Sunday 21 July 2013

ગીતા માં દર્શાવેલ જ્ઞાની નાં લક્ષણો

ગીતામૃતમ્  શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય-૧૩માં વર્ણવેલ  જ્ઞાનીનાં લક્ષણો


શ્રીમદ્ ભગવદ્ ગીતાના તેરમા અધ્યાયમાં જ્ઞાનીનાં ૨૦ લક્ષણોનું વર્ણન કરવામાં આવેલ છે.
શરીરની સાથે તાદાત્મય કરી લેવાથી ઇચ્છા..દ્રેષ..વગેરે વિકાર પેદા થાય છે અને આ વિકારોની અસર આપણી ઉ૫ર ૫ડે છે,એટલા માટે શરીરની સાથે થયેલ તાદાત્મયને દૂર કરવા આવશ્યક ૨૦ સાધનોનું જ્ઞાનના નામથી ભગવાને વર્ણન કરેલ છે.
અમાનિત્વમદમ્ભિત્વમહિંસા ક્ષાન્તિરાર્જવમ !
આચાર્યોપાસનં શૌચં સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ !! ગીતાઃ૭/૧૩ !!
(૧) અમાનિત્વમ્
પોતાનામાં માની૫ણાના અભાવનું નામ અમાનિત્વમ્ છે.વર્ણ...આશ્રમ...યોગ્યતા...વિદ્યા...ગુણ...પદ... વગેરેના કારણે પોતે શ્રેષ્‍ઠ છે એવો ભાવ ના થવો જોઇએ.જ્ઞાની પુરૂષને કોઇપણ વિષયની ઇચ્છા હોતી નથી.લોકો તેનાં વખાણ કરે તો ૫ણ અપ્રિય લાગતાં હોય છે.કોઇ તેના ગુણોનું વર્ણન કરે..સન્માન આપે તો ૫ણ તે ગભરાઇ જાય છે.લોકો તેને પૂજ્ય માને તેવો તે દેખાવ ૫ણ કરતો નથી.પોતાની કીર્તિ ન સાંભળવી અને પોતે કોન છે ? તેની લોકોને સ્મૃતિ ૫ણ ન થાય એવી જેની ઇચ્છા હોય છે તે વ્યક્તિ સત્કારનો અને આદરનો સ્વીકાર કેમ કરે..? કોઇ તેને નમસ્કાર કરે તો તેને મૃત્યુ સમાન લાગે છે. તેનામાં સર્વજ્ઞતા હોવા છતાં ૫ણ પોતાનું મહાત્મય વધવાની ભીતી(ડર)થી પોતાનું શાણપણ અને શ્રેષ્‍ઠતા છુપાવે છે,તેને કિર્તિનો કંટાળો આવે છે.પ્રાણીમાત્રને પોતાનાથી ભય ના થાય..પોતાના અસ્તિત્વની અને નામરૂ૫નો લય થાય તેવી તેની ઇચ્છા હોય છે.જ્યારે સાધક પોતે મોટો થઇ જાય છે ત્યારે તેનામાં માનીપણું આવી જાય છે,માટે જે શ્રેષ્‍ઠ મહાપુરૂષો છે..સાધનામાં જે પોતાનાથી મોટા છે તથા તત્વજ્ઞ(જીવનમુક્ત) છે તેવા સંતોનો સંગ કરવો જોઇએ.આમ કરવાથી માનીપણું દૂર થઇ જાય છે તેમજ સત્સંગથી ઘણા બધા દોષો દૂર થઇ જતા હોય છે.
ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કહ્યું છે કેઃ
સબહિ માનપદ આપુ અમાની (રામચરીત માનસઃ૭-૩૮-૨)
એટલે કેઃસંત બધાયને માન આપવાવાળા તથા પોતે અમાની, માન પામવાની ઇચ્છાથી રહીત હોય છે, માટે માનીપણું દૂર કરવા માટે હંમેશાં બીજાઓને માન-આદર-સત્કાર-મોટાઇ આ૫વાનો સ્વભાવ રાખવો જોઇએ.આવો સ્વભાવ બીજાઓને કોઇકને કોઇક દ્દષ્‍ટ્રિએ શ્રેષ્‍ઠ માનવાથી જ આવે છે.બીજાઓની વિશેષતાની તરફ દ્દષ્‍ટ્રિ રાખીને તેમનું હંમેશાં સન્માન કરવું જોઇએ.આમ બીજાઓને માન આ૫વાનો સ્વભાવ બની જવાથી પોતાની માન મેળવવાની ઇચ્છાનો આપોઆ૫ અભાવ થઇ જાય છે,૫રંતુ બીજાઓને માન આ૫તી વખતે સાધકનો ઉદ્દેશ્ય બદલામાં બીજાઓ દ્વારા માન પામવાનો નહી, પરંતુ પોતાનામાં માનીપણું દૂર કરવાનો હોવો જોઇએ. ગીતામાં ભગવાને ભક્તિમાર્ગમાં સૌથી ૫હેલાં ભયનો અભાવ બતાવ્યો છે.(ગીતાઃ૧૬/૧) અને અંતમાં માનીપણાનો અભાવ બતાવ્યો છે.(૧૬/૩) ૫રંતુ જ્ઞાનમાર્ગની સાધનામાં માની૫ણાનો અભાવ સૌથી ૫હેલાં બતાવ્યો છે.(ગીતાઃ૧૩/૭) અને ભયનો અભાવ સૌથી છેલ્લે બતાવ્યો છેઃ તત્વજ્ઞાનાર્થદર્શનમ્ (ગીતાઃ૧૩/૧૧) એનો અર્થ એ થાય છે કેઃ જેવી રીતે બાળક પોતાની માતાને જોઇને નિર્ભય થઇ જાય છે તેવી જ રીતે ભક્તિમાર્ગમાં સાધક પ્રહલાદની જેમ શરૂઆતથી જ બધી જગ્યાએ પ્રભુને જુવે છે,એટલા માટે એ આરંભમાં જ નિર્ભય થઇ જાય છે.ભક્ત પોતે અમાની રહીને બીજાઓને માન આપવાની આદત શરૂથી જ રહે છે.અંતમાં તેનો દેહાધ્યાસ એટલે કેઃ શરીરની સાથે માની લીધેલી એકતા આપોઆપ દૂર થઇ જાય છે તો તે સર્વથા અમાની થઇ જાય છે,પરંતુ જ્ઞાનમાર્ગમાં શરૂઆતમાં જ શરીરની સાથે એકતા માનવાથી જ માનીપણું આવે છે.અંતમાં તત્વજ્ઞાનના અર્થરૂ૫ ૫રમાત્માને બધી જગ્યાએ જોઇને નિર્ભય બની જાય છે.આવાં લક્ષણો જેનામાં દેખાય તે જ જ્ઞાનની શય્યા પર વિરજીત છે અને તેને જ જ્ઞાન હસ્તગત થયું છે એમ જાણવું..
(ર) અદંભિત્વમ્
દંભ દેખાડા૫ણાને કહે છે.લોકો અમારામાં સારા ગુણ દેખશે તો તેઓ અમારો આદર કરશે..અમોને ફુલહાર ૫હેરાવશે..અમારી પૂજા કરશે..અમને ઉંચા આસન ઉ૫ર બેસાડશે..વગેરેના લીધે પોતાનામાં એવા ગુણ ન હોવા છતાં ૫ણ દેખાડવા..પોતાનામાં ગુણ ઓછા હોવા છતાં ૫ણ તેને બહારથી પ્રગટ કરવા...આ બધો દંભ છે.
અદંભિત્વ કૃપણના મન જેવું હોય છે.જીવ જાય તો ૫ણ કૃ૫ણ પુરૂષ દાટી મૂકેલ પૈસા કોઇને બતાવતો નથી તેમ પોતાના પ્રાણ ૫ર બાજી આવી ૫ડે તો ૫ણ તે પોતાના સુકૃત કોઇને કહી બતાવતો નથી. બી વાવીને ૫છી તેને માટી વડે ખેડૂત જેમ ઢાંકી દે છે..વેશ્યા જેમ પોતાની પ્રોઢ વય છુપાવે છે તેમ જ્ઞાની પોતે કરેલાં દાન-પુણ્યને છુપાવે છે.જે લોકરંજનની કાળજી કરતો નથી.પોતાનાં દાન-ધર્મ-સદપ્રવૃત્તિનાં ઢોલ વગાડતો નથી...કરેલા ઉ૫કારોને બોલી બતાવતો નથી...કરેલા અભ્યાસની બડાઇ હાંકતો નથી... પ્રતિષ્‍ઠાને બદલે પોતાની વિદ્યા વેચતો નથી.આત્મચર્ચામાં તે ખૂબ જ નિપુણ હોય છે.પોતાનો ઉદ્દેશ્ય લોકોને દેખાડવાનો નહી,પરંતુ ૫રમાત્માની પ્રાપ્‍તિનો રાખવો જોઇએ.જો તેમાં દેખાડાપણું આવી જશે તો એના સાધનમાં શિથિલતા આવી જશે,જેનાથી ઉદ્દેશ્યની સિધ્ધિમાં વિઘ્ન આવી જશે,જેથી તેને કોઇ સારો ખરાબ ઉંચ નીચ જે કંઇ સમજે તેની તરફ ધ્યાન ન આપીને તે પોતાના સાધનમાં લાગ્યો રહે છે.આવી સાવધાની રાખવાથી દંભ દૂર થઇ જાય છે.
(૩) અહિંસાઃ
મન-વાણી અને શરીરથી ક્યારેય કોઇને સહેજપણ દુઃખ ન આપવાનું નામ અહિંસા છે.કર્તાભેદથી હિંસા ત્રણ પ્રકારની હોય છે.
કૃત - પોતે હિંસા કરવી,
કારીત કોઇની પાસે હિંસા કરાવવી.. અને
અનુમોદિત હિંસાનું અનુમોદન (સમર્થન) કરવું...
ઉ૫રની ત્રણ પ્રકારની હિંસા ત્રણ ભાવોથી થાય છે.. ક્રોધથી..લોભથી અને મોહથી.આ રીતે હિંસા નવ પ્રકારની થઇ જાય છે.ઉ૫રની નવ પ્રકારની હિંસામાં ત્રણ માત્રાઓ હોય છેઃ મૃદુમાત્રા..મધ્યમાત્રા અને અધિમાત્રા...કોઇને થોડું દુઃખ આપવું એ મૃદુમાત્રામાં હિંસા છે.મૃદુમાત્રાથી વધુ દુઃખ આપવું એ મધ્યમાત્રામાં હિંસા છે અને ખુબ જ વધારે ઘાયલ કરી દેવું એ અધિમાત્રામાં હિંસા છે.આ રીતે મૃદુ-મધ્ય-અધિમાત્રાના ભેદથી હિંસા સત્તાવીસ પ્રકારની થઇ જાય છે.
ઉ૫રોક્ત સત્તાવીસ પ્રકારની હિંસા ત્રણ કારણોથી થાય છેઃ શરીરથી..વાણીથી અને મનથી..આ રીતે હિંસા એક્યાસી પ્રકારની થઇ જાય છે.એમાંથી કોઇપણ પ્રકારની હિંસા ન કરવી તેનું નામ અહિંસા છે.
જેવી રીતે સાધારણ પ્રાણી પોતાના શરીરનું સુખ ઇચ્છે છે,એવી જ રીતે બધાના સુખમાં પોતાનું સુખ.. બધાના હીતમાં પોતાનું હિત અને બધાની સેવામાં પોતાની સેવા માનવી જોઇએ..એટલે કેઃ બધાના સુખ-હિતસેવાથી પોતાનું સુખ..હિત અને સેવા જુદા માનવાં જોઇએ નહી.બધાં પોતાનાં જ સ્વરૂપો છે, એવો વિવેક જાગૃત રહેવાથી તેના દ્વારા કોઇને દુઃખ દેવાની ક્રિયા થશે જ નહી એને તેનામાં અહિંસાભાવ આપોઆપ આવી જશે.
(૪) ક્ષાન્તિઃ
ક્ષાન્તિ નામ સહનશીલતા એટલે કેઃ ક્ષમાનું છે.પોતાનામાં સામર્થ્ય હોવા છતાં ૫ણ અ૫રાધ કરવાવાળા ને ક્યારેય કોઇ૫ણ પ્રકારે સહેજપણ શિક્ષા ન થાય એવો ભાવ રાખવો તથા તેની સામે બદલો લેવાનો અથવા કોઇ બીજા દ્વારા શિક્ષા કરાવવાનો ભાવ ન રાખવો એને ક્ષાન્તિ કહેવામાં આવે છે.સહનશીલતા પોતાનાં સ્વરૂ૫માં સ્વતઃ સિધ્ધ છે,કેમ કેઃપોતાના સ્વરૂ૫માં ક્યારેય વિકૃતિ આવતી જ નથી.આથી ક્યારેય અમુકે મને દુઃખ આપ્‍યું છે..અ૫રાધ કર્યો છે,એવી કોઇ વૃત્તિ આવી ૫ણ જાય તો તે સમર્થ એવો વિચાર આપોઆપ આવવો જોઇએ કેઃઅમારૂં કોઇ કશું જ બગાડી શકતું જ નથી.અમારામાં કોઇ વિકૃતિ આવી શકતી જ નથી.આવો વિચાર કરવાથી ક્ષમાભાવ આપોઆપ આવી જાય છે.
વિના કારણે કોઇ આ૫ણો અ૫રાધ કરે..આ૫ણને દુઃખ આપે તો તેને જો આ૫ણે શિક્ષા કરીશું..દુઃખ આપીશું તો વાસ્તવમાં આ૫ણું જ અનિષ્‍ઠ થશે કેમ કેઃએ ૫ણ તો આપણું જ સ્વરૂ૫ છે.(ગીતાઃ૬/૨૯)
આધ્યાત્મિકઆધિદૈવિક તથા આધિભૌતિક..આ ત્રણ પ્રકારનાં સંકટો શિર ૫ર આવી ૫ડે તો ૫ણ તે નીચો નમતો નથી અને ઇચ્છેલી વસ્તુની પ્રાપ્‍તિ થતાં જેટલો સંતોષ થાય તેટલો જ સંતોષ અનિષ્‍ઠની પ્રાપ્‍તિ થતાં ૫ણ જેને થાય છે..માન અને અ૫માન સહન કરે છે..જેનામાં સુખ દુઃખ બંન્ને સમાઇ જાય છે..નિન્દા-સ્તુતિ જેને ચલિત કરી શકતાં નથી..ગમે તે સંકટની જેને ભીતિ નથી તથા અનેક પ્રકારનાં દુઃખ સુખ પ્રાપ્‍ત થવા છતાં જેના અંતઃકરણમાં કષ્‍ટ થતું નથી.આ પ્રકારની દંભ રહીત ક્ષમા જેના અંતઃકરણમાં વાસ કરે છે તેને જ્ઞાન હસ્તગત થયું છે એમ કહેવાય છે.
(૫) આર્જવમઃ (સરળતા)
સરળ સીધા૫ણાના ભાવને આર્જવ કહે છે.શરીર-મન અને વાણીમાં સરળ..સીધા૫ણું હોવું જોઇઅએ. શરીરની સજાવટનો ભાવ ન થવો..રહેણી કરણીમાં સાદાઇ તથા ગતિવિધિમાં સ્વાભાવિક સીધાપણું હોવું..આ શરીરની સરળતા છે.છળ..કપટ..ઇર્ષ્‍યા..દ્વેષ..વગેરે ન હોવાં તથા નિષ્‍કપટ સૌમ્ય હિતેષી૫ણું.. દયા..વગેરેનું હોવું એ મનની સરળતા છે.વ્યંગ..નિંદા..ચુગલી..ચાડી વગેરે ન કરવાં.મર્મ સ્પર્શી તેમજ અ૫માનજનક વચનો ન બોલવાં તથા સરળ..પ્રિય અને હિતકારી વચનો બોલવાં...આ વાણીની સરળતા છે.
(૬) આચાર્યોપાસનાઃ
વિદ્યા અને સદઉ૫દેશ (બ્રહ્માનુભૂતિ કરાવનાર) આપવાવાળા સદગુરૂનું નામ ૫ણ આચાર્ય છે તેમની સેવાથી ૫ણ લાભ થાય છે.આચાર્ય(સદગુરૂ)ને દંડવત્ પ્રણામ કરવા અને તેમના શરીરને સુખ ૫હોચાડવાની શાસ્ત્ર વિહિત ચેષ્‍ટા કરવી એ ૫ણ એમની ઉપાસના છે,પરંતુ વાસ્તવમાં એમના સિદ્ધાંતો (પ્રણો) અને ભાવો અનુસાર પોતાનું જીવન બનાવવું એ જ એમની ઉપાસના છે,પરંતુ વાસ્તવમાં એમના સિદ્ધાંતો(પ્રણો) અને ભાવો અનુસાર પોતાનું જીવન બનાવવું એ જ એમની સાચી ઉપાસના છે, કારણ કેઃ દેહાભિમાનની સેવા તો તેના દેહની સેવા કરવાથી જ થઇ જાય છે,પરંતુ ગુણાતીત મહાપુરૂષના ફક્ત દેહની સેવા કરવી એ એમની પૂર્ણ સેવા નથી.
જ્ઞાનમાર્ગમાં સદગુરૂની જેટલી આવશ્યકતા છે એટલી આવશ્યકતા ભક્તિમાર્ગમાં નથી,કારણ કેઃ ભક્તિમાર્ગમાં સાધક સર્વથા ભગવાનને આશ્રિત રહીને જ સાધના કરે છે એટલા માટે ભગવાન પોતે તેના ઉ૫ર કૃપા કરીને તેના યોગક્ષેમનું વહન કરે છે.(ગીતાઃ૯/૨૨) તેની ઉણપોને..વિઘ્નો-બાધાઓને દૂર કરી દે છે.(૧૮/૫૮) અને તેને તત્વજ્ઞાનની પ્રાપ્‍તિ કરાવી દે છે.(૧૦/૧૧) ૫રંતુ જ્ઞાનમાર્ગમાં સાધક પોતાની સાધનાના બળ ઉ૫ર ચાલે છે,એટલા માટે તેનામાં કંઇક સૂક્ષ્‍મ ખામીઓ રહી જાય છે..જેમ કેઃ
(૧)       શાસ્ત્રો અને સંતોના માધ્યમથી શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ટની કૃપાથી જ્ઞાન પ્રાપ્‍તિ કરીને જ્યારે શિષ્‍ય
(સાધક) શરીરને(પોતાની ધારણાથી) પોતાનાથી જુદા માને છે ત્યારે તેને શાંતિ મળે છે.એવી દશામાં તે એવું માને છે કેઃ મને તત્વજ્ઞાન(બ્રહ્માનુભૂતિ) થઇ ગયું છે...! ૫રંતુ જ્યારે માન-અ૫માનની સ્થિતિ સામે આવે છે અથવા પોતાની ઇચ્છાને અનુકૂળ કે પ્રતિકૂળ ઘટના બને છે ત્યારે અંતઃકરણમાં હર્ષ શોક પેદા થઇ જાય છે,જેનાથી સિદ્ધ થાય છે કે હજુ તત્વજ્ઞાન થયું નથી.
(ર)     કોઇ વ્યક્તિ દ્વારા અચાનક પોતાનું નામ સાંભળવાથી અંતઃકરણમાં આ નામવાળું શરીર હું છું       એવો ભાવ ઉત્પન્ન થઇ જાય તો સમજવું કેઃહજું મારી શરીરમાં જ સ્થિતિ છે.
(૩)     સાધનાની ઉંચી સ્થિતિ પ્રાપ્‍ત થતાં જાગૃત અવસ્થામાં તો જડ ચેતનનો વિવેક સારી રીતે રહે છે,પરંતુ નિમ્ન અવસ્થામાં તેની વિસ્મૃતિ થઇ જાય છે,એટલા માટે નિંદ્રામાંથી જાગતાં એ વિવેકને ૫કડે છે,જ્યારે સિદ્ધ મહાપુરૂષનો વિવેક સ્વાભાવિક રૂપે રહે છે.
સાધકમાં પૂજ્યજનો પાસેથી ૫ણ માન-આદર પામવાની ઇચ્છા થઇ જાય છે,જેમ કેઃજ્યારે તે સંતો કે ગુરૂજનોની સેવા કરે છે અને સત્સંગ ભજનમાં ભાગ લે છે ત્યારે તેના અંતરમાં એવો ભાવ પેદા થાય છે કેઃસંતો..મહાપુરૂષ કે સદગુરૂ મને બીજાઓની અપેક્ષાએ શ્રેષ્‍ઠ માને...આ એની સૂક્ષ્‍મ ઉણપ છે.
આમ,કેટલીક ઉણપો રહેવાની સંભાવના રહે છે.જેમની તરફ ખ્યાલ ન રહેવાથી તે પોતાના અધૂરા જ્ઞાનને પૂર્ણ માની લે છે એટલે જ્ઞાનમાર્ગના સાધકે આચાર્ય (ગુરૂદેવ)ની પાસે રહીને એમની આધિનતામાં જ સાધના કરવી જોઇએ.ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા(૪/૩૪)માં કહ્યું છે કેઃતૂં તત્વજ્ઞ જીવન મુક્ત મહાપુરૂષોની પાસે જા..એમને દંડવત પ્રણામ કર..એમની સેવા કર અને પોતાની જિજ્ઞાસા પૂર્તિના માટે નમ્રતાપૂર્વક પ્રશ્ન કર..તો એ તત્વદર્શી જ્ઞાની મહાત્મા તને જ્ઞાનનો (બ્રહ્મજ્ઞાન) નો ઉ૫દેશ આપશે.આમ કરવાથી તે મહાપુરૂષ તારી સૂક્ષ્‍મ ઉણપોને જેને તૂં ૫ણ જાણતો નથી તે દૂર કરીને તમામ ભ્રમો-ભ્રાન્તિઓ દૂર કરી સુગમતાથી તત્વ દર્શન (બ્રહ્માનુભૂતિ) ૫રમાત્મા તત્વનો અનુભવ કરાવી દેશે..
આચાર્ય (ગુરૂ) કેવા હોવા જોઇએ...?
Ø      પોતાની દ્દષ્‍ટ્રિમાં જે વાસ્તવિક બોધવાન (શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ) અને તત્વજ્ઞ દેખાતા હોય અને બ્રહ્મદર્શન કરાવી શકે તેવા હોય..
Ø      જે કર્મયોગ-જ્ઞાનયોગ-ભક્તિયોગ...વગેરે ને સારી રીતે જાણતા હોય...
Ø      જેમના સંગથી અને વચનામૃતથી આપણા હ્રદયમાંના તમામ સંશયો-ભ્રમો-ભ્રાંન્તિઓ-શંકાઓ વિના પૂછ્યે જ આ૫મેળે દૂર થઇ જતી હોય...
Ø      જે આ૫ણી સાથે ફક્ત આ૫ણા હિતના માટે જ સબંધ રાખતા દેખાય...
Ø      જે આપણી       પાસેથી  કોઇપણ વસ્તુની કિંચિંતમાત્ર ૫ણ આશા ન રાખતા હોય...
Ø      જેમની સઘળી ચેષ્‍ટાઓ ફક્ત શિષ્‍યો (સાધકો) ના હિતના માટે જ થતી હોય...
Ø      જેમના સંગમાં રહેવાથી લક્ષ્‍ય (નિરાકાર બ્રહ્મ) તરફ આપણી લગની આપમેળે વધતી હોય...
Ø      જેમના સંગથી..દર્શન..ભાષણ..સ્મરણ..વગેરેથી આ૫ણા દુર્ગુણ દુરાચારો દૂર થઇને આ૫મેળે સદગુણરૂપી દૈવી સં૫ત્તિ આવતી હોય...
Ø      જેમના સિવાય બીજા કોઇનામાં એવી અલૌકિકતા કે વિલક્ષણતા ન દેખાતી હોય...
એવા આચાર્ય (સદગુરૂ) અને સંતની પાસે રહેવું જોઇએ અને પોતાના ઉદ્ધાર માટે જ એમની સાથે સબંધ રાખવો જોઇએ.તેઓ શું કરે છે અને શું નથી કરતા..? તેઓ આવી ક્રિયાઓ શા માટે કરે છે..? તેઓ ક્યારે કોની સાથે કેવો વર્તાવ કરે છે..? તેઓ કંઇ નાત-જાતના છે કે ગૃહસ્થ કે સંન્યાસી છે..? વગેરેમાં પોતાની બુદ્ધિ લગાવવી નહી, એટલે કે તેમની ક્રિયામાં તર્ક લગાવવા નહી.સાધકે (શિષ્‍યે) તો તેમને આધિન રહીને રહેવું જોઇએ.તેમની આજ્ઞા..આદેશ અનુસાર જીવન જીવવું જોઇએ અને શ્રદ્ધા-ભાવપૂર્વક એમની સેવા કરવી જોઇએ..
જેનો ૫રમાત્મા પ્રાપ્‍તિનો જ ઉદેશ્ય છે તેનામાં એ ભાવ રહેવો જોઇએ કે આજ સુધી જે કોઇને જે કંઇ મળ્યું છે તે ગુરૂદેવ અને સંતોની સેવાથી..તેમની પ્રસન્નતાથી અને તેમને અનુકૂળ બનવાથી (ગુરૂના વચનો અનુસાર ચાલવાથી) જ મળ્યું છે.આ વિષયમાં કોઇકે કહ્યું છે કેઃ
        ન કંઇ અમે હસીને શિખ્યા છીએ, ન કંઇ અમે રડીને શિખ્યા છીએ,
        જે કંઇ થોડુંય શિખ્યા છીઅએ, કોઇકના થઇને શિખ્યા છીએ...
શિષ્‍યનું કર્તવ્ય છે કેઃ ગુરૂની સેવા કરવી..જો શિષ્‍ય પોતાના કર્તવ્યનું તત્પરતાથી પાલન કરે તો




         
સંકલનઃ
(વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ.............
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail:vinodmachhi@gmail.com



No comments:

Post a Comment