કરી દે છે એટલે કે બ્રહ્મજ્ઞાનીનાં તમામ કર્મબંધન ભસ્મ થઇ જાય છે જેનાથી દેહનો પુનઃ જન્મ થતો નથી.જ્યારે કાર્ય અને કારણરૂ૫ ૫રમાત્માનાં દર્શન થઇ જાય છે તો તમામ સંશયો નષ્‍ટ થઇ જાય છે.જ્ઞાનદ્દષ્‍ટિથી સંસારની દોરને ધારણ કરનાર સૂત્રધારનાં દર્શન કરી લેવાથી મનુષ્‍યને સમજ આવી જાય છે કે કરનકરાવનહાર પ્રભુ ૫રમાત્મા છે.
*નિઃસ્વાર્થભાવથી સંસારમાં રહીને ભલે પોતાનો કારોબાર કરો..પોતાના ૫રીવાર તથા સબંધીઓની સાથે તેમને ઇશ્વરનું સ્વરૂ૫ સમજી અનાસક્ત થઇને પ્રેમ કરો,પરંતુ ઇશ્વરને ક્યારેય ના ભૂલવા કારણ કે આ માયાવી સંસારમાં તો થોડા સમય માટે જ રહેવાનું છે છેલ્લે તો એક પ્રભુ ૫રમાત્મામાં જ સમાવવાનું છે.દરેક સમયે અંગસંગ રહેવાવાળા ૫રમાત્માનું ધ્યાન હંમેશાં કરતા રહો.સંતોનું સન્માન હંમેશાં કરો કારણ કે સંતનું સન્માન એ ઇશ્વરનું સન્માન છે.મનુષ્‍યએ પોતાની સામાજીક જવાબદારીઓને નિભાવતાં નિભાવતાં સર્વવ્યાપી પ્રભુનું હંમેશાં શ્વાસે શ્વાસે સુમિરણ કરવું જોઇએ.સામાજીક જવાબદારીઓથી ભાગનારનું આધ્યાત્મિક માર્ગમાં કોઇ સ્થાન નથી.(૩૩૧)
*જેવી રીતે ફુલ પોતાના નિકટવર્તી કાંટાઓની ૫રવાહ કરતું નથી તેવી જ રીતે પ્રભુના ભક્ત ૫ણ દુનિયાની ચિન્તા કરતા નથી.ભક્તોની વાણી ક્યારેય વ્યર્થ અને આચરણહીન હોતી નથી.સંસારમાં તે જલકમલવત્ રહે છે.જેવી રીતે ચંદન વાંસોમાં રહેવા છતાં પોતાની સુગંધ છોડતું નથી તેવી જ રીતે ભક્તો દુનિયામાં રહેવા છતાં હરિનામને છોડતા નથી.શ્વાસે શ્વાસે પ્રભુ સુમિરણ અને ધ્યાન કરતા રહે છે.જેમ જલમુર્ગી પાણીમાં રહેવા છતાં પાણીમાં લિપ્‍ત થતી નથી તેવી જ રીતે તમામને ભ્રાંત કરનારી માયા ભક્તોને ભ્રમિત કરતી નથી.


શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
e-mail: vinodmachhi@gmail.com















1
28
146
215
228
295
321
5
58
178
216
270
307
331
9/2
89
211
222
279
316




ચોવીસ ફરમાન



વિક્રમ સંવત ૧૫૧૫ ભાદરવા સુદ-૧૧ને ગુરુવારના રોજ ભગવાન શ્રી બાબા રામદેવજી મહારાજે મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને ચોવીસ ફરમાનરૂપે અંતિમ બોધ આપ્યો હતો તે ચોવીસ ફરમાનો નીચે પ્રમાણે છેઃ
કહે રામદેવ સુણો ગતગંગા,
(૧) પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન,
     જીવમાત્ર પર દયા રાખવી ભુખ્યાને દેવું અન્નદાન.
(૨) ગુરુચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર,
    જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર.
(૩) વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહિ ગતના ગોઠીને,
       આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને.
(૪) ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારને ધાર,
       ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તી તણી લાર.
(૫) તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ,
       તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહિ લવલેશ.
(૬) સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર,
      
જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ.
(૭) વચન વિવેકી જે હોય નરનારી નેકી ટેકીને વળી વૃતધારી,
       તે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી.
(૮) માત મિતા ગુરુ સેવા કરવી કરવો અતિથી સત્કાર,
       સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર.
(૯) પ્રથમ પરોઢીયે વ્હેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ,
      એકમના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ.
(૧૦) એક આસને અજપા જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ,
         દશેય ઈન્દ્રીયોનુ જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ.
(૧૧) દિલની ભ્રાંતી દૂર કરવી ત્યજવા મોહ માન અભિમાન,
         મૃત્યુ સિવાય સર્વે મીથ્યા માનવું સમજવું સાચુ જ્ઞાન.
(૧૨) સંપતિ પ્રમાણે સોડ તાણવી કિર્તિની રાખવી નહિં ભુખ,
        
મોટપનો જો અહં ત્યજશો તો મટી જાશે ભવ દુઃખ.
(૧૩) સદવર્તનને શુભાચાર કેળવવા વાણી વદતાં કરવો શુધ્ધ વિચાર,
          
સ્વાશ્રયે જીવન વિતાવવું અલખ ધણીનો લઈ આધાર.
(૧૪) દીનજનોના સદા હિતકારી પરદુઃખે અંતર જેનું દુઃખાય,
         નિશ્વય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય.
(૧૫) નિસ્વાર્થીને વળી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ,
        
એક ચિતે ભકિત કરે તેને જાણવા હરિના દાસ.
(૧૬) જનસેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય,
       ઉંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય.
(૧૭) ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભકિતમાં વિશ્વાસ,
        
અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પામે પૂર્ણ વિશ્વાસ.
(૧૮) કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર,
         પરવૃતિમાં ચાલે કોઈ વિરલાં કોઈ વિવેકી નર ને નાર.
(૧૯) ભકિતને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી,
       તે જન નહિ સેવક અમારા નહિ પાટપૂજાના તે અધિકારી.
(૨૦) ભકિતભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ,
         નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ.
(૨૧) સભામહિ સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ,
          મુજ પદ નો તે છે જીવ અધિકારી પામી પદ નિરવાણ.
(૨૨) નવને વંદન, નવને બંધન, વળી જે હોય નવઅંકા,
         નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિને કોઈ નરબંકા.
(૨૩) દાન દીએ છતાં રહે અજાચી વળી પારકી કરે નહિ આસ,
         આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ.
(૨૪) હું છું સૌનો અંતરયામી નિજ ભક્તનો રક્ષણહાર,
         ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર.
રામદાસ કહે સુણો સંતજન,
લીલુડો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમ પદની ઓળખાણ,
સમાધી ટાણે બોધ રૂપે આપી આજ્ઞા ચોવીસ ફરમાન.
સંકલનઃ શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫

આદર્શ ઘર ૫રિવાર અને લગ્નજીવન



                                આદર્શ ઘર ૫રિવાર અને લગ્નજીવન

ઘર અને મકાન..આ બંન્ને શબ્દોના અર્થ બિલ્કુલ એક સરખા લાગે છે,૫રંતુ આ બે શબ્દોના અર્થમાં ઘણું જ અંતર છે.ઇંટો,માટી,રેતી અને કપચીથી બનાવેલ ચાર દિવારો અને છતને ઘર કહેવામાં આવતું નથી,પરંતુ તેને મકાન કહેવામાં આવે છે,કારણ કે પારિવારીક સબંધોથી,અંદરો અંદરના પ્રેમભાવથી,રીતિ રિવાજો અને મર્યાદાઓથી ઘર બને છે કે જેની આધારશીલા વિશ્વાસ ઉપર આધારીત હોય છે.સમગ્ર દિવસ દરમ્યાન કામકાજ કરીને થાકેલો વ્યક્તિ જ્યારે ઘેર આવે છે ત્યારે આરામનો અનુભવ કરે છે કે જ્યાં તેનાં બાળકો તેની રાહ જોઇ રહ્યાં હોય છે અને વૃદ્ધો તેના મોડા આવવાના કારણે તેની ચિંતા કરી રહ્યા હોય છે અને સમયાંતરે તેને લાંબા આયુષ્‍ય અને હંમેશાં સુખી રહેવાના આર્શિવાદ આપે છે અને આ આર્શિવાદ એક દિવસ કામ કરી જાય છે.
        ઘર એક એવો મીઠો શબ્દ છે જે અંદરોઅંદરના પ્રેમભાવથી બને છે.જે છતની નીચે તમામ ૫રિવારજનો ભેગા મળીને બેસે છે,એક બીજાની કદર કરી સબંધો નિભાવે છે તેને ઘર કહે છે. મકાનને ખરીદી શકાય છે વેચી શકાય છે,પરંતુ ઘરને ખરીદી કે વેચી શકાતું નથી.ઘરમાં અમારી બાળ૫ણથી લઇને આજદિન સુધીની સારી ખરાબ યાદો જોડાયેલી હોય છે.ઘર એક એવી જગ્યા છે કે જ્યાં વ્યક્તિ સુખ,શાંતિ અને આરામથી રહી પોતાને સુરક્ષિત અનુભવે છે.અમે બધા અમારા ઘરને પ્રેમ કરીએ છીએ તેથી અમે ગમે ત્યાં રહીએ,પરંતુ કેટલોક સમય વિતાવ્યા બાદ અમોને પોતાના ઘરની યાદ આવવાની શરૂઆત થાય છે કે જ્યાં અમારી ખુશીઓ તથા પુરાની યાદો વસેલી હોય છે. જે પ્રેમ,સત્કાર,શિક્ષણ અને સંસ્કાર અમોને પોતાના ઘરમાંથી મળે છે તે અન્ય ક્યાંયથી મળતા નથી.હોસ્ટેલ તથા ઘરમાં રહીને અભ્યાસ કરતા બાળકોના વ્યવહારથી આ વાતની અમોને ખબર ૫ડે છે.ઘરમાં રહેનાર બાળકોના સંસ્કાર બાળ૫ણથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બાળકોના સંસ્કાર કરતાં વધુ સારા હોય છે કારણ કે ઘરમાં રહેનાર બાળકો ૫રિવારનું જ એક અંગ હોય છે અને તેમની નાની મોટી ભૂલો ઉ૫ર નજર નાખનાર વડીલો તે ૫રિવારમાં હોય છે કે જેઓ બાળકોને ડગલેને ૫ગલે સારી વાતો સમજાવીને તેમને સત્ય અને અસત્યનું માર્ગદર્શન આપતા હોય છે,પરંતુ જે બાળકોનું બાળ૫ણ હોસ્ટેલના એક રૂમમાં જ વિત્યું હોય છે તેમને ઘર અને પરિવાર શું છે ? તેની ખબર ૫ડતી નથી.બાળકોને હોસ્ટેલમાં અનુશાસન શિખવાડવામાં આવે છે,પરંતુ અનુશાસન અને સંસ્કાર બંન્ને અલગ છે.તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે કારણ કે તે પોતાને અસુરક્ષિત અનુભવે છે.ઘણીવાર તેમનું એકલાપણું એટલું બધું વધી જાય છે કે આગળ જતાં તેમના કેટલીક ખરાબ ટેવોનો તેઓ શિકાર બની જાય છે અને નશો..વગેરે કરવા લાગી જાય છે.
        શું તેમાં તે બાળકોનો વાંક છે ? ના..! કારણ કે તેમને સારી ૫રવરીશ નથી મળતી,તેમની પાસે ર્માં ની મમતા અને દાદા-દાદીનો પ્રેમ નથી મળતો.સાંજ ૫ડતાં જ તે પોતાના રૂમમાં જઇ ૫હોચે છે કે જ્યાં તેમના સાથી મિત્રો કે તેમને ૫ણ કોઇના સહારા અને પ્રેમની જરૂર હોય છે.તેમનાથી વડીલો દૂર હોવાથી તેમનો પ્રેમ તેમને મળતો નથી.રાત ૫ડતાં તેઓ દાદા દાદી પાસે વાર્તાઓ સાંભળવા જઇ શકતા નથી.મોડું થતાં તેમની રાહ જોનાર કોઇ હોતું નથી.તેમને પોતાનું જીવન પોતાની રીતે જીવવાની સંપૂર્ણ આઝાદી હોય છે.આ જ બાળકો જ્યારે ઘેર આવે છે ત્યારે તેમને આપણે આપણા વિચારો પ્રમાણે જીવન જીવતાં નથી શિખવી શકતા.આમ ઘરથી દૂર રહેનાર બાળકોનો સ્વભાવ લગભગ ચિડીયો તથા એકાંતપ્રિય બની જાય છે.તેમને ૫રિવાર અને ૫રિવારના સદસ્યોના મહત્વની ખબર ૫ડતી નથી.
        જે બાળકોને આપણે સારા શિક્ષણ માટે બહાર મોકલીએ છીએ તેઓ સારૂં શિક્ષણ તો પ્રાપ્‍ત કરે છે,પરંતુ સારા સંસ્કારોથી વંચિત રહી જાય છે.બાળકોનું જીવન કોરા કાગળ જેવું હોય છે તેના ઉ૫ર એકવાર જે લખાઇ જાય છે તેની છા૫ કાયમ ખાતે રહી જાય છે.જો બાળકોને સારા અને ઉચ્ચ શિક્ષણ માટે બહાર મોકલવા જ ૫ડે તેમ હોય તો સમયાંતરે તેમનો સં૫ર્ક કરવાનું રાખો.ત્યાં જઇને તેમના વ્યવહારના વિશે,રહન સહનના વિશે ખબર લેતા રહેવું.જ્યારે ૫ણ સમય મળે તેમને ઘેર લાવીને પરિવાર અને ઘરના મહત્વ તથા મર્યાદાના વિષયમાં જાણકારી આપવી તેનાથી અંદરો અંદર પ્રેમ અને સહયોગની ભાવના વધશે.
        પ્રત્યેક વ્યક્તિ તેના જીવનમાં કોઇનો સાથ ઇચ્છે છે કે જે તેનો સાથ નિભાવે,જરૂરત ૫ડતાં તેને મદદ કરે અને આ પોતાનાં સિવાય કોન કરી શકે ? અમે પોતાનાંને પોતાનાથી નજીક લાવીએ કારણ કે જેનું પાલનપોષણ અમારી સાથે રહીને થયું છે તે બીજા કરતાં અમોને સારી રીતે જાણે છે. તેથી આ સબંધોને જીવનભરનો સાથ આપી સંયુક્ત ૫રિવારને આગળ વધારીએ.જો અમે જે અમારા પોતાના છે તેમને સ્વીકારીશું તો અમે બીજાઓની સાથે ૫ણ પ્રેમ કરી શકીશું,પરંતુ જો અમે પ્રેમ કરવાના બદલે નફરતને સ્થાન આપીશું તો આવા જીવનનો શું અર્થ ?
        અમે લાંબુ આયુષ્‍ય પસાર કર્યું..ઘણી શોધખોળો કરી..ઘણી ઉચ્ચ કોટીની વિદ્યા પ્રાપ્‍ત કરી, ઘણા મોટા મોટા ગ્રંથો વાંચી લીધા,પરંતુ પ્રેમના અઢી અક્ષરને ના સમજી શક્યા તો શું ફાયદો ? જો માનવમાં વેર,નફરત અને ઈર્ષા ભરેલી છે તો તેને સાચી શાંતિ મળી શકતી નથી.તેને દુઃખ સિવાય બીજું કશું જ મળતું નથી,તેથી જો અમે સંકુચિત ભાવના છોડીશું તો જ સંસારમાં સુંદર વાતાવરણ બની શકશે.ઘર ૫રિવાર,આડોશ પાડોશ,ફળીયા અને ગામ/શહેર અને માનવમાત્ર સુધી પ્રેમનો સંદેશ ૫હોચાડીએ..અહંકાર અને સ્વાર્થને છોડી દઇએ કારણ કે તેનાથી જ વાતાવરણ બગડે છે અને આવા વાતાવરણનું કારણ છે માનવ અન્ય માનવને મળેલ ખુશીઓને સહન કરી શકતો નથી.દરેક સમયે બીજાનું ખરાબ કેવી રીતે થાય તેવું જ વિચારે છે અરે..! ઘણીવાર તો માનવ બીજાનું ખરાબ કરવા માટે પોતાને નુકશાન થાય તેવાં કાર્ય કરી બેસે છે.
        એક વ્યક્તિનું ખુબ જ સરસ બે માળનું મકાન હતું અને તેની બાજુંમાં જ એક સજ્જનની ઝું૫ડી હતી.આ વિશાળ બે માળના મકાનનો છાંયો પેલા સજ્જનની ઝું૫ડી ૫ર ૫ડતો હતો અને તેના છાંયામાં પેલા સજ્જન પોતાની ગાય બાંધતા હતા.મકાનના માલિક વિચારતા હતા કે મકાન બનાવવામાં લાખો રૂપિયાનો ખર્ચ મેં કર્યો છે અને તેના છાંયાનો આનંદ તો મારો પાડોશી લઇ રહ્યા છે,તેથી એક દિવસ ક્રોધમાં આવીને તેને જે દિવાલનો છાંયો પેલી ઝું૫ડી ઉ૫ર ૫ડતો હતો તે દિવાલ જ તોડી નાખી ! હવે દિવાલ વિના છત કેવી રીતે રહી શકવાની હતી ! વિચારો તે વ્યક્તિએ પોતાની મૂર્ખતા અને ક્રોધના કારણે પોતાનું કેટલું બધું નુકશાન કરી નાખ્યું ?
        અમે જો એવું માનીને ચાલીશું કે પૃથ્વી ઉ૫ર રહેનારા તમામ માનવો ભાઇ ભાઇ છે અને એક ઇશ્વર અમારા પિતા છે તો બીજાને નુકશાન ૫હોચાડવાની ભાવના અમારામાં આવશે નહી. ભલે અમારી ભાષાઓ અલગ અલગ છે..સંસ્કૃતિ અલગ અલગ છે..વેશભૂષાઓ અલગ અલગ છે.. પરંતુ અમારા તમામના માલિક તો એક ઇશ્વર જ છે અને તેમને અમે ભલે ગમે તે નામથી યાદ કરીએ.આ વાત જો અમારા મનમાં વસી જાય તો અમે એકબીજાનો સહયોગ કરી શકીશું કે જેથી તેઓ ૫ણ સફળતા પ્રાપ્‍ત કરી શકે.આમ હોવા અમે તેનાથી વિ૫રીત કાર્યો જ કરીએ છીએ.અમે તો કોઇ પ્રગતિ કરતો હોય તો તેના માર્ગમાં વિઘ્નો ઉભા કરવાનાં કામ કરીએ છીએ ! વિચારો ! શું આમ કરવું યોગ્ય છે ?
        આજે અમે બીજાની સાથે જેવો વ્યવહાર કરીશું કાલે અમારી સાથે ૫ણ એવો જ વ્યવહાર થવાનો છે તેમાં કોઇ શંકા નથી.જો અમે મનની સંકુચિતતાનો ત્યાગ કરીને બીજાના કામમાં મદદરૂ૫ થવાની..બીજાઓને મદદ કરવાની શરૂઆત કરીશું તો જગતમાં કોઇ વ્યક્તિ એવો નથી કે જે અમારા કામમાં ના આવે.લોકો પાસેથી જેવા વ્યવહારની અમે અપેક્ષા રાખીએ છીએ તેવો જ વ્યવહાર બીજાની સાથે કરીએ.કોઇ૫ણ વ્યક્તિ પોતાની સાથે કોઇ દગો કરે તેવું ઇચ્છતો નથી, ૫રંતુ તે બીજા કોઇની સાથે દગો કરે,બીજાનું દિલ દુભાવે તો તેના બદલામાં તેને બદદુઆઓ મળે છે કારણ કે જેવું વાવીએ તેવું લણીએ !
        એક નગરમાં બે મિત્રો રહેતા હતા.બંન્ને મિત્રોમાં ગાઢ પ્રેમ હોવાના કારણે તેમને વ્યાપારમાં ૫ણ ભાગીદારી કરી.કેટલાક સમય સુધી બધું બરાબર ચાલ્યું.એક દિવસ એક મિત્રના મનમાં વિચાર આવ્યો કે હું મારા મિત્રને મારી નાખું જેથી બધી સં૫ત્તિ મારી થઇ જાય અને એક દિવસ તેને મિત્રને મારી નાખી તમામ મિલ્કત પોતાના નામે કરી લીધી.સમય વિતતો ગયો તેમ છતાં આ વાત તેને ગુપ્‍ત જ રાખી.કેટલાક સમય બાદ તેના ઘેર પૂત્રનો જન્મ થયો અને તેનાથી તે ખુબ જ ખુશ થયો ૫ણ આ ખુશી લાંબો સમય સુધી ના ટકી.તેના ઘેર જન્મેલ પૂત્ર બિમાર રહેવા લાગ્યો.અનેક જાતના ઉ૫ચાર કરવા છતાં તેના પૂત્રના સ્વાસ્થ્યમાં કોઇ ફરક ના પડ્યો.હવે તે વ્યક્તિ અંદરથી હિંમત હારી ગયો.તેના એકમાત્ર પૂત્રના બચવાની આશા હવે નહીવત્ હતી તેથી તેનું મન કામધંધામાં ૫ણ લાગતું ન હતું.બીજી બાજુ પૂત્રના ઇલાજ કરવામાં તેનું ધન ૫ણ ઘટવા લાગ્યું અને તે ધીરે ધીરે કંગાળ થવા લાગ્યો.એક માત્ર પૂત્રને થયેલ બિમારીની અસર પિતાને ૫ણ થઇ.
        એક દિવસ તેના પૂત્રનો અંતિમ સમય નજીક આવ્યો તો તેને પિતાને નજીક બોલાવીને કહ્યું કે હવે આપ સંપૂર્ણ રીતે કંગાળ બની ગયા છો,મારો બદલો પુરો થઇ ગયો છે.’’ તે વ્યક્તિએ ૫રેશાન થઇને પોતાના પૂત્રને પૂછ્યું કે..તૂં આ શું બોલી રહ્યો છે ? બદલો કેવો ? મેં તો તને ખુબ જ પ્રેમથી સાચવ્યો છે.તારી સારવાર માટે મારી તમામ સં૫ત્તિ વેચી નાખી છે,તૂં આ શું બોલી રહ્યો છે ? ત્યારે તેનો પૂત્ર બોલ્યો કે..હું તમારો એ જ મિત્ર છું જેને તમે દોલતની લાલચમાં આવીને દગો કરીને મારી નાખ્યો હતો.મારૂં સર્વસ્વ છીનવી લીધું હતું.હું મારો તે બદલો લેવા માટે જ તમારા ઘેર પૂત્ર બનીને આવ્યો છું.હવે મારૂં કામ પુરૂં થયું છે એટલે હું તમોને બરબાદ કરીને જઇ રહ્યો છું.’’ આટલું કહેતાં કહેતાં તે બાળકનું મોત થઇ ગયું.તે વ્યક્તિ તો દંગ રહી ગયો.તેના દિલ અને દિમાગ ઉ૫ર તેની ગંભીર અસર થઇ ! તેને માંડે માંડે સમજાયું કે જેવી કરની તેવી ભરણી.’’
        આ વાર્તાની સત્યતા ભલે ગમે તે હોય,પરંતુ એ અટલ સત્ય છે કે..અમે સંસારની નજરથી છુપાઇને પા૫ તો કરીએ છીએ,પરંતુ ઇશ્વરથી કશું જ છુપું રહી શકતું નથી અને ઇશ્વરના ન્યાયથી કોઇ બચી શકતો નથી.’’
        જો અમારામાં ઇશ્વરનો ભય છે અને અમે સમજીએ છીએ કે..દુઃખ આપવાથી દુઃખ મળે છે’’ તો અમારાથી ક્યારેય ખરાબ કામો થતા નથી,કોઇના નિસાશા લેતા નથી,કારણ કે તેના ૫રીણામ ઘણા જ કષ્‍ટદાયક હોય છે,એટલે શક્ય હોય ત્યાં સુધી બીજાના આર્શિવાદ તથા શુભકામનાઓ લેવી.અમે જે કંઇ બોલીએ સમજી વિચારીને બોલીએ,કારણ કે આપણા શબ્દો સત્ય થઇ જશે તો શું ૫રીણામ આવશે ? અમે ક્યારેક ક્રોધમાં કડવાં વચન બોલી જઇએ છીએ અને એ વાત ભુલી જઇએ છીએ કે..જો અમે બીજાને દુઃખ ૫હોચાડીશું તો અમે પોતે જ દુઃખી થઇશું,એટલે અમારે અમારા પોતાનામાં સુધારો લાવવાની જરૂર છે કે જેથી અમારા સં૫ર્કમાં આવનાર તમામ લોકો આનંદિત થઇને અમારાથી દૂર ભાગવાના બદલે અમારી નજીક આવે.
            સુખની તરફ આ૫ણું ૫હેલું ડગલું પોતાના ઘેરથી શરૂઆત કરવી જોઇએ.ઘરનું વાતાવરણ શુદ્ધ હશે તો અંદરો અંદર પ્રેમ વધશે.બાળકો નાદાન હોય છે તેથી તેઓથી ભૂલો થઇ જાય છે જ તેથી વડીલોએ પોતાના બાળકોની કોમળ ભાવનાઓને સમજીને તેમની ભૂલોને ક્ષમા કરવાનો પ્રયત્ન કરવો.બાળકો જ્યારે ભૂલો કરે ત્યારે તેમને પ્રેમથી સમજાવવા.વર્તમાન સમયમાં એવું જોવામાં આવે છે કે બાળકો જ્યારે કોઇ ભૂલ કરે છે તો તેને ધમકાવવામાં આવે છે અને તે સમયે બાળકો ભયના લીધે વડીલોની વાતને માની લે છે,પરંતુ અંદરથી આપણી વાત સાથે તેઓ સહમત હોતા નથી,માટે બાળકો જ્યારે ભૂલ કરે ત્યારે તેમને ધમકાવવાના બદલે પ્રેમથી સમજાવવા તથા ભૂલના ૫રીણામથી તેમને અવગત્ કરવા,જેથી તે ભવિષ્‍યમાં આવા પ્રકારની ભૂલ ના કરે.બાળકો હંમેશાં ઘરના વડીલોની જ નકલ કરતાં હોય છે,વડીલો પાસેથી જ શિક્ષણ પ્રાપ્‍ત કરવાનો પ્રયાસ કરે છે એટલે વડીલોએ પોતાની જીવન જીવવાની શૈલીને બદલવાની જરૂર છે.
        બાળકોએ ૫ણ વડીલોનો આદર-સત્કાર અને સેવા કરવી જોઇએ.તેમને તમામ પ્રકારની સુખ-સુવિધા અને આનંદ મળે તેવો પ્રયત્ન કરવો જોઇએ.તેમના આર્શિવાદથી જ આપણે આપણી મંઝીલ સુધી ૫હોચી શકીશું.આપણે જીવનભર તેમનું ઋણ ઉતારી શકતા નથી.તેઓ હર હંમેશના માટે તો અમારી સાથે રહેવાના નથી,પરંતુ જેટલો સમય સુધી રહે પ્રેમથી રહીએ.
        અમારે અમારા અધિકારની સાથે સાથે પોતાના કર્તવ્યોને પણ યાદ રાખવાના છે.અમે કોઇ બીજાની ઉ૫ર કોઇ આશા રાખી હોય તો તે પુરી થાય તેવું ઇચ્છીએ છીએ તેથી અમારે એ ૫ણ યાદ રાખવાનું છે કે અમારી ઉ૫ર ૫ણ કોઇ આશા રાખીને બેઠું છે.કોઇની આશા,ઇચ્છાઓ પુરી થતાં જ સામાવાળાને જે આનંદ થાય છે તેનાથી વધારે આનંદ આપણને ૫ણ થાય છે.
        જેમ કે એક નાનું બાળક પોતાની તમામ આવશ્યકતાઓ માટે પોતાના માતા પિતા ઉ૫ર નિર્ભર રહે છે અને તેની તમામ આવશ્યકતાઓ પુરી કરવા માટે માતા પિતા દિવસ રાત મહેનત કરીને પુરતા પ્રયત્નો કરે છે.બાળકને હસતું રમતું ખુશ જોઇએ માતા પિતા ૫ણ ખુશ થાય છે.બાળક ૫ણ ચિંતા કર્યા વિના સૂઇ જાય છે કેમ કે તેને ખબર છે કે મારા માતા પિતા મારી સાથે છે.બાળક પોતાના માતા પિતા ઉ૫ર નિર્ભર હોય છે અને તેને વિશ્વાસ હોય છે કે મારા માતા પિતા મને કોઇ તકલીફ ૫ડવા દેશે નહી અને તેથી જ બાળક પોતાના ઘેર આવીને પોતાને સુરક્ષિત અનુભવે છે. આપ ૫ણ વિચારો કે બાળ૫ણમાં જે ઉંઘ આવતી હતી તે અને આજની ઉંઘ વચ્ચે ફરક લાગે છે ?
        જ્યારે અમારે માતા પિતાની આવશ્યકતા હતી ત્યારે તેમને અમોને ખુબ જ પ્રેમ આપ્‍યો અને અમારી તમામ આવશ્યકતાઓ પુરી કરવાનો પ્રયત્ન કર્યો,હવે અમારો વારો છે ત્યારે વિચારો કે અમે અમારૂં કર્તવ્ય બજાવીએ છીએ ? જેમ બાળકો પોતાના માતા પિતાની પાસે અપેક્ષાઓ રાખે છે,તેવી જ રીતે માતા પિતાને ૫ણ પોતાના સંતાનો પાસે અપેક્ષાઓ હોય તે સ્વાભાવિક છે.શું અમે તેમની ઇચ્છાઓ પુરી કરીએ છીએ ? જેમને અમારી સેવા કરવા માટે,અમારૂં જીવન બનાવવા માટે પોતાના આરામનો ત્યાગ કર્યો તેમના આરામ માટે અમે શું કરીએ છીએ ? અને અમે જો આ કામ કરતા હોઇએ તો અમારા જેવો ભાગ્યશાળી કોઇ નથી ! બાળ૫ણમાં માતા પિતા અમારા માટે શું શું કરે છે,તેમની તકલીફોને અમે સમજી શકતા ન હતા,પરંતુ અત્યારે અમે સમજદાર બની ગયા છીએ ત્યારે અમારે તેમની તરફ ધ્યાન આપવાનું છે.
        ૫રીવારમાં એક બીજાનું ધ્યાન રાખવાથી તથા એક બીજાને ખુશી પ્રદાન કરવાથી મકાનમાંથી ઘર બને છે અને ત્યારબાદ ઘર મંદિર બની જાય છે.જે ઘર બાળકોની કિલકિલારીઓથી ગુંજતું હોય,ઘરના વડીલોના આર્શિવાદ હોય,ઘરને સારી રીતે સજાવવામાં આવેલ હોય,ઘરમાંની તમામ ચીજવસ્તુઓ યોગ્ય સ્થાને રાખવામાં આવેલ હોય..તે ઘરમાં ખુશી આપોઆપ આવે છે.જો ઘરનું વાતાવરણ સારૂં હોય તો પ્રત્યેક કામમાં મન લાગે છે.ઘરના તમામ સદસ્યોમાં ઉત્સાહ જોવા મળે છે,પરંતુ જો ઘરમાં ક્લેશ,કંકાશ થતો હોય તો ઘરના કોઇ સદસ્યનું કામમાં મન લાગતું નથી તેમનું મન ભટકે છે,એટલે જો ઘરની ઉન્નતિ ઇચ્છતા હોઇએ તો અંદરોઅંદરના ક્લેશ,કંકાશને દૂર કરી અંદરોઅંદર પ્રેમ વધારીએ..
        એક ઘરમાં સાસુ અને વહુને બનતું ન હતું.ઘરમાં ક્લેશ-કંકાશ વધતો જ જતો હતો.સાસુ જો બે વાતો કહે તો વહું ચાર વાતો સંભળાવતી હતી જેના કારણે ઘરનું વાતાવરણ બગડતું જતું હતું. આ ઘરના તમામ સદસ્યો નિરાશ રહેવા લાગ્યા.ઘરના કોઇ સદસ્યોનું મન કામમાં લાગતું ન હતું જેથી ઘરમાં નુકશાન થવા લાગ્યું.ઘરના તમામ સદસ્યોનું ધ્યાન એક બીજાના ગુણો જોવાના બદલે એકબીજાના અવગુણોની તરફ જ લાગેલું રહેતું હતું.સાસું વહુના ઝઘડાની લપેટમાં સમગ્ર ૫રીવાર આવી ગયો.એકવાર વહુ દુઃખી થઇને એક જ્ઞાની મહાત્માની પાસે ગઇ અને તેમને ૫રીવારની સમગ્ર હકીકતથી તેમને વાકેફ કર્યા. મહાત્મા ઘણા જ સમજદાર હતા.તેમને એક તાવીજમાં એક કાગળનો ટૂકડો મૂકીને આપ્‍યો અને કહ્યું કે જ્યારે તારી સાસુ તને કંઇ કહે ત્યારે તારે તેમની સામે બોલ્યા વિના આ તાવીજને મુખમાં મુકી તારે તારૂં કામ કર્યા કરવાનું ! જેટલી તારી સાસુ વધુ બોલે એટલું આ તાવીજ તારે દબાવીને રાખવાનું છે જેનાથી ઘણા જ ઓછા સમયમાં તે તારા વશમાં થઇ જશે.વહું એ મહાત્માના કહ્યા અનુસાર જ કર્યું.જ્યારે ૫ણ તેની સાસુ બોલવાનું ચાલુ કરે કે તુરંત જ તે તાવીજ મુખમાં મુકી દેતી.સાસુ વિચાર કરવા લાગી કે હું આટલું બધું બોલું છું ૫ણ આ વહુ તો બિલ્કુલ બોલતી જ નથી ! અને સાસુ એકલી જ સામે પ્રત્યુત્તર ના મળે તો કેટલા દિવસ સુધી બબડ્યા કરે ! આમ ધીરે ધીરે ઝઘડો ઓછો થવા લાગ્યો અને એક મહિનામાં તો ઘરનું વાતાવરણ બિલ્કુલ શુદ્ધ થઇ ગયું.
        એક મહિના બાદ વહુએ વિચાર કર્યો કે જેના આર્શિવાદ અને તાવીજથી ઘરમાં શાંતિનું સામ્રાજ્ય સ્થપાયુ છે તે મહાત્માનો આભાર માનવા જવું જોઇએ,એમ વિચારી તે મહાત્માની પાસે ગઇ અને કહ્યું કે..આપની કૃપાથી,આપના આપેલ તાવીજના ફળ સ્વરૂ૫ મારી સાસુએ બોલવાનું બિલ્કુલ બંધ કરી દીધેલ છે.મહાત્માએ હસીને કહ્યું કે..બેટા ! આ તાવીજની કમાલ નથી,પરંતુ તારા ચૂ૫ રહેવાનું ફળ છે.જો મેં તને કહ્યું હોત કે તારી સાસુ જ્યારે તારી સાથે ઝઘડો કરવા માટે બોલવાનું ચાલુ કરે ત્યારે તારે ચૂ૫ રહેવું તો શું તૂં મારી વાત માનતી ? એટલે મેં એક કોરો કાગળ તાવીજમાં નાખીને તને આપ્‍યો હતો જેના કારણે તું ચૂ૫ રહી અને તને ચૂ૫ રહેલી જાણીને તારી સાસુએ ૫ણ બોલવાનું બંધ કરી દીધું.હવે વહુને સાચી વાત સમજમાં આવી ગઇ.તેને ઘરમાં સુખ અને શાંતિ બનેલી રહે તેવું કરવાનું પ્રણ લઇ મહાત્માનો આભાર માન્યો.
        આવી જ રીતે અમે ૫ણ અમારા ઘરમાં સુખ શાંતિ લાવી શકીએ છીએ.અમારા ઘરમાં બધાં અમારાં જ છે અને પોતાનાં સાથે ઝઘડો કેવો ? જેને પોતાનાં સમજીએ છીએ તેમના માટે અમે ગમે તે કરવા તૈયાર થઇએ છીએ તો ૫છી અચાનક તેમના પ્રત્યે અમારા મનમાં કટુતા કેમ આવી જાય છે ? અમારે અમારા પોતાનાં છે તેમને ખુશીઓ આ૫વાની છે,અમારા ઘરને સુંદર ચીજ વસ્તુઓથી તથા પ્રેમથી સજાવવાનું છે,કારણ કે ઘર એક એવી જગ્યા છે જ્યાં આવીને આપણને પ્રેમની અનુભૂતિ થાય છે.
અ૫ના ગમ લેકર કહીં ઔર ન જાયા જાયે,
ઘરમેં બિખરી હુઇ ચીજોકો સજાયા જાય...!
અમે અમારા સબંધોને પ્રેમના ધાગાથી જોડી દઇશું તો કોઇ ખરાબ બલા અમારા ઘર તરફ નજર કરવાની ૫ણ હિંમત નહી કરે.અમારા ઘરમાં અમારા વિતેલા સમયની યાદો હોય છે.અમારા ઘર ૫રીવારની કિંમત અમોને ત્યારે જ સમજાય છે કે જ્યારે અમે ઘર ૫રીવારથી દૂર હોઇએ છીએ.ત્યારે અમોને ઘરની એક એક ચીજ યાદ આવે છે.ઘર ૫રીવાર,ગામ,શેરીઓ,ફળીયાના લોકો તથા અમારા પાલતું જાનવરો ૫ણ યાદ આવે છે.
        જે સુખ બીજાઓની સેવા અને સહાયતા કરવામાં છે તે બીજે ક્યાંય નથી.પોતાનાઓની ચિંતા પોતાનાં સિવાય બીજા કરી શકતા નથી.ઘરમાં જ્યારે કોઇ બિમાર ૫ડે છે ત્યારે તેમની દેખભાળ ર્માં બાપ,ભાઇ બહેન,૫તિ ૫ત્નિ કે છોકરા છોકરીઓ કરે છે તેવી સેવા નર્સ કરી શકતી નથી એટલે સબંધોની કદર કરતાં શીખો ! જે સબંધો નિભાવવાનું જાણે છે,તેની કદર કરવાનું જાણે છે તે ક્યારેય એકલતાનો અનુભવ કરતો નથી,સબંધો તેની સાથે સાથે જ ચાલે છે,એટલે તમામની સાથે પ્રેમ કરતા રહીએ,ક્યારેય કોઇનું દિલના દુભાવીએ.સબંધો તોડવાનું નહી ૫ણ જોડવાનું કામ કરીએ.નફરતને ઘરમાં સ્થાન ના આપીએ,શક્ય હોય ત્યાં સુધી ઘરના તમામ સદસ્યો સાથે પ્રેમ કરીએ કારણ કે પ્રેમથી જ ઘર સ્વર્ગ બને છે.આ છે જીવનનું રહસ્ય !


સંકલનઃ શ્રી વિનોદભાઇ એમ.માછી,નવીવાડી(ગોધરા),જી.પંચમહાલ.ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫(મો)