Showing posts with label ગીતાસાર. Show all posts
Showing posts with label ગીતાસાર. Show all posts

Sunday, 6 January 2013

ગીતાસાર

ગીતાસાર



v      સાંસારીક મોહના લીધે જ મનુષ્‍ય હું શું કરૂં અને શું ના કરૂં ?આવી દુવિધામાં ફસાઇને કર્તવ્યચ્યુત થઇ જાય છે,એટલે મોહ અથવા સુખની આસક્તિને વશીભુત ના થવું જોઇએ.
v      શરીર નાશવાન છે અને તેને જાણનાર અશરીરી અવિનાશી છે.આ વિવેકને મહત્વ આપવું અને પોતાના કર્તવ્યનું પાલન કરવું..આ બન્નેમાંથી કોઇ એક અપનાવવાથી ચિન્તા-શોક દૂર થાય છે.
v      નિષ્‍કામભાવપૂર્વક ફક્ત બીજાના હિતના માટે પોતાના કર્તવ્યનું પાલન કરવાથી જ કલ્યાણ થાય છે.
v      કર્મ બંધનથી છુટવાના બે ઉપાય છેઃકર્મના તત્વને જાણીને નિસ્વાર્થભાવથી કર્મ કરવું અને તત્વજ્ઞાનનો અનુભવ કરવો.
v      મનુષ્યએ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવવા છતાં સુખી કે દુઃખી ના થવું જોઇએ, કારણ કે,તેનાથી પ્રભાવિત થનાર મનુષ્ય સંસારમાં ઉંચો ઉઠી પરમ આનંદનો અનુભવ કરી શકતો નથી.
v      કોઇપણ સાધનથી અંતઃકરણમાં સમતા આવવી જોઇએ.સમતા આવ્યા વિના મનુષ્ય નિર્વિકલ્પ થઇ શકતો નથી.
v      ccતમામ પ્રભુરૂ૫ છે’’આવો સ્વીકાર કરવો સર્વશ્રેષ્‍ઠ સાધન છે.
v      અંતકાળે જેવું ચિંતન અનુસાર જ જીવની ગતિ થાય છે,એટલે મનુષ્‍યએ હરદમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરવું જોઇએ,જેનાથી અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે.
v      તમામ મનુષ્‍ય ભગવત્પ્રાપ્‍તિના અધિકારી છે,પછી તે ગમે તે વર્ણ,આશ્રમ,દેશ..વગેરે ના કેમ ના હોય ?
v      સંસારમાં જ્યાં પણ વિલક્ષણ વિશેષતા,સુંદરતા,મહત્તા,બલવત્તા..વગેરે જોવા મળે તેને ભગવાનનું જ માનીને ભગવાનનું ચિન્તન કરવું જોઇએ..
v      આ જગતને ભગવાનનું સ્વરૂ૫ માનીને પ્રત્યેક મનુષ્‍ય ભગવાનના વિરાટ સ્વરૂ૫નાં દર્શન કરી શકે છે.
v      જે ભક્ત શરીર ઇન્દ્રિયો,મન-બુધ્ધિ સહીત પોતે પોતાને ભગવાનને અર્પણ કરી દે છે તે ભગવાનને પ્રિય થાય છે.
v      સંસારમાં એક પરમતત્વ જ જાણવા યોગ્ય છે,તેના જાણ્યા પછી અમરતાની પ્રાપ્‍તિ થાય છે.
v      સંસાર બંધનથી છુટવા માટે સત્વ,રજ અને તમ- આ ત્રણ ગુણોથી અતિત થવું જરૂરી છે.અનન્યભક્તિથી મનુષ્‍ય આ ત્રણ ગુણોથી રહીત થઇ શકે છે.
v      આ સંસારનો મૂળ આધાર અને અત્યંત શ્રેષ્‍ઠ પરમ પુરૂષ એક પરમાત્મા જ છે- એવું માનીને અનન્યભાવથી તેમનું ભજન કરવું જોઇએ.
v      દુર્ગુણ-દુરાચારોથી મનુષ્‍ય ચૌરાશી લાખ યોનિઓ તથા નરકોમાં જાય છે અને દુઃખ પામે છે,એટલે જન્મ-મરણના ચક્કરમાંથી છુટવા માટે દુર્ગુણ-દુરાચારોનો ત્યાગ કરવો પરમ આવશ્યક છે.
v      મનુષ્‍ય શ્રધ્ધાપૂર્વક જે પણ શુભ કર્મ કરે તેને ભગવાનનું સ્મરણ કરીને જ શુભારંભ કરવો જોઇએ.
v      તમામ ગ્રંથોનોનો સાર વેદ છે,વેદોનો સાર ઉ૫નિષદ છે,ઉ૫નિષદોનો સાર ગીતા છે અને ગીતાનો સાર ભગવાનની શરણાગતિ છે.જે અનન્યભાવથી ભગવાનનું શરણ લે છે તેને ભગવાન તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે.