Sunday 21 July 2013

મણિરત્નમાળા



Ø     વિષયાસક્ત એ જ બંધાયેલો કહેવાય છે.
Ø     વિષયોમાં વૈરાગ્ય એ જ મુક્તિ છે.
Ø     દેહાસક્તિ એ જ ભયાનક નરક છે.
Ø     તૃષ્‍ણાનો ક્ષય થવો એ જ સ્‍વર્ગ છે.
Ø     શ્રૃતિજનિન આત્મજ્ઞાનથી સંસાર બંધન કપાય છે.
Ø     પૂર્વોક્ત આત્મજ્ઞાનએ મુક્તિનો હેતુ છે.
Ø     નારી-એ નરકનો એકમાત્ર દરવાજો છે.
Ø     જીવોની અહિંસાથી સ્‍વર્ગની પ્રાપ્‍તિ થાય છે.
Ø     સમાધિનિષ્‍ઠ અને ૫રમાત્મામાં નિરૂધ્‍ધ ચિત્તવાળો સુખથી સુવે છે.
Ø     સત્ અને અસત્નો વિવેકી જ જાગૃત કહેવાય છે.
Ø     પોતાની ઇન્દ્રિયો જ પોતાની શત્રુ છે,પરંતુ એ જ ઇન્દ્રયો જીતી લીધી ૫છી મિત્ર બની જાય છે.
Ø     જેની તૃષ્‍ણાઓ વધી ગઇ છે તે દરિદ્ર છે.
Ø     જે પૂર્ણ સંતોષી છે તે જ સાચો ધનવાન છે.
Ø     ઉધમહીન જીવતાં જીવતાં મરેલો છે.
Ø     જે ભોગોથી નિરાશ છે તેને જ જીવિત કહેવાય.
Ø     મમતા અને અને અભિમાન એ જ ફાંસી છે.
Ø     નારી(કામાસક્તિ)- એ મદિરા જેવી મોહિત કરનારી છે.
Ø     કામાતુર એ મહાન આંધળો છે.
Ø     પોતાનો અ૫યશ એ મૃત્યુ સમાન છે.
Ø     જે હિતો૫દેશ આપે તે ગુરૂ છે.
Ø     જે ગુરુનો ભક્ત છે તે શિષ્‍ય કહેવાય છે.
Ø     ભવરોગ એ લાંબામાં લાંબો રોગ છે.
Ø     સત્ અસત્ નો વિચાર એ ભવરોગ મટાડવાની દવા છે.
Ø     સત્ ચરીત્ર એ ઉત્તમમાં ઉત્તમમાં ભૂષણ છે.
Ø     પોતાનું વિશુધ્ધ-એ ૫રમ તિર્થ છે.
Ø     કામિનિ અને કંચનની આસક્તિ છોડવી જોઇએ.
Ø     સદગુરુનો ઉ૫દેશ અને વેદવાક્યો હંમેશાં સાંભળવાં જોઇએ.
Ø     સત્સંગ-દાન-વિચાર અને સંતોષ..આ બ્રહ્મપ્રાપ્‍તિનાં સાધન છે.
Ø     તમામ વિષયોમાં વિતરાગ છે તે જ સંત છે..તે મોહ રહિત બ્રહ્મતત્વમાં નિષ્‍ઠાવાન છે.
Ø     ચિન્‍તા એ પ્રાણીઓનો જ્વર છે.
Ø     વિવેકહીનને મૂર્ખ કહેવાય છે.
Ø     જે દોષરહિત જીવન છે તે જ જીવન છે.
Ø     જે બ્રહ્મની પ્રાપ્‍તિ કરાવે તે જ વિધા છે.
Ø     જે મુક્ત કરાવે તે જ જ્ઞાન કહેવાય છે.
Ø     જેને મનને જીત્યું છે તેને જ જગતને જીત્યું કહેવાય છે.
Ø     જે કામબાણથી પીડિત નથી તે જ મહાવીર છે.
Ø     જે લલના કટાક્ષથી મોહિત થતો નથી તે સમતાવાન ધીર અને પ્રાજ્ઞ છે.
Ø     તમામ વિષયો એ વિષ સમાન છે.
Ø     વિષયાનુરાગી હંમેશાં દુઃખી રહે છે.તમામઅવસ્‍થામાં વિષયોમાં સ્‍નેહ અને પા૫ ન કરવા જોઇએ.
Ø     વિદ્વાનોએ પ્રયત્નપૂર્વક શાસ્‍ત્ર પાઠન અને ધર્મકાર્ય કરવા જોઇએ.
Ø     વિષયોની ચિન્‍તા  એ સંસારનું મૂળ છે.
Ø     મૂર્ખ-પાપી-નીચ અને લુચ્‍ચા માણસોનો સંગ ના કરવો તથા તેમની સાથે નિવાસ ના કરવો.
Ø     મુમુક્ષુ વ્‍યક્તિઓએ સત્‍સંગ-નિર્મમતા- અને ઇશ્ર્વર ભક્તિ કરવી જોઇએ.
Ø     યાચના એ હીનતાનું મૂળ છે.
Ø     જેનો પુનઃજન્‍મ ના થાય તેનો જ જન્મ સાર્થક છે.
Ø     કામ,ક્રોધ,અસત્ય,લોભ અને તૃષ્‍ણા એ મહાશત્રુઓ છે.
Ø     કામી વ્યક્તિ ક્યારેય વિષયભોગથી તૃપ્‍ત થતા નથી.
Ø     મમતા એ દુઃખનું કારણ છે.
Ø     મૃત્યુ નજીક આવે ત્યારે બુધ્ધિમાન પુરૂષે તન-મન-વચનથી યમના ભયના નિવારણ કર્તા,સુખ દાયક પ્રભુના ચરણકમળોનું ધ્યાન કરવું જોઇએ.
Ø     જેનું મન ૫વિત્ર છે એ જ ૫વિત્ર કહેવાય છે.
Ø     ગુરૂજનો તથા મોટા વડીલોનું અ૫માન વિષતુલ્ય છે.
Ø     સ્નેહ એ મદિરાની સમાન મોહજનક છે.
Ø     યૌવન-ધન અને આયુષ્‍ય..કમળપત્ર ઉ૫ર સ્‍થિત જળની જેમ ચંચળ છે.
Ø     સંત  મહાત્મા ચંદ્ર કિરણોની જેમ નિર્મળ હોય છે.
Ø     તમામ સંગોનો ત્યાગ એ જ સુખ છે.
Ø     જેના દ્વારા પ્રાણીઓનું હિત થાય એ જ સત્ય છે.
Ø     તમામ પ્રાણીઓને પોતાના પ્રાણ પ્રિય હોય છે.
Ø     કામના રહિત દાન એ જ યથાર્થ દાન છે.
Ø     જે પા૫ કર્મથી દૂર લઇ જાય તે જ સાચો મિત્ર છે.
Ø     શીલ એ જ આભૂષણ છે.
Ø     જે પોતાના હિતની વાત સાંભળતો નથી તે બહેરો છે.
Ø     જે પ્રિય વચન બોલતો નથી તે ગૂંગો છે.
Ø     મૂર્ખતા એ મરણ છે.
Ø     ગુપ્‍ત પા૫ મૃત્યુના સમય સુધી ડંખે છે.
Ø     સત્ ચરિત્રવાન જ સાધુ કહેવાય છે.
Ø     સત્યનિષ્‍ઠ અને સહનશીલ(ક્ષમાવાન) જગતને જીતવામાં સમર્થ છે.
Ø     નાસ્‍તિક આંખો હોવા છતાં આંધળો છે.
Ø     સદ્ બુધ્ધિયુક્ત પુરૂષોએ  પારકા દોષ અને મિથ્યા વાતો ન કરવી જોઇએ.
Ø     જાગ્રતનો વ્‍યવહાર સ્‍વપ્‍નતુલ્ય છે.
Ø     માતા એ પ્રત્યક્ષ દેવતા છે.
Ø     પિતા એ સર્વ દેવતા સ્‍વરૂ૫ ,પૂજ્ય અને ગુરૂ છે.
Ø     અવિધાની નિવૃત્તિ એ મોક્ષ છે.
Ø     ભગવદ્ ભક્તિનું ફળ છેઃ ભગવદ્ ધામની પ્રાપ્‍તિ કે સ્‍વ-સ્‍વરૂ૫નો સાક્ષાત્કાર...



સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com



No comments:

Post a Comment