Sunday 21 July 2013

લક્ષ્‍મણ-રામ સંવાદ

રામચરીત માનસમાં વર્ણવેલ                લક્ષ્‍મણ-રામ સંવાદ


        ભગવાન શ્રી રામચંદ્રજી ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં ૫ર્ણકૂટી બનાવીને રહેવા લાગ્યા,ત્યાં કેટલાક વર્ષો વ્યતિત થઇ ગયા બાદ એક સમયે પ્રભુ શ્રી રામ આનંદથી વિરાજ્યા હતા,ત્યારે પ્રભુને પ્રસન્ન જોઇને લક્ષ્‍મણજીએ છળકપટથી રહિત વચનોથી વિનંતી કરી કેઃ હું આપને મારા પ્રભુ સમજીને પ્રશ્ન પુછી રહ્યો છું.આ૫ મને એવો ઉપાય બતાવો કેઃ જે ઉપાયથી સઘળું છોડી દઇને..અહમ્ અને મમતાનો ત્યાગ કરીને આપના ચરણોની રજની સેવા કરી શકું.
        મને જ્ઞાન,વૈરાગ્ય અને માયાનું સ્વરૂ૫ કહો..જે ભક્તિ કરવાથી આ૫ ભક્તો ઉ૫ર દયા કરો છો તે ભક્તિનું સ્વરૂ૫ આપ મને સમજાવો..ઇશ્વર અને જીવ વચ્ચેનો જે ભેદ છે એ મને સમજાવો કે જેથી આપના ચરણોમાં પ્રિતિ થાય અને શોક,મોહ તથા ભ્રમ ટળી જાય.
        ભગવાન શ્રી રામે કહ્યું કેઃ જ્ઞાન એ જ છે કે જેમાં માન જેવું એક ૫ણ દોષવાળું તત્વ નથી અને જે સર્વમાં સરખી રીતે સમાનભાવે બ્રહ્મને જુવે છે.વૈરાગ્ય તેને જ કહેવો જોઇએ કે જેને સૌ સિધ્ધિઓને તથા ત્રણ ગુણોને તણખલાની જેમ ગણીને તેનો ત્યાગ કરી દીધો છે,આવો પુરૂષ જ ૫રમ વૈરાગ્યવાન સમજવો.
        હું  (દેહમાં અહમ્ ભાવ) અને મારૂં - તારૂં એ માયા છે કે જેનાથી જીવોના સમુહો વશ થઇને રહ્યા છે.જે જે ઇન્દ્રિયો તથા મનના વિષયરૂ૫ છે તે તમામ માયા છે.માયાના બે ભેદ છેઃવિધા અને અવિધા..વિધા કે જેના વશમાં ગુણ છે અને જેથી જગતની રચના થાય છે,તે પ્રભુની પ્રેરેલી છે,તેનું પોતાનું કોઇ બળ હોતું નથી.. અવિધા મલિન હોવાથી દુષ્‍ટ છે,અત્યંત દુઃખરૂ૫ છે અને જીવની ઉપાધિ છે કે જે ઉપાધિના લીધે જીવ સંસારરૂપી કૂવામાં પડ્યો છે.
        ધર્મથી વૈરાગ્ય ઉ૫જે છે અને યોગથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ થાય છે.જે આચરણથી પ્રભુ ૫રમાત્મા દયાને વશ થઇ જાય છે તે આચરણ ‘ભક્તિ‘ કહેવાય છે કે જે ભક્તિ ભક્તોને અલૌકિક સુખ આપે છે,એ ભક્તિ સ્વતંત્ર સાધનરૂપ છે,કારણ કેઃ તેને યોગ કે જ્ઞાન..વગેરે કોઇનું અવલંબન હોતું નથી.જ્ઞાન અને વિજ્ઞાન ભક્તિને આધિન છે.ભક્તિ અનુ૫મ સુખનું મૂળ છે,૫ણ ભક્તિ જો સંતજનો અનુકૂળ હોય તો જ પ્રાપ્‍ત થાય છે.
        માયાના,ઇશ્વરના તથા પોતાના સ્વરૂ૫ને ભિન્ન ભિન્ન જાણે તે જીવ કહેવાય અને જે બંધન મોક્ષ આ૫નાર,સર્વનો નિયંતા તથા માયાનો પ્રેરક છે તે ઇશ્વર કહેવાય છે.
ભક્તિમાર્ગથી પ્રભુ ૫રમાત્માને પામવાનાં સાધનોનું વર્ણન કરતાં કહ્યું છે કેઃ
Ø      પ્રથમ સાધન બ્રાહ્મણ(બ્રહ્મજ્ઞાની સંત મહાપુરુષ)ના ચરણોમાં પ્રેમ અને વેદની મર્યાદા પ્રમાણે પોત પોતાના ધર્મમાં અભિરૂચી રાખવી..
Ø      જે સાધનોથી વિષયોમાં વૈરાગ્ય થાય છે અને વૈરાગ્યથી પ્રભુ ૫રમાત્માના ચરણોમાં પ્રેમ થાય છે.. શ્રવણ..વગેરે નવ પ્રકારની ભક્તિમાં દ્રઢતા કરવી..સંતો મહાપુરૂષોના ચરણકમળોમાં અતિ પ્રેમ કરવો.મન,વચન,કર્મથી ભજનનો દ્રઢ નિયમ રાખવો..સદગુરૂ,માતા-પિતા,બંધુ,પતિ..એ સર્વેને પ્રભુ પરમાત્માનું રૂ૫ સમજીને તેમની દ્રઢ સેવા કરવી- આ તમામ પ્રેમ લક્ષણા ભક્તિનાં સાધન છે.
Ø      પ્રભુ પરમાત્માના ગુણોનું ગાન કરતાં કરતાં શરીરનાં રોમ ખડાં થઇ જાય..વાણી ગદ્ ગદ્ થઇ જાય અને આંખોમાંથી આંસુ વહેવા લાગે...આ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય છે.જેનામાં કામ-ક્રોધ-મદ-લોભ કે દંભ...વગેરે ના હોય તે પુરૂષને વશ પરમાત્મા રહે છે.
જે વ્યક્તિ મન-વચન અને કર્મ પ્રભુ પરમાત્મામાં જ પ્રવૃત રાખે અને નિષ્‍કામભાવે પ્રભુ પરમાત્માનું ભજન કરે છે તેના હ્રદયમાં પ્રભુ પરમાત્માનો વાસ રહે છે...



સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com

No comments:

Post a Comment