Monday 26 August 2013

સુવિચાર સંગ્રહ ભાગ-૨



Ø       જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે નાસીપાસ ના થતા, બસ એ વાત યાદ રાખજો કે દરેક રમતમાં હંમેશા પ્રેક્ષકો જ શોર મચાવતા હોય છે રમત વીરો નહિ.
Ø       દુખમાં માણસે એ વિચારી ને ખુશ થવું જોઈએ કે  સમય પણ વીતી જશે અને જો કોઈ વ્યક્તિ પોતાની સ્થિતિ, ધન અને ઉપલબ્ધિઓ પર બહુ અભિમાન કરતો હોય તો એને બહુ પ્રેમથી કહેવું કે ભાઈ શાંતિ રાખ..આ સમય પણ વીતી જશે
Ø       પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે.
Ø       દરેક દુખ કશુક શીખવી જાય છે,
દરેક પરિસ્થિતિ કશુક જણાવીને જાય છે,
એક પ્રેમ જ છે જે શીખ્યા વગર આવડી જાય છે,
બાકી તો દુનિયામાં સમય બધુજબતાવી જાય છે.
Ø       જેણે પૈસો ગુમાવ્યો તેણે કશુંજ નથી ગુમાવ્યું;
જેણે સં૫તિ ગુમાવી તેણે થોડું ઘણું ગુમાવ્યું પણ
જેણે ચારીત્ર ગુમાવ્યું તેણે જિંદગીમાંથી બધું જ ગુમાવી દીધું
Ø       જેને અહિંસા માટે પોતાનું આખું જીવન ઘસી નાખ્યું આજે હિંસાના સૌથી મોટા કારણ પર જ એનો ફોટો છે.-ભારતીય ચલણ (નોટો) પર ગાંધીજીનો ફોટો છે.
Ø       ક્યારેક હસતા મૂકી દે આ જિંદગી , ક્યારેક રડતા મૂકી દે આ જિંદગી ; ના પૂર્ણવિરામ સુખોમાં , ના પૂર્ણવિરામ દુઃખોમાં ; બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ મૂકી દે આ જિંદગી
Ø       દુ:ખ તો એક ભેટ છે, તેને ખુશીથી સ્વીકારતા શીખો.
Ø       એવું પણ કહેવાય કે ઘર બનાવવું અઘરું છે પણ તેને તોડવું તેટલું જ સહેલું છે.
Ø       તારા હાથમાં હાથ મિલાવીને ભરેલું એક પગલું મારા ભરેલા હજારો પગલાઓને ઓળંગી ગયું.
Ø       તમે જે સારું કાર્ય કરો છો તે ધર્મ છે. પણ તમે જેમાંથી સારું કાર્ય કરવાનું શીખો છો તે ધર્મગ્રંથ છે.
Ø       જીવનમાં દુખમાં રડવું નહિ અને સુખમાં હસવું નહિ .
Ø       દારૂ પીવામાં આજના લોકો શોખ માનવામાં આવે છે.ટીનેર્જસનો આવું મને છે. પણ આ શોખ ખોટો છે. આમાં દરેક ઘર માં તકરાર કલેહ -સંકા -કુસંકા થવા માંડે છે. આજનો જમાનો એટલો બધો આગળ જતો રહ્યો છે.કે તે લોકો ને એ પણ ખબર નથી હોતી કે હું પોતે કેવી ખાઈ માં ઘકેલાઈ રહ્યો છું.કોઈ પણ સમસ્યા નો હલ દારૂ નથી હોતો. તે એક કહાવત મુજબ અંદેર ના અંદર ધકેલાતો જતો હોય છે કે દારૂડિયો દારૂ ને નહિ ,, દારૂ દારૂડિયા ને પીવે છે. હું પોતે અનુભવી છું. મેં કદી મારું ખોળીંયુ અભડાવ્યું નથી. પણ હું પોતે બજાર ચોરે -ચબૂતરે જોતો રહ્યો છું આ એક બદી છે. જે સમાજ-કુટુંબ-કબીલા માં વધુ પડતી આ બદી વધી રહી છે અને તેને અટકાવવા માં અપને જ પહેલ કરવી પડશે આ વો મારી શાથે જોડવો.અને સમાજ માં આ બદી ને નીસ્નાનાબુદ કરવા માં મારી શાથે જોડવી જાવ.
Ø       વાણી સૌન્દર્ય ,વિચાર સૌન્દર્ય અને ગુણ સૌન્દર્ય સ્ત્રી ના જીવન ને નંદનવન બનાવે છે.
Ø       સુખ અને આનંદમાં ભેદ છે.
ધન દોલતથી જે મળે તે સુખ છે,
સંતોષથી જે મળે તે આનંદ છે,
સુખી વ્યક્તિ આનંદમાં ના હોય એવું બને પણ આનંદી વ્યક્તિ સુખી હોય છે.
Ø       જીંદગી માં આગળ વધવા માટે લગન અને મહેનત જોઈએ. અને મહેનત પાછળ પ્રેમ હોવાથી જ મહેનત સફળ થાય છે.
Ø       ખોટા શોખ ઘણીવાર શોકમાં ફેરવાઈ જાય છે.
Ø       હે પ્રભુ સંજોગો વિકટ હોય ત્યારે શ્રદ્ધા ડગું-માગું થઈ જાય નિરાશા ની ગર્તા માં મન ડૂબી જાય ત્યારે ધેર્ય અને શાંતિ થી કેમ માર્ગ કડવો તે મને શીખવાડો ..
Ø       નામ માટે કરવામાં આવેલું કામ મન માં અહંમ ઉત્પન કરે છે. .
માનવ ધર્મ સમજી કરેલું કામ મન માં શાંતિ ઉત્પન કરે છે.
Ø       ધર્મ વગર વિજ્ઞાન પાંગળું છે .,વિજ્ઞાન વગર નો ધર્મ આંધળો છે (આઈનસ્ટાઇન)
Ø       જ્યારે પણ ભગવાન પાસે કંઈ માગો તો દિમાગથી નહીં નસીબથી માગજો કારણ કે મેં દિમાગવાળાને નસીબવાળાને ત્યાં કામ કરતા જોયા છે.
Ø       આશા ના જે લોકો દાસ છે , તે સમગ્ર લોકોના દાસ છે.
પરંતુ આશા જેની દાસી છે, તેનું આખું જગત દાસ બની જાય છે.
Ø       જીવન માં ક્યારેય બધા પાસે થી એક સરખી અપેક્ષા ના રાખવી જોઈએ કેમ કે બધા એક સરખા હોતા નથી.
Ø       દુનિયા ના હજારો રંગ જોનાર ની દ્રષ્ટિ માં હોવા જરૂરી છે.
Ø       હસતા ચહેરે આપેલું પાણી આખા દિવસના ભોજન બરાબર છે.
Ø       એક કહેવત છે ગમો ની ફરિયાદ ના કરો દર્દ ની આઝ્માયીસ ના કરો, જે તમારું છે તે તમારી જ પાસે આવશે, તેને સમય પહેલા પામવાની ખ્વાહીશ ના કરો.
Ø       ધીરજ અને સહનશીલતા એ બે શક્તિઓ મળવાથી માણસ ડાહ્યો બને છે.
Ø       વિજય પ્રાપ્ત કરવા માટે અવિચલ શ્રદ્ધાની બહુ જ જરૂર છે.
Ø       વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે.
Ø       જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે:કઈ રીતે?”…..વિચારજો ….
Ø       આપણો પુરૂષાર્થ જ આપણા ફળની પૂર્વ ભૂમિકા છે.
Ø       પ્રેમ કરી શકાતો નથી,માત્ર અનુભવી શકાય છે.
Ø       વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે.
Ø       જો આપણાથી કોઈ ભૂલ થઇ જાય અને આપણું મન પસ્તાવાથી ઉભરાય,તો એ પસ્તાવામાંથી આપણે એક શીખ મળે છે.જો એ શીખ આપણા દ્વારા અનુસરાય,તો આપણાથી એ ભૂલનું કદી પુનરાવર્તન ના થાય.
Ø       જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માનસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી
Ø       તમને જીવનમાં જેટલા પણ લોકો મળે એમની સાથે પ્રેમ થી વર્તો.કારણકે .. .. !! જયારે કોઈ તમને પૂછે કે શું તમે પ્રેમ મા છો? ત્યારે તમે ગર્વ થી કહી શકો કે હું પ્રેમમાં નથી પણ પ્રેમ મારામાં છે.
Ø       આપણા વિચારો જ આપણને જાગૃત રાખે છે.
Ø       સંબંધો માં સ્વાર્થ ની કડવાશ સંબંધો ની મીઠાશ ખતમ કરે છે.
Ø       ધીરજથી લોખંડ જેવા નક્કર દુ:ખોને પણ સોના જેવા સુખોમાં ફેરવી શકાય છે.
Ø       મુશ્કેલીનો સામનો કરવો તેનું નામ જિંદગી.
Ø       દિવેલ પૂરેલો દીવો ઓરડાને જ અજવાળે છે, શાણાનું શાણપણ અને જ્ઞાનીનો જ્ઞાનદીપ સવઁત્ર પ્રકાશ પ્રગટાવે છે…………
Ø       પરમાત્મા બનવું હોય તો ધર્માત્મા બનવું પડે.
Ø       ગુરુ-આજ્ઞા ત્યાં અપીલ નહિ અને સમર્પણ ત્યાં સવાલ નહિ.
Ø       સ્વજન એટલે સ્વર્ગવાસ પછી પણ જતન કરનારો જન.
Ø       શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાયતે મોત !!! અને ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહે તે મોક્ષ !!!
Ø       પિતાજીની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો વસી શકે.પુત્રોના પાંચ મહેલોમાં પિતા કદી સમાય કે ?
Ø       બા,પહેલાં આંસુ આવતાં ને તું યાદ આવતી, આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે.
Ø       સંસારની બે કરુણતા છેઃ મા વિનાનું ઘર અને ઘર વિનાની મા.
Ø       જે દિવસે મા બાપ તમારી પાસે રડે છે, તે દિવસે તેમના આંસુમાં તમારો કરેલો ધર્મ અને પૂણ્ય ધોવાઈ જાય છે.
Ø       જે દીકરાના જન્મ સમયે મા બાપે પેંડા વહેંચ્યા, જ દીકરાએ મોટા થઈ મા બાપને વહેંચ્યા.આ  કેવી કરુણતા !
Ø       ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ.
Ø       અભિમાનના આઠ પ્રકાર છેઃ સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન,       ૪. રૂપનું અભિમાન (૫) કૂળનું અભિમાન, વિદ્વતાનું અભિમાન, કર્તવ્યનું અભિમાન. પણ મને અભિમાન નથીએવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી.
Ø       જીવનના સાત પગલા
(1)
જન્મ - એક અણમોલ સોગાદ છે,જે ભગવાનની ભેટ છે.
(2)
બચપન - મમતાનો દરિયો છે,પ્રેમથી ભરિયો છે,જે ડૂબી શક્યો તે તરિયો છે.
(3)
તરુણાવસ્થા-કંઇ વિચારો,કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે,લૂટવાની તમન્ના છે.
(4)
યુવાવસ્થા - બંધ આંખોનું સાહસ છે,જોશ છે,ઝનૂન છે,ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની ની
આશાઓ છે,લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
      (5)
પ્રૌઢાવસ્થા- ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે,કુટુંબ માટે કુરબાન
થવાની જીજીવિશા છે.
      (6)
ઘડપણ- વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે,જેવું વાવ્યું હતું તેવું
લણવાનો સમય છે.
      (7)
મરણ- જીન્દગીની કિતાબ ખૂલશે,નાડીએ-નાડીએ કર્મ તૂટશે,પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે,કર્મ-ધર્મનો
હિશાબ થશે,સ્વર્ગ-નર્કનો માર્ગ થશે,પોતાનાનો પ્યાર છૂટશે.સાત પગલા પૂરા થશે…..
Ø       કામ એ જીવન છે; કામ ટાળવાની બધી પ્રક્રિયા જીવનને કરમાવી નાખે છે.
જ્યાં જીવન કરમાય ત્યાં અંતરાત્મા કેવી રીતે ખીલી  ઉઠે ?
Ø       બધું કામ પોતે કરે એવો આગ્રહ રાખનાર અવ્યવસ્થા અને માનસિક યાતનાને નોતરે છે.
આવી વ્યક્તિ ચોવીસ કલાકના સવા ચોવીસ કલાક કરી શક્તી નથી અને બીજાને સોંપી શક્તી નથી.
Ø       આપણા વિશે થોડો ઓછો ઊંચો અભિપ્રાય રાખવો.
આપણા સિવાય દુનિયા આગળ ચાલી શકે છે એ વિશે જરાયે ભ્રમ ન રાખવો.
Ø       સરમુખત્યારશાહી કરતાં લોકશાહીમાં આગેવાનોને ભૂલનો ડર વધુ રહેતો હોય છે.
પણ જો ભૂલના ડરથી હાથ ભાંગી જાય તો લોકશાહી અળખામણી થઈ જાય.
Ø       જે ભૂલો કરે છે એ જ કામ કરે છે. મડદાં કદી કશી ભૂલ કરતાં નથી.
કામ નહીં કરવાથી જેટલું નુકશાન થાય છે એટલું ભૂલથી કદી થતું નથી.
Ø       એક નિયમ એવો જોઈએ કે જે કામ કરવા માટે આપણને વેતન મળે છે, એને સૌથી પહેલું કરવું જોઈએ.ફાજલ સમયમાં બિનધંધાદારી કામ કરીએ ત્યારે એવો નિયમ કરી શકાય કે
જે ન કરવાથી બીજાને નુકશાન થાય એ કામ સૌથી પહેલું કરવું જોઈએ.
Ø       કામ વિશે એક વિચારવા જેવી વાત એ છે કે જ્યારે આપણે બધા લોકો માટે ભલા થવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે કોઈનું ભલું કરી શક્તા નથી.
Ø       આપણે આપણી બધી જ શક્તિ એક ચોક્કસ મર્યાદિત કામમાં જ કેન્દ્રિત કરવી જોઈએ.
કામ માત્ર સમયસર થાય એટલું જ પૂરતું નથી, કામ સારું ન થાય તોપણ કામ ટાળ્યા જેટલો જ થાક ચડે છે.
Ø       સમય અને શરીરની મર્યાદા સમજ્યા વિના આપણે જ્યારે અનેક કામ હાથમાં લઈએ છીએ
ત્યારે જિંદગી વંટોળિયાના પાંદડાં જેવી થઈ જાય છે.
Ø       જ્યાં કામ ફેંકે ત્યાં આપણે પડીએ છીએ.જે કામને નથી નાથી શક્તો તે નથી કોઈ કામ કરી શક્તો કે નથી સારી રીતે જીવી શક્તો.
Ø       ઉપકારીઓ  પ્રત્યે કૃત્ન્ભાવ ટકાવી રાખવો  હોય તો બુદ્ધિના આધિપત્ય ને તોડવું જ રહ્યું .
Ø       વિચારોનું ઘર્ષણ  એટલી  હદે આગળ ના વધી જાય કે લાગણી ના સંબધો ને એ છિન્ન ભિન્ન કરી નાખે.
Ø       સુખ  ના પ્રવાહ હોય કે દુખ ના હો ઉભરા શોભે છે જયારે એની રજૂઆત કામ રહે.
Ø       બુદ્ધિ જે ગુણો બીજાની અંદર માંગે છે ,હૃદય  એ જ ગુણો પોતાની અંદર માંગે છે.
Ø       બુદ્ધિ નો એક જ આગ્રહ અને એક જ માંગ સામા એ જ સારા બનવું જોયએ,સામા એ જ સારા રેહવું  જોયએસામા એ જ સારું કરવું   જોયએ,
Ø       કિનારે જામેલા કચરા ને નદીનું પુર એક જ ધડાકે સાફ કરી નાખે છે તેમ હૃદય માં ઉમટેલા લાગણી ના પૂરે દિલ માં જામેલા બુદ્ધિ ના કચરા ને પણ સાફ કરી નાખે છે.
Ø       યુવાની ના છોડ પર અનુભવ ના ફૂલ વહેલા આવતા નથી અને જયારે આવે છે ત્યારે સરજાઇ ચૂકેલ ભૂલ માંથી પાછા ફરવું યુવાન માટે મુશ્કેલ  હોય છે.
Ø       જયારે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ ની અવસ્થામાં હોય અને પ્રતિપળ બદલાઈ રહી હોય ત્યારે એ અંગે નો ચોક્કસ અભિપ્રાય આપવાથી દુર રેહવું જોયએ.
Ø       અંતકરણ માં સમજણ ઉગ્યા પછીએ મનમાં સમાધાન ના પ્રગટે તો સમજવું કે એ સમજણ નથી માત્ર ભ્રમણા હતી.
Ø       દરેક વ્યક્તિએ બાલદીમાં ના છિદ્ર જેવું ના બનવું પરંતુ જમીન ના છિદ્ર જેવું બનવું કે જે કોઈ પણ દોષ ને પી જાય ,પચાવી જાય અને પોતના માં સમાવી લે છે.
Ø       પરમ સત્ય નું અસ્તિત્વ હૃદય માં છે. જે વિચાર હૃદય થી રહિત વહે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઇ જવું જોયએ.
Ø       તર્ક નું સત્ય નહિ પણ આત્મા ના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે.
Ø       સત્યોનો સૌથી શક્તિશાળી મિત્ર છે  સમય .
Ø       સત્યનો સૌથી શક્તિશાળી દુશ્મન છે પૂર્વગ્રહ.
Ø       સત્ય એ રીતે બોલવું જોયએ કે તે અપ્રિય ના લાગે.
Ø       દરેક માનસ અજ્ઞાની છે, પણ દરેક નું અજ્ઞાન જુદી જુદી જાતનું હોય છે.
Ø       આપને જેમ વધુ જાણતા જઈએ છીએ તેમ તેમ આપણ ને આપણાં અજ્ઞાન નું વધુ ને વધુ જ્ઞાન થતું જાય છે.
Ø       જો તમે બીજાની ભૂલો માફ કરશો તોજ  ઈશ્વર તમારી ભૂલો માફ કરશે.
Ø       મળેલા ધન થી જે સંતુષ્ટ છે તેને માટે સ્વર્ગ અહીં જ છે.
Ø       આપણે જન્મ લઈએ ત્યાર થી મૃત્યુ પોતાનો હક નોધાવી દે છે.
Ø       જિંદગી એટલે મુલતવી રહેલું મૃત્યુ.
Ø       હત્યા ના કરો...ચોરી ના કરો...વ્યભિચાર ના કરો...અસત્ય ના બોલો...નિંદા ના કરો...           કર્કશ વાણી ના બોલો...વ્યર્થ વાતો ના કરો...બીજાની સંપત્તિ પર નજર ના રાખો...          તિરસ્કાર ના કરો...ન્યાયપૂવર્ક  વિચારો.
Ø       જેમના હ્રદય પવિત્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેમને જ ભગવાન નું જ્ઞાન સમજાય છે.
Ø       જે રીતે ઉગતો સુરજ રાત્રીના અંધકારનો નાશ કરે છે, તે જ રીતે આત્માનું જ્ઞાન ભ્રમ માત્ર ને હટાવી દે છે.
Ø       માનવ જ્ન્મ ધન્ય છે. સ્વર્ગવાસીઓ  પણ તેની ઈચ્છા કરે છે. કારણ કે માનવજન્મ ધ્વારા જ વાસ્તવિક જ્ઞાન અને વિશુદ્ધ પ્રેમ ની પ્રાપ્તિ થઇ શકે છે.
Ø       સર્વવ્યાપી પરમાત્મા ન તો કોઈ નું પાપ લે છે, ન તો કોઈ નું પુણ્ય . માયા થી જ્ઞાન ઢંકાયેલું છે. તેથી બધા જીવો મોહ પામે છે.
Ø       પરમ સત્ય નું અસ્તિત્વ હૃદય માં છે. જે વિચાર હૃદય થી રહિત વહે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઇ જવું જોયએ.
Ø       તર્ક નું સત્ય નહિ પણ આત્મા ના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે.
Ø       સત્યોનો સૌથી શક્તિશાળી મિત્ર છે  સમય .
Ø       સત્યનો સૌથી શક્તિશાળી દુશ્મન છે પૂર્વગ્રહ.
Ø       સત્ય એ રીતે બોલવું જોયએ કે તે અપ્રિય ના લાગે.
Ø       દરેક માનસ અજ્ઞાની છે, પણ દરેક નું અજ્ઞાન જુદી જુદી જાતનું હોય છે.
Ø       આપને જેમ વધુ જાણતા જઈએ છીએ તેમ તેમ આપણ ને આપણાં અજ્ઞાન નું વધુ ને વધુ જ્ઞાન થતું જાય છે.
Ø       જો તમે બીજાની ભૂલો માફ કરશો તોજ  ઈશ્વર તમારી ભૂલો માફ કરશે.
Ø       મળેલા ધન થી જે સંતુષ્ટ છે તેને માટે સ્વર્ગ અહીં જ છે.
Ø       આપણે જન્મ લઈએ ત્યાર થી મૃત્યુ પોતાનો હક નોધાવી દે છે.
Ø       જિંદગી એટલે મુલતવી રહેલું મૃત્યુ.
Ø       કદાચ તું બધા પાપીઓ કરતાં પણ વધુ પાપ  કરવાવાળો  હો, તો પણ જ્ઞાનની નૌકા ધ્વારા તું સમસ્ત પાપો ને તરી જઈશ.
Ø       શ્રધાવાન અને જિતેન્દ્રિય હોય તે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે,અને જ્ઞાન મેળવતાં જ પરમ શાંતિનો અનુભવ કરે છે.
Ø       સંસયયુક્ત ને માટે તો નથી આ સંસાર,નથી પરલોક, કે નથી સુખ.
Ø       પણ જેનું અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામ્યું છે,તેનું જ્ઞાન સૂર્ય ની માફક પરમાત્માને પ્રકાશિત કરે છે.
Ø       સ્ત્રી-પુત્ર-ઘર,ધન વગેરે માં આસક્તિ નો અભાવ તથા મમતાનું ન હોવું, તેમજ પ્રિય-અપ્રિયની પ્રાપ્તિમાં ચિત્તનું સદાય સ્થિર રેહવું.એ બધું તો જ્ઞાન કેહવાય છે.
Ø       નારીની સાત વિભૂતિ શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ નારીની સાત વિભૂતિ કહી છે.શ્રી..વાણી..કીર્તિ..સ્મૃતિ..મેઘા..કૃતિ..ક્ષમા..
Ø       અગાઉ બધુ જ કહેવાયુ ગયું હોયુ છે છતાય તે તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહિ હોવાથી જ આપને ફરી ફરી ને તે કહેવું પડે છે.
Ø       પહેલા તો આપણે શું મેળવવું છે , આપણું ધ્યેય શું છે, તે શોધી કાઢવું જોયએ અને પછી ત્યાં જલ્દી કઈ રીતે પહોચી શકાય એ માટે નો રસ્તો શોધી કાઢવો જોઈએ.
Ø       ક્યાં જવું છે એ નક્કી કર્યા વગર તો ઘાણી નો બળદ જ ચાલે છે.
Ø       દુનિયા માં એવી એક પણ વ્યક્તિ નહિ હોય જેની પાસે નસીબદાર બનવાની તક ના આવી હોય, પરંતુ નસીબ જયારે જુએ છે ત્યારે વ્યક્તિ એનું સ્વાગત કરવા માટે તૈયાર નથી ત્યારે એ પાછુ ફરી જાય છે.
Ø       તમે માત્ર નસીબને શોધતા હશો તો તક ને ઓળખવી મૂશ્કેલ છે.
Ø       અંતરનું કોઈ મહત્વ નથી હોતુ પ્રથમ પગલું ભરવુ એ જ મૂશ્કેલ હોય છે.
Ø       આપણે કહીએ છીએ સમય ચલ્યો ગયો પરંતુ સમય તો રહે છે , આપણે જતા રહયે છીએ.
Ø       દરેક કામ માં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.
Ø       અદુરું કામ અને હારેલો દુશ્મન આ બંને બુઝાયા વગરની આગની ચીન્ગારીયો જેવા છે, મોકો મળતા જ એ આગળ વધશે , અને બેદરકાર માણસ ને દબાવી દેશે.
Ø       લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા એ આશ્ચર્ય ની વાત છે.
Ø       બુધ્ધિશાળી પોતાની બુધ્ધિ થી પૈસાદાર બની શકે છે, પૈસાદાર પૈસાથી બુધ્ધિશાળી બની શકતો નથી.
Ø       પંખીઓ એમના પગથી જાળમાં સપડાય છે જયારે માણસો વિચારોથી સપડાય છે.
Ø       જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે ,પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.
Ø       વ્યક્તિની પોતાની હિંમતના પ્રમાણમાં જ તેનો વિકાસ થાય છે.
Ø       કાટ ખાઈને મરવું તેના કરતાં ઘસાઈને મરવું સારૂ.
Ø       આપણા આત્માની પ્રગતિ એ આપણી પ્રગતિનો આત્મા છે.
Ø       જેણે મન જીત્યું છે તેણે જગતને જીત્યું છે.
Ø       જયારે આપણે કોઈ કામ કરવાની ઈચ્છા રાખીએ છીએ ત્યારે શક્તિ એની મેળે જ આવી જાય છે.
Ø       પોતાનામાં એટલે કે પોતાની શક્તિમાં શ્રદ્ધા એનું નામ જ ટેલેન્ટ..
Ø       સફળતાની કોઈપણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો ત્યાં સુધી હાથમાં આવતી નથી.
Ø       બે ધર્મો વચ્ચે ક્યારેય ઝગડો થતો નથી , જે ઝગડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
Ø       ઈમાનનો દુશ્મન અસત્ય છે. બુદ્ધિનો દુશ્મન ક્રોધ છે. ઇજ્જતનો દુશ્મન ભીખ છે. દોલતનો દુશ્મન બેઈમાની છે.
Ø       સાંસારિક વાસના જાગે કે પાપ શરૂ થાય છે. ઇચ્છાઓ એક સંતોષાય તો બીજી જાગૃત થાય. સદ્માર્ગે વાળે તે શુભેચ્છા.પરમાત્માની આજ્ઞાથી ચાલનારને પ્રકૃતિ અને પંચતત્વ પણ સાથ આપે છે. સુખ-સમૃદ્ધિ પ્રારબ્ધમાં હોય તેટલી જ મળે છે. જે ધન અને સાંસારિક વાસનાને યાદ કરે છે તેનું મન બગડે છે. કોઇની પણ બધી ઇચ્છાઓ પૂર્ણ થતી નથી.
Ø       પરમાત્માની જેના પર કૃપા વરસે છે, તેમને જ જીવનની સફળતા મળે છે. માનવીનાં વાણી અને મન સંસારની ચીજવસ્તુઓની પ્રશંસા કરવાથી બગડે છે. તે જ વાણી અને મન ઇશ્વરની વાતો કરે તો જ સુધરે છે. પરમાત્માની પ્રાપ્તિ સૌ મેળવી શકે છે. પરમાત્માને સર્વરૂપ માનનાર પ્રભુમાં સૌને જોનાર-અનુભવ કરનાર વૈષ્ણવો દુર્લભ છે.
Ø       જે ખીલે છે તે કરમાય છે, ઉન્નતિ સાથે જ અવનતિ પણ હોય છે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ પણ છે જ. સંસારનાં પ્રત્યેક સુખમાં દુ:ખ સમાયેલું છે. પરમાત્મા સિવાય સંસારમાં સુખ-શાંતિ નામની કોઇ પણ વસ્તુ છે જ નહીં, જેથી જ્ઞાનીભક્તો સંસારને તુચ્છ સમજે છે. સંસારની કોઇ વસ્તુ ભોગવવા લાયક નથી જ કારણ કે તેના દરેક ભોગમાં રોગ રહેલો છે. પરમાત્માનો સંયોગ પ્રાપ્ત થયા બાદ ક્યારેય વિયોગ થતો નથી. શ્રીકૃષ્ણનું ચિંતન કરવાથી જીવન આનંદરૂપ બની જાય છે.
Ø       લગ્ન સંસ્થા એક મર્યાદા છે. જેના કારણે એકબીજાને એકમાં મન સ્થિર થાય છે. બ્રાહ્નણ અને અગ્નિની ઉપસ્થિતિમાં લગ્ન થાય છે. પતિ-પત્નીને એકબીજામાં મન સ્થિર કરવા માટે જ લગ્ન છે. જેનું મન માત્ર ને માત્ર પોતાની પત્નીમાં જ સ્થિર છે તે ગૃહસ્થ સાધુ છે. જગતનાં તમામ સ્ત્રી-પુરુષોમાં લક્ષ્મીનારાયણની ભાવના રાખવી જોઇએ. આંખ અને મનની પવિત્રતા જાળવવા માટે લગ્ન છે.
Ø       જીવ અને ઇશ્વરની મિત્રતા જ સાચી હોય છે. જીવ જમીન ખેડે છે, ઇશ્વર વરસાદ વરસાવે છે. માનવી બી વાવે છે, અંકુર ઇશ્વર પેદા કરે છે. માનવી ઊંઘી જાય છે ઇશ્વર સ્વયં જાગીને તેનું રક્ષણ કરે છે.
Ø       જઠારાગિ્નની આહુતિ ભોજન છે. ઇશ્વરસ્મરણ સહિતનું ભોજન ભજન સમાન છે. જીભના ચટાકા માટે જે ભોજન કરે છે તે પાપ કરે છે. ભોજન અને ભજનમાં સમદ્રષ્ટિ રાખવાથી આજીવન દિવ્ય બને છે, ધન્ય બને છે. પેટની જરૂરિયાત સંતોષવી જોઇએ, જીભની નહીં.અન્ન બ્રહ્ન છેતેની નિંદા કરવી નહીં. ભગવાનને થાળ કર્યા પછી ભોજનમાં ફેરફાર ન કરો. અન્નને પ્રસાદી સમજી ગ્રહણ કરો. ઇશ્વર સ્મરણ સાથે ભોજન કરવાથી યજ્ઞનું ફળ મળે છે.
Ø       કંચન, કામિની અને કલદારનો ત્યાગ કરી સાધુ, સાધના, સત્સંગ કરીને સિદ્ધિ-શક્તિ મેળવો. આ સિદ્ધિ-શક્તિ જગત સમક્ષ રજૂ કરવાથી તે પ્રસિદ્ધિમાં ફેરવાય છે. કીર્તિની વાસના છોડવી જ્ઞાની માટે કિઠન છે. ગૃહસ્થને માયા કામસુખમાં અને સાધુને માયા કીર્તિમાં ફસાવી રાખે છે. જેને સંસારમાં માન મળે છે, તે મીઠું લાગે છે પરંતુ તેનું પતન થાય છે. માન-અપમાનમાં જેનું મન શાંત-સ્થિર રહે છે, તે જ ભક્તિ કરી શકે છે.

Ø       ઈચ્છા, આશા, અપેક્ષા, મનોરથ, કોડ, મહત્વકાંક્ષા આ બધાં પુરુષાર્થ વિના જીવનકોશના નહીં પણ

Ø       જોડણીકોશના નિર્જીવ અને અર્થહીન શબ્દો છે.

Ø       કાગળ તો સૌ પાસે પહેલી વાર કોરો જ આવે છે, પણ માણસ એમાં રાગદ્વેષના હાંસિયા દોરતો હોય છે.

Ø       જે માણસ હાંસિયા નથી દોરતો એ કદીય હાંસીપાત્ર નથી થતો.

Ø       બગાસું એ કંટાળાનું જાહેરનામું છે.

Ø       બિચારો પુરુષ, સંયુક્ત કુટુંબ હોય અને એ પત્નીનો પક્ષ લે તો એ ઘાઘરાઘેલો ગણાય અને માબાપનો પક્ષ લે તો માવડિયો ગણાય.

Ø       પૈસાની જરૂરિયાત જીવનમાં છે જ; પણ એટલી હદે નહીં કે આખું જીવન બિનજરૂરી થઈ જાય.

Ø       ઘરમાં રહેવાનો કંટાળો આવે અને બહાર જવાનો થાક લાગે એને વૃધ્ધાવસ્થા કહેવાય.

Ø       સુખ એ ચુંબન જેવું છે. જ્યારે કોઈને આપો છો ત્યારે જ એની પરાકાષ્ઠા અનુભવો છો.

Ø       મહોલ્લાના મવાલીની જેમ લડતાં કે શેરીના કૂતરાની જેમ ભસતાં દંપતીઓને બાળક પર આની શી અસર થશે એનો કેમ વિચાર નહીં આવતો હોય ?

Ø       જેને કશું જોઈતું જ ન હોય એને તમે છેતરી કેમ શકો ?

Ø       મનુષ્યનો અને આયુષ્યનો શબ્દમાં જેટલો પ્રાસ મળે છે એટલો જીવનમાં મળતો નથી

Ø       प्रेम प्रसाद से प्रगट होता है और प्रमाद से विलीन हो जाता है ।
    Love appears through prasad (kripa) and it disappears due to laziness... (Morari Bapu)
Ø       વિપત્તિ એ સાચી વિપત્તિ નથી ને સંપત્તિ એ સાચી સંપત્તિ નથી,હરિનું વિસ્મરણ એ સાચી વિપત્તિ છે
ને હરિનું સ્મરણ એ સાચી સંપત્તિ છે.- કુંતામા
Ø       જેને હૈયે સદાય હરિસ્મરણ હોય, તેને વિપત્તિઓ સદાય વિસ્મરાયેલી હોય છે.
Ø       કહે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોઈ !
Ø       જુઠુ બોલનારને અસત્ય પકડાઈ જવાની ચિંતા સતત રહે છે. (ફાધર વાલેસ)
Ø       જો ચિંતા જ કરવી હોય તો ચારિત્ર્ય અને ઉન્નતિની કરો.   (ભાસ)
Ø       સમપૂર્ણ શાંતિની પ્રાપ્તિ માટે, સાંસારિક ઈચ્છાઓથી છૂટકારો મેળવવો પડે છે (સ્વામી રામતિર્થ)
Ø       જેને સર્વોત્તમ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે ઘણુ બધુ  હાથ મા આવેલુ પણ છોડ્વુ પડશે. (હેવર)
Ø       કુદરતને સમજવા માટે તેના ન સમજાય તેવા ઇશારાઓને સમજો.
Ø       માણસ દુઃખી છે, કારણ કે તે એવી વસ્તુઓની કામનાથી ભરપૂર છે, જે ટકી શકતી નથી.
Ø       આપણે કયારેય એટલા સુખી નથી હોતા અને કયારેય એટલા દુ:ખી નથી હોતા, જેટલા આપણે સમજતાં હોઇએ છીએ.
Ø       માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને તપાસવી પડે છે.
Ø       તમારા સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી. બનાવ સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો અનુભવ છે.
Ø       માણસ કેવો ગજબનો છેએને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે પણ પોતાના અભિમાનનું જ્ઞાન હોતું નથી!
Ø       મુશ્કેલીમાંથી ઉગરવાનો સર્વોત્તમ માર્ગ એમાંથી પસાર થવું એ છે.
Ø       દુઃખી સુખની ઇચ્છા કરે છે, સુખી વધુ સુખની ઇચ્છા રાખે છે. વાસ્તવમાં દુઃખ પ્રતિ ઉપદેશભાવ રાખવો તે જ સુખ છે.
Ø       જેઓ વધારેમાં વધારે ફરિયાદ કરે છે, એમના વિશે સૌથી વધારે ફરિયાદો હોય છે.
Ø       આપણે જો એક - બીજાનાં જીવનને ઓછું મુશ્કેલ ન બનાવવું હોય તો પછી આપણે કોના માટે જીવીએ છીએ ?
Ø       પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે અને અપ્રસન્નતા જ રોગ છે. સાજા રહેવું હોય તો મજામાં રહેતા શીખો.
Ø       જે આપણને ચાહે છે તેનો પ્રેમ મેળવવો એ કોઈ મોટી વાત નથી. પરંતુ જે આપણને ચાહતા નથી તેનો પ્રેમ પ્રાપ્ત કરવો એમાં જ ખરી મોટાઈ છે.
Ø       તમારે શાંતિ, સુખ અને આનંદ જોઈએ છેતો ક્યાંય જવાની જરૂર નથી ફક્ત તમે તમારી જાતને નિહાળોતમે જે શોધો છો એ તમારી અંદર જ છે.
Ø       આપણે જેમ જેમ જીવનમાં પ્રગતિ કરીએ છીએ તેમ તેમ આપણને આપણી યોગ્યતાની મર્યાદાનો ખ્યાલ આવે છે.
Ø       પ્રેમ અને લાગણીની શોધમાં આખું જગત ખુંદી વળીશું તોપણ એ આપણને નહીં મળેજો આપણી પોતાની અંદર એ નહીં હોય તો!
Ø       જો તમારું હૈયું જ્વાળામુખી હોય તો તમે તમારા હાથમાં પુષ્પો પાંગરે એવી અપેક્ષા ક્યાંથી રાખી શકો?
Ø       જે વ્યક્તિ ક્યારેય કોઈ જોખમમાંથી પસાર થઈ ન હોય એ પોતે સાહસિક હોવાનો દાવો કરી શકે નહીં.
Ø       જો તમે કોઇ ઈચ્છા સેવતા હો પણ તમે તે પૂર્ણ કરી શકો તેમ ન હો તો તમે એવી ઇચ્છા સેવો જે તમે પૂર્ણ કરી શકો તેમ હો.
Ø       આદતોને જો રોકવામાં ન આવે તો તે બહુ ઝડપથી ટેવ બની જાય છે.
Ø       વાંકી વળી ગયેલી સોટીને સીધી કરવા માટે આપણે તેને ઊલટી દિશામાં વાળવી પડે છે.
Ø       કોઈ પણ માણસ જ્યાં સુધી સારા થવાનો પ્રયાસ ન કરે ત્યાં સુધી પોતે કેટલો ખરાબ છે તે જાણી શકતો નથી.
Ø       જે માણસ પોતાની જિંદગીને અને અન્યની જિંદગીને અર્થહીન સમજે છે એ માત્ર દુર્ભાગી નથી પણ જીવવા માટે તદ્દન ગેરલાયક છે.
Ø       સુખ પ્રાપ્ત કરવાની તક સાંપડી ન હોય એવા લોકો બહુ ઓછા હશે અને આ તક જેમણે ઝડપી લીધી હોય તેવા તો એનાથીય ઓછા
Ø       જે અન્યને જાણે છે તે શિક્ષિત છે પરંતુ જે પોતાને ઓળખે છે તે બુદ્ધિશાળી છે
Ø       પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.
Ø       પરમાત્માના અસ્તિત્વનો નિશ્ચય આપણા જ્ઞાન રૂપી ચક્ષુથી કરવો જોઈએ, નહીં કે આપણી ચામડાની આંખો વડે. આંખોનું પ્રયોજન તો રૂપ અને રંગની દુનિયા જોવા માટે છે, એ આંખો રૂપ અને રંગ બનાવનારને નથી જોઈ શકતી.
Ø       પરમાત્માની શક્તિ અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.
Ø       પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણપ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો, એ જોઈને દિલ રડી પડયું………
Ø       શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને  વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.
માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર..બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..
Ø       દરિયો ભલે ને માને કે પાણી અપાર છે, એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
Ø       ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ .
Ø       માનસિક દરિદ્રતાને પરિણામે આપણાં સપનાં નાનાં હોય છે અને તેના થકી નવસર્જન શક્ય નથી માટે આપણાં સપનાં દિવ્ય અને ભવ્ય હોવાં જોઇએ.
Ø       જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે. ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે! માટે જ, સતત ગતિશીલ રહો! ઇતિહાસ નિર્જીવ નથી હોતો. ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં કાળાં અક્ષરો નથી હોતાં. ઇતિહાસનો પ્રત્યેક પળ ચેતના ધરાવતો હોય છે. ચૈતન્યમય હોય છે. જે નવી ચેતના પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે.
Ø       મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે
Ø       એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે  હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!
Ø       જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતાં કિતાબના કોરા પાના સારા કર્મોથી લખાય તેની ચિંતા કરો
Ø       કુદરત એટલે ન જોયેલું, ન સમજેલું, ન અનુભવેલુ એક વિજ્ઞાન.સમગ્ર બ્રહ્માંડમાં વિસ્તરાયેલુ એક અગાઢ વિજ્ઞાન. એવું એક અગાઢ વિજ્ઞાન,કે જેમાં, કામ-ક્રોધ-મોહ-લોભ-મદ અને મત્સર નથી,
માત્ર સૌંદર્ય અને વિકાસની ભાવના ભરપુર છે તેનુ નામ કુદરત.કુદરતનો એકજ ધર્મ છે, સમગ્ર જીવ શ્રુષ્ટીનો વિકાસ.ઇશ્વર માટેની આપણી બધીજ માન્યતાઓનો જેમાં પડઘો અનુભવી શકીએ તેનુ નામ કુદરત.
Ø       ઘડિયાળના કાંટા પ્રમાણે ભાગતું જીવન જીવશો તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય ના થાય
Ø       સિંધુ જેટલા સિદ્ધાંતો કરતા બિંદુ જેટલું આચરણ શ્રેષ્ઠ છે
Ø       રંગો નિ રંગાઈમાં પ્રભુ તારી આ કાળમાં ,
સુખ -દુઃખ ના તરંગોમાં ને મૃગજળ ના આ મહેલોમાં ,
કલ્પના ને તેં છેડે ને જીવન ના આ સંબંધો માં ,
સુખ સુખ નિ આશા સેંવી , દુઃખ ના તેં કાળા વાદળોમાં ,
દર્શન ના તારા એ દિવ્ય અનુભવમાં , ને વિરહ નિ તારી યાદમાં ,
પ્રભુ ! જીવનના છેડે આવી ન સમજ્યો હજી માયા ને ,
ક્ષણ બે ક્ષણ માં બસ પ્રભુ મિલન નિ આ પાડો માં ,
વિસર્જિત કરી પોતાને હું સમાવવા તારી દિવ્યતા માં ,
શરીર છોડી આ સંસાર માં , આવવું પ્રભુ તુજ ધામ મારે ,
વિલીન થયો હું સંસારથી ને પ્રભુ ચરણ માં સમાય ગયો.
Ø       માણસનો સૌથી શ્રેષ્ઠ જો કોઈ ગુણ કહેવો હોય તો કહી શકાય કે નમવુ.
નમવુ એટલે, આપણામા જે સારપ હોય તેને સ્વાર્થ રહિત અને વિના સંકોચ અન્યના ઉપયોગ માટે વાપરવી.
નમવુ એટલે આપણી માલીકીની કોઈ ચીઝ વસ્તુ કે રુપીયા પૈસા અન્યને ઉપયોગી થવા માટે વાપરવા.
નમવુ એટલે અન્ય સામે તેમના માટે વિવેક અને વિનમ્રતા પુર્વક રજુ થવુ.
નમવુ એટલે આપણી આવડત, આપણા પરીચયો, આપણી ઓળખાણ, આપણા સગા સબન્ધીઓ, વગેરેને અન્યના સારા હેતુ માટે ઉપયોગમા લેવા તે.
નમવુ એટલે આપણાથી અન્યને મોટા ગણવા, તેમને માન આપવુ, તેમના જીવનને મહત્વ આપવુ.
Ø       બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે માટે કોઈ માનસ ને નકામો ના ગણવો કારણ કે માનસ નહિ માનસ નો સમય ખરાબ હોય છે.
Ø       મૌન રહો અને પોતાની સુરક્ષા કરો. મૌન કદી તમારો વિશ્વાસઘાત નહી કરે.
Ø       ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
Ø       ડાળ પર બેઠેલા પક્ષી ને ડાળ પર વિશ્વાસ નથી હોતો. એને એના પાંખ પર વિશ્વાસ હોય છે. એટલે પોતાની જાત પર જો વિશ્વાસ રાખશો તો જીવન માં ક્યારેય ડાળ તૂટવાની ભીતિ નહિ રહે.
Ø       કોઈપણ વ્યક્તિ આપણા માટે ત્યાં સુધી સારો છે જ્યાં સુધી આપણે તેના ખોટા ઈરાદાની જાણ ના થાય
Ø       માનવે ઈશ્વરને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી અને ઈશ્વરે માને મોકલી
Ø       સાથ કાયમનો કદી હોતો નથી, અહીં સાશ્વત કશું પણ હોતું નથી,
જાતની સાથે ય જો અંતર રાખીએ, અહીં દુખ ક્યારેય ટકતુ નથી.
Ø       સફળતા વખતે દિમાગ પરનો અને નિષ્ફળતા વખતે હ્રદય પરનો કંટ્રોલ જો ન ગુમાવીએ
તો આપણી માનસિક સ્થિતિ એકદમ તંદુરસ્ત રહે છે, અને બ્લડ પ્રેસર નોર્મલ રહે છે.
Ø       કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો બસ આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
Ø       ધીરજના ફળ મીઠા પણ એટલી ધીરજ ના ધરો કે ફળ ખાવાલાયક ના રહે
Ø       ઘણા લોકો કોઈ પણ કામ કરવા જતા પહેલા મનમાં એવી આશા લઈને જાય છે કે જો હું તેમનું આ કામ કરી દઈશ તો તેઓ મને કઈક આપશે.
પરંતુ આપણે આશા રાખ્યા વિના એવો વિચાર કરવો જોઈએ કે જો આ કામમાં કંઈ જરૂર પડશે તો હું તેની મદદ કરીશ . આવી ભાવના રાખનારને સફળતા મળે છે.
Ø       પ્રેમ प्रसाद से प्रगट होता है और प्रमाद से विलीन हो जाता है ।
Ø       સંખ્યાની દ્રષ્ટિએ બહુમતી ધરાવતા હોવા છતાં, કાંટા કદી ચુંટાતા નથી.
કારણકે, સુંવાળપની દ્રષ્ટિએ ફુલો હમ્મેશા બીન હરીફ ચુંટાઈ જાય છે.
Ø       બીજાની વાત ધ્યાનપુર્વક સાંભળનાર પ્રત્યે, વાત કરનારને માન થાય છે.
વચ્ચે વચ્ચે ડંફાસ મારનારનો વ્યવહાર વખાણવા લાયક નથી કહેવાતો.
Ø       માતા-પિતા વિનાનું જીવન = પૈડા વગરની ગાડી
સંસ્કારો વિનાનું જીવન = એન્જિન વગરની ગાડી
પ્રેમ વિનાનું જીવન = બળતણ(ઇંધણ) વગરની ગાડી
ને નિયમ વિનાનું જીવન = બ્રેક વગરની ગાડી
Ø       સમય
દરેક ખુશી છે અહી લોકો પાસે, પણ હસવા માટે સમય નથી
દિવસ રાત દોડતી દુનિયામાં, જિંદગી માટે પણ સમય નથી
માં ના હાલરડાંનો એહસાસ છે, પણ માં ની મમતા માટે સમય નથી
     
બધા સબંધો તો મરી ગયા જાણે, પણ તેમને દફનાવવાનો સમય નથી
બધા નામ મોબાઈલમાં છે, પણ મિત્રતા માટે સમય નથી
     
પારકાઓં ની શું વાત કરવી, પોતાના માટે પણ સમય નથી
આંખોમાં છે ઊંઘ ગણીએ, પણ સુવા માટે સમય નથી
     
દિલ છે ગમો થી ભરેલું, પણ રોવા માટે સમય નથી
પૈસાની દોડમાં એવા દોડ્યા, કે થાકવાનો પણ સમય નથી
     
પારકા એહસાનોની શું કદર કરીએ, જ્યાં પોતાના સપનાની જ કદર નથી
તું જ કહે મને, કે શું થશે આ જિંદગીનું
     
દરેક પળે મરવાવાળા ને, જીવવા માટે પણ સમય નથી…..
Ø       ગરીબ માણસ મંદિર ની બહાર ભીખ માંગે છે જયારે અમીર માણસ મંદિર ની અંદર ભીખ માંગે છે.
Ø       જેના હાથમાં શસ્ત્ર હોય તે કદાચ વીર કહેવાય પણ જેના હાથ નિ-સસ્ત્ર હોય તે જ સાચો મહાવીર કહેવાય….
Ø       ઈર્ષા થતી હતી મને મારા જન્મ સમયે રડતો હતો હું અને હસતી હતી આ દુનિયા,
બદલો લઈશ હું દરેકનો મારા મૃત્યુ સમયે હસતો જઈશ હું અને રડતી હશે આ દુનિયા.
Ø       આત્મવિશ્વાસ એજ પ્રવૃત્તિનો પાયો છે, આત્મવિશ્વાસ વિના પ્રવૃત્તિનુ સાચુ પરીણામ ન મળે.
Ø       સમય અને સંજોગો જ માણસોનુ ઘડતર કરે છે, બાકી, આ દુનિયામા……..
ક્યાં કોઈને ફુરસદ હોય છે, કોઈને ઘડવાની..?
Ø       જીવન એવું જીવો કે માણસ તમને યાદ કરે,જીવન એવું ના જીવું કે માણસ તમને ફરિયાદ કરે.
Ø       અટવાયેલા રહીએ ક્યાં સુધી ? રસ્તો જ ન સુઝે ત્યાં સુધી…..
મ્રુત્યુનો ભય રહે ક્યાં સુધી ? જીવનનુ મમત્વ ન છુટે ત્યાં સુધી…..
ડર અને બીક રહે ક્યાં સુધી ? સત્ય ન જાણી શકીએ ત્યાં સુધી…..
બીમારી શરીરમાં રહે ક્યાં સુધી ? શરીરને ન ઓળખીએ ત્યાં સુધી……
દુખના દિવસો ચાલે ક્યાં સુધી ? જ્ઞાનનો સંગાથ ન મલે ત્યાં સુધી……
સ્વાર્થી સ્વભાવ રહે ક્યાં સુધી ? પરોપકારની ભાવના ન જાગે ત્યાં સુધી…..
પોતાના પણ પારકા લાગે ક્યાં સુધી ? તેમનામાં જીવ ન પરોવાય ત્યાં સુધી..
Ø       ઝીંદગી ક્યારે કોઈના માટે રોકાતી નથી,
એક વાર એ રોકી જશે એ દિવસ બધું ખતમ થઇ જશે અને એક દિવસ એ થશે ઝીંદગી રોકી જશે……એટલે જીવન ની દરેક પલ જીવી લો …………..
Ø       શંકા કરીને બરબાદ થવું એના કરતા વિશ્વાસ કરીને બરબાદ થવું વધારે સારું.
Ø       ગરીબી એ આવી વસ્તુ છે જેને સ્વીકારીને મહેનત કરો તો અમીરી નો પરચો તો જોવા મળેજ .
Ø       સાચા અને હકારાત્મક વિચાર વહેમ કે શંકાને દૂર કરવા માટેનું પ્રથમ પગથીયું છે.
Ø       ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવન માં એક એક દિવસ નો ઉમેરો કરતો રહે છે..! તમારે તેની જરૂર છે એટલા માટે નહિ, પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે.
Ø       જરૂરિયાત અને ઇચ્છાઓ વચ્ચેનો સંઘર્ષ હંમેશા ચાલતો જ રહે છે ….માટે જીંદગીમાં ઇચ્છાઓ સાથે નહિ , જરૂરિયાત સાથે જોડવો.
Ø       તારો કી જ્યોત મેં ચંદ્ર છુપે નહિ, સૂર્ય છુપે નહિ બાદલ છાયો
રણ ચડ્યો રજપૂત છુપે નહિ, દાતા છુપે નહિ માંગન આયો
ચંચલ નારી કે નૈન છીપે નહિ, પ્રીત છુપે નહિ પીઠ દિખાયો
કવિ ગંગ કહે સુન શાહ અકબર, કર્મ છુપે નહિ ભભૂત લગાયો...- કવિ ગંગ.
Ø       વ્યક્તિનું જીવન ત્યાગ અને પ્રેમ વિના પૂર્ણ થતું નથી.
Ø       ક્યારેક ખળખળાટ હસી લેવું..મળે જો ક્યાંય એકાંત તો રડી પણ લેવું,
ખુબ ઓછું આપ્યું છે ઈશ્વરે જીવન, જેટલું જીવાય એટલું, બસ મોજ થી જીવી લેવું..
Ø       કુદરત ને ખુબ ઊંડાણપૂર્વક જોવો તો તમે બધું જ સરળતાથી સમજી શકશો
Ø       જીવન એટલે પ્રેમ અને પરિશ્રમની સરિતાનો સંગમ.
Ø       ખીલખીલાટ હસતું બાળક મોટું થતાજ હસવા નું ભૂલી જાય છે, નક્કી આપણી સમાજ વ્યવસ્થા માં કઈક ખામી રહેલ છે.
Ø       જો તમે કોઈની સાથે છેતરપીંડી કરવામાં સફળ થાઓ તો એવું ના સમજો કે તે વ્યક્તિ બેવકૂફ છે, પરંતુ એ વિચારો કે એ વ્યક્તિ ને તમારા ઉપર કેટલો ભરોસો હતો.
Ø       કલ્પનામાં વાસ્તવિકતા હોતી નથી.વીતેલી પળો ને યાદ કરીને રોવું શું કામ ? ગમે તેવું અમૂલ્ય હોય જે ખોવાય તેની કોઈ કીંમત હોતી નથી.
Ø       ગમે તેવા હોય ગુણીજન છતાંયે માતા-પિતાના સૌ રૂણીજન.
Ø       જ્ઞાન હોય પણ એના પ્રમાણમાં ઉપજાવ ના મળે તે જ્ઞાન શ્રાપ રૂપે ગણાય.
Ø       મને એ જોઇને હસવું હજારો વાર આવે છે. પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે.
Ø       નયન થી નયન મળે તો સુંદર નમન થઇ જાય
સાથ થી સાથ મળે તો અનંત મિત્રતા થઇ જાય
હદય થી હદય મળે તો નિર્દોષ પ્રેમ થઇ જાય
હાથ થી હાથનાં હસ્ત-મેળાપ થાય તો,જન્મો-જન્મ નું અતુટ બંધન બંધાય જાય
લાગણી, વિશ્વાસ, સમર્પણ નો સંગમથાય તો,પ્રેમભર્યા માસુમ પ્રસંગો સર્જાય
Ø       વ્યક્તિએ જીવનમાં ત્રણ બાબતો વચ્ચે હમેશા સંતુલન રાખવું જોઈએ
૧. ઘર/પરિવાર
૨. કામ/ધંધો
૩. ભગવાન
Ø       જીવન ને ધબક્તુ રાખવા શ્વાસ જરુરી છે, સબંધ ને ધબકતું રાખવા વિશ્વાસ જરુરી છે.
Ø       લોકો એમ કહે છે કે મિત્રો વિના જીવન અધુરુ છે પણ હુ કહૂ છુ કે શત્રુ વગર જીવન જીવવામાં મજા નથી.મિત્રો બનાવતા આખુ જીવન વિતી જાય છે જયારે શત્રુ ૧ ક્ષણ માં ૧૦ બની જાય છે.
Ø       જીવન ફોટોગ્રાફર જેવું જીવજો સારું કેમેરા કેદ કરી લેવું બાકી છોડી દેવું,
જેથી ખોટું જીવનમાં ભરાઈ ન જાય, અને ક્યારેય તકલીફ ન આવે.
Ø       હે ઈશ્વર, તે બધા જ સંજોગો તેં મારા કલ્યાણ માટે જ સર્જયા છે તેવી મારી શ્રદ્ધા અખંડ રહો.
Ø       કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી.ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.
Ø       નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે, પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે.
Ø       કેમ છો કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
Ø       શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
Ø       કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
Ø       બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
Ø       કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
Ø       મહેણું ક્યારેય ન મારો.
Ø       કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
Ø       ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે, ઉધારી કરવા માટે નહીં.
Ø       રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
Ø       નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
Ø       દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.
Ø       સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
Ø       જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
Ø       જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
Ø       કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
Ø       ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
Ø       જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
Ø       લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
Ø       અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
Ø       ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
Ø       મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
Ø       ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
Ø       શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
Ø       બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
Ø       બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
Ø       ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
Ø       તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
Ø       મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
Ø       ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
Ø       બચત કરવાની શિસ્ત પાળો.
Ø       ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ
Ø       રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
Ø       સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
Ø       અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
Ø       કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
Ø       ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
Ø       ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.
Ø       સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
Ø       જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.
Ø       કોઈની સલાહ પ્રમાણે ચાલવામાં જેટલું જોખમ છે એટલું જ જોખમ સલાહ આપવામાં છે.
Ø       ભૂતકાળ ને ભૂલી જવોવર્તમાન માં સારું જીવન જીવવું અને ભવિષ્ય ની ચિંતા છોડી દેવી તો જીવન ની ખુશી તમારા હાથ માં જ છે…!
Ø       તમારી ભૂલ બતાવવાવાળો તમારો પરમ મિત્ર છે
Ø       આ જગતમાં કોઈ ગુણદોષ વિનાનું નથી.
Ø       નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે.
Ø       આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે.
Ø       આપણું ધાર્યું થાય તો હરિ કૃપા અને જો આપણું ધાર્યું હોય એમ ન થાય તો હરિ ઈચ્છા.
Ø       સત્સંગ એટલે સેવા અને સાચા દિવ્યપુરુષનો સમાગમ
Ø       પતિને ખુશ રાખવા પત્નીએ પતિને બરાબર સમજવો અને થોડો પ્રેમ કરવો. પત્નીને પતિએ ખુશ રાખવા બહુ બધો પ્રેમ કરવો પરંતુ એને સમજવાની બિલકુલ કોશિશ ન કરવી.
Ø       સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે.
Ø       સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની..
Ø       સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે, અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે.
Ø       જિંદગી કેટલી છે કોને ખબર..
કયુ પંખી ક્યારે ઉડી જાય કોને ખબર..
જીવી લો થોડા પલ પ્રેમ થી..
આ શ્વાસ ક્યારે દગો દઈ જાય કોને ખબર..
Ø       જીવનમાં તમારે ખુશ રહેવું હોય તો , “ખુશી ને જીવન નું લક્ષ્ય બનાવો..ના કોઈ માણસ કે વસ્તુ ને.
Ø       જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.
Ø       વિવેક માનવીનો સૌથી મોટો મિત્ર છે.
Ø       શ્રદ્ધા અને ઉત્સાહ સફળતાની બે ચાવી છે
Ø       સારું બોલો અથવા મૌન રહો.
Ø       પડી પડી ને ચડે એનું નામ જ ઝીંદગી બાકી તૈયાર પગથીયા પર ચડતા તો બધાને આવડે છે.
Ø       જયારે પૂરી દુનિયા તમારી વિરૃદ્ધ હોય ત્યારે સમજવું તમે સાચા છો.
Ø       આ બધી પ્રભુ ની કેવી લીલા છે ..
દારૂ વેચવા વાળાને ક્યાય નથી જવું પડતું ..
અને દુધ વેચવા વાળાને ઘેર ઘેર જવું પડે છે
Ø       ભૂલ તો દરેક વ્યક્તિથી થાય છે પણ..પોતાની ભૂલ છુપાવવા બીજી અનેક ભૂલ કરે તે દાનવ છે
અને પોતાની ભૂલ સ્વીકારી તેને સુધારવાનો પ્રયત્ન કરે તે માનવ છે.
Ø       કોઈ પણ કાર્ય ની શરૂઆત માણસના વિચારોથી થાય છે.
Ø       જે કારણ વગર ગુસ્સે થાય અને કારણ પ્રસન્ન થાય તેનાથી સાવચેત રહેવું.
Ø       પોતાના ઉપયોગ માટે મેળવેલ અનાજ ,દહીં,મીઠું,મધ,તેલ.ઘી,તલ,કંદમૂળ,શાકભાજી,અને ગોળ,લાલ વસ્ત્રો —–આ પ્રકાર ની અગ્યાર વસ્તુ કોઈ ને પણ વેચવી નહિ.
Ø       પુરુષ ને સ્ત્રી મિત્રમાં..પત્ની અને દીકરીના રૂપ માં જરૂર પડે છે અને સ્ત્રી ને માં સાસુ..દેરાણી જેઠાનીમાં જરૂર પડે છેતો પછી શા માટે એક દીકરી ને ગર્ભ માંથી જ મારી નાખવા માં આવે છે?
Ø       કોઈ ની પણ સાથે કોઈ પણ બાબત માં સરખામણી કરવી નહિ કેમ કે તે બધાઈ મોટું દુખનું કારણ છે.
Ø       શ્રધા અને વિશ્વાસમાં બહુ ફરક છે.વિશ્વાસ નો સંબંધ બુદ્ધિ સાથે છે અને શ્રદ્ધા નો સંબંધ હૃદય સાથે છે.
Ø       દુઃખમાં ચિંતા કરનારો માનસ રડે છે, જયારે ચિંતન કરનારો માનસ પોતાના તેમજ અન્ય ના જીવન ઘડે છે
Ø       તમે તમારી જાતને મહાન માનતા હો તો તેનું પ્રદર્શન કરવાની ભૂલ ક્યારે ના કરતા..
Ø       જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે…… તમે એ બધાની ઉપર છો.
Ø       હું એક એવા પિતાની શોધમાં છું જે પોતાની દીકરીને દહેજમાં ૧૦ તોલા સોનું નહીં પરંતુ ૧૦ સારા પુસ્તક આપે.
Ø       એક બીજ ધારે તો આખી દુનિયાને હરિયાળી બનાવી શકે છે, તેવી જ રીતે એક વ્યક્તિ ધારે તો આખું જગ જીતી શકે છે
Ø       આજ કાલ ક્યાં શુદ્ધ જીવન મળે છે,અરે ક્યાં શુદ્ધ જળ ને અન્ન મળે છે.
જે પીતાતા માટલાનું પાણી જ,આજ બિસલરી ને એરોહેડ પીએ છે.
શુદ્ધ દૂધ-ઘી ને માખણ છે દુર્લભ, એ ડેરી અને કોલ્ડસ્ટોરેજમાં મળે છે.
ક્યાં એ ગૌરવ ભર્યા કપડાની ફેશન ?હવે તો ફાટેલાં જીન્સ ફરતા લાગે છે.
કયાં છે દેશદાઝ ને દેશપ્રેમની વાતો ?આ નેતાઓના મડદાં ફરતા લાગે છે.
થયાં ભાવનાગીત-સંગીત ને ભજનો,ઘર અને કારમાં પોપ સંગીત વાગે છે.
Ø       દુ:ખ એ અનુભવનું વિદ્યાલય છે.
Ø       કોણ કહે છે સંગ એવો રંગ માણસ શિયાળસાથે નથી રહેતો તોયે લૂચ્ચો
છે..માણસ વાઘસાથે નથી રહેતો તોયે ક્રૂરછે અને માણસ કુતરાસાથે
રહે છે તોયે વફાદારનથી…..
Ø       અભિમાન નરકનું દ્વાર છે.
Ø       કશું ના હોય ત્યારે અભાવનડે છે, થોડું જ હોય ત્યારે ભાવનડે છે,
જીવનનું આ એક કડવું સત્ય છે, બધું જ હોય ને ત્યારે સ્વભાવનડે છે..
Ø       પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ.
Ø       ભૂલ નો બચાવ કરતા ભૂલ ની કબુલાત કરવા માં બહુ ઓછો સમય લાગે છે.
Ø       આપને જેવા પણ હતા માં-બાપે આપણને સ્વીકારી લીધા, માં-બાપ જેવા પણ છે, આપને એમને સ્વીકાર્યા છે ખરા?
Ø       અરે, વો બાબુ મોશાઈ, જિંદગી ઔર મોંત ઉપરવાલે કે હાથ મેં હેં, જહાંપનાહઇસકો આપ બદલ શકતે હેં, ના મેં ..હમ તો રંગ મંચ કી કઠપુતલીયાં હેં, જિસકી ડોર ઉસ ઉપરવાલે કે હાથમેં હેં, કબ, કોંન, કેંસેં ઉઠેગા યે કોઈ નહી બતા શકતા….
Ø       ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે સુખ આપતો નથીતો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો…..
Ø       ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ અદેખાઈમાં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી
Ø       કોઈ વ્યક્તિના કહેવાથી કે કોઈ વિપત્તિ આવવાથી પોતાનો આત્મવિશ્વાસ ડગમગવા ન દો. કદાચ આપ આપની સંપત્તિ, પોતાનું સ્વાસ્થ્ય, પોતાનો યશ અને અન્ય લોકોનું સન્માન ગુમાવી દેશો, પરંતુ જ્યાં સુધી આપ પોતાની શ્રદ્ધા કાયમ રાખશો ત્યાં સુધી આપને માટે આશા છે. જો આત્મશ્રદ્ધા કાયમ રાખશો અને આગળ વધતા રહેશો તો વહેલા કે મોડા સંસાર આપને રસ્તો આપી દેશે.
Ø       આપણા દ્વારા કરાયેલા ખોટા કર્મો જ ક્યારેક આપણા સારા કાર્યોમાં નડતરરૂપ બને છે
Ø       મૌન એક એવી થેરેપી છે કે મૌન રહેવાથી પ્રોબ્લેમ ઉભા થતા નહી.
Ø       જે ધનવાન છે પણ ચરિત્ર વાન નથી તેની સાથે કદી મિત્રતા કરવી નહિ.
Ø       જો આપણે બીજા પાસે થી સારા વર્તન ની અપેક્ષા રાખતા હોઈએ તો પહેલા આપણે બીજા પ્રત્યે નું વર્તન સારું કરવું પડશે
Ø       આપણી પાસે સુખ સગવડો વધી છે પણ તે માણવા માટે નો સમય ઘટી ગયો છે.
Ø       મનુષ્ય પોતેજ પોતાના ભાગ્ય નો નિર્માતા છે.
Ø       ઈશ્વર એટલે એવું એક વર્તુળ, જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ કયાંય હોતો નથી.
Ø       જીવન માં ઘણા સંબંધો હોવા જરૂરી નથી પરંતુ જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે.
Ø       હાથ ની રેખાઓ ઉપર વિશ્વાસ હું નથી કરતો.
કારણ કે, નસીબ તો એના પણ હોય છે,
જેમના હાથ નથી હોતા.
Ø       માણસ નું ઝેર તો સર્પ કરતા પણ વધારે ઝેરીલું છે.સર્પ તો અજાણતા અથવા બીક નો માર્યો ડસે છે.પણ માણસ તો જાણી બુઝી ને અથવા વિશ્વાસ માં લઇ ને ડસે છે.સર્પ ના દંશ થી બચવું એકવાર મુશ્કેલ નથી.પણ માણસ ના દંશ થી બચવું ઘણું મુશ્કેલ છે.
Ø       જારો સફળતા કરતા એક નિષ્ફળતા વધારે શીખવાડી જાય છે.
Ø       અપૂરતું જ્ઞાન એ જિંદગીના હાથ નો માર ખવડાવે છે.
Ø       દયા એવી ભાષા છે જે બહેરા સાંભળી શકે છે અને મૂંગા પણ સમજી શકે છે.
Ø       સફળતાનો એક સિદ્ધાંત એ છે કે, કાં તો તમે સ્થિતિઓને અપનાવી અનુકૂળ બનાવી લો કે પરિસ્થિતિઓને અનુકૂળ બની જાઓ. બંને સ્થિતિઓમાં સંઘર્ષ ભલે હોય, પરંતુ સફળતા સરળતાથી મળી જાય છે.
Ø       તમને દુનિયા માં ઘણા માણસો મળશે,પણ કોઈ એવી વ્યક્તિ મળે કે જેને તમે કઈ કહો એ પહેલા એ સમજી જાયતો પછી એને ખરો દોસ્ત માની લેજો….કારણ કે તમારી આંખ જોઈ જે તમારા દિલ ની વાત જાણી શકે એનું નામ મિત્રતા
Ø       બીજાની સરખામણીએં વિલંબથી મળતી સફળતાથી ગભરાસો નહિ કારણકે મકાન કરતા મહેલ ના બાંધકામ માં વધુ સમય લાગે છે.
Ø       જીવન માં ક્યારેય આપણા ધાર્યા પ્રમાણે થતું નથી. કારણ કે એમાં આપનું નુકશાન હોય છે, એટલેજ કયું છે કે ધાર્યું ધણીનું થાય, ઉપર વાળો કરે તે આપણા ફાયદામજ હોય છે.
Ø       જીંવન એવું જીવજો કે દુશ્મન પણ તમારા મૃત્યુ પછી રોઈ પડે.
Ø       જીવનમાં એટલા કડવા ના બનો કે લોકો તમને થુંકી નાખે .
અને એટલા મીઠા પણ ના બનો કે લોકો તમને ચાવી નાખે
Ø       માનવી સફળતાથી નહી નિષ્ફળતા થી ઘડાય છે.
Ø       અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને માં બાપ નું કદી અપમાન કરશો નહિ……
Ø       જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે
Ø       જેનું ચરિત્ર સારું છે તેના માટે આખી દુનિયા એક પરિવાર છે
Ø       સપના સાચા પાડવા માટે ખરા સમયે જાગી જવું ખુબ જરૂરી છે.
Ø       દુખ જયારે તેની ચરણ સીમા પર હોય ત્યારે સમજી લેવું કે સુખ હવે નજદીક જ છે .
Ø       ક્યાં ટકવું અને ક્યાં અટકવું એ બે નો જો ખ્યાલ આવી જાયતો જિંદગી સરળ થઇ જાય.
Ø       જયારે દીવાલ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો પડી જાય છે, પણ જયારે સંબંધ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો બની જાય છે,
Ø       દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ બુરાઈ હોય છે. તેથી બીજી વ્યક્તિની બુરાઈ કરવાનો આપણે કોઈ હક નથી. હંમેશા મીઠી વાણી બોલો, બીજાના સદગુણો અપનાવો, કોઈની બુરાઈ ના કરો.
Ø       આપણી પૃથ્વી જ આપણું સ્વર્ગ અને નરક છે.સારા કર્મ કરો તો સ્વર્ગ છે.ખરાબ કર્મ કરો તો નરક છે.
Ø       ભગવાનના ભાવથી સેવા કરવી જન જન પ્રત્યે પ્રભુનો ભાવ રાખવો.
Ø       જેવી દ્રષ્ટી તેવી સૃષ્ટી.
Ø       નમ્રતા તમામ સદગુણોનો સુંદર પાયો છે
Ø       ભગવાનના ભકતોએ પરસ્પર ઇર્ષ્યા ન કરવી.
Ø       કામનાઓથી પિડીત વ્યક્તિઓમાં વિવેક રહેતો નથી.
Ø       મનુષ્‍યની પ્રવૃત્તિ એવી હોય છે કેઃ જેટલું તેની પાસે હોય છે તેનાથી તે સંતુષ્‍ટ અને સુખી રહેતો નથી અને જે તેની પાસે નથી હોતું તેને મુળવવા માટે અસંતુષ્‍ટ અને દુઃખી રહે છે.
Ø       જીવનમાં પ્રતિકૂળતા આપણા પ્રારબ્ધના કારણે જ આવે છે.
Ø       અશાંતિનું મુખ્ય કારણ અપેક્ષાઓ જ છે.
Ø       સંસારમાં અમે સેવા કરવા માટે જ આવ્યા છીએ.
Ø       જીવનમાં પ્રતિકૂળ ૫રિસ્થિતિને ભોગવી લેવાથી પૂર્વકૃત પા૫ નષ્‍ટ થઇ જાય છે.
Ø       જે વ્‍યક્તિમાં લોભ અને અહંકાર..વગેરે વિકાર છે તે ભણેલો ગણેલો વિદ્રાન વ્‍યક્તિ ૫ણ મૂર્ખ કહેવાય છે.
Ø       પ્રભુ પરમાત્‍મા સર્વવ્‍યા૫ક છે,આ૫ણી અંદરબહાર ઓતપ્રોત છે, નજીકની વસ્‍તુને દૂર સમજશો તો શોધવામાં વાર લાગશે.
Ø       મનુષ્‍ય જીવનની સફળતા ભગવત્‍પ્રાપ્‍તિમાં છે, આ શરીર વારંવાર મળતું નથી,એટલા માટે આગળની યાત્રા માટે ભગવત્‍પ્રાપ્‍તિરૂપી ધન સાથે લઇ લો.
Ø       જ્ઞાન ઘણામાં હોય છે,પરંતુ જ્ઞાનની દૃઢતા તમામમાં હોતી નથી.
Ø       લોભને સંતોષથી જીતો. મનુષ્‍ય જયારે વિચારે છે કે મને ઓછું મળ્યું છે ત્‍યારે તે પા૫ કરે છે, એટલે જે કંઇ મળ્યું છે તે મારી યોગ્‍યતા કરતાં વધુ મળ્યુ છે-એમ સમજીને સંતોષ રાખો.
Ø       મનુષ્‍યમાં જ્ઞાન ભક્તિ થોડા સમયના માટે રહે છે પછી તે ચાલ્‍યાં જાય છે,જ્ઞાન પ્રાપ્‍ત કરવું સરળ છે,પરંતુ તેને ટકાવી રાખવું કઠિન છે.
Ø       જેણે પોતાની કામનાઓનું દમન કરીને મન પર વિજય મેળવ્યો
અને શાંતિ મેળવી તે રાજા હોય કે રંક તેને માટે સંસારમાં સુખ જ છે.
Ø       ખરાબ ચારિત્ર્યવાળા માનવીની મિત્રતા કરશો નહી,તેની ઓળખાણ પણ કરશો નહી. સળગતો કોલસો હાથ દઝાડે છે, ઠંડો હાથ કાળા કરે છે.
Ø       જેણે પોતાની કામનાઓનું દમન કરીને મન પર વિજય મેળવ્યો અને શાંતિ મેળવી તે રાજા હોય કે રંક, તેને માટે સંસારમાં સુખ જ છે.
Ø       આ મારું છે, અને આ બીજાનું છે એવું સંકુચિત હ્રદયવારા જ સમજે છે. ઉદાર ચિત્તવારા તો આખા
સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે.
Ø        





સંકલનઃ
(વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧ ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
E-mail:vinodmachhi@gmail.com


No comments:

Post a Comment