Wednesday 23 October 2024

કળિયુગના પ્રભાવથી અમે ક્યાં જઇ રહ્યા છીએ..?

 

કળિયુગના પ્રભાવથી અમે ક્યાં જઇ રહ્યા છીએ..?

 

મર્યાદાહીનતા વિકારોની જનની છે.જે મનુષ્ય મર્યાદાઓનું પાલન કરતો નથી તેનું સમાજ કે પરીવારમાં કોઇ સન્માન કરતું નથી અને લોકો તેને ઘૃણાની નજરથી જુએ છે.મર્યાદા એક પ્રકારનું અનુશાસન છે જે સ્વસ્થ પરંપરાનું પ્રતિક છે.મર્યાદાનો સબંધ આંતરીક નૈતિકતા સાથે છે.મર્યાદાની અંદર શાલિનતા, સ્પષ્ટતા, વિનમ્રતા અને માધુર્યનો સમાવેશ છે.મર્યાદા પાલન એ માનવની તમામ સાધનાઓનું મુખ્ય લક્ષ્ય છે.

 

પશ્ચિમના દેશો દ્વારા પ્રચારીત નગ્નપણાના ષડયંત્રનો શિકાર ભારતની હિન્દુ દિકરીઓ,મહીલાઓ બની છે.જેમનામાં આપણા દેશ-ધર્મ અને ઇતિહાસનું જ્ઞાન શૂન્ય છે અને કપડાં ઉતારવા આતુર,ઉત્સુક આ દિકરીઓ અને મહિલાઓ પોતે પોતાને મોર્ડન સિદ્ધ કરવાની કોશિષમાં પોતાને સમાજમાં પ્રતિષ્ઠિત માની લે છે.એક ભ્રમ-વહેમ જેનાથી કોઇ લાભ નથી તથા હિન્દુ દીકરીઓને ઉન્મુક્ત્ત જીવન,બંધન રહિત પરંપરાની તરફ લઇ જનાર પુરી પ્રક્રિયા છે.નારીના પહેરવેશમાં પારસી,મુસ્લિમ મહિલાઓમાં કોઇ ફેરફાર થયો નથી ફક્ત હિન્દુ દિકરીઓમાં જ ફેરફાર જોવા મળે છે અને લવજિહાદનું સૌથી મોટું મૂળ આ જ છે. જે નારી પોતાના સારા અને સાચા માં-બાપ,વડીલોની મર્યાદા તોડીને છટકીને બહાર નીકળી સ્વચ્છંદી થઇ ગઇ હોય તેની જુવાની બગડે છે.

 

આ બધો કળિયુગનો પ્રભાવ છે..કળિયુગનું ભયંકર રૂપ કેવું હશે? તે અંગે ધર્મશાસ્ત્રોમાં કહયું છે કે અત્યાર સુધી સતયુગ-ત્રેતા અને દ્વાપરયુગ વિતી ગયા છે અને અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે.પુરાણો અનુસાર કળિયુગની સાથે જ દુનિયા સમાપ્ત થઇ જશે.કળિયુગમાં બીજા યુગો કરતાં વધુ અધર્મ અને પાપ વધી જશે.ચાર લાખ બત્રીસ હજાર વર્ષનું કળિયુગનું આયુષ્ય છે.અત્યાર સુધી કળિયુગના ૫૧૨૫ વર્ષ થયા છે.આટલા ઓછા વર્ષોમાં કળિયુગ પોતાની ચરમસીમા ઉપર છે.

 

કળિયુગના આખરી સમયે તમામ શહેરો ગામડા જેવા બની જશે,ગામડા સ્મશાન જેવા થશે,સુખી લોકો નિર્લજ બનશે,કુળવાન સ્ત્રીઓ વેશ્યા જેવી બની જશે,રાજા યમદંડ જેવા થશે,કુટુંબીજનો દાસ જેવા થશે,પૂત્ર સ્વેચ્છાચારી થશે,શિષ્ય ગુરૂનું અપમાન કરશે,સજ્જન પુરૂષો દુઃખી થશે અને જે દુર્જન હશે તે સુખી થશે,પૃથ્વી ખરાબ અને દુષ્ટ તત્વોથી આકુળ-વ્યાકુળ થશે,વિદ્યાનો વેપાર થશે,વિદ્યા મંત્રો તથા ઔષધિઓનો પ્રભાવ નહી રહે,શિષ્યો અંદરોઅંદર લડાઇ ઝઘડા કરશે,મલેચ્છો(મોગલો) બળવાન થશે, જૂઠ-કપટ ઘણું વધી જશે,સત્ય બોલનારની હાર થશે અને અનીતિ કરનારા લોકોને અંદરોઅંદર સારૂં બનશે, લગ્ન માટે કુળ-ચરિત્ર અને યોગ્યતા વગેરે જોવામાં નહિ આવે,છોકરા-છોકરીઓ જાતે પોતપોતાની રૂચીથી જ લગ્ન કરી લેશે.ગમે તેનું લગ્ન ગમે તેની સાથે થશે,જાતિ-પાંતિનો કોઇ ભેદભાવ રહેશે નહી.શાસ્ત્ર વિધિ-વિધાન,સંસ્કાર વગેરેની લોકોને કોઈ જરૂર નહિ લાગે.

 

સ્ત્રીઓનો આકાર નાનો થઈ જશે,તેમની ભુખ વધી જશે અને એમને સંતાનો બહુ થશે.સ્ત્રીઓ પોતાના કુળની મર્યાદાઓનું ઉલ્લંધન કરીને લાજ વગેરેને છોડી દેશે અને હંમેશાં કડવી વાણી બોલશે,ચોરી અને કપટ કરવામાં પ્રવીણ થશે,તેમનામાં સાહસ બહુ વધી જશે.કળિયુગમાં મનુષ્યો બહુ જ લંપટ બની જશે.પોતાની કામવાસનાઓ તૃપ્ત કરવા માટે જ કોઈકને પ્રેમ કરશે.લોકો વિષયવાસનાઓથી એટલા બધા ધેરાઈ જશે કે પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રોને છોડીને ફક્ત પોતાના સાળા અને સાળીઓની જ સલાહ લેશે.સ્ત્રી અને પુરૂષોની શ્રેષ્ઠતાનો માપદંડ શીલ અને સંયમ ન રહેતા કેવળ કામક્રીડા બની રહેશે.

 

પોતાના સામાજીક વ્યવહાર અને સેવા-સત્કારની સાથે સાથે પોતાનો ૫તિ પોતાનાથી સંતુષ્ટ હોવો જોઇએ.ભગવાનની કૃપા તે જ નારીઓને પ્રાપ્ત થાય છે કે જે યોગ્ય મર્યાદાનું પાલન કરતાં કરતાં પોતાના પતિને પ્રસન્ન કરે છે.નારી પૂર્ણ રીતે ૫તિવ્રતા તથા આદર્શ ર્માં હોવી જોઇએ.

 

અવતારી પુરૂષો પોતે મર્યાદામાં રહીને બીજાને મર્યાદિત જીવન જીવવાનો રસ્તો બતાવે છે.શ્રીમદ ભગવદ્ ગીતા(૩/૨૧)માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે "શ્રેષ્ઠ પુરૂષ જે જે આચરણ કરે છે અન્ય માણસો પણ તેવું તેવું આચરણ કરે છે, તે જે કંઇ પ્રમાણ કરી આપે છે બીજા મનુષ્યો તે પ્રમાણે આચરણ કરે છે."

 

દેશમાં સમાજના હિતોને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો બનાવવામાં આવે છે તે નિયમોનું પાલન કરવું એ તમામ નાગરીકોની જવાબદારી છે.કયા સમાજે કેટલી પ્રગતિ કરી છે તે તેના મર્યાદા પાલન ઉપર આધારીત હોય છે.બીજાઓની ભાવનાને સમજવી,તેમને સન્માન આપવું, મીઠા શબ્દોનો ઉપયોગ કરવો, બીજાની યથાશક્તિ સેવા કરવી, સમાજમાં કોઇને નાના સમજી તેમનો તિરસ્કાર ન કરવો,ઘૃણા ન કરવી, તમામને માનવીય દ્રષ્ટિથી જોઇ સમભાવથી યથાયોગ્ય વ્યવહાર કરવો..આવા નિયમોના પાલનથી સમાજ ઉન્નત બને છે. સમાજના નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્વાર્થી લોકોને ક્યારેય માનસિક શાંતિ મળતી નથી, વ્યક્તિની માનસિક શાંતિના માટે પણ મર્યાદા જરૂરી છે.મર્યાદાની સૌથી વધુ જરૂર આધ્યાત્મિક જીવનમાં પડે છે.પરીવારમાં પણ કેટલાક નિયમો હોય છે, રીતિ-રિવાજ હોય છે,મર્યાદા હોય છે જેનું પાલન કરવું દરેક સદસ્યની ફરજ છે.મર્યાદામાં રહેવું,અનુશાસનમાં રહેવું સ્વસ્થ સભ્યતાનું પ્રતિક છે.બાળકો સાથે સ્નેહયુક્ત વ્યવહાર કરવો, મોટાઓનો આદર-સત્કાર કરવો અને અતિથિ સત્કાર કરવો એ શુભ મર્યાદાનું પ્રતિક છે.મહાત્માઓ જાણે છે કે પરીવારજનો સાથે કેવો વ્યવહાર કરવો જેનાથી પ્રેમભર્યું વાતાવરણ બનેલું રહે.સુખી ગૃહસ્થાશ્રમ એ જ છે કે દરેકના મનમાં લાલસા કે કામના ન હોય અને ઉત્તમ વિચાર અને ઉત્તમ કર્મ હોય, દરેકના પ્રત્યે નિષ્પક્ષ વ્યવહાર હોય એ જ ગૃહસ્થ જીવનની મર્યાદા છે.

 

આ લેખ વાંચીને કેટલાક મિત્રો અને માતૃશક્તિ આલોચના કરશે પરંતુ આપણે આ વાસ્તવિકતાને સમજીને અમારી સંસ્કૃતિ તથા સંસ્કારોને પુનઃર્જીવિત કરવાનો પ્રયાસ કરીશું તો જ વર્તમાન સમયમાં વધી રહેલા અપરાધોને અંકુશમાં લેવામાં અમે સફળ થઇ શકીશું.

 

૧૯૮૦ સુધીમાં દિકરીઓ કોલેજમાં સાડી કે સલવાર-શૂટ પહેરતી હતી ત્યારપછી સાડી સંપૂર્ણપણે ગાયબ થઇ ગઇ અને સલવાર-શૂટની સાથે જીન્સનું આગમન થયું. ૨૦૦૫ પછી સલવાર-શૂટ ગાયબ થઇ ગયા અને તેની જગ્યાએ સ્કીન-ટાઇટ સફેદ-કાળા સ્લૈક્સ આવી ગયા.ત્યારપછી ૨૦૧૦ સુધી લગભગ પારદર્શી સ્લૈક્સ આવી ગયાં જેના પહેરવાથી આંતરીક વસ્ત્રો સ્પષ્ટ દેખાવા લાગ્યાં.ત્યારબાદના શૂટ કે જે ઘુટન કે જાંઘો પાસેથી બે ભાગમાં કાપેલ હતા જે ૨૦૧૨ પછી કમરથી બે ભાગમાં વહેંચાયેલા જોવા મળ્યા, ૨૦૧૫ પછી શૂટ લગભગ નાભિથી ઉપરના ભાગથી બે ભાગોમાં વહેંચાયેલા જોવા મળ્યા જેનાથી છોકરીઓ અને મહિલાઓના નિતંબ સંપૂર્ણ રીતે દેખાવા લાગ્યા અને જ્યારે તે બે પૈડાવાડા વાહન ચલાવે કે તેની પાછળ બેસે તો વિચિત્ર દેખાય છે.

 

નવાઇની વાત તો એ છે કે આવા પહેરવેશ કોલેજમાં ભણતી દિકરીઓથી લઇને ચાલીસ વટાવેલ મહિલાઓમાં પણ જોવા મળે છે.મોટી ઉંમરની મહિલાઓ નાની દિકરીઓને સમજાવવાના બદલે તેમની સરખામણી કરવા લાગી ગયેલ છે.સને ૨૦૧૮માં સ્લૈક્સ પણ પ્રિન્ટેડ કે રંગ-બેરંગી બની ગયા અને શૂટ હવે કમર સુધી આવી ગયા અને શરીરના પ્રદર્શન થવા લાગ્યાં અને કોલેજની દિકરીઓ કે મોટી મહિલાઓમાં એક નવો ટ્રેડ આવ્યો.સ્લૈક્સ નીચેથી કાપેલી હવે પિંડીઓ સુધી આવી ગઇ છે.

 

સૌથી મોટી વાત તો એ છે કે આ બધી વેશભૂષા ફક્ત હિન્દુ દિકરીઓમાં જ દેખાય છે.હિન્દુ પુરૂષોમાં આ વેશભૂષામાં છેલ્લા ચાલીસ વર્ષથી કોઇ ઉલ્લેખનીય પરિવર્તન થયું નથી જ્યારે એનાથી ઉલ્ટું મુસ્લિમ દિકરીઓ બજાર-ર્માલમાં કે મોટી હોટલમાં સામાજીક પાર્ટીઓમાં જાય છે તો આખા કાળા રંગના બુરખામાં આખું શરીર ઢંકાયેલ જોવા મળે છે.હિન્દુ દિકરીઓ-મહિલાઓ જેટલું અંગપ્રદર્શન કરવા ઇચ્છે છે જ્યારે મુસ્લિમ મહિલાઓ પહેરવેશ માટે એટલી જ કઠોર હોય છે.ટી.વી.ઉપર આવતા કાર્યક્રમોના મંચ ઉપર આવેલ વી.આઇ.પી. મહેમાનોમાં હિન્દુ અને મુસ્લિમ મહિલાઓની વેશભૂષામાં આ અંતર સ્પષ્ટ દેખાય છે. પહેલાં પુરૂષો સાધારણ અને ઓછાં કપડાં પહેરતા હતા અને નારીઓ સૌમ્યતાપૂર્વક વધારે કપડાં પહેરતી હતી.હવે તો ટી.વી. સિરીયલો અને ફિલ્મોની લપેટમાં આવીને આજની હિન્દુ નારી અડધા કપડાં ઉતારી ચુકી છે..!

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

*મૃત્યુનો સમય નજીક છે તે કેવી રીતે જાણી શકાય?*

 

*મૃત્યુનો સમય નજીક છે તે કેવી રીતે જાણી શકાય?*

 

મૃત્યુ સૂચક ચિન્હો પૈકી સૌથી ૫હેલું લક્ષણ વૃદ્ધાવસ્થા છે પરંતુ નવાઇની વાત તો એ છે કે વૃદ્ધાવસ્થા આવવા છતાં આપણને મૃત્યુનો ભય હોતો નથી.આ અવસ્થામાં મનુષ્યના ભાઇ-બંધુઓ અને પૂત્ર પણ તેની આજ્ઞા માનતાં નથી અને પત્ની પણ પ્રેમ કરવાનું છોડી દે છે.વૃદ્ધાવસ્થા આવે અને ઇન્દ્રિયો શિથિલ ત્યાર પહેલાં બુદ્ધિમાન પુરૂષે તમામ તુચ્છ પ્રપંચોનો ત્યાગ કરીને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત સદગુરૂની શરણાગતિ સ્વીકારી પ્રભુ પરમાત્માને જાણીને,માનીને તેમાં મન લગાવવું જોઇએ.

 

મૃત્યુ પહેલાં ચાર સંકેત આપવામાં આવે છે.પ્રથમ કાળા વાળ સફેદ થાય છે અને સૂચિત કરવામાં આવે છે કે નામ-મોટાઇ અને ધનસંગ્રહની ઝંઝટ છોડીને પ્રભુ ભજનમાં લાગી જાઓ પરંતુ મનુષ્ય બનાવટી રંગ લગાવીને સફેદ વાળને કાળા કરીને યુવાન બનવાના સ્વપ્ન જુવે છે.

 

બીજો સંકેત છે આંખોની રોશની ઓછી થવા લાગે છે તેમછતાં ચશ્મા પહેરીને જગતને જોવાનો પ્રયાસ કરે છે પરંતુ આંખો બંધ કરીને સંસારમાંથી દ્રષ્ટિ હટાવી પ્રભુના ધ્યાનમાં સૂરતા લગાવતો નથી. ત્રીજો સંકેત દાંત પડવા લાગે છે પરંતુ માનવ નકલી દાંત લગાવીને ભૌતિક પદાર્થોનો સ્વાદ લેવાનું ભુલતો નથી અને છેલ્લો સંકેત ભગવાને રોગ-ક્લેશ અને પીડાઓ મોકલી પરંતુ અહંકારવશ મનુષ્ય તેના તરફ પણ ધ્યાન આપતો નથી.

 

મનુષ્ય કાળના મોકલેલ સંકેતને ગણકારતો નથી અને અંત સમય નજીક આવે છે ત્યારે રડે છે. મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે.અમે જીવનમાં ગમે તેટલી ભૌતિક સંપત્તિ ભેગી કરીએ,પદ અને પ્રતિષ્ઠા મેળવીએ,ગમે તેટલા સારા સંતાનો હોય તેમછતાં એક દિવસ બધું છોડીને જવું પડે છે.આપણો જન્મ થયો તે સમયે જ અમારૂં મૃત્યુ ક્યારે ક્યાં અને કેવી રીતે થશે તે નક્કી થયું હોય છે માટે અમારે પ્રતિક્ષણ તેની તૈયારી કરવાની છે.શ્વાસે શ્વાસે પ્રભુ સુમિરણ કરવાનું છે કેમકે ખબર નથી કે ગયેલો શ્વાસ પાછો આવશે કે કેમ?

 

જેને પ્રાણ તત્વને જાણી લીધું તેને વેદને જાણ્યો છે.શરીરમાં રહેલ આત્મા સર્વવ્યાપક પરમાત્માનું જ સ્વરૂપ છે.માયારહિત જીવ એ બ્રહ્મનું સ્વરૂપ છે,બ્રહ્મ જ છે.બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે.આ વાત અનુભવથી સમજવા સ્વરોદય જ્ઞાન સાધન છે.પ્રાણનો સબંધ મન સાથે છે,મનનો બુદ્ધિ સાથે,બુદ્ધિનો આત્મા સાથે અને આત્માનો પરમાત્મા સાથે સબંધ છે.મૃત્યુનો સમય નજીક આવે ત્યારે આપણા શરીરમાં જે ફેરફારો થાય છે તેના ઉપરથી ખબર પડે છે કે આપણું મૃત્યુ ક્યારે થશે.

 

ગૃહસ્થોએ સૂર્યોદયના એક કલાક પહેલાં પથારી છોડી સ્વર પરીક્ષા કરવી જોઇએ.સૂર્યોદય થવા છતાં જે ઉંઘી રહે છે તેવા માનવોની લક્ષ્મી-યશ અને શાંતિનો નાશ થાય છે,રોગી થાય છે.કવિએ કહ્યું છે કે રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર,બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર..

 

આપણે નાક દ્વારા જે શ્વાસ લઇએ છીએ તે પૈકી જમણી નાસિકામાં ચોવીસ કલાક સુધી સતત અખંડ રૂપથી શ્વાસ ચાલુ રહે તો તેનું આયુષ્ય હવે ત્રણ વર્ષ બાકી છે,ડાબી નાસિકામાં ચોવીસ કલાક સુધી સતત અખંડ રૂપથી શ્વાસ ચાલુ રહે તો તેની આયુષ્ય હવે બે વર્ષ બાકી છે એમ સમજવું અને જેનો ડાબી બાજુનો સ્વર લગાતાર બે કે ત્રણ દિવસ સુધી સતત ચાલે તો તેની આયુષ્ય એક વર્ષ બાકી રહ્યું છે તેમ સમજવું.

 

જે મનુષ્યનો રાત્રે ચંદ્ર સ્વર અને દિવસે સૂર્ય સ્વર નિરંતર ચાલુ રહે તેનું છ માસમાં મૃત્યુ થાય છે. જેને સૂર્ય અને ચંદ્રના પ્રતિબિંબ ના દેખાય તેનું અગિયાર માસમાં મરણ થાય છે.જેનો સૂર્ય સ્વર સતત સોળ દિવસ સુધી ચાલે તેનું પંદર દિવસમાં મૃત્યુ થાય છે.જેને સ્વપ્નમાં મળ-મૂત્ર અને સોનું ચાંદી દેખાય તે દશ માસથી વધુ જીવતો નથી.જેની વચલી ત્રણ આંગળીઓ મરડાય ના, રોગ વગર જ કંઠ સૂકાઇ જાય તે છ માસમાં મરણ પામે છે.જેના સ્તનનું ચામડું બહેરૂં થઇ જાય તે પાંચ માસમાં દુનિયામાંથી વિદાઇ લે છે.જેના દાંત અને અંડકોષ દબાવવાથી દર્દ ના થાય તો તે ત્રણ માસમાં મરણ પામે છે.

 

ભૃકૃટી ના દેખાય તો નવ દિવસમાં,તારા ના દેખાય તો પાંચ દિવસમાં,નાક ના દેખાય તો ત્રણ દિવસમાં અને જીભ ના દેખાય તો બે દિવસમાં મૃત્યુ થાય છે.બંન્ને નાસિકાઓના છિદ્ર દશ દિવસ સુધી નિરંતર ઉર્ધ્વ શ્વાસ ચાલે તો તેનું ત્રણ દિવસમાં મૃત્યુ થાય છે.જો શ્વાસ નાસિકાના બે છિદ્રો સિવાય મુખ દ્વારા લેવામાં આવે તો સમજવું કે બે દિવસમાં તે યમલોક માટે પ્રસ્થાન કરવાનો છે.જેના મળ-મૂત્ર અને વિર્ય અથવા મળ-મૂત્ર અને છીંક એક સાથે આવે તેનું આયુષ્ય હવે એક કલાક જ બાકી છે તેમ સમજવું.

 

જેને ઇન્દ્રનીલમણીના જેવા રંગવાળા નાગોનું ઝુંડ આકાશમાં અહીં તહીં ફેલાયેલું દેખાય તો સમજો તેનું છ મહિનામાં મૃત્યુ થવાનું છે.જેનું મૃત્યુ નજીક આવ્યું છે તેને અરૂંધતી(જીભનો અગ્રભાગ) અને ધૃવ(નાસિકાનો અગ્રભાગ)નો તારો દેખાતો નથી.વિર્ય-નખ અને આંખોના ખુણા કાળા પડી જાય તેનું છ માસમાં મૃત્યુ થાય છે.જેને પાણી-ઘી અને દર્પણમાં પોતાનું મસ્તક દેખાતું નથી તે એક માસ જ જીવે છે. બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય,વાણી સ્પષ્ટ ના નીકળે,રાત્રે ઇન્દ્રધનુષ દેખાય,બે ચંદ્રમા અને બે સૂર્ય દેખાય..આ બધા મૃત્યુના ચિન્હ દેખાય તેનું મૃત્યુ એક માસમાં થાય છે.

 

હાથથી કાન બંધ કરો અને કોઇપણ પ્રકારનો અવાજ ના સંભળાય તથા મોટું શરીર થોડા જ દિવસમાં દુબળું-પાતળુ અને દુબળું-પાતળુ શરીર મોટું થઇ જાય તો એક માસમાં મૃત્યુ થાય છે.જેને સ્વપ્નમાં ભૂત પ્રેત પિશાચ અસુર કાગડા કૂતરા ગીધ શિયાળ અને સુઅર તેને ખેંચાખેંચ કરે અને ખાય છે તે વર્ષના અંતે પ્રાણ ત્યાગ કરીને યમરાજાનાં દર્શન કરે છે.સ્વપ્નમાં કાળા રંગની કુવારી કન્યા જે પુરૂષને આલિંગનમાં લે તે એક મહિનામાં યમપુરીનું દર્શન કરે છે.જે મનુષ્ય સ્વપ્નમાં વાનરની સવારી કરી પૂર્વ દિશામાં જાય છે તે પાંચ દિવસમાં યમપુરી જાય છે.જો કંજૂસ મનુષ્ય ઉદાર બની જાય કે ઉદાર મનુષ્ય કંજૂસ બની જાય તો તે જલ્દીથી મૃત્યુ પામે છે.

 

ઉપરોક્ત મૃત્યુ સૂચક ચિન્હો જણાય ત્યારે સંસારની માયામાંથી મનને હટાવીને પ્રભુ નામ સ્મરણ અને ભજનમાં જોડી દેવું જેથી ખરાબ ગતિ ના થાય અને આવતો ભવ સુધરે.અસાર સંસારની માયા ધન-સંપત્તિ, વિષય-વૈભવ, સ્ત્રી-પૂત્ર પરીવારની ચિંતા છોડી ભગવાનની ભક્તિ કરવી જોઇએ કારણ કે મૃત્યુ સમયે તેમાંનું કોઇ સાથે આવવાનું નથી,ફક્ત સત્કર્મ અને ધર્મ જ સાથે આવે છે.મૃત્યુ સમયે જેનું ધ્યાન કરતાં કરતાં શરીર છોડે છે તે ભાવને અનુરૂપ ફરીથી બીજો જન્મ મળે છે.અંતકાળના ચિંતન અનુસાર બીજું શરીર મળે છે.

 

ભગવાને કહ્યું છે કે ’’જે માણસ અંતકાળમાં મારૂં સ્મરણ કરતાં કરતાં શરીર છોડીને જાય છે એ મારા સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે એમાં સહેજપણ સંશય નથી.(ગીતાઃ૮/૫)’’ જ્યારે અંતકાળના સુમિરણ અનુસાર જ ગતિ થાય છે તો પછી અંતકાળમાં ભગવાનનું સ્મરણ થવા માટે મનુષ્યે શું કરવું જોઇએ? તેનો ઉપાય બતાવતાં ભગવાન કહે છે કે "તૂં સર્વ કાળે નિરંતર મારૂં સ્મરણ કર અને યુધ્ધ (કર્તવ્ય કર્મ) ૫ણ કર,આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુધ્ધિથી યુક્ત થઇ તૂં ચોક્કસ મને જ પામીશ."

 

ભગવાનની યાદ આવવાથી હું શરીર છું અને શરીર મારૂં છે તેની યાદ રહેતી નથી એટલે તેને ભગવાનની પ્રાપ્તિ થાય છે.જેનું મૃત્યુ નજીક છે તેને ગીતામાં રૂચિ હોય તો ગીતાનો આઠમો અધ્યાય સંભળાવવો જોઇએ કેમકે આ અધ્યાયમાં જીવની સદગતિનું વર્ણન છે તેને સાંભળવાથી ભગવાનની સ્મૃતિ થાય છે.વાસ્તવમાં જીવ પરમાત્માનો સનાતન અંશ હોવાથી તેનો પરમાત્માની સાથે સબંધ છે.અંત સમયે નિશ્ચળ મનથી અને યોગબળથી બે ભ્રમરોની વચમાં પ્રાણોને સારી રીતે પ્રવિષ્ટ કરીને શરીર છોડવાથી તે પરમ દિવ્ય પુરૂષને પ્રાપ્ત થાય છે.અચલ થવું એટલે સગુણ નિરાકાર સ્વરૂપમાં આદરપૂર્વક દ્રઢ થવું. પ્રાણાયામ દ્વારા પ્રાણોને રોકવા તેનું નામ યોગબળ છે.

 

ભગવાન કહે છે કે તમામ ઇન્દ્રિયોના દ્વારોને રોકીને મનને હ્રદયપ્રદેશમાં સ્થિર કરીને પોતાના પ્રાણોને મસ્તકમાં સ્થાપીને જે ઓમ એ એક અક્ષરબ્રહ્મનું માનસિક ઉચ્ચારણ અને મારૂં ચિંતન કરતાં શરીર છોડીને જાય છે તે પરમગતિ પ્રાપ્ત કરે છે.

 

નારદપુરાણમાં તો સંત-મહાપુરૂષોના પ્રભાવની વિચિત્ર વાતો આવે છે કે જો સંત-મહાપુરૂષ જેનો અંત સમય નજીક છે તે વ્યક્તિને,તેના મૃત શરીરને,તેની ચિત્તાના ધુમાડાને કે તેની ચિત્તાની રાખને જોઇ લે તો પણ તે જીવનું કલ્યાણ થાય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

બોધકથા..સેવા ધર્મ જ અસલ ભક્તિ છે..

 બોધકથા..સેવા ધર્મ જ અસલ ભક્તિ છે..

 

એક શહેરમાં અમીર શેઠ રહેતા હતા.તે ઘણી ફેકટરીઓના માલિક હતા.એક રાત્રિએ તેમને અચાનક બેચૈની થવા લાગી.ર્ડાકટરને બોલાવવામાં આવ્યા અને તમામ પ્રકારની તપાસ કરવામાં આવી આમ હોવાછતાં કોઇ બિમારી ના નીકળી અને રાત્રે તેમની બેચૈની વધતી ગઇ.તેમને સમજમાં આવતું ન હતું કે આમ કેમ થાય છે? ઉંઘની ગોળીઓ ખાધી છતાં ઉંઘ આવતી નથી અને બેચૈની વધતી ગઇ.

 

મોડી રાત્રે ત્રણ વાગે તેઓ ઘરના બગીચામાં ફરવા લાગ્યા.ફરતાં ફરતાં તેમને લાગ્યું કે બહારનું વાતાવરણ ખુશનુમા છે તો રોડ ઉપર ચાલવા માટે નીકળી પડ્યા.ચાલતાં ચાલતાં હજારો વિચારો મનમાં ચાલતા હતા.હવે તે ઘરથી ઘણા દૂર નીકળી ગયા હતા અને થાક લાગતાં તે એક ચબૂતરા ઉપર બેસી ગયા.ચબૂતરા ઉપર બેસતાં તેમને થોડી શાંતિ મળી તેથી ત્યાં જ આરામથી બેસી ગયા.એટલામાં એક કૂતરો આવ્યો અને તેમની ચપ્પલ લઇને ભાગ્યો.શેઠ બીજો ચપ્પલ હાથમાં લઇને કૂતરાની પાછળ ભાગ્યા.

 

કૂતરો નજીકમાં આવેલી એક ઝુંપડપટ્ટીમાં પેસી ગયો.શેઠ કૂતરાની પાછળ પાછળ જાય છે.શેઠને આવતા જોઇને ચપ્પલ ત્યાં જ છોડીને ચાલ્યો જાય છે.શેઠે રાહતનો શ્વાસ લીધો અને પોતાની ચપ્પલ પહેરી લીધી,એટલામાં તેમને કોઇના રડવાની અવાજ સાંભળી.નજીક ગયા તો ઝુંપડીમાંથી રડવાની અવાજ આવી રહી હતી.

 

શેઠે ઝુંપડીની તૂટેલી દિવાલના કાણામાંથી જોયું તો ત્યાં એક સ્ત્રી કે જેના કપડા ફાટેલા છે અને મેલી ચાદર ઓઢેલી છે તે દિવાલ સાથે માથું મુકીને રડી રહી હતી.રડતાં રડતાં તે બોલી રહી હતી કે હે ભગવાન ! મને મદદ કરો.શેઠ વિચાર કરે છે કે અહીથી ચાલ્યો જાઉં કારણ કે કોઇ મારા વિશે ખરાબ ના વિચારે.ત્યાં જ તેમના દિલમાં વિચાર આવ્યો કે આ સ્ત્રી કેમ રડી રહી હશે? તેને શું તકલીફ હશે? અને તેમને પોતાના દિલની વાત સાંભળી નજીક જઇ દરવાજો ખટખટાવ્યો.તે સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને બહાર શેઠને જોઇને તે ગભરાઇ જાય છે.ત્યારે શેઠે હાથ જોડીને કહ્યું કે તમે ગભરાશો નહી.મારે તો એટલું જ જાણવું છે કે આપ કેમ રડી રહ્યા છો?

 

સ્ત્રીની આંખોમાંથી આંસૂ ટપકી રહ્યા હતા અને તેને પોતાની પાસેની ગોદડીમાં લપેટેલી સાત-આઠ વર્ષની બાળકીની તરફ ઇશારો કર્યો અને રડતાં રડતાં કહ્યું કે મારી બેબી ઘણી જ બિમાર છે અને તેના ઇલાજ માટે ઘણો ખર્ચ થશે.હું તો લોકોના ઘરોમાં કચરા-પોતા કરીને અમારૂં ગુજરાન ચલાવીએ છીએ.હું આ બાળકીનો ઉપચાર કેવી રીતે કરી શકું?

 

શેઠે કહ્યું કે તો કોઇની પાસેથી પૈસા માંગો.ત્યારે તે સ્ત્રી કહે છે કે હું જે ઘરોમાં કામ કરૂં છું તે તમામ પાસે માંગી જોયું પરંતુ કોઇ મદદ કરવા તૈયાર નથી.ત્યારે શેઠ કહે છે કે શું રડવાથી પૈસા મળી જશે? ત્યારે પેલી સ્ત્રી કહે છે કે ગઇકાલે એક સંત અહીથી જઇ રહ્યા હતા તેમને મેં મારી સમસ્યા બતાવી તો તેમને કહ્યું કે બેટા..તમે સવારે ચાર વાગે ઉઠીને ઇશ્વર પ્રભુ પરમાત્મા પાસે માંગજો.કોથળો પાથરીને બેસી જાઓ અને રડીને ગદગદ કંઠે તેમની પાસે મદદ માંગો,તે બધાની પ્રાર્થના સાંભળે છે તે તમારી પ્રાર્થના પણ સાંભળશે.

 

મારી પાસે આના સિવાય કોઇ ઉપાય નથી એટલે હું પ્રભુ પરમાત્મા પાસે માંગી રહી છું તેમ કહીને તે ઘણા જ જોરજોરથી રડવા લાગી.તેના કરૂણ રૂદનથી શેઠનું દિલ પિગળી જાય છે અને તેમને તરત જ ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી અને તે બાળકીને હોસ્પિટલમાં ભરતી કરાવી દીધી.ર્ડાકટરે દોઢ લાખ રૂપિયાનો ખર્ચનો અંદાજ આપ્યો તો શેઠે થનાર તમામ ખર્ચની જવાબદારી સ્વીકારી અને બાળકીનો ઇલાજ કરાવ્યો.દિકરીના સારા થઇ ગયા પછી શેઠે તે સ્ત્રીને પોતાને ત્યાં નોકરીમાં રાખી લીધી અને સર્વન્ટ કર્વાટરમાં રહેવાની તથા દિકરીના ભણવાની જવાબદારી લીધી.

 

શેઠ કર્મપ્રધાન તો હતા પરંતુ નાસ્તિક હતા.હવે તેમના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા.દિકરીને હોસ્પિટલ લઇ જવા એમ્બ્યુલન્સ બોલાવી તે જ સમયે તેમની બેચૈની દૂર થઇ ગઇ હતી.શેઠ વિચાર કરી રહ્યા હતા કે એવી કંઇ શક્તિ છે કે જે મને અહી સુધી ખેંચી લાવી હતી? શું આ જ ઇશ્વર તત્વ છે? અને જો આ જ ઇશ્વર હોય તો સમગ્ર સંસાર અંદરોઅંદર ધર્મ,નાત-જાતના ઝઘડા કરી રહ્યો છે કારણ કે મેં તે સ્ત્રીની નાત-જાત પુછી જ નથી અને ઇશ્વરની પણ જાત-પાત જોઇ નથી.

 

બસ..ઇશ્વરે આ સ્ત્રીનું દર્દ જોયું અને મને આટલો ઘુમાવી ફેરાવીને તેના સુધી પહોંચાડી દીધો. હવે શેઠ સમજી ચુક્યા હતા કે કર્મની સાથે સેવા પણ કેટલી જરૂરી છે કારણ કે આટલી શાંતિ તેમને ક્યારેય મળી નહોતી જેટલી શાંતિ દિકરીના ઉપચાર અને મા-દિકરીના પાલન પોષણની જવાબદારી લીધા બાદ મને મળી છે.માનવ અને પ્રાણી માત્રની સેવાનો ધર્મ એ જ અસલી ભક્તિ છે.જો ઇશ્વરની કૃપા મેળવવા ઇચ્છતા હો તો માનવતાને અપનાવીએ અને સમય-સમય ઉપર તેમની મદદ કરવી જોઇએ જે લાચાર છે,બેબસ છે કારણ કે ઇશ્વર પ્રભુ પરમાત્મા તેમની આસપાસ જ રહે છે.

 

 

જો અમારી ભક્તિ પૂજા પાઠ સુધી સિમિત ના હોય તો ચોક્કસ અમે અમારૂં માનવીય સ્વરૂ૫ જોઇ શક્યા હોત.માનવ પૂજા તો ભગવાનની કરે છે પરંતુ તેમના આદર્શ માનતા નથી.ભગવાન શ્રી રામ શબરીના આશ્રમમાં સામેથી ગયા પરંતુ આજે અમે જાતિઓની દિવાલ મોટી કરી રહ્યા છીએ.જો માનવ માનવની ગોંદમાં જન્મ લઇને માનવની સેવા ન કરી શકે તો તે ભગવાનની સેવા કેવી રીતે કરી શકવાનો છે..? ૫રમાત્મા એક જ છે.જ્યારે અમે ભગવાન-રામ અને ખુદાને એક જ માનીએ છીએ તો તેમનો ૫રીવાર અલગ કેવી રીતે હોઇ શકે..? જ્યારે અમે એકને જાણીશું તો જ એકતા સંભવ છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે.પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.

 

પ્રાણીઓની ઉ૫ર જન્મજ-જન્માંત્તરના કર્મોની વાસના ભરેલી પડી છે,તેથી હંમેશાં સત્કર્મો કરવાની ચેષ્ટા કરવી જોઇએ.તમામ પ્રાણીઓમાં પ્રભુ પરમાત્માનો વાસ છે, આવો નિશ્ચય કરીને તમામની સેવા કરવાથી શરીર ૫વિત્ર બની જાય છે, દાન આ૫વાથી ધન પવિત્ર બની જાય છે અને પ્રભુ પરમાત્માનું ભજન કરવાથી અંતઃકરણ નિર્મળ બની જાય છે.સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ્ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.વસ્તુનું મહત્વ નથી પણ ભાવની મહત્તા છે.સેવા કરતા રોમાંચ થાય, સેવા કરતા આંખમાં આંસુ આવે તે સેવા સાચી.સેવા ક્રિયાત્મક હોવી જોઈએ.સેવા કરતા આનંદ આવવો જોઈએ.

 

આ ત્રણ વસ્તુઓ ભગવાનને આપવી જોઈએ.તન,મન અને ધનથી પરમાત્માની સેવા કરો.તનથી સેવા કરશો તો શરીરનું દેહાભિમાન ઓછું થશે.ધનથી સેવા કરશો તો ધન પરની મમતા ઓછી થાય છે.મોહ ઓછો થાય છે.મનથી સેવા કરશો તો પાપ બળશે.મન પવિત્ર થશે,હૃદય પીગળશે અને મનને શાંતિ મળશે.ભગવાન કહે છે કે તમે એક કામ કરો તો હું તમારૂં રક્ષણ કરીશ.રોજ તમે એક કલાક નિયમપૂર્વક મારાં સેવા-સુમિરણ-સત્સંગ કરશો તો પછી બાકીના ત્રેવીસ કલાક હું તમારૂં ધ્યાન રાખીશ.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા(પંચમહાલ)

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

બોધકથા..કર્મની ગતિ ન્યારી છે.

 

બોધકથા..કર્મની ગતિ ન્યારી છે.

 

જેવી રીતે કર્મ જીવનનો સ્વભાવ છે તેવી જ રીતે કર્મફળનો ભોગ પણ જીવનની અનિવાર્યતા છે.મનુષ્ય જેવા પ્રકારના કર્મ કરે છે તેવું તેના ના ઇચ્છતા હોવા છતાં વહેલા-મોડું ભોગવવું જ પડે છે. જાણતાં-અજાણતાં મનુષ્યથી અનેક પાપ કર્મો થઇ જ જાય છે અને આ કર્મોના ફળસ્વરૂપ તેનું ફળ નક્કી થાય છે અને તેના દ્વારા કરવામાં આવેલ પાપ કર્મોના આધારે તેનો દંડ પણ નક્કી કરવામાં આવે છે.આ પાપ કર્મોથી બચવા માટે શાસ્ત્રોમાં જે વિધાન નક્કી કરવામાં આવ્યું છે તેને પ્રાયશ્ચિત કર્મ કહેવામાં આવે છે.દીનભાવથી પ્રભુચરણોમાં શરણાગતિ તથા પ્રભુ નામ સુમિરણનો આશ્રય લઇને ફરીથી આવા પાપ કર્મો નહી કરવાનો સંકલ્પ એ મનુષ્યનું સૌથી મોટું પ્રાયશ્ચિત છે.

 

અમે અમારા કર્મોના લેન-દેનનો હિસાબ પુરો કરવા માટે આવીએ છીએ.સંસારમાં કોઇ માતા-પિતા અને પૂત્ર-પૂત્રી બનીને આવે છે તો કોઇ સગા-સબંધી બનીને આવે છે અને જેમ જેમ પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો થાય છે તેમ તેમ અમે એકબીજાથી જુદા પડી જઇએ છીએ અને પોત પોતાના રસ્તે ચાલ્યા જઇએ છીએ.આ દુનિયા એક ધર્મશાળા જેવી છે.જ્યાં તમામ મુસાફર રાત્રે ભેગા થાય છે અને સવાર પડતાં જ પોતાના ગંતવ્ય સ્થાને ચાલ્યા જાય છે.

 

એકવાર એક ધનિક શેઠ શિવ ભક્ત શિવાલયમાં દર્શન કરવા જાય છે.પોતાના પગમાં કિંમતી અને નવા બૂટ પહેરેલ હોવાથી તે વિચારે છે કે જો બૂટ બહાર કાઢીને જાઉં અને કોઇ તેને લઇ જાય તો ! આવા વિચારોથી મંદિરની અંદર મારૂં મન ભગવાનમાં નહી લાગે આમ વિચારીને તેમને મંદિરની બહાર બેઠેલ એક ભિખારીને કહે છે કે ભાઇ ! હું મંદિરમાં જઇ પૂજા કરીને બહાર આવું ત્યાં સુધી તમે મારા બૂટનું ધ્યાન રાખો. શેઠ મંદિરમાં પૂજા કરતાં કરતાં વિચારે છે કે ભગવાને મને આટલું બધું ધન આપ્યું છે તો હું બહાર જઇને ભિખારીને સો રૂપિયા આપીશ.

 

શેઠ બહાર આવીને જુવે છે તો નથી ભિખારી કે નથી તેમના બૂટ ! કોઇક કામે ભિખારી ક્યાંક ગયો હશે તેમ સમજી શેઠ થોડો સમય સુધી ભિખારીની રાહ જુવે છે.આખરે શેઠ દુઃખી મને ઉઘાડા પગે ઘેર જવા નીકળે છે ત્યારે રસ્તાની બાજુએ ફુટપાથ ઉપર બૂટ ચંપલ વેચતા એક ભાઇ પાસે તેઓ ચંપલ ખરીદવાના ઉદ્દેશ્યથી ઉભા રહે છે ત્યારે ત્યાં જુવે છે તો તેમના ચોરાયેલા બૂટ ત્યાં રાખેલા હતા.થોડી કડકાઇથી પુછતાં તે કહે છે કે એક ભિખારી આ બૂટને સો રૂપિયામાં વેચી ગયો છે.શેઠ મનોમન હંસે છે અને ઉઘાડા પગે જ ઘેર જતા રહે છે.તે દિવસે શેઠને તેમના પ્રશ્નનો જવાબ મળી જાય છે. સમાજમાં ક્યારેય એકરૂપતા આવી શકવાની નથી કારણ કે અમારા કર્મો ક્યારેય એકસમાન થઇ શકવાના નથી અને જે દિવસે આવું શક્ય બનશે તે દિવસે સમાજ-સંસારમાંથી વિષમતા સમાપ્ત થઇ જશે.

 

ઇશ્વરે તમામ મનુષ્યોના કર્મ દ્વારા ભાગ્ય લખેલું છે કે કોને ક્યારે અને શું મળવાનું છે પરંતુ એ નથી લખ્યું કે તે કેવી રીતે મળશે તે અમારા કર્મ નક્કી કરે છે.જેમકે ભિખારીને સો રૂપિયા આપવાનું શેઠે નક્કી કર્યું હતું પરંતુ કેવી રીતે મળશે તે ભિખારીએ નક્કી કર્યું.અમારા કર્મો જ અમારૂં ભાગ્ય, યશ-અપયશ, હાનિ-લાભ, જય-પરાજય, દુઃખ-શોક, લોક-પરલોક નક્કી કરે છે.અમે તેના માટે ઇશ્વરને દોષી ના કહી શકીએ.

 

કર્મની ગતિ ન્યારી છે તેના વિશે એક બોધકથા જોઇએ..એક અધિકારી સવાર-સવારમાં ઉતાવળમાં ઓફીસ જવા ઘરમાં બહાર નીકળ્યા અને જેવો કારનો દરવાજો ખોલીને કારમાં બેસવા જાય છે તે સમયે તેમનો પગ ગાડીની નીચે બેઠેલા કૂતરાની પૂંછડી ઉપર પડે છે.દર્દથી કણસતો કૂતરો ગુસ્સામાં તેમને બચકું ભરી લે છે.ગુસ્સામાં આવીને ઓફીસરે આસપાસ પડેલા ૧૦-૧૫ પત્થર લઇને કૂતરાને મારે છે પરંતુ સદનસીબે એક પણ પત્થર કૂતરાને વાગતો નથી અને કૂતરો ત્યાંથી ભાગી જાય છે.અધિકારી પોતાનો ઇલાજ કરાવીને ઓફીસ જાય છે કે જ્યાં તેમના તાબા હેઠળના મેનેજરોની બેઠક બોલાવી હતી.ઓફીસર કૂતરાનો ગુસ્સો પ્રબંધકોની ઉપર ઉતારે છે.આ પ્રબંધકો બહાર આવીને એકબીજાના ઉપર ગુસ્સો ઉતારે છે. હવે આખો દિવસ તેઓ પોતાના હાથ નીચે કામ કરતા લોકો ઉપર ગુસ્સો ઉતારે છે અને છેલ્લે તમામ પોતાનો ગુસ્સો ઓફીસના પટાવાળા ઉપર ઉતારે છે અને પટાવાળો બબડતો બબડતો ઘેર જાય છે.ઘેર પહોંચતાં તે દરવાજાની ઘંટી વગાડે છે અને તેની પત્ની દરવાજો ખોલે છે અને દરરોજની જેમ પુછે છે કે કેમ આજે ઓફીસથી આવતાં મોડું થયું? ત્યારે પટાવાળો ગુસ્સામાં કહે છે કે શું હું ઓફીસમાં આરામ કરવા જાઉં છું? ત્યાં કામ કરવું પડે છે.મારૂં મગજ ખરાબ ના કરીશ ! મારા માટે જમવાનું પિરસ..હવે ગુસ્સો કરવાનો વારો પત્નીનો હતો.રસોઇઘરમાં કામ કરતાં કરતાં તે પોતાનો ગુસ્સો પોતાના દિકરા ઉપર કાઢે છે અને તેને વિના કારણ બે-ત્રણ થપ્પડ મારી દે છે.હવે નાનકડો બાળક જાય તો ક્યાં જાય? તે રડતાં રડતાં ઘરની બહાર જાય છે અને હાથમાં એક પત્થર લે છે અને સામેથી આવતા કૂતરાને મારી દે છે.

 

સવારમાં ઓફીસરને કરડ્યો હતો તે જ આ કૂતરો હતો. અરે ભાઇ ! કૂતરાને કરડવાના બદલામાં પત્થર તો પડવાનો જ હતો ફક્ત સમયનો ફેર હતો અને શેઠના બદલે આ બાળકના હાથે માર ખાવાનો લખાયેલું હતું.તેનો કાર્મિક ચક્ર તો પુરૂ થવાનું જ હતું એટલે મિત્રો ! જો કોઇ આપને કરડે,ચોંટ પહોંચાડે કે નુકશાન પહોંચાડે અને આપ તેનું કંઇજ બગાડી શકો તેમ ના હો તો નિશ્ચિંત રહો.તેને કર્મના ફળના રૂપમાં નુકશાની તો ભોગવવી જ પડશે.હા,ક્યારે અને કોના હાથે તેને ફળ ભોગગવું પડશે તે તો ઉપરવાળો જ જાણે છે પરંતુ કર્મનું ફળ તો અવશ્ય ભોગવવું જ પડશે જ ! આ સૃષ્ટિનો નિયમ છે.

 

કર્મનું ફળ કેવી રીતે ભોગવવું પડે છે તેના વિશે એક બોધકથા જોઇએ.

 

એક ગામમાં એક ખેડૂત રહેતા હતા,તેમના પરીવારમાં તેમની પત્ની અને એક પૂત્ર હતો.કેટલાક વર્ષો બાદ તેમની પત્નીનું અવસાન થાય છે તે સમયે પૂત્રની ઉંમર દશ વર્ષ હતી.પત્નીના મૃત્યુ પછી ખેડૂતે બીજા લગ્ન કર્યા અને બીજી પત્નીથી પણ એક પૂત્રરત્નની પ્રાપ્તિ થાય છે.કેટલાક સમય પછી બીજી પત્નીનું પણ મૃત્યુ થાય છે.ખેડૂતનો મોટો દિકરો ઉંમરલાયક થતાં તેનું લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતનું પણ મૃત્યુ થાય છે.ખેડૂતનો નાનો દિકરો તેના મોટાભાઇની સાથે રહેતો હતો તેની કેટલાક સમય બાદ ઓચિંતી તબિયત ખરાબ થવા લાગી.મોટાભાઇએ આસપાસના અનેક વૈદ્યો પાસે ઇલાજ કરાવ્યા છતાં કોઇ રાહત ના થઇ અને તેની સારવાર માટે ઘણો જ ખર્ચ થઇ ગયો.એક દિવસ મોટાભાઇએ તેમની પત્નીની સલાહ લીધી કે જો નાનાભાઇનું દેહાંત થાય તો તેના ઉપચાર માટે જે ખર્ચો થઇ રહ્યો છે તે બચી જાય અને મિલ્કતનો અડધો ભાગ પણ આપવો ના પડે ત્યારે પત્નીએ કહ્યું કે કોઇક વૈદ્યને ખાનગીમાં મળીને તેને ઝેર આપી દઇએ.મોટાભાઇએ પત્નીની સલાહ મુજબ વૈદ્યને મળીને નાનાભાઇને ઝેર આપી મારી નાખવામાં આવે છે.

 

મોટાભાઇ-ભાભીએ ખુશી મનાવી કેમકે તેમને તમામ મિલ્કત મળી જાય છે.કેટલાક મહિનાઓ પછી તેમના ઘેર પારણું બંધાય છે અને એક દિકરાનો જન્મ થાય છે.પતિ-પત્ની ખુશી મનાવે છે.ઘણા જ લાડ-પ્રેમથી દિકરાને મોટો કરે છે.કેટલાક વર્ષો પછી તેમનો દિકરો યુવાન થાય છે અને તેનું લગ્ન કરાવવામાં આવે છે.લગ્નના કેટલાક સમય બાદ તે બિમાર રહેવા લાગે છે.તેની સારવાર માટે અડધી મિલ્કત વેંચી દીધી તેમછતાં બાળકને આરામ થતો નથી અને તેનો મૃત્યુનો સમય નજીક આવી જાય છે.એક દિવસ તે ખાટલામાં સૂતો છે તેનો પિતા સામે બેઠા છે ત્યારે બાળક કહે છે કે ભાઇ ! આપણો હિસાબ પુરો થઇ ગયો છે.ફક્ત કફન અને લાકડાંનો હિસાબ બાકી છે તેની તૈયારી કરો.પૂત્રની આવી વાતો સાંભળીને પિતાએ વિચાર્યું કે બિમારીના કારણે તેની દિમાગની હાલત સારી નથી તેથી આવું બોલે છે.ત્યારે તે કહે છે કે હું તમારો એ જ ભાઇ છું જેને આપે ઝેર આપીને મારી નાખ્યો હતો.જે સંપત્તિની લાલચમાં મને મારી નાખ્યો હતો તે અડધી સંપત્તિ મારા સારવારમાં આપે ખર્ચ કરી દીધી છે ત્યારે પિતા માથું પછાડીને રડવા લાગે છે અને કહે છે કે મારા તો આખા કૂળનો નાશ થઇ ગયો.મેં જે કર્મ કર્યું તે જ સામે આવ્યું છે.

 

મોટાભાઇ કહે છે કે તારી પત્નીનો શું દોષ કે આ બિચારીને જીવતી સળગાવી દેવામાં આવશે? (તે સમયે સતીપ્રથા હતી જે અનુસાર પતિના મૃત્યુ પછી પત્ની તેના પતિની સાથે જ ચિત્તા ઉપર ચઢાવવામાં આવતી હતી.તે સમયે મૃત્યુ પથારીએથી યુવાન કહે છે કે પેલો વૈદ્ય ક્યાં છે? જેને તમારી પાસેથી પૈસા લઇને મને ઝેર આપ્યું હતું? ત્યારે મોટાભાઇ કહે છે કે તારા મૃત્યુના ત્રણ વર્ષ બાદ તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે યુવાન અંતિમ શ્વાસ લેતાં કહે છે કે મારી પત્ની એ જ તે દુષ્ટ વૈદ્ય મારી પત્નીના રૂપમાં આવી છે હવે મારા મૃત્યુ પછી તેને પણ જીવતી સળગાવી દેજો.

 

અમારૂં જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે,તેની પાછળ અમારા પોતાના કર્મો હોય છે.અમે જેવું વાવીશું તેવું ફળ મળવાનું છે.કર્મ કરો તો ફળ આજ નહી તો કાલે મળવાનું છે,જેટલો કૂવો વધુ ઉંડો હોય છે તેટલું મીઠું પાણી મળે છે.જીવનના દરેક કઠિન પ્રશ્નોનું સમાધાન જીવનમાંથી જ મળે છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

જીવનનું પ્રથમ અને અંતિમ સત્યઃમૃત્યુ

 

જીવનનું પ્રથમ અને અંતિમ સત્યઃમૃત્યુ

 

રાજા પરીક્ષિતને ભાગવત કથા સંભળાવતાં શુકદેવજીને છ દિવસ પસાર થઇ ગયા અને સાપ કરડીને મૃત્યુ થવામાં એક દિવસ બાકી રહ્યો હતો તેમછતાં રાજાનો શોક અને મૃત્યુનો ભય ઓછો થયો ન હતો,તે સમયે શુકદેવજીએ રાજા પરીક્ષિતને એક કથા સંભળાવી.

 

એક રાજા જંગલમાં શિકાર કરવા જાય છે અને રસ્તો ભુલી જાય છે.રાત્રી થઇ ગઇ હોવાથી તે રોકાવવા માટે કોઇ આશરાની શોધ કરે છે.થોડે દૂર જતાં તેમને એક ઝુંપડી દેખાય છે જે ઘણી જ દુર્ગંધયુક્ત હતી,તેમાં એક બિમાર શિકારી રહેતો હતો.તેને ઝુંપડીમાં જ મળ-મૂત્ર ત્યાગ કરવાની જગ્યા બનાવી હતી અને ખાવા માટે જાનવરોનું માંસ છત ઉપર લટકાવી રાખ્યું હતું.આ બધુ જોઇને રાજાને પહેલાં તો અહી રહેવું યોગ્ય લાગતું નથી પરંતુ વિવશતાના લીધે શિકારીની ઝુંપડીમાં રોકાવવા વિનંતી કરે છે. તે સમયે શિકારી કહે છે કે હું ક્યારેક ક્યારેક રસ્તો ભુલેલા રાહગીરીઓને અહી રોકાવવા સંમતિ આપું છું પરંતુ તેઓ જતા સમયે ઘણી જ માથાકૂટ કરે છે.આ ઝુંપડી છોડીને જવા જ ઇચ્છતા નથી એટલે હવે હું આ માથાકૂટમાં પડવા માંગતો નથી એટલે હું તમોને આશરો આપી શકું તેમ નથી.રાજાએ શિકારીને વચન આપ્યું કે હું બધાની જેમ નહી કરૂં ત્યારે રાજાને રાત્રી મુકામ કરવા શિકારી સંમતિ આપે છે પરંતુ સવાર થતાં રાજાને ઝુંપડીની ગંધ એવી પસંદ આવી જાય છે કે તે ઝુંપડી છોડવામાં તેમને ઘણું જ કષ્ટ થાય છે અને શોકનો અનુભવ થાય છે તેથી શિકારી સાથે ઝઘડો થાય છે.

 

આ કથા સંભળાવીને શુકદેવજી રાજા પરીક્ષિતને પુછે છે કે શું રાજાએ શિકારી સાથે લડાઇ ઝઘડો કર્યો તે યોગ્ય હતો? ત્યારે પરીક્ષિત કહે છે કે આ રાજા તો ઘણો જ મૂર્ખ કહેવાય કે જે પોતાના રાજપાટને ભુલીને પોતે શિકારીને આપેલ વચન ભંગ કરીને વધુ સમય સુધી ઝુંપડીમાં રહેવાનું ઇચ્છે છે તે રાજા કોન છે? ત્યારે શુકદેવજી કહે છે કે પરીક્ષિત આ રાજા બીજો કોઇ નહી પરંતુ તમે પોતે છો.આ મળ-મૂત્રથી ભરેલી દેહમાં જેટલો સમય જીવાત્માને રહેવાનું જરૂરી હતું તેટલો સમય રહ્યો હવે તેની અવધિ પુરી થઇ છે.હવે તેને બીજા લોકમાં જવાનું છે તેમછતાં પણ તમે ઝંઝટ પેદા કરી રહ્યા છો.મરવાનો શોક કરી રહ્યા છો,શું આ યોગ્ય છે? આવું સાંભળીને પરીક્ષિતે મૃત્યુના ભયને ભુલીને માનસિકરૂપથી નિર્વાણની તૈયારી કરી લીધી અને ભાવગતકથાના અંતિમ દિવસે મનથી કથા શ્રવણ કરી.વાસ્તવમાં આ માનવ શરીર ગમે ત્યારે નાશ થવાનું છે પરંતુ આત્મા ક્યારેય જન્મતી કે મરતી નથી.

 

શુકદેવજીએ સાત દિવસમાં રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપ્યો જેથી છેલ્લે રાજા પરીક્ષિતે પોતાનું ચિત્ત પરમપિતા પરમાત્મામાં જોડી દીધું.તક્ષકે આવીને તેમને ડંખ માર્યો જેના ઝેરથી તેમનો દેહ બળીને ભસ્મ થઇ ગયો.શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાથી પરીક્ષિત શરીરથી પર થઇ ગયા હતા.

 

દેહ અને આત્માને જુદા પાડવાની પ્રક્રિયા એ જ મૃત્યુ.મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મ રૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે,એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય..જેમાં મન લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે.અતૃપ્ત વાસનાઓ એ પુનઃજન્મનું કારણ છે.મૃત્યુથી ભૌતિક શરીર નાશ પામે છે,પરંતુ સુક્ષ્મ સંસ્કારો ટકી રહે છે,એ સંસ્કારો જ પુનઃજન્મનું કારણ બને છે.સુક્ષ્મ શરીર અકબંધ રહે છે.જીવ પ્રારબ્ધ કર્મ અનુસાર સુક્ષ્મ શરીર દ્વારા નવો જન્મ પામે છે.

 

આત્મા મરતો નથી પણ જ્યાં સુધી આપણે આત્મસ્વરૂપ થયા નથી ત્યાં સુધી આપણને મૃત્યુનો ભય લાગે છે.મૃત્યુના ભયથી બચવાનો ઉપાય..સંસારના તમામ દુઃખોનું મૂળ સુખની ઇચ્છા છે.સુખની પ્રાપ્તિ ના માટે કોઇ ઇચ્છા જ ના હોય તો દુઃખ થતું જ નથી. "આવું થવું જોઇએ અને આવું ના થવું જોઇએ." આવી ઇચ્છા જ તમામ દુઃખનું કારણ છે.મૃત્યુના સમયે જે ભયંકર કષ્ટ થાય છે તે એવા મનુષ્યોને થાય છે કે જેનામાં જીવવાની ઇચ્છા છે કારણ કેઃ તે જીવવા ઇચ્છે છે અને મરવું ૫ડે છે.જો જીવવાની ઇચ્છા જ ના હોય તો મૃત્યુના સમયે કોઇ કષ્ટ થતું જ નથી.જેવી રીતે શરીરની બાળપણમાંથી યુવાની, યુવાનીમાંથી વૃધ્ધાવસ્થા જેવી અવસ્થાઓ બદલાય છે તે સમયે કોઇ કષ્ટ થતું નથી.

 

પ્રત્યેક પ્રાણીનો એકને એક દિવસે અંતિમ સમય આવવાનો જ છે,જે ઉત્પન્ન થયો છે તેનું મૃત્યુ અને મૃત્યુનો સમય સુનિશ્ચિત છે એટલા માટે સમય છે ત્યાં સુધી અમારે ત્યાં જવાની તૈયારી કરી લેવી જોઇએ.મનુષ્ય  જ્યારે પ્ર્રવાસમાં જાય છે ત્યારે અગાઉ કેટલાય દિવસોથી તૈયારી કરે છે પરંતુ અંતકાળની તૈયારી ઘણા ઓછા લોકો કરતા હોય છે.અંતકાળનું નામ અને ધ્યાન આવતાં ગભરાઇ જવું જોઇએ નહી.

 

મૃત્યુના સમયે જે ભયંકર કષ્ટ થાય છે તે એવા મનુષ્યોને થાય છે કે જેનામાં જીવવાની ઇચ્છા છે કારણ કે તે જીવવા ઇચ્છે છે અને મરવું ૫ડે છે.જો જીવવાની ઇચ્છા જ ના હોય તો મૃત્યુના સમયે કોઇ કષ્ટ થતું જ નથી.

 

લોભી જેમ પૈસાનું લક્ષ્ય રાખે છે તેમ મહાપુરુષો પરમેશ્વરનું લક્ષ્ય રાખે છે માટે પરમેશ્વરને મળવાનું પરમાત્મા જોડે એક થવાનું લક્ષ્ય ભૂલશો નહિ. ભલે ગમે તેટલી અડચણો આવે. મનુષ્ય જન્મનો એટલો જ લાભ છે કે જીવનને એવું બનાવી દેવામાં આવે કે મૃત્યુના સમયે ભગવાનની સ્મૃતિ અવશ્ય બની રહે. ગીતામાં પણ લખ્યું છે કે જે અંતકાળે મારૂં સ્મરણ કરતો દેહનો ત્યાગ કરે છે તે મને પામે છે.લોકો એમ માને છે કે આખી જિંદગી કામધંધો કરીશું, કાળાં ધોળાં કરીશું અને અંતકાળે ભગવાનનું નામ લઈશું એટલે તરી જશું પણ આ વિચાર ખોટો છે એટલે સ્પષ્ટતા કરેલી છે હંમેશાં જે ભાવનું ચિંતન કરશો તે જ ભાવનું અંતકાળે સ્મરણ થશે માટે જ ભગવાને આજ્ઞા કરી છે કે સઘળા સમયમાં નિરંતર પ્રતિક્ષણ મારૂં સ્મરણ કર.

 

મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારજે.રોજ વિચાર કરવો અને મનને વારંવાર સમજાવવું કે ઈશ્વર સિવાય મારૂં કોઈ નથી.આ શરીર પણ એક દિવસ છોડવું પડશે એટલે તે પણ મારૂં નથી.જો શરીર જ મારૂં નથી તો પછી મારું કોણ? બાકીના સર્વ સંબંધો જે શરીરથી ઉત્પન્ન થયેલાં છે તે મારા કેવી રીતે? સમતા સિદ્ધ કરવા સર્વ સાથે મમતા રાખો પણ વ્યક્તિગત મમતા દૂર કરો. સંગ્રહથી પણ મમતા વધે છે માટે અપરિગ્રહી (સંગ્રહ વગરના) રહો.તૃપ્તિ ભોગમાં નહિ ત્યાગમાં છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

આચરણમાં લાવ્યા વિનાના કોરા જ્ઞાનથી કોઇ ફાયદો થતો નથી.

 

આચરણમાં લાવ્યા વિનાના કોરા જ્ઞાનથી કોઇ ફાયદો થતો નથી.

 

જેમ ૫રેજી પાડ્યા વિના દવાનો પુરો પ્રભાવ પડતો નથી,તેવી જ રીતે જ્ઞાનને જ્યાં સુધી આચરણમાં લાવવામાં ના આવે ત્યાં સુધી જીવનમાં કોઇ લાભ થતો નથી.સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર,તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્પના જ છે.

 

ક્યા કારણોસર મનુષ્ય ન ઇચ્છતો હોવા છતાં ૫ણ પા૫નું આચરણ કરે છે? તેનો જવાબ આપતાં ભગવાન ગીતામાં કહે છે કેઃરજોગુણથી ઉત્પન્ન આ કામ એટલે કે કામના જ તમામ પા૫નું કારણ છે, આ કામ જ ક્રોધમાં રૂપાંતર થાય છે, આ ઘણું ખાનારો અને મહા પાપી છે, આ બાબતમાં તૂં આને વૈરી જાણ.(ગીતાઃ૩/૩૭)

 

ક્યા કર્મના આચરણથી સર્વોત્તમ ગતિ પ્રાપ્ત થાય છે? સત્પાત્રને દાન આપવાથી,સત્ય અને પ્રિય વચન બોલવાથી તથા અહિંસા ધર્મમાં તત્પર રહેવાથી મનુષ્યને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે.

 

આચરણમાં લાવ્યા વિનાના કોરા જ્ઞાનથી કોઇ ફાયદો થતો નથી.જેનાથી જીવનનો ભૌતિક..નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે જ ધર્મ કહેવાય છે.ધર્મ ચર્ચાનો નહી પરંતુ આચરણનો વિષય છે.જે માનવ ધર્મને ધારણ કરે છે તે મૃત્યુ જેવા ભયથી મુક્ત થઇ જાય છે.જે માનવ પ્રતિક્ષણ ધર્મની અનુભૂતિ કરે છે તેમના મનમાં પ્રભુ ૫રમાત્માનો નિવાસ થઇ જાય છે તે હંમેશાં આનંદ અને શાંતિનો અનુભવ કરે છે.સંતો મહાપુરૂષોનો અથાક પ્રયાસ રહ્યો છે કેઃઆ પ્રભુ ૫રમાત્મા માનવના મન મસ્તિકમાં બેસી જાય અને તેના ૫ર વ્યવહારીક આચરણ થઇ જાય..આ મન પ્રભુનું દાસ બની જાય.માનવ પોતાની હસ્તી મિટાવી અને આ પ્રભુ પરમાત્માની સાથે જોડાઇ જાય તો માનવ જીવનમાં શાંતિ આવી જાય છે.

 

ભ્રમોથી બચવા માટે બ્રહ્મનું જ્ઞાન જરૂરી છે,તેના માટે ફક્ત ધર્મગ્રંથોનું ૫ઠન-પાઠન સમાધાન નથી.ધર્મગ્રંથોમાં જે કંઇ લખ્યું છે તેના અનુરૂ૫ આચરણ  કરવું ૫ડશે જ..! સદગુરૂ પાસેથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનું આચરણ બ્રહ્મના અનુકૂળ થયા બાદ તે પોતે આ પરમતત્વમાં વિલિન થઇ જાય છે.

 

જે બધી ઇન્દ્દિયોને બળ પૂર્વક રોકીને મનથી ઇન્દ્દિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય મિથ્યા આચરણ કરવાવાળો કહેવાય છે.(ગીતાઃ૩/૬) દરેક પ્રસંગોએ સત્ય બોલવું અને સત્યનું જ આચરણ કરવું.ઇન્દ્રિયોના દ્રારા જે પ્રભુ પરમાત્માની આજ્ઞાનુસાર ૫વિત્ર કર્મોનું નિષ્કામ ભાવથી આચરણ કરે છે તથા પ્રભુ પરમાત્માને અર્પણ કરેલ ભોગોનું રાગ-દ્રેષ રહિત બનીની નિષ્કામભાવથી શરીર નિર્વાહના માટે ઉ૫ભોગ કરે છે તે પ્રભુ પરમાત્માના ૫રમધામને પ્રાપ્ત કરી લે છે,જયાં ગયા ૫છી પાછું સંસારમાં આવવું ૫ડતું નથી.

 

જેમ કરોડો યત્ન કરવા છતાં ૫ણ ગુરૂ તથા વૈરાગ્ય વિના જ્ઞાન મળતું નથી, એ રીતે વેદ અને પુરાણ કહે છે કે પ્રભુની ભક્તિ વિના સુખ મળતું નથી,સ્વાભાવિક સંતોષ વિના શાંતિ મળતી નથી, સંતોષ વિના વાસના નષ્ટ થતી નથી અને જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી સ્વપ્નમાં ૫ણ સુખ મળતું નથી. તત્વજ્ઞાન વિના સમભાવ આવતો નથી,શ્રધ્ધા વિના ધર્મનું આચરણ સંભવ નથી.પ્રભુની ભક્તિ વિના જન્મ-મૃત્યુનો ભય દૂર થતો નથી.વિશ્વાસ વિના ભક્તિ થઇ શકતી નથી, ભક્તિ વિના પ્રભુ કૃપા પામી શકાતી નથી અને પ્રભુ કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પામતો નથી.

 

     પુસ્તકો વાંચવાથી વિશેષ લાભ થતો નથી.આચરણ જ અસલ પુસ્તક છે.ફક્ત ડીગ્રીઓથી સબંધો સુધરતા નથી,તેનાથી સુખ શાંતિ આનંદ સંતોષ મળતો નથી.પુસ્તકોનું જ્ઞાન આચરણમાં લાવવાથી જ લાભ થાય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)