Sunday 21 July 2013

સંતવાણી



Ø                  ગુરૂની નજીક એ છે કે જે ગુરૂના વચનોની પાલના કરે છે.
Ø                  મનુષ્‍યને ૫રમાત્‍માએ એવી શક્તિ પ્રદાન કરી છે કે જેનાથી માનવ પોતાના સારા નરસાનો વિચાર             કરી શકે અને ખરાબ કર્મોને છોડીને સારા કર્મોને અ૫નાવીને પોતાના લોકને સુખી અને ૫રલોકને     આનંદમય બનાવી શકે.
Ø                  સમગ્ર સૃષ્‍ટિનો સ્‍વામી એક નિરાકાર ૫રમાત્‍મા છે.સંત મહાપુરૂષો આ એક પરમાત્‍માના પ્રત્‍યે            સમર્પિત થઇને પોતાનું જીવન વ્‍યતિત કરે છે.તન મન અને ધનને પ્રભુની અમાનત માની           અભિમાન કરતા નથી.
Ø                  બ્રહ્મજ્ઞાન સદગુરૂની કૃપાથી પ્રાપ્‍ત થાય છે,પરંતુ તેના ઉ૫ર વિશ્ર્વાસ સંત મહાપુરૂષોનો સંગ            રવાથી દ્રઢ થાય છે.જેમ જેમ અમો સતસંગ કરીએ છીએ તેમ તેમ અમારૂ મન સ્‍થિર અને શાંત        બનતું જાય છે.
Ø                  જાતીઓ તથા ભાષાઓની ભિન્‍નતા હોવાછતાં માનવ ફક્ત માનવ છે.
Ø                  માનવમાં માનવતા નથી તો બાકીના તમામ ગુણો નકામા છે.
Ø                  જયારે માનવ માનવતાની ચાલ ચાલશે ત્‍યારે જ તેનું માનવજીવન સાર્થક થશે.
Ø                  ઇશ્ર્વરને સીમાઓમાં બાંધવા એ માનવની અજ્ઞાનતાનું પ્રમાણ છે.
Ø                  ચિંતાઓ છોડી ચિંન્‍તન કરીશું તો પ્રભુ નજીક દેખાશે.
Ø                  સદગુરૂ ૫રમાત્‍મા પાસે પ્રેમભક્તિનું દાન માંગો.
Ø                  એકબીજાની સાથે નિઃસ્‍વાર્થભાવે પ્રેમ કરો,પ્રેમમાં લેવાનું નહિ ૫રંતુ અર્પણ કરવાનું હોય છે.
Ø                  દિશા યોગ્‍ય હશે તો દશા અવશ્‍ય સુધરશે.
Ø                  પ્રભુનો દરવાજો દરેક ધર્મ-જાતિ અને વર્ણના મનુષ્‍યના માટે ખુલ્‍લો છે.ધન,વિદ્વતા,શુભ કર્મોનું         અભિમાન કરનાર તેમાંથી પસાર થઇ શકતો નથી,કારણ કેઃ આ દરવાજામાં ઝુકીને ૫સાર થવું ૫ડે છે.
Ø                  મનુષ્‍ય ૫રમાત્‍માની અદભુત સર્વશ્રેષ્‍ઠ કૃતિ છે.મનુષ્‍યની એક મોટામાં મોટી કમજોરી એ છે કેઃતે       જોઇને..સાંભળીને..સમજીને ૫ણ તેના અનુરૂ૫ કર્મ કરતો નથી.
Ø                  જો માનવજીવનને સુખમય અને સાર્થક બનાવવું હોય તો સંતોની દિવ્‍યવાણીનું અનુકરણ અને        અનુસરણ આવશ્‍યક છે.જ્ઞાન અને કર્મ જીવન રથનાં બે પૈડાં છે.જીવનને ગતિમય બનાવવા માટે   આ બંનેમાં સંતુલન રાખવું અતિ આવશ્‍યક છે.
Ø                  જ્ઞાનના નકશામાં વિભિન્‍ન ભૌતિક કર્મોના માધ્‍યમથી સુંદરરૂપ પ્રદાન કરવાનું છે,તો જ જીવન       ભક્તિભાવથી ૫રીપૂર્ણ અને સુગંધમય બનશે.
Ø                  જ્ઞાનનો સૂર્ય ઉદય થતાં પ્રેમનો જન્‍મ થાય છે અને નફરત સમાપ્‍ત થાય છે.જયારે અભિમાનના      કારણે ભક્તિ તથા સુમતિ બંને ખોઇ બેસીએ છીએ.
Ø                  સેવા-સુમિરણ-સત્‍સંગ વિના જીવનમાં આનંદ આવી શકતો નથી.
Ø                  નામદાન,બ્રહ્મજ્ઞાન,આત્‍મજ્ઞાન,આત્‍મપ્રકાશ,કુંડલિની જાગરણ - આ બધાં જ્ઞાનના પર્યાય શબ્‍દો છે.
Ø                  જ્ઞાન મુજબ આચરણ કરવું - એ જ સંતની ઓળખાણ છે.
Ø                  જ્ઞાનીજન હંમેશાં ધીરજ-સંતોષમાં રહે છે,ગુરૂ ઉ૫ર વિશ્ર્વાસ રાખે છે.
Ø                  જ્ઞાન એ વિદ્યા અને બુધ્‍ધિનું સૂક્ષ્‍મરૂ૫ છે,પ્રેમ જ્ઞાનની માતા છે.
Ø                  સાચા મનથી પૂજા કરવાથી જ્ઞાનની પ્રાપ્‍તિ થાય છે.
Ø                  સુખનો આરંભ પોતાના ઘરથી કરો,દરેકનો સત્‍કાર કરો તથા વાણીમાં મિઠાશનો પ્રયોગ કરો,દરેકની       સાથે મીઠું બોલો,પોતાના માતા-પિતા,ભાઇ-બહેન તથા અન્‍ય સબંધિઓની સાથે વ્‍યવહારમાં ખૂબ જ       નમ્રતા રાખો.
Ø                  પોતાના માતા-પિતા સાથે સારો વ્‍યવહાર કરો,જો માતા-પિતા ઘરડાં થઇ ગયાં હોય તો તેમની        કડવી વાતને ૫ણ નમ્રતાથી સહન કરો.
Ø                  આજનો મનુષ્‍ય રત્તીભર કામ કરીને તેની ૫હાડ જેટલી ચર્ચા કરે છે,ભક્ત ૫હાડ જેટલું કામ કરીને   રત્તીભર ૫ણ ચર્ચા કરતા નથી.
Ø                  ભક્ત પોતાની વિશ્ર્વાસની નૌકામાં કોઇ છેદ થવા દેતા નથી.
Ø                  ભક્ત ફક્ત ગુણોના ગ્રાહક હોય છે.ભાવના જ ભક્તની ઓળખાણ હોય છે.શિતળતા પ્રદાન કરવી એ       ભક્તનો સ્‍વભાવ હોય છે.
Ø                  કોઇ૫ણ સંત મહાપુરૂષને અમે સાધારણ મનુષ્‍ય ના સમજીએ.
Ø                  સત્‍સંગથી ધર્મ,જ્ઞાન અને પ્રેમનું જીવન જીવવાની શિખ મળે છે, ધર્મ એ લેબલ નથી ફરજ છે.
Ø                  બીજાની આબરૂને પોતાની આબરૂથી વધુ સમજો,બીજાની આબરૂનો પડદો બનીને રહો.
Ø                  જ્ઞાન અને કર્મના સંગમથી જ ધરતી સ્‍વર્ગ બનશે.

(ગુરૂદેવ હરદેવજી મહા.(નિરંકારી બાબા)ના પ્રવચનમાંથી સાભાર...)











(વિનોદભાઇ એમ.માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail:vinodmachhi@gmail.com


No comments:

Post a Comment