Wednesday 28 August 2013

નીતિસૂત્રો (ચાણક્ય)

v     બુરા માનવીની મિત્રતા અથવા તેનો સંગ કરવા કરતા સાપનો સંગ સારો. સાપ ત્યારે જ કરડશે જયારે તમે એની ઉપર ક્યારેક પગ મુકશો, પરંતુ મૂર્ખ અને બુરો માનવી તો ગમે ત્યારે તમને દગો દઈ શકે છે, એનો ભરોશો રખાય જ નહિ.
v     સારા વિદ્વાન માણસો ગમે તેવા કપરા સમયે પોતાના માલિકનો સાથ નથી છોડતા બલકે આવા સંજોગોમાં તેઓ પોતાના માલિક કે રાજાને સારી સલાહ આપી સાચો માર્ગ દેખાડે છે.
v     ખુશામતખોર લોકોની સલાહ લેવા કરતા દુશ્મનની સલાહ લેવી સારી.
v     સમુદ્રની તુલનામાં ધીરગંભીર વિદ્વાન માનવી જ શ્રેષ્ઠ છે. સમુદ્ર તોફાન આવતા પોતાનું સંતુલન, ધીરજ ખોઈ બેસે છે પરંતુ વિદ્વાન અને બુદ્ધિશાળી માનવી મોટામાં મોટા સંકટ સમયે પણ પોતાની ધીરજ નથી ગુમાવતો. કપરા સમયે તે પોતાની મર્યાદા ભંગ થવા દેતો નથી.
v     મુર્ખ માનવી પશુ સમાન હોય છે. એને સારા - નરસાની જાણ નથી હોતી. બુદ્ધિશાળી માણસો તેમની ગણના પશુઓમાં કરે છે.
v     અ સંસારમાં ઈશ્વરે દરેક વસ્તુની સીમા બાંધી રાખી છે. સુખ હોય કે દુ:ખ, ખુશી હોય કે ગમ, જીવન હોય કે મૃત્યુ, દિવસ હોય કે રાત્રી જે કંઇ પણ બધું એક હદ સુધી જ હોય છે. હદની અંદર દરેક વસ્તુ સારી કે ખરાબ લાગે છે.
v     દરેક માનવીએ પોતાની સીમાની અંદર જ રહીને કાર્ય કરવું જોઈએ. અતિશયતા માનવની દુશ્મન છે.
v     ગુણવાન,જ્ઞાની,વિદ્વાન પુત્ર જો માત્ર એક જ હોય તો પણ આખા કુળનું નામ ઉજાળે છે. એના કારણે જ લોકો તે કુળને સારું કહેવા લાગે છે.
v     એ બુદ્ધિહીન,ચરિત્રહીન અને બગડી ગયેલો પુત્ર આખા વંશને કલંકિત કરી તેને નામોશીની, શરમની રાખમાં ફેરવી નાખે છે.
v     એક વિદ્વાન,જ્ઞાની જયારે માત્ર એક જ ભૂલ કરી બેસે તો એ જીવનભરનો આદર ખોઈ બેસે છે.
v     માનવ તરીકે જન્મ પામી જો કોઈ માનવી ધર્મ,કર્મ,કામ અને મોક્ષમાથી કોઈ એકને પણ પામવાનો પ્રયત્ન નથી કરતો તેનો માનવ જન્મ વ્યર્થ છે.
v     આ દુનિયામાં સૌથી મોટું બળવાન, શક્તિશાળી કોઈ હોય તો એ છે કાળ(મૃત્યુ). તેને પોતાના વશમાં કરવું અત્યંત કપરું અને અસંભવ છે. કાળની સામે કોણ ટકી શકે છે? કાળને છોડીને માનવી બધી વસ્તુઓને પોતાના વશમાં કરી લેવાની શક્તિઓ ધરાવે છે.
v     મૃત્યુ અટલ છે જે મનુષ્યના જન્મની સાથે જ લખી દેવામાં આવે છે. તેને ટાળી શકાતું નથી.
v     સારા અને ખરાબ કાર્યો માનવી જ કરે છે,એટલા માટે તેને સારા નરસા ફળ પણ મળે છે. તે જેવા કાર્યો કરે છે તેવા જ તેને ફળ મળે છે.
v     આ સંસાર તો માયાજાળ છે,એમાં જો કોઈ એકવાર ફસાઈ ગયો તે કદી બહાર નીકળી શકતો નથી. એ ન ભૂલવું જોઈએ કે માનવ માત્ર કર્મો કરવા માટે સ્વતંત્ર છે પરંતુ ફળ ભોગવવામાં તે સ્વતંત્ર નથી.
v     રાજ્યમાં પાપ થતું હોય તો સૌથી મોટો દોષી ત્યાંનો રાજા છે. જેણે આ પાપો થતાં રોક્યા નહીં.
v     રાજાની જેમ રાજ પુરોહિત પણ રાજ્યમાં થતા પાપનો દોષી છે. કારણ રાજાને પાપ અને પુણ્ય વિષે જાણ કરવાનું કામ તો રાજ પુરોહિતનું છે.
v     એવી જ રીતે એક પતિનું પણ કર્તવ્ય છે કે પોતાની પત્નીને પાપના રસ્તે ન જવા દે. તેને ખોટા કર્મોની શિક્ષા આપી સમજાવે કે બુરા કર્મોનું ફળ બુરું જ હોય છે.
v     જો કોઈ શિષ્ય પાપી બને તો ગુરુને પણ તે દોષનો ભાગીદાર માનવામાં આવે છે.
v     પાપીને પાપ બતાવવાથી પાપ રોકાય છે. આ કાર્ય માટે રાજા, ગુર, અને પતિ જ સૌથી વધુ ઉપયોગી સિદ્ધ થઇ શકે છે.
v     જે પિતા પોતાના સંતાનો ઉપર દેવાનો ભાર છોડી જાય છે તે પોતાના જ સંતાનનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે.
v     જે માતા પોતાના સંતાનોને ખરાબ કામો કરતા નથી રોકતી તેને પણ પોતાના સંતાનોની સૌથી મોટી શત્રુ માનવામાં આવે છે.
v     અત્યંત સ્વરૂપવાન સ્ત્રી પણ પતિની શત્રુ હોય છે. કારણ કે તેને પોતાના સૌંદર્યનું અભિમાન થઇ જાય છે.
v     મુર્ખ પુત્ર પણ કુળનું કલંક માનવામાં આવે છે.
v     એટલા માટે જ પોતાના પરિશ્રમથી કુટુંબનું પોષણ કરનાર પિતા, પતિવ્રતા સ્ત્રી, પોતાની સુંદરતા ઉપર ગર્વ ન કરનારી સ્ત્રી અને જ્ઞાની પુત્ર આ બધા પરિવારના સુખના સાધન માનવામાં આવે છે.
v     પત્ની જેવી પણ હોય,ધન જેટલું પણ હોય,ભોજન જેવું પણ હોય. આ બધું જો સમયે મળી જાય તો સૌથી ઉત્તમ છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદ માનવીએ એ ન ભૂલવું જોઈએ કે તેનું એક બીજું પણ કર્તવ્ય છે અને તે છે વિદ્યા પ્રપ્ત કરવાનું.
v     પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઈએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેવાને કદાપી માફ કરવો જોઈએ નહિ, તેને નસ્ટ કરવામાં જ લાભ સમાયેલો છે.
v     અતિ ભલા બનીને જીવન પસાર કરી નથી શકાતું. ભલા અને સીધાસાદા માનવીને દરેક દબાવે છે. તેની ઈમાનદારી અને ભલમનસાઈને લોકો ગાંડપણ સમજે છે. એટલા માટે એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય.
v     હંસ કેવળ ત્યાં જ રહે છે જ્યાં તેમને પાણી મળે છે. સરોવર સુકાઈ જતા તેઓ પોતાનું સ્થાન બદલી લે છે,પરંતુ મનુષ્યે આવું સ્વાર્થી ન બનવું જોઈએ. તેણે વારંવાર પોતાનું સ્થાન ન બદલવું જોઈએ.
v     આંખો માનવી માટે સૌથી કિંમતી અંગ છે.એની અંદર મગજનો નિવાસ હોય છે. એટલે એની વિશેષતા નકારી શકાય નહી.
v     પોતાના હાથો વડે કરેલું કામ સૌથી શ્રેષ્ઠ હોય છે. માનવીએ પોતાનું દરેક કામ પોતાના હાથે જ કરવું જોઈએ.
v     ભલા અને વિદ્વાન લોકો સાથે સંબંધ રાખો. જરૂર પડ્યે સ્ત્રીને દગો આપનાર અંતમાં કસ્ટ પામે છે.
v     અંધાધુંધ ખર્ચ કરનાર એટલે કે પોતાની આવક કરતા વધારે ખર્ચ કરનાર અને બીજા સાથે વગર કારણે કજીયો કરનાર લોકો ક્યારેય સુખી નથી થતા.
v     જેવી રીતે ધરતીને ખોદવાથી પાણી નીકળે છે. તેવી રીતે જ ગુરુની સેવા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ગુરુની સેવા કર્યા વિના માનવી કદાપી સારી શિક્ષા પ્રાપ્ત નથી કરી શકતો.
v     હંમેશા બીજાનું ભલું કરો. સ્વાર્થથી દૂર રહો. બીજાનું ભલું કરનારનું ખુદ ભગવાન ભલું કરે છે. આવા લોકોના સુખદુ:ખમાં ભગવાન હંમેશા સાથે જ રહે છે.
v     જીવન અને મૃત્યુનું ચક્ર તો હંમેશાથી ચાલતું રહ્યું છે. આત્મા અમર છે, એ કેવળ પોતાનું શરીર બદલે છે.
v     આત્મા સાથે પરમાત્મા છે.મનુષ્ય પોતાના દરેક શરીરની સાથે પોતાના જન્મોના કર્મોનું ફળ પામે છે.
v     દરેક માનવીના વ્યવહાર અને વર્તન ઉપરથી જ તેના વંશની ખબર પડી જાય છે. તેની ભાષા ઉપરથી તેના દેશની જન થાય છે. તેના વ્યવહારથી તેના કુળનું અને શરીર જોઈ તેના ખાવા-પીવા વિષે જાની શકાય છે.
v     પુસ્તકને વાંચ્યા વગર પોતાની પાસે રાખવું.પોતાનું કમાયેલું ધન બીજાને હવાલે કરવું, આ સારી વાતો નથી. આવી વાતોથી દુર રહેવામાં જ ભલાઈ છે.
v     દુશ્મનના શરણે જવાથી ધન મળે, એવા ધન કરતા માનવી નિર્ધન રહે એ જ સારું. એના જીવન કરતા મૃત્યુ ભલું.
v     પાપ અને અત્યાચારોથી કમાયેલું ધન વધુમાં વધુ દશ વરસ માનવી પાસે રહે છે, ત્યારબાદ એ ધન મુદલ સાથે નાશ પામે છે. એટલે હમેશા પાપની કમાણીથી દુર રહો.
v     શક્તિશાળી દુશ્મન અને કમજોર મિત્ર હમેશા નુકશાન પહોચાડે છે કારણકે કમજોર મિત્ર ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે પરંતુ શત્રુથી માનવી પોતે હોશિયાર રહે છે.
v     આ સંસારમાં જો તમે કોઈ વસ્તુ ઉપર સંપૂર્ણ પણે વિશ્વાસ મૂકી શકો તેમ હોય તો તે છે તમારું પોતાનું મન. જે લોકો પોતાના મનનો,પોતાના હૃદયનો સાદ સાંભળી ચાલે છે તે હમેશા સુખી રહે છે.
v     ગુણના કારણે જ માનવીનું સન્માન થાય છે,ગુણ વિનાનો માનવી કેસુડાંના ફૂલ સમાન છે.  કેસુડાના ફૂલો દુરથી સુંદર લાગે છે પરંતુ સુગંધહીન હોય છે.
v     વિદ્યા સૌથી મોટો ગુણ છે, જેવી રીતે કામધેનું ગાયને તેના ગુણકારી દૂધ માટે પૂજ્ય ગણવામાં આવે છે, તેની પૂજા થાય છે,તેવી જ રીતે વિદ્વાનોના જ્ઞાન અને બુદ્ધિના ગુણને લીધે સમાજમાં તેમને સન્માન મળે છે,આદર મળે છે.
v     આ દુનિયામાં કોઈપણ માનવી એવો નહિ હોય જેમાં કોઈ દોષ નહિ હોય, કોઈ ખામી નહિ હોય, અથવાતો તેના વંશમાં કોઈ દોષ નહિ હોય. જો તમે માત્ર દોષો શોધવા નીકળશો તો તમને ચારે બાજુ માત્ર દોષો જ દેખાશે. દરેક માનવી જીવન પથ ઉપર કોઈને કોઈ સંકટનો શિકાર બની કોઈને કોઈ ભૂલ તો કરી જ બેસે છે.
v     જ્ઞાની અને વિદ્વાન માનવી માટે એ જરૂરી છે કે પોતાની કન્યાના લગ્ન કોઈ સારા અને ભણેલા ગણેલા સંસ્કારી ઉચ્ચ કુળમાં કરે, ગુણહીન વંશમાં કન્યા આપવી તે એની હત્યા કરવા સમાન છે, કારણકે એ કન્યા જે સંતાન ને જન્મ આપશે એ પણ અભણ અને અસંસ્કારીજ બનશે.
v     બુરા માનવીની મિત્રતા અથવા તેનો સંગ કરવા કરતા સાપનો સંગ સારો. સાપ ત્યારે જ કરડશે જયારે તમે એની ઉપર ક્યારેક પગ મુકશો, પરંતુ મૂર્ખ અને બુરો માનવી તો ગમે ત્યારે તમને દગો દઈ શકે છે, એનો ભરોશો રખાય જ નહિ.
v     સારા વિદ્વાન માણસો ગમે તેવા કપરા સમયે પોતાના માલિકનો સાથ નથી છોડતા બલકે આવા સંજોગોમાં તેઓ પોતાના માલિક કે રાજાને સારી સલાહ આપી સાચો માર્ગ દેખાડે છે.
v     ખુશામતખોર લોકોની સલાહ લેવા કરતા દુશ્મનની સલાહ લેવી સારી.
v     સમુદ્રની તુલનામાં ધીરગંભીર વિદ્વાન માનવી જ શ્રેષ્ઠ છે. સમુદ્ર તોફાન આવતા પોતાનું સંતુલન, ધીરજ ખોઈ બેસે છે પરંતુ વિદ્વાન અને બુદ્ધિશાળી માનવી મોટામાં મોટા સંકટ સમયે પણ પોતાની ધીરજ નથી ગુમાવતો. કપરા સમયે તે પોતાની મર્યાદા ભંગ થવા દેતો નથી.
v     મુર્ખ માનવી પશુ સમાન હોય છે. એને સારા - નરસાની જાણ નથી હોતી. બુદ્ધિશાળી માણસો તેમની ગણના પશુઓમાં કરે છે.
v     અ સંસારમાં ઈશ્વરે દરેક વસ્તુની સીમા બાંધી રાખી છે. સુખ હોય કે દુ:ખ, ખુશી હોય કે ગમ, જીવન હોય કે મૃત્યુ, દિવસ હોય કે રાત્રી જે કંઇ પણ બધું એક હદ સુધી જ હોય છે. હદની અંદર દરેક વસ્તુ સારી કે ખરાબ લાગે છે.
v     દરેક માનવીએ પોતાની સીમાની અંદર જ રહીને કાર્ય કરવું જોઈએ. અતિશયતા માનવની દુશ્મન છે.
v     ગુણવાન, જ્ઞાની, વિદ્વાન પુત્ર જો માત્ર એક જ હોય તો પણ આખા કુળનું નામ ઉજાળે છે. એના કારણે જ લોકો તે કુળને સારું કહેવા લાગે છે.
v     એ બુદ્ધિહીન,ચરિત્રહીન અને બગડી ગયેલો પુત્ર આખા વંશને કલંકિત કરી તેને નામોશીની, શરમની રાખમાં ફેરવી નાખે છે.
v     એક વિદ્વાન, જ્ઞાની જયારે માત્ર એક જ ભૂલ કરી બેસે તો એ જીવનભરનો આદર ખોઈ બેસે છે.
v     માનવ તરીકે જન્મ પામી જો કોઈ માનવી ધર્મ, કર્મ, કામ અને મોક્ષમાથી કોઈ એકને પણ પામવાનો પ્રયત્ન નથી કરતો તેનો માનવ જન્મ વ્યર્થ છે.
v     જે દેશમાં અજ્ઞાની ( મૂર્ખ ) માનવીને આદર આપવામાં નથી આવતો, તેમને મહત્વ આપવામાં નથી આવતું ત્યાં અન્ન કદી ખૂટતું નથી. એ સુરક્ષિત રહે છે.
v     જે ઘરમાં પતિ - પત્ની વચ્ચે ઝઘડો ન થતો હોય ત્યાં લક્ષ્મી આપોઆપ પધારે છે. તેમને લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે કશું કરવાની જરૂર પડતી નથી.
v     કોઈપણ દેશને મહાન બનવું હોય તો ત્યાં બુદ્ધિમાનો જ્ઞાનીઓને પુરેપૂરો સન્માન,આદર આપી મુર્ખોને રાજ્યના કારભારથી દૂર રાખવા જોઈએ તેમજ અન્ન અને ધનના ભંડારો ભરેલા રાખવા જોઈએ.
v     વિદ્યા તો કામધેનું ગાય સમાન છે. વિદ્યા માનવીને બધા સુખ આપે છે જે એને ખરા મનથી પોતાની બુદ્ધિમાં ગ્રહણ કરી લે છે.
v     વિદ્યા એક ગુપ્ત ધન છે જેને કોઈ જોઈ શકતું નથી, કોઈ ચોર તેને ચોરી શકતું નથી, કોઈ તેને લુંટી શકતું નથી. તે બધી રીતે સુરક્ષિત રહે છે. એ કદાપી ખોવાતું નથી.
v     વિદ્વાનો અને જ્ઞાનીઓની સંગત ભગવાનના ધ્યાન, દર્શન માટે પુરતી છે. પ્રયાસ કરવો એ શ્રદ્ધા છે. જો માનવીના હૃદયમાં શ્રદ્ધા છે તો કોઈ કામ અશકય નથી.
v     જેનું સ્વાસ્થ્ય સારું છે,જેને કોઈ રોગ નથી તેણે મુત્યુ આવે તે સમય સુધી મોક્ષ પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરવા જ જોઈએ. માનવી માટે એ જરૂરી છે કે તે દાન - પુણ્ય, લોક કલ્યાણ તથા દીન - દુ:ખીની મદદ કરે.
v     ખરાબ કર્મોથી બચનાર માનવી ઉપર ઈશ્વર પ્રસન્ન રહે છે. સારા કર્મો જ સૌથી મોટો માનવધર્મ છે, આ જ જ્ઞાન કલ્યાણ માર્ગ છે.
v     અ શરીર અમર નથી તેને એક દિવસે નાશ થવાનું જ છે તો પછી આવા શરીરથી શુભ કર્યો કેમ ન કરવા ?
v     દરેક માતા - પિતા માટે એ જરૂરી છે કે તેઓ અજ્ઞાની અને મુર્ખ સંતાનના દીર્ઘાયુની કામના ન કરે, દુવા ન માંગે, કારણ કે આવા સંતાનના મૃત્યુનું દુ:ખ તો થોડા સમય માટે રહેશે. પરંતુ જો તે લાંબા સમય સુધી જીવશે તો એનું દુ:ખ લાંબા સમય સુધી રહેશે.
v     જ્ઞાની પુત્ર માતા - પિતાનું નામ ઉજાળે છે. જયારે અજ્ઞાની અને મૂર્ખ તેમજ બુદ્ધિહીન સંતાન વંશના માથે કલંક સમાન હોય છે.
v     કોઈ નીચ માનવીને ત્યાં નોકરી, વાસી અને બગડેલું ભોજન, પુત્રી, સ્ત્રી, મુર્ખ સંતાન, વિધવા પુત્રી આ બધા માનવીના શરીરને વગર અગ્નિએ અંદરને અંદર બળતા રહે છે.
v     જેવી રીતે દૂધ ન આપનાર ગાયથી કોઈ લાભ નથી મળતો તેવી રીતે એવા પુત્ર થી પણ કોઈ લાભ નથી જે માતા-પિતાની સેવા ન કરતો હોય.
v     જેવી રીતે લોકો વાંઝણી ગાયને ઘરમાં રાખવાનું પસંદ નથી કરતા, એવી રીતે જ ચરિત્ર હીન અને નાકમાં સંતાનને પણ ઘરમાં રાખવું જોઈએ નહિ.
v     જો તમે કોઈપણ વસ્તુની સાધના તથા તપ કરવા ઈચ્છતા હો તો આ કાર્ય તમારે એકાંતમાં જ કરવું પડે. એકાંતમાં જ મન શાંત અને સ્થિર રહે છે. આત્મ અને પરમાત્મા નો મેળાપ માત્ર એકાંત માં જ થાય છે.
v     નિર્ધન માનવીઓ પોતાની ગરીબાઈથી એટલા દુ:ખી થઇ જાય છે કે તેમને કશું સારું નથી લાગતું. ગરીબ તથા દુ:ખી માનવીને જોઈ તેના નીકટના મિત્રો, સગા પણ તેનાથી નજર બચાવી એટલા માટે સરકી જાય છે કે કદાચ એ કોઈ મદદ ના માંગે.
v     જે જ્ઞાની લોકો શાસ્ત્રોનું નિરંતર અધ્યયન નથી કરતા તેઓ નામના તો પંડિત જરૂર બની જાય છે પરંતુ જયારે પંડિતોની સભામાં જઈ જ્ઞાનની વાતો કરે છે, તો લોકો તેમની હાંસી ઉડાવે છે.
v     સન્માનિત વ્યક્તિને પોતાનું અપમાન મૃત્યુ કરતા વધારે વસમું લાગે છે.
v     નિર્ધન તથા ગરીબ માનવી માટે દરેક પ્રકારની સભાઓ નકામી છે. તે કોઈ સારી સભા, સમાજમાં જતો રહે તો ત્યાં તેનું અપમાનજ થાય છે. તેથી તેઓએ આવી સભાઓમાં ન જવું જોઈએ કે જ્યાં તેનું અપમાન થતું હોય.
v     નિર્ધનતા, ગરીબાઈથી સંઘર્ષ કરવા માટે બુદ્ધિની જરૂર પડે છે. બુદ્ધિની શક્તિથી જ તમે ગરીબીના શ્રાપમાંથી મુક્તિ પામી શકો છો.
v     ધર્મ માત્ર દયાનું જ નામ છે. એ ધર્મ ને કદી ધર્મ માની શકતો નથી જેમાં દયા ના હોય.
v     જે ગુરુ પાસે જ્ઞાન ન હોય, તેના શિષ્ય થવાથી શો લાભ? જે સ્ત્રી પોતાના પતિ સાથે દરરોજ ઝઘડા કરતી હોય એને પણ ઘરમાં રાખવાથી શો લાભ? જે લોકો સંકટની ઘડીએ તમારો સાથ ના આપતા હોય તેવા લોકોની સાથે સંબંધ રાખવાથી શો લાભ? સારા અને જ્ઞાની લોકો હમેશા આવી વસ્તુઓથી દુર રહે છે.
v     જે લોકો હમેશા પગપાળા યાત્રા કરે છે તેમને ખાવા પીવાની કોઈ ચિંતા નથી રહેતી. કારણકે તેઓ જાણે છે કે એમના માટે એનો કોઈ નિયમ કે નિર્ધારિત સમય નથી હોતો. જે મળશે, જેવું મળશે તે ખાઈ લઈશું. આ વાતો થી તેમના શરીર સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. અને તે સમય પહેલા જ ઘરડા થઇ જાય છે. આથી મુસાફરી કરનાર પુરુષ, અમૈથુન સ્ત્રીઓ માટે, અને કરડા તડકામાં કાપડ માટે હમેશા નુકશાન જ છે.
v     બુદ્ધિમાન મનુષ્ય એ છે કે જે હર ઘડીએ એવું વિચારતો રહે કે મારો સાચો મિત્ર કોણ છે ? મારો સમય સારો છે કે ખરાબ ? સારા મિત્રો કેવી રીતે બને ? સારો સમય ક્યારે આવશે ? જો તમે જીવનનું સાચું સુખ પામવા માંગતા હોવ તો આ બધી વાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો પડશે કે મારા માટે સારું શું છે અને ખરાબ શું છે ?
v     સુખ દુઃખના વચ્ચે રહેલા અંતરને ઓળખો. સુખ પ્રાપ્ત કરવા માટે દુઃખથી મુક્તિ પામવું જરૂરી છે.
v     બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય આ બધાના ગુરુ ઇષ્ટદેવ અગ્નિ છે. બ્રાહ્મણ બધી જ જાતિઓનો ગુરુ છે. નારીનો ગુરુ એનો પતિ છે.
v     સોનાને જયારે આગમાં તપાવીને ઓગાળવામાં આવે છે ત્યારે જ જાણ થાય છે કે તે અસલી સોનું છે કે નકલી. તેવી જ રીતે કોઈ માનવીને જાણવા માટે તેની ચારે પ્રકારે કસોટી કરવામાં આવે છે. (1) ત્યાગ  (2) વર્તન  (3) ગુણ (4) તેણે જેટલા કર્યો કર્યા હોય તેની સમીક્ષા.
v     સારા લોકોની ઓળખાણ આવી રીતે થાય છે. તેના ગુણ કેવા છે ? તે કેટલો જ્ઞાની છે ? બુદ્ધિ કેવી છે ? સમાજમાં તેનું ચારિત્ર્ય કેવું છે ? શ્રેષ્ઠ માનવીઓ પોતાના ગુણોના આધારે જ ઓળખાણ પામે છે.
v     જેવી રીતે એક જ વૃક્ષ ઉપર ઉગનાર બોર અને કાંટા એક સ્વભાવના નથી હોતા તેવી રીતે જ એક માતાના ગર્ભમાંથી જન્મ લેનાર બાળકો પણ એક સ્વભાવના નથી હોતા. આજ પ્રભુની વિચિત્ર લીલા છે. એની ઉપર માનવીનો કોઈ અધિકાર નથી.
v     જે લોકો મૂર્ખ હોય છે તેઓ ક્યારેય મૃદુભાષી નથી હોત।. જે લોકો ચોખ્ખી વાત મોંફાટ કહી દે છે તેઓ ક્યારેય દગાબાજ, જુઠા નથી હોતા. આવા માણસો જ સુખ પ્રાપ્ત કરે છે કારણ કે તેઓ કોઈનું બુરું નથી કરતા.
v     મૂર્ખ ( અજ્ઞાની ) લોકો જ્ઞાનીઓની નફરત કરે છે. જે લોકો ગરીબ છે તેઓ ધનવાનને જોઇને બળે છે. વેશ્યાઓ પતિવ્રતા ધર્મ પાળનાર સ્ત્રીઓને જોઇને અને વિધવાઓ સૌભાગ્યવતી સ્ત્રીઓને જોઈ ઈર્ષાથી સળગવા લાગે છે. હું એમ કહું છું કે જ્ઞાની લોકો અજ્ઞાનીઓની, ધનવાન લોકો નિર્ધનની, પતિવ્રતા સ્ત્રીઓ વેશ્યાઓની અને સૌભાગ્યવતી સ્ત્રીઓ વિધવાઓની ઉપેક્ષા કરે.
v     દાન કરવાથી દરિદ્રતા,ગરીબાઈનો નાશ થાય છે. ઉત્તમ તીવ્ર બુદ્ધિથી અજ્ઞાનતા દૂર થઇ જાય છે.
v     જો તમે જ્ઞાનની શક્તિ ધરાવો છો તો ભય તમારી પાસે આવશે જ નહિ, જ્ઞાનથી મોટી શક્તિ બીજી કોઈ નથી. તમારું ધન ચોરાઈ શકે છે પરંતુ જ્ઞાનને કોણ ચોરી શકવાનું હતું ? કોઈ નહિ.
v     સંસારમાં સૌથી મોટો રોગ કોઈ હોય તો એ છે કામવાસના. આ રોગ એવો છે જે માનવ શરીરને અંદરોઅંદર ઉધઈની જેમ ખાઈ જાય છે. માનવીના બીજા શત્રુનું નામ છે મોહ. ક્રોધથી ભયંકર બીજી કોઈ આગ નથી, જે માનવ શરીરને અંદરોઅંદર બાળતી રહે છે. અને માનવીને તેની જાણ પણ થતી નથી. જ્ઞાન જ માત્ર એવી શક્તિ છે,જેના વડે આ બધા શત્રુઓથી મુક્તિ પામી શકાય છે.
v     જે માનવી પાસે જ્ઞાનની શક્તિ છે. તેના માટે સ્વર્ગની કોઈ વિશેષતા નથી કારણ કે તેને સ્વર્ગના સુખ દુ:ખ શુ હોય છે તે વિશે જાણ હોય છે. બહાદુર અને વીર માનવો માટે મોહ નામની કોઈ વસ્તુ નથી હોતી. કારણ કે જો વીર માનવ જીવનથી મોહ કરવા લાગી જશે તો યુદ્ધ કોણ કરશે ?
v     જે લોકોએ પોતાની ઇન્દ્રિઓને પોતાના વશમાં કરી લીધી હોય તેમના માટે જીવનથી મોહની વિશેષતા નથી રહેતી. જે લોકો જ્ઞાની છે, બુદ્ધિમાન છે. તેમના માટે સંસારના તમામ ખજાના વ્યર્થ છે. ધન અને જ્ઞાનની તુલનામાં તેઓ જ્ઞાનને વધુ મહત્વ આપે છે.
v     સમુદ્ર ઉપર વર્ષા થશે તો તેનાથી શો ફાયદો થવાનો ? જેનું પેટ પહેલાથી ભરેલું હોય તેને ભોજન કરાવવું વ્યર્થ છે. જેની પાસે પહેલાથી જ ધનના ઢગલા હોય તેને દાન આપવાથી કોઈ લાભ નથી.
v     વર્ષાની ખરી જરૂર તો એ સુકા ખેતરોને છે. ભોજનનો આનંદ તો કોઈ ભૂખ્યા માનવી જ લઇ શકે છે. અને દાનનું પુણ્ય પણ એ જ સમયે મળશે જયારે તમે કોઈ નિર્ધનને મદદ કરશો.
v     સૌથી પવિત્ર પાણી એ જ હોય છે, જે વાદળોમાંથી વરસે છે. સૌથી મોટું બળ આત્મબળ છે. અન્નથી વધીને બીજો કોઈ ખાદ્ય પદાર્થ નથી. જ્ઞાની લોકો હંમેશા આ શિક્ષાને યાદ રાખે છે.
v     જે લોકો ગરીબ છે તેઓ હંમેશા ધનની આશા કરતા હોય છે, અને પશુઓ ઈચ્છે છે કે તેઓ પણ બોલીને વાતો કરે. દરેક માનવી સ્વર્ગલોકની આશાએ જીવતા હોય છે. આ દુનિયાનો નિયમ છે કે જે કંઈ તેમની પાસે નથી હોતું તેની આશા લગાવીને બેસી જાય છે. આ જીવન પણ એક આશા જ છે. દરેક માનવી પોતાનામાં કોઈને કોઈ ઉણપ મહેસુસ કરે છે. જે કાંઈ તેની પાસે છે તેને તેઓ ભૂલી જાય છે. અને જે નથી તેની આશામાં ગાંડા બની ફરે છે, ધીરજ તો કોઈની પાસે નથી.
v     સત્યની શક્તિ મહાન છે. આ સત્યની સૌથી મોટી સાબિતી આ પૃથ્વી છે. તમે જ કલ્પના કરો કે આ મહાન પૃથ્વી કઈ શક્તિના આધારે ટકેલ છે. હજારો લાખો કોસો દૂરથી આવનાર સૂર્યના પ્રકાશને જોઇ તમને સત્યની શક્તિ વિશે માન નહિ થાય ? આ બધું એ મહા શક્તિની ભેટ છે જેને આપણે પ્રભુ કહીએ છીએ અને તેજ સત્ય છે.
v     આ જગતમાં લક્ષ્મી સ્થિર છે પરંતુ જીવન સ્થિર નથી. આ ઘર, સગા - સંબંધીઓ બધા જ એક દિવસે નાશ પામવાના છે. આ દુનિયા આખી નાશવંત છે. આ સંસારના સર્જનહાર એકમાત્ર ભગવાન છે. અવિનાશી ભગવાન સંસારનો સ્વયં નાશ કરે છે. અને સ્વયં એની રચના પણ કરે છે. તે જ એક ધર્મ છે. તે જ ઈશ્વર છે. આપણા બધાનું એ કર્તવ્ય છે કે એ પ્રભુને સદા યાદ રાખીએ.
v     માનવીઓમાં હજામને,પક્ષીઓમાં કાગડાને,પશુઓમાં ઝરખને અને સ્ત્રીઓમાં માલણને મલીન માનવામાં આવે છે.આ ચારે જણા કારણ વગર કામ બગાડવા હંમેશા તત્પર રહે છે. કામ બગાડવામાં તેમને વાર નથી લાગતી.
v     માનવીને જન્મ આપનારા,યજ્ઞોપવિત સંસ્કાર કરાવનાર,પુરોહિત,શિક્ષા આપનાર,આચાર્ય, ભયથી મુક્તિ અપાવનાર અથવા રક્ષા કરનાર..આ પાંચે જણા પિતા સમાન હોય છે. માણસની એ ફરજ છે કે તે આ લોકોની આજ્ઞા પિતાનો સંદેશ સમજી માને.
v     રાજાની પત્ની, ગુરુની પત્ની, મિત્રની પત્ની, પત્નીની માં, આ બધાને પોતાની માતા સમજી તેમની પૂજા કરવી. તેમન વિશે ક્યારેય ખરાબ વિચારો પોતાના મનમાં લાવવા નહિ. બુદ્ધિમાન લોકોની આ ફરજ છે.
v     માનવીએ આ સંસારમાં રહીને કાંઈ ને કાંઈ તો કરતા રહેવું જ જોઈએ. આ દુનિયા માયાજાળરૂપી છે એટલે પોતાની જાતને પાપોથી બચાવવા માટે ભગવાનની પૂજા કરવી જોઈએ.
v     જીવનની આ લાંબી મુસાફરીમાં એવું વિચારીને જ આગળ વધવું જોઇએ કે ગમે ત્યારે તમારો ખરાબ સમય આવશે. એટલે આવા સમય માટે થોડુંઘણું ધન અવશ્ય બચાવીને રાખવું . જયારે માનવીનો ખરાબ સમય આવે છે ત્યારે તેના પોતાના પણ પારકા થઇ જાય છે. જો આવા સમયે ધન પાસે હોય તો એ કપરા સમયનો મુકાબલો થઇ શકે.
v     કન્યા ભલે સુંદર ન હોય પરંતુ સારા કૂળની ગુણવાન હોય તો લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન ત્યાં જ કરવા જે લોકો તમારા બરાબરીયા હોય.
v     આ સંસારમાં બંધનો તો ઘણા બધા છે પરંતુ પ્રેમના બંધન કરતા બીજું કોઈ બંધન મોટું નથી. લાકડીમાં કાણું પાડનાર હથિયાર કમળના ફૂલમાં કાણું નથી પાડી શકતું.
v     જે સ્ત્રી બીજાને પ્રેમ કરે છે, બીજાને જુએ છે, તે સ્ત્રીનો પ્રેમ ગમે ત્યારે દગો આપી શકે છે. આવી સ્ત્રીથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે તે કોઈ એકની બનીને નથી રહી શકતી.
v     એ સ્ત્રી સર્વોત્તમ માનવામાં આવે છે જે પવિત્ર હોય, ચાલાક હોય, પતિવ્રતા હોય, અને જે પોતાના પતિને પ્રેમ કરતી હોય, સત્ય બોલાતી હોય. આવા ગુણોવાળી સ્ત્રી જે ઘરમાં હશે તે ઘરમાં હંમેશા સુખ રહેશે,  એ ઘરમાં હંમેશા ખુશીઓ રહેશે. એ  ઘરને ભાગ્યશાળી ઘર કહી શકાય.
v     માનવી માટે એ જરૂરી છે કે તે જ્ઞાની વાતો સાંભળે અથવા ધર્મગ્રંથોનું અધ્યયન કરે, પરંતુ એ વાતનું ધ્યાન રાખે કે જે જ્ઞાન કોઈ મહાત્મા, વિદ્વાન, કે મુનિના મુખે સાંભળવાથી મળે છે અથવા જ્ઞાનને વિસ્તારપૂર્વક સમજી શકાય છે. તે સ્વયં વાંચીને પ્રાપ્ત નથી થતું .
v     પક્ષીઓમાં સૌથી નીચ અને ખરાબ વિચારવાળો પક્ષી કાગડો છે અને પશુઓમાં આ સ્થાન કુતરાને આપવામાં આવેલું છે. આવી જ રીતે આવું સ્થાન એ સાધુઓને આપવામાં આવેલું છે જે સાધુનો સ્વાંગ સજી પાપ કરે છે.
v     સૌથી મોટો પાપી અને ચંચળ એ હોય છે જે બીજાની નિંદા કરે છે. જેની નિંદા આપ કરી રહ્યા છો તે એ સમયે તો ત્યાં હાજર નથી હોતો પરંતુ એ પાપને પ્રભુ તો જોઈ રહ્યા હોય છે. તેનાથી સંતાઈને તમે ક્યાંયે નથી જઈ શકતા, માટે નિંદાના પાપથી બચો તેમાં જ તમારી ભલાઈ છે.
v     રજાનો એ ધર્મ છે કે તે પોતાના રાજ્યમાં વેશપલટો કરી પોતાની પ્રજા વચ્ચે જઈ તેમના સુખ - દુ:ખ જાણે. જો એ મહેલમાં જ બેસી રહેશે તો તેને પોતાની પ્રજાની સ્થિતિનું જ્ઞાન કેવી રીતે થશે ?
v     જે લોકો પાસે ધન હોય છે તેના મિત્રોની સંખ્યા પણ આપોઆપ જ વધી જાય છે. ધન આવતા જે  સગાસંબંધીઓ તેનાથી દૂર રહેતા હતા, તે પણ પોતાનો પ્રેમ દર્શાવવા દોડતા આવે છે.
v     જેની પાસે ધન હોય છે લોકો તેને જ મોટો માનવી માનવા લાગે છે. જ્ઞાની, બુદ્ધિમાન વ્યક્તિને ધનવાનની પાછળ ફેંકી દેવામાં આવે છે.
v     આ દુનિયામાં સૌથી મોટું બળવાન, શક્તિશાળી કોઈ હોય તો એ છે કાળ(મૃત્યુ). તેને પોતાના વશમાં કરવું અત્યંત કપરું અને અસંભવ છે. કાળની સામે કોણ ટકી શકે છે? કાળને છોડીને માનવી બધી વસ્તુઓને પોતાના વશમાં કરી લેવાની શક્તિઓ ધરાવે છે.
v     મૃત્યુ અટલ છે જે મનુષ્યના જન્મની સાથે જ લખી દેવામાં આવે છે. તેને ટાળી શકાતું નથી.
v     સારા અને ખરાબ કાર્યો માનવી જ કરે છે, એટલા માટે તેને સારા નરસા ફળ પણ મળે છે. તે જેવા કાર્યો કરે છે તેવા જ તેને ફળ મળે છે.
v     આ સંસાર તો માયાજાળ છે, એમાં જો કોઈ એકવાર ફસાઈ ગયો તે કદી બહાર નીકળી શકતો નથી. એ ન ભૂલવું જોઈએ કે માનવ માત્ર કર્મો કરવા માટે સ્વતંત્ર છે પરંતુ ફળ ભોગવવામાં તે સ્વતંત્ર નથી.
v     રાજ્યમાં પાપ થતું હોય તો સૌથી મોટો દોષી ત્યાંનો રાજા છે. જેણે આ પાપો થતાં રોક્યા નહીં.
v     રાજાની જેમ રાજ પુરોહિત પણ રાજ્યમાં થતા પાપનો દોષી છે. કારણ રાજાને પાપ અને પુણ્ય વિષે જાણ કરવાનું કામ તો રાજ પુરોહિતનું છે.
v     એવી જ રીતે એક પતિનું પણ કર્તવ્ય છે કે પોતાની પત્નીને પાપના રસ્તે ન જવા દે. તેને ખોટા કર્મોની શિક્ષા આપી સમજાવે કે બુરા કર્મોનું ફળ બુરું જ હોય છે.
v     જો કોઈ શિષ્ય પાપી બને તો ગુરુને પણ તે દોષનો ભાગીદાર માનવામાં આવે છે.
v     પાપીને પાપ બતાવવાથી પાપ રોકાય છે. આ કાર્ય માટે રાજા, ગુર, અને પતિ જ સૌથી વધુ ઉપયોગી સિદ્ધ થઇ શકે છે.
v     જે પિતા પોતાના સંતાનો ઉપર દેવાનો ભાર છોડી જાય છે તે પોતાના જ સંતાનનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે.
v     જે માતા પોતાના સંતાનોને ખરાબ કામો કરતા નથી રોકતી તેને પણ પોતાના સંતાનોની સૌથી મોટી શત્રુ માનવામાં આવે છે.
v     અત્યંત સ્વરૂપવાન સ્ત્રી પણ પતિની શત્રુ હોય છે. કારણ કે તેને પોતાના સૌંદર્યનું અભિમાન થઇ જાય છે.
v     મુર્ખ પુત્ર પણ કુળનું કલંક માનવામાં આવે છે.
v     એટલા માટે જ પોતાના પરિશ્રમથી કુટુંબનું પોષણ કરનાર પિતા, પતિવ્રતા સ્ત્રી, પોતાની સુંદરતા ઉપર ગર્વ ન કરનારી સ્ત્રી, અને જ્ઞાની પુત્ર આ બધા પરિવારના સુખના સાધન માનવામાં આવે છે.
v     કોઈ પાપી રાજાના દેશમાં રહેવા કરતા કોઈ અન્ય દેશમાં જઈને રહેવું સારું છે. પાપી, સ્વાર્થી, દગાબાજ, મિત્રો કરતા બહેતર એ જ છે  કે મિત્રો જ ન હોય.
v     ચરિત્રહીન, કુલટા પત્ની કરતા કુંવારા રહેવું ઉત્તમ છે. ચરિત્રહીન પત્ની ઘરમાં હોય તો એ ઘરમાં કદાપી સુખશાંતિ નથી હોતા.
v     જ્યાંનો રાજા પાપી હોય ત્યાની પ્રજાને કદી સુખ નથી મળતું.
v     જો કોઈ દુષ્ટ વ્યક્તિને ગુરુ પોતાનો શિષ્ય બનાવી લેશે તો ગુરુને શાંતિ નહિ મળે, અને તેને બદનામી થશે.
v     દરેક બુદ્ધિમાન વ્યક્તિએ મરઘાથી ચાર ગુણો શીખવા જોઈએ. જેમકે, સવારે વહેલા ઊઠી જવું, યુદ્ધ માટે કાયરતા ન  દાખવવી, કોઈ પણ ખવાની વસ્તુ લાવે તો પરિવાર સાથે વહેંચીને ખાવી અને પોતાની પત્નીને વફાદાર રહેવું. આ ચાર ગુણો અપનાવી જીવનારો માનવી ક્યારેય અસફળ નથી બનતો.
v     સારી રીતે લાભદાયક વાત જ્યાંથી પણ મળે, માણસે શીખી લેવી જોઈએ.
v     માણસે કાગડામાંથી ચાર ગુણો શીખવા જોઈએ. કાગડો હંમેશા એકાંતમાં મૈથુન કરે છે, લુચ્ચાઈમાં તે મોખરે છે, ક્યારેક આવનાર ખરાબ સમય માટે તે પોતાની પાસે ભોજનનો સંગ્રહ રાખે છે, તે કદી પણ આળસુ નથી બનતો અને કદી કોઈની ઉપર વિશ્વાસ નથી કરતો.
v     માનવીએ કુતરાથી પાંચ ગુણો શીખવા જોઈએ. વધારે ભૂખ હોવા છતાં જેટલું મળે તેટલું ખાઈને સંતોષ માનવો, હંમેશા ગાઢ નિંદ્રા માણવી, ગાઢ નિંદ્રામાં હોવા છતાં હંમેશા સજાગ રહેવું, વફાદારી નિભાવવી, શત્રુ અને મિત્રની ઓળખાણ રાખવી. અને શત્રુ પર આક્રમણ કરવું.
v     જો માનવી સારા ગુણો સમજી અને અપનાવી લે તો એ માનવીને જીવનભર નિષ્ફળતા નહી મળે. આવા લોકો હંમેશા ઉન્નતિ કરતા રહેશે. ધન, લાભ, યશ, કીર્તિ, બધા એ માનવીને મળે છે.
v     બુદ્ધિમાન એવા માનવીને માનવામાં આવે છે જે ધીરજવાન હોય, સહનશીલ હોય, જે દુ:ખ આવવાથી રડે નહિ અને સુખ મળવાથી એકદમ ફુલાઈ જાય નહિ.
v     ધનનો નાશ થવાથી દરેક માનવીને પીડા થાય છે. કોઈ દુષ્ટના અપમાન કરવાથી માનસિક કષ્ટ થાય છે. પરંતુ બુદ્ધિમાન માનવી એ જ છે જે દુ:ખને, કષ્ટને, હૃદય પર ભારરૂપ બનવા નથી દેતો.
v     જે લોકો ધનની લેવડ - દેવડમાં, વિદ્યા અથવા કોઈપણ પ્રકારનું જ્ઞાન શીખવામાં, ખાવા-પીવામાં અને હિસાબ-કિતાબમાં સંકોચ નથી રાખતા તેઓ સુખી થાય છે.
v     માનવી માટે એ જરૂરી છે કે લેવડ-દેવડમાં પોતાનો હિસાબ-કિતાબ (કાગળ ઉપર) ચોખ્ખો રાખે. એના વગર કોઈની સાથે લેવડ-દેવડ ન કરવી. એના લીધે જ સંબંધો પણ બગડતા નથી. કારણ કે પછી માનવી નહિ કાગળ બોલે છે.
v     જે લોકો સંતોષ અને ધીરજથી કામ કરે છે તેઓનું મન શાંત રહે છે. જેઓ ધનના લોભમાં આંધળાભીંત બની આમતેમ ભટકતા ફરે છે તેઓ પોતાના મનની શાંતિ ખોઈ બેસે છે. એવા લોકો પોતાની જાતે માનસિક રોગ લગાવી બેસે છે. જે એમના માટે ઘાતક સિદ્ધ થાય છે.
v     એવા લોકો ભાગ્યશાળી હોય છે જેઓ જે મળે છે તેમાં ખુશ રહે છે. તેમને ધનના અભાવનું કોઈ દુ:ખ નથી. હંમેશા ખુશ રહેવું તેમની આદત બની જાય છે.
v     દરેક પુરુષ માટે એ જરૂરી છે કે પોતાની પત્નીથી ખુશ રહે, ભલે પછી તે સ્વરૂપવાન ન હોય પરંતુ તેના હૃદયમાં પતિ માટે પ્રેમ હોય.
v     એવી રીતે ઘરમાં જેવું ભોજન હોય તેને ખાઈને ખુશ રહેવાની આદત રાખવી જોઈએ. ઘરનું ભોજન ગમે તેવું હોય, અમૃતથી ઓછું નથી હોતું. તેનાથી જ સુખ-શાંતિ મળે છે.
v     સંતોષથી વધીને માનવી માટે શાંતિનો બીજો કોઈ માર્ગ નથી. કારણ કે દરેક માનવીને કુદરતે તેના ભાગ્ય અનુસાર આપ્યું છે.
v     બે બ્રાહ્મણો, અગ્નિ, પતિ-પત્ની, સ્વામી અને સેવક, હળ અને બળદ આ બધાની વચમાંથી ક્યારેય પસાર થવું નહિ. કારણ કે બે બ્રાહ્મણો ગંભીર વિષય કે ધર્મ શાસ્ત્ર ઉપર ચર્ચા કરી રહ્યા હોય, આવા સમયે તેમની વચ્ચેથી કોઈ પસાર થાય તો તેમની ચર્ચામાં વિક્ષેપ પડશે અને ક્રોધે ભરાઈ કદાચ બ્રાહ્મણ તમને શાપ પણ આપી દે. પતિ-પત્ની વચ્ચેથી પણ પસાર થવું નહિ, તેમના રંગમાં ભંગ પડશે. અગ્નિ વચ્ચેથી પસાર થશો તો તે તમને બાળી નાખશે.
v     આગ, વૃદ્ધ, ગુરુ, બ્રાહ્મણ, ગાય, કુંવારી કન્યા, અને બાળકો આ બધાને ક્યારેય પગ લગાવવો જોઈએ નહિ. આવું કરવાથી પાપ લાગે છે. આ બધાનું સન્માન કરવું દરેક માનવીનો ધર્મ છે.
v     બળદગાડીથી પાંચ હાથ, ઘોડાથી દશ હાથ, અને હાથીથી સો હાથ દુર રહેવું જોઈએ. અને જો કોઈ પાપી, સ્વાર્થી અને દગાબાજ માનવી મળે તો તેનાથી દુર રહેવાની કોઈ સીમા નથી. એના માટે તો દેશ છોડીને નાસી જાઓ તો પણ સારું ગણાશે. 
v     હાથીને કાબુમાં રાખી ચલાવવા માટે અંકુશ, ઘોડાને કાબુમાં રાખી ચલાવવા માટે ચાબુક અને શીંગડાવાળા પ્રાણીઓને કાબુમાં રાખવા માટે લાકડીની જરૂર પડે છે. પરંતુ પાપી, દુષ્ટ લોકો ક્યારેય સહેલાઈથી કાબુમાં નથી આવતા. સાધારણ ઠપકાનો તેમની ઉપર કોઈ પ્રભાવ નથી પડતો. એમને વશ કરવા માટે તો તલવાર ઉઠાવવી પડે છે. આવા દુષ્ટ લોકો આવા ભયથી પણ સીધા માર્ગે ન ચાલતા હોય તો તેમની હત્યા કરી દેવામાં કોઈ બુરાઈ નથી. બુરાઈને જડથી કાપી નાખવી મોટો ધર્મ છે.
v     બ્રાહ્મણને પ્રસન્ન કરવા માટે તેને ભોજન કરાવવું જોઈએ. કાળા ઘનઘોર વાદળો છવાયેલા જોઈ મોર ખુશ થાય છે. જ્ઞાની પુરુષને બીજાને સુખી જોઈ ખુશી થાય છે.
v     બ્રાહ્મણો હંમેશા પોતાના યજમાનોને ધનવાન અને ખાતા-પીતા જોવા માંગે છે. તેમની ઈચ્છા એવી જ હોય છે કે તેમના યજમાનના ધનના ભંડાર ભરેલા રહે અને તે એમના જેવાઓને ભોજન કરાવતા રહે.
v     જો શત્રુ તમારા કરતા વધુ શક્તિશાળી હોય તો તેની સાથે પ્રેમથી વ્યવહાર કરીને તેને પોતાના વશમાં કરી લો. મીઠી મીઠી વાતો કરી તેને કાબુમાં લેવો એ પણ એક કળા છે.
v     કોઈપણ બુરા માનવી સાથે ભલાઈ કરવી ઉચિત નથી. બુરાઈને બુરાઈથી જ મારી શકાય છે. જેવી રીતે લોખંડ વડે લોખંડને કાપવામાં આવે છે.
v     અધિક શક્તિશાળી શત્રુને નમ્રતા, પ્રેમનો આશરો લઇ તેને પોતાના વશમાં કર્યા બાદ તેનાથી બદલો લો. ધર્મયુધ્ધમાં દરેક હથિયારનો ઉપયોગ થઇ શકે છે.
v     રાજાની શક્તિ તેની બહાદુર સેના હોય છે. બ્રાહ્મણની શક્તિ તેનું જ્ઞાન અને ધર્મશાસ્ત્રોનું અધ્યયન હોય છે. નારીની શક્તિ તેનું રૂપ, સૌંદર્ય તથા યુવાની હોય છે.
v     જે તળાવમાં વધારે પાણી હોય છે હંસ ત્યાં જઈને જ નિવાસ કરે છે અને જયારે પાણી સુકાઈ જાય છે તો તેઓ બીજા તળાવની શોધમાં નીકળી જાય છે. વર્ષા થયા બાદ જયારે એ તળાવમાં પાણી ભરાઈ જાય છે, તો એ હંસો પાછા ત્યાં આવી જાય છે. આ કેવળ સ્વાર્થની વાત છે. દરેક કાર્ય પોતાના સ્વાર્થ માટે ન કરવું જોઈએ. કોઈનો હાથ પકડો તો હંમેશને માટે, સુખમાં અને દુ:ખમાં સાથે રહો. દુ:ખના સમયે કોઈનો સાથ ન છોડો.
v     ક્રોધી સ્વભાવવાળા, કટુ વાણી બોલનારા,દરિદ્ર અને પોતાના સગા-સંબંધીઓ સાથે શત્રુતા રાખવાવાળા,ચરિત્રહીન તથા નીચ લોકો સાથે મિત્રતા રાખવાવાળા,નીચ લોકોની નોકરી કરવાવાળા લોકો,આ છ ખરાબ કર્મ કરવાવાળા લોકો માટે પૃથ્વી નરક ભોગવવા સમાન છે. આ છ કર્મ માનવીના સૌથી મોટા દુશ્મન છે, તેનાથી બચીને રહેવું જોઈએ.
v     અજ્ઞાનીઓ પોતાના માટે પણ કશું કરી શકતા નથી. ન તેમના પોતાના પરિવારના લોકોના હિત માટે પણ કશું કરી શકે છે, તેમજ શત્રુ સામે લડવાનું સાહસ પણ કરી શકતા નથી. તેમનું જીવન વ્યર્થ બની જાય છે.
v     માનવી માટે કેટલીક વસ્તુઓ અતિ આવશ્યક છે, જેમકે મીઠી વાણી બોલવી, વચનોનું પાલન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી.
v     તેમ જો ખરેખર સાચા માનવી બનવા માંગતા હોય તો, મહાન બનવા માંગતા હોય તો સૌથી પહેલા પોતાના હૃદયને શુદ્ધ કરો, કોઈનું પણ બુરું કરવાના વિચારો છોડી દો અને તેવા દરેક માનવીની મદદ કરો જે દુ:ખી છે, નિરાધાર છે, મજબુર છે. આજ સાચી માનવતા છે.
v     જેવી રીતે ફૂલોમાંથી સુગંધ આવે છે, તલમાંથી તેલ નીકળે છે, લાકડાને બાળવાથી આગ નીકળે છે, દૂધમાંથી ઘી અને માખણ નીકળે છે, શેરડીમાં રસ નીકળે છે અને તે રસથી ગોળ અને મોરસ બને છે. _આ બધી વસ્તુઓ કોઈને દેખાતી નથી પરંતુ તેની સત્યતાને નકારી પણ શકાય નહિ. આવી રીતે જ માનવીના શરીરની અંદર એક આત્મા વસેલો હોય છે જે આપણને દેખતો તો નથી પરંતુ તેને આપણે આપણી બુદ્ધિથી માનીએ છીએ.
v     આપણે આત્માના આ રહસ્યોને સમજીએ અને જાણી લઈએ. આપનું શરીર એક આત્મા છે. એની અંદર આત્મા એવી રીતે સમાયેલ છે જેવી રીતે તાલમાં તેલ, ફૂલોમાં સુગંધ.
v     મુર્ખ શિષ્યને ઉપદેશ આપવો. ચરિત્રહીન કન્યા અને સ્ત્રીનું ભરણ-પોષણ કરવું. દુ:ખી લોકો સાથે ઉઠવું-બેસવું. _ આ બધી વાતોથી બુદ્ધિમાન માણસો દુ:ખી થાય છે. આવા લોકો સાથે સુખી માણસો પણ બેસે તો દુ:ખી થઇ જાય છે.
v     ઘુવડ દિવસે જોઈ શકતો નથી, તેમાં સૂર્યનો શો વાંક છે ? કદીનના ઝાડ ઉપર પાંદડા તેમજ ફૂલ નથી ખીલતા તેમાં વસંતનો શો વાંક છે ? ચાતકના મોંમાં વર્ષાનું એક ટીપું નથી પડતું તેમાં વાદળનો શો વાંક છે ? આ બધું ભાગ્યને આભારી છે, વિધાતાની દેણ છે.
v     ભોજન કરતી વખતે માનવીએ હંમેશા મૌન રહેવું જોઈએ. ચુપચાપ ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભદાયી માનવામાં આવે છે.
v     સેવાનો અવસર આવતા સેવકની સેવાની જાણ થાય છે. દુ:ખ આવે ત્યારે સગા-સંબંધીઓના પ્રેમની જાણ થાય છે. સંકટની ઘડીએ મિત્રની મિત્રતાની જાણ થાય છે. નિર્ધન બની જતા પત્નીના પ્રેમની જાણ થાય છે.
v     નદી, શસ્ત્રધારી, લાંબા નહોર, શીંગડાવાળા પશુ, સ્ત્રી અને રાજદરબારના લોકો ઉપર વિશ્વાસ રાખવો ઘાતક સિદ્ધ થાય છે. નદીની લહેરો ક્યારેક ઊંડા પાણીમાં ઘસડી જાય છે. શસ્ત્રધારી ક્યારેક હુમલો કરી શકે છે. લાંબા નહોરવાળા પશુ, શીંગડાવાળા પ્રાણી ક્યારેક નહોર મારી કે શીંગડા મારી ઘાયલ કરી શકે છે. સ્ત્રી ક્યારેય પણ જુઠું લાંછન લગાવી શકે છે. તેમજ રાજકુળના લોકો નાની અમથી વાતે રોષે ભરાઈ શકે છે. એટલે તેમના તરફથી પણ ક્યારેક ખતરો ઉભો થઇ શકે છે. આ લોકો સાથે મિત્રતા કે શત્રુતા બંને ખરાબ છે.
v     ઉમદા, સ્વાદિષ્ટ ભોજન પચાવવાની શક્તિ, સુંદર પત્ની અને દાન આપવાની ક્ષમતા, આ બધી સાધારણ વાતો નથી. આ વસ્તુઓ પામવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે.
v     દરેક પર્વતના ગર્ભમાં હીરા નથી હોતા. દરેક હાથીના મસ્તકમાં મણી નથી હોતા. બધી જગ્યાએ સારા માણસો નથી મળતા. દરેક જંગલમાં ચંદનના ઝાડ નથી હોતા. દરેક ચળકતી વસ્તુ સોનું નથી હોતી.
v     દક્ષિણા લીધા બાદ બ્રાહ્મણ યજમાનને, વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ શિષ્ય ગુરુને છોડીને જતા રહે છે. એવી જ રીતે આ સંસારનો નિયમ છે કે દરેક જીવજંતુ, મનુષ્ય પોતાનું કામ પૂરું થતા આ સંસાર છોડીને જતા રહે છે.
v     નદી કિનારે આવેલા વૃક્ષો ગમે ત્યારે તૂટીને પાણીમાં વહી જાય છે. તેમ મંત્રી વગરનો રાજા ગમે ત્યારે રાજપાટ ખોઈ શકે છે.
v     આ દુનિયામાં એવો કયો માનવી છે જેમાં કોઈ દોષ ન હોય. માનવીએ એ વાત ન ભૂલવી જોઈએ કે સદા કોઈ સુખી નથી રહેતું અને સદા કોઈ દુ:ખી નથી રહેતું. સુખ - દુ:ખ તો તડકા-છાંયડાની જેમ આવતા જતા રહે છે.
v     પોતાના પરિવારની રક્ષા કરવા માટે કોઈ એકની કુરબાની આપી દેવી જોઈએ. દેશની રક્ષા કરવા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવું જોઈએ. આત્મરક્ષા કરવા માટે પોતાની જાતને કુરબાન કરવામાં સંકોચ રાખવો જોઈએ નહિ.
v     પોતાની શક્તિના બળે માનવી અશક્ય અને સખ્તમાં સખ્ત કામ આસાનીથી કરી શકે છે જો તેનામાં આત્મવિશ્વાસ હોય તો.
v     વેપારી માટે કોઈ પણ દેશ દુર નથી હોતો. તે પોતાના ધંધા માટે ગમે ત્યાં જઈ શકે છે. વિદ્વાનો માટે આ દુનિયામાં બધા માર્ગો ખુલ્લા હોય છે. તે લોકો ગમે ત્યાં જાય, દરેક દેશમાં તેનો આદર થાય છે.
v     રાજાની આજ્ઞા, કન્યાદાન અને પંડિતના શ્ર્લોકો એક જ વાર થાય છે. રાજા એક જ વાર હુકમ કરે છે. ત્યારબાદ એ હુકમનું પાલન કરવામાં આવે છે. ન કરનારને સજા મળે છે. કન્યાદાન જીવનમાં એક જ વાર કરવામાં આવે છે. પંડિતજી પણ દરેક કાર્યમાં માત્ર એક જ વાર શ્ર્લોક બોલે છે.
v     સંકુચિત માનસવાળા અને નીચ લોકોની નજરમાં ધન જ સૌથી મોટી શક્તિ છે. એ લોકો હંમેશા ધનના લોભમાં આંધળા બની ફરતા રહે છે. તેમના જીવનનો એકમાત્ર ધ્યેય હોય છે ધન પ્રાપ્ત કરવાનો.
v     મધ્યમ વર્ગના લોકો ધનની સાથે સાથે પોતાની માનમર્યાદા પણ જાળવી રાખવા માંગે છે. તેમને ધનની સાથે સાથે પોતાની ઈજ્જત -આબરૂ સાથે પણ પ્રેમ હોય છે.
v     પરંતુ આ બે વર્ગોની સાથે સાથે એક ત્રીજો વર્ગ ઉત્તમ પુરુષોનો છે. જે ધનની તુલનામાં સન્માનને જ શ્રેષ્ઠ માને છે. તેમના મત મુજબ જે માનવીની સમાજમાં પ્રતિષ્ઠા નથી, ઈજ્જત નથી તેમનું જીવન પણ મૃત્યુ કરતા બદતર હોય છે. 
v     દીપક અંધકારને ખાઈ જાય છે એટલે કે તે પ્રકાશને જન્મ આપે છે. પરંતુ તેનાથી કાજલ (કાલીમા) પેદા થાય છે. એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જે લોકો પાપની કમાણી ખાય છે. તેમના સંતાન ગુણહીન, મંદબુદ્ધિ તથા બદમાશ હોય છે, જે માતા પિતાની સેવા નથી કરતા પરંતુ તેમને હંમેશા કસ્ટ આપે છે. માટે હંમેશા મહેનતની કમાણીથી ખાવું જોઈએ. બાળકોને પણ બુરાઈથી દુર રાખો કારણ કે પાપની કમાણી તમને તથા તમારા પરિવારને લઇ ડૂબશે.
v     બુદ્ધિમાનને આપેલું ધન દાની પાસે બમણું થઈને પાછું આવે છે. એટલા માટે જેઓ દાનવીર છે તેમણે હંમેશા બુદ્ધિમાનોને જ દાન આપવું. જે વિદ્વાન નથી, દાનને યોગ્ય નથી, એવા લોકોને દાન આપવાથી કોઈ લાભ નથી. બલકે આવું દાન કરવાથી પાપ લાગે છે.
v     દાન અને ગુણ અલગ અલગ નથી તેવી રીતે પાપ અને દાન પણ એક સાથે નથી મળી શકતા. જ્ઞાની પુરુષો આ બંનેના અંતરને સારી રીતે ઓળખે છે.
v     જયારે પણ માનવીનું પેટ ખરાબ થાય છે, તેમાં દર્દ થાય છે તો તેણે દવાના રૂપમાં શુદ્ધ પાણી પીવું જોઈએ. આનાથી તેના પેટનો રોગ મટી જશે.
v     ભોજન પહેલા પાણી પીવું શક્તિદાયક માનવામાં આવે છે. ભોજન કરતી વખતે વચમાં પાણી પીવું અમૃત સમાન છે. પરંતુ ભોજન પછી પાણી પીવું વિષથી ઓછું નથી.
v     જે લોકો જ્ઞાનને લક્ષ્ય માનીને કામ નથી કરતા તેમના માટે જ્ઞાન વ્યર્થ છે, કારણ કે તે કર્તવ્ય અને અકર્તવ્યનું અંતર નથી સમજી શકતો.
v     સેનાપતિ ન હોય તો સેના વ્યર્થ છે. તેવી રીતે જ પતિ વગર પત્નીનું જીવન વ્યર્થ છે. જે ભણેલા-ગણેલા જ્ઞાની લોકો સભ્યતાનું પાલન નથી કરતા તેમની શિક્ષા વ્યર્થ છે. જ્ઞાની પુરુષ તો ઠોકર ખાઈને પણ સુધરી જાય છે. પરંતુ જેઓ અજ્ઞાની છે તેમના માટે તો સુધરવાના દ્વાર પણ બંધ થઇ જાય છે.
v     વૃદ્ધાવસ્થામાં જેની પત્ની મરી જાય, એવા સમયે ભાઈબંધુઓ દ્વારા ધન હડપ કરી લેવાનું તેમજ ભોજન માટે બીજા લોકોની દયા ઉપર જીવવાનું, અ ત્રણ વાતો પુરુષ માટે અત્યંત કષ્ટદાયક માનવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં માત્ર પત્ની જ માનવીનો સાથ આપે છે જો પત્ની સાચી પતિવ્રતા હોય તો. આવી દશામાં વૃદ્ધાવસ્થા સૌથી વધુ કષ્ટદાયક બની જાય છે. માટે દરેક માનવીએ એ અવસ્થા માટે થોડુંઘણું ધન બચાવી રાખવું જોઈએ.
v     જે લોકો યજ્ઞ નથી કરતા, દાન-પુણ્ય નથી કરતા, તેમના માટે વેદોનો પાઠ બેકાર છે. દાન વિના કોઈપણ શુભકાર્ય સફળ નથી બનતું.
v     જે લોકો માત્ર દેખાડો કરવા દાન કરે છે, પોતાની પ્રશંસા માટે યજ્ઞ કરાવડાવે છે તેવા લોકોને પણ તેમના દાન-યજ્ઞનું શુભ ફળ નથી મળતું.
v     દેવતા ન તો લાકડીઓમાં વસે છે ન તો પત્થરોમાં. એ તો કેવળ ભક્તોના હૃદયમાં વસે છે. પોતાની આત્મશક્તિના બળે તમે તેને જોઈ શકો છો. પ્રભુ સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો એ જ છે.
v     માનવીએ હંમેશા શાંત રહી સંયમથી કામ લેવું જોઈએ. ધીરજથી બધા કામો કરવા જોઈએ. ધનનો મોહ, લોભ છોડી ખાવા-પીવા સુધી જ વાત સીમિત રાખવી જોઈએ. એનાથી જ જીવનનું સાચું સુખ પ્રાપ્ત થાય છે.
v     મોહ માયાની જાળમાં ફસાયેલા કોઈપણ માનવીના આત્માને શાંતિ નથી મળતી.
v     જે વિદ્યાથી તમે પોતાનું પેટ નથી ભરી શકતા, તમારા પરિવારનું ભરણ - પોષણ નથી કરી શકતા એ વિદ્યાથી કોઈ લાભ નથી, તે વ્યર્થ છે. એ વિદ્યા ધનનો લાભ તો ત્યારે જ આપી શકે છે જયારે તમે એનો ઉપયોગ કરો.
v     જે ધનનો માત્ર સંગ્રહ કરવામાં આવ્યો હોય તેનો શો લાભ ! મૃત્યુ બાદ એ ધન અહી જ રહી જવાનું. ધનનો લાભ તો દાન આપવાથી જ થાય છે. ધનને ખરાબ કામમાં વાપરવું એ પણ પાપ છે.
v     જે પાણી ધરતીમાંથી નીકળે છે તેને શુદ્ધ માનવામાં આવે છે. પતિવ્રતા સ્ત્રી દેવી માનવામાં આવે છે. જે રાજા પ્રજાની ભલાઈની વાતો વિચારે છે તે જ રાજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને જે બ્રાહ્મણ સંતોષી હોય છે તે જ શુદ્ધ અને શ્રેષ્ઠ બ્રાહ્મણ માનવામાં આવે છે.
v     જે બ્રાહ્મણ ધનની પાછળ પાગલની જેમ દોડે છે, પોતાના ધર્મ-કર્મને ભૂલી જાય છે તે આદરને યોગ્ય નથી રહેતો.
v     જેની પાસે સંતોષ નથી અને તે આળસુ છે, તેમજ જે રાજા દ્રઢ મનોબળવાળો નથી એવા લોકોનો વિનાશ વહેલો થાય છે.
v     કેવળ ઉચ્ચ કુળમાં જન્મ લેવાથી કોઈ માનવી મહાન નથી બનતો. મહાન બનવા માટે તેને શિક્ષાની જરૂર હોય છે. માનવી ભલે હલકા કુળમાં જન્મ્યો હોય, નિર્ધન હોય, પરંતુ વિદ્યા પ્રાપ્ત કરી તે બુદ્ધિમાન, મહાન બની શકે છે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.
v     જે લોકો માંસાહારી છે, મદિરાનું સેવન કરે છે તેવા લોકોને અભણ અને અજ્ઞાની જ ગણવામાં આવે છે. એવા લોકો માનવ જન્મમાં પણ પશુઓ જેવા છે. આવા માનવજાતિમાં જન્મ લેનાર પશુ મનોવૃત્તિ ધરાવનાર લોકોના પાપોથી ધરતી ભરાઈ ગઈ છે.
v     યજ્ઞને ધર્મ પૂજાનો મહાન માર્ગ બતાવવામાં આવ્યો છે કારણ કે યજ્ઞ કરવાથી જે વાદળો બંધાય છે તેનાથી વર્ષા થાય છે. આ વર્ષાને કારણે અન્ન પેદા થાય છે. જો યજ્ઞમાં અન્નદાન કરવામાં ન આવે તો યજ્ઞ આખા દેશને બાળી નાખશે તેટલું જ નહિ તે પુરોહિતને પણ બાળી નાંખશે. જે યજમાન પોતાના પુરોહિતને દાન-દક્ષિણા નથી આપતો યજ્ઞ તેને પણ બાળીને ભસ્મ બનાવી દે છે. 
v     જે લોકો જન્મ - મરણના બંધનોમાંથી મુક્ત બનવા માંગે છે, તેમણે કામ, ક્રોધ, લોભ, મોહને પોતાના માટે ઘાતક ઝેરથી પણ વધુ ઘાતક માનવું જોઈએ. છળ, કપટ, જુઠ, દગો, આ બધાને છોડી દેવા પડશે. તેના સ્થાને દયા, ધીરજ, દીન-દુ:ખી લોકોની સેવા, સત્યનું પાલન, જુઠથી ધ્રુણા તેમજ કામ-ક્રોધથી દુર રહેવું જોઈએ. આ બધાને જીવનનું સર્વ પ્રથમ કર્તવ્ય માની પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી સાચા હૃદયથી સત્યના માર્ગે ચાલવું પડશે, એજ સાચો કલ્યાણ માર્ગ છે.
v     જેવી રીતે વિષ વગરનો સાપ કોઈ નુકશાન નથી પહોંચાડી શકતો, એવી રીતે એ બ્રાહ્મણ, જેણે પોતાની વિદ્યાને વેચી દીધી હોય અર્થાત જે પોતાની વિદ્યા વેચીને ધન કમાઈ રહ્યો હોય, સમય આવ્યે જે શુદ્રનું અન્ન પણ ખાઈ લેતો હોય, તેની કર્મશક્તિ નસ્ટ થઇ જાય છે. તે પોતાના કોઈપણ યજમાનનું ભલું કરી શકતો નથી.
v     જેવી રીતે સાપનું હથિયાર તેનું વિષ છે, તેવી રીતે જ બ્રાહ્મણે પણ જાણી લેવું જોઈએ કે તેણે ભૂલથી પણ પોતાની વિદ્યાનો સોદો ન કરવો. જ્ઞાન જ તેની શક્તિ છે.
v     આ સંસારમાં કેટલાક જીવો એવા પણ છે જેમને ઊંઘમાંથી જગાડવામાં આપણને નુકશાન જ છે. આ વાત સાપ, રાજા, સિંહ, બાળક, કોઈ બીજાનો કુતરો, તેમજ ગાંડો માનવી વગેરેને લાગુ પડે છે. આમાંથી ગમે તે એકને પણ ઊંઘમાંથી જગાડશો તો નુકશાન તમને જ થશે.
v     વિદ્યાર્થી, શાહી નોકર, ભૂખ્યો મુસાફર, ડરથી ગભરાયેલો રસોઈયો, તથા ચોકીદાર ઊંઘી રહ્યા હોય તો તેમને જગાડવામાં કોઈ સંકોચ રાખવો જોઈએ નહિ. કારણકે તેમનું કામ જાગવાથી જ થતું હોય છે.
v     વિદ્યાર્થી જો ઊંઘતો રહેશે તો એ પોતાની શિક્ષા પૂરી કરી શકશે નહિ. શાહી નોકર ઊંઘી રહ્યો હશે અને કદાચ રાજાને તેની જરૂર પડશે તો એને નોકરીથી હાથ ધોવા પડશે. ભૂખ્યો મુસાફર ઊંઘી રહ્યો હશે તો કોઈ તેને લુંટી લેશે તેવા ભયથી તે અડધો જાગતો હશે, તેને જગાડી ભોજન કરાવવું જ ઉત્તમ છે. ભયભીત રસોઈયાને જગાડી તેને ભયમુક્ત કરતા તે ઉત્તમ ભોજન બનાવશે. ચોકીદારનું ઊંઘવું તેની નોકરી માટે ખાતર સમાન છે.
v     સૃષ્ટિની રચનાથી લઈને આજ સુધી કોઈએ પણ બ્રહ્માજીને આ સલાહ નથી આપી કે : તે સુવર્ણને સુગંધિત બનાવી દે, શેરડીના ઝાડને ફળો આપે, ચંદનના ઝાડમાં ફૂલો ઉગાડી દે, વિદ્વાનને ધનવાન બનાવી દે, રાજાને લાંબુ આયુષ્ય આપે, કારણ કે બધા જાણે છે કે બ્રહ્માએ જે રચના કરી છે તે અકળ છે તેને કોઈ પામી શકવાનું નથી.
v     વિદ્વાનોના મત મુજબ બધી ઔષધીઓમાં અમૃત મુખ્ય છે. કારણ કે તેમાં બધા રોગોને દુર કરવાની શક્તિ હોય છે.
v     માનવજીવનના દરેક સુખમાં ભોજનનો મુખ્ય હાથ છે. કારણ કે આપણી ભૂખ ભાંગવાનું એકમાત્ર સાધન આ જ છે. ભૂખ્યો માનવી મોતને ભેટે છે.
v     આપણી બધી ઇન્દ્રિયોમાં મુખ્ય આપણી આંખો છે, કારણ કે દ્રષ્ટિ વિના તો આ આખું જગત એક કાળા અંધકાર સમાન છે.
v     નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ, કુસંગ તથા અધમ મનુષ્યોની સેવા.
v     આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ આ પાંચ બાબતો જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે.
v     ધાર્મિક કથા સાંભળતી વખતે, સ્મશાનની ધરતી પર અને રોગિષ્ઠ વ્યક્તિના મનમાં જે સદવિચારો ઉત્પન્ન થાય છે તે વિચારો હંમેશા માટે સ્થિર રહે તો મનુષ્ય સંસારની મોહમાયા અને બંધનમાંથી છૂટી શકે છે.
v     અધમ પુરુષને ધનની ઈચ્છા હોય છે અને મધ્યમ પુરુષને ધન અને સમ્માન બંનેની કામના હોય છે જ્યારે ઉત્તમ પુરુષ માત્ર સમ્માન ચાહે છે. મહાપુરુષોનું ધન માન-સમ્માન જ હોય છે.
v     જેઓ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવા છતાંય આત્મા-પરમાત્માના સંબંધ વિશે કશું નથી જાણતા, તેઓ આત્મજ્ઞાન મેળવ્યા વિના રહી જાય છે. ચાણક્યે આવા લોકોને કડછી સાથે સરખાવ્યા છે. જેમ કડછી સ્વાદિષ્ટ શાકમાં ફરે છે, પણ સ્વાદની મજા માણી શકતી નથી. તેવી જ પરિસ્થિતિ આ અજ્ઞાનીઓની હોય છે.
v     જે વ્યક્તિએ સંસારરૂપી જાળને કાપવા માટે ભગવાનનું સ્મરણ નથી કર્યું અને સ્વર્ગના દ્વારે પહોંચવા માટે જેણે ધર્મરૂપી ધનનો સંગ્રહ નથી કર્યો, જેણે સ્વપ્નમાં પણ નારીને પ્રેમ નથી કર્યો, તેવી વ્યક્તિ યુવાનીમાં તેને જન્મ આપનાર માતાના યૌવનરૂપી વૃક્ષને કાપનાર કુહાડો જ છે કે બીજું કંઈ ?
v     દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું.
v     આજ સુધી ન તો સોનાના મૃગ (હરણ)નું અસ્તિત્વ હોવાના પુરવા મળ્યા છે કે ન તો કોઈએ તેને જોયું છે. તેમ છતાંય શ્રીરામચંદ્ર સોનાના મૃગ (હરણ)ને પકડવા તેની પાછળ દોડ્યા હતા. એક વાત છે કે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય અથવા નિરાશાના દિવસો આવે છે, ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.
v     જેઓનાં મનમાં બીજાઓ માટે ઉપકાર કરવાની ભાવના રહેલી હોય છે, તેઓની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેઓને ડગલે ને પગલે ધનસંપત્તિ મળે છે.
v     દુષ્ટ પત્ની, ઠગ મિત્ર, આજ્ઞામાં ન રહેતો સેવક અને સાપનો ઘરમાં વાસ આ ચાર બાબતો મૃત્યુ સમાન છે.
v      
v      

No comments:

Post a Comment