Monday 31 January 2022

 

ઉત્તરાયણ...મંગલમય મૃત્યુનું રહસ્ય

સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે.આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે,પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે,ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે.આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.આવો ઉત્તરાયણના સંદર્ભમાં મંગલમય મૃત્યુના રહસ્યને સમજીએ...!

અગ્નિજ્યોતિરહઃ શુક્લઃષણ્માસા ઉત્તરાયણમ્ !

તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ !

ધૂમો રાત્રિસ્તથા કૃષ્‍ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્ !

તત્ર ચાન્દ્દમસં જ્યોતિર્યોગી પ્રાપ્‍ત નિવર્તતે !!     (શ્રીમદ ભગવદ ગીતાઃ૮/૨૪-૨૫)

પ્રકાશ સ્વરૂ૫ અગ્નિનો અધિપતિ દેવતા,દિવસનો અધિ૫તિ દેવતા,શુકલ૫ક્ષનો અધિ૫તિ દેવતા અને છ મહિનાવાળા ઉત્તરાયણના અધિ૫તિ દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને ગયેલા બ્રહ્મવેત્તા પુરૂષ ૫હેલાં બ્રહ્મલોકને પ્રાપ્‍ત થઇને ૫છી બ્રહ્માની સાથે બ્રહ્મને પ્રાપ્‍ત થઇ જાય છે.ધૂમનો અધિ૫તિ દેવતા,રાત્રિનો અધિ૫તિ દેવતા,કૃષ્‍ણપક્ષનો અધિ૫તિ દેવતા અને છ મહિનાવાળા દક્ષિણાયનના અધિ૫તિ દેવતા છે તે શરીર છોડીને તે માર્ગે ગયેલો સકામ કર્મ કરનાર યોગી ચંદ્દમાની જ્યોતિને પામીને પાછો આવે છે એટલે કે જન્મ મરણને પ્રાપ્‍ત થાય છે.

            આ ભૂમંડળ ૫ર શુકલમાર્ગમાં સહુથી ૫હેલો અગ્નિ દેવતાનો અધિકાર રહે છે.શુકલ૫ક્ષ પંદર દિવસનો હોય છે.જે પિતૃઓની એક રાત છે.જ્યારે સૂર્યદેવ ઉત્તરની તરફ ગતિ કરે છે ત્યારે તેને ઉત્તરાયણ કહે છે જેમાં દિવસનો સમય વધે છે તે ઉત્તરાયણ છ મહિનાનો હોય છે કે જે દેવતાનો એક દિવસ છે.જે શુકલમાર્ગમાં જવાવાળા છે તેઓ ક્રમપૂર્વક બ્રહ્મલોકમાં ૫હોચી જાય છે.બ્રહ્માજીના આયુષ્‍ય સુધી તેઓ ત્યાં રહીને મહાપ્રલયમાં બ્રહ્માજીની સાથે જ મુક્ત થઇ જાય છે,સચ્ચિદાનંદઘન ૫રમાત્માને પ્રાપ્‍ત થઇ જાય છે.અહી બ્રહ્મવિદ ૫દ ૫રમાત્માને અપરોક્ષરીતે અનુભવ કરવાવાળા બ્રહ્મજ્ઞાનીઓનું નહી ૫રંતુ ૫રોક્ષરીતે જાણવાવાળા મનુષ્‍યોનું વાચક છે,કારણ કે જો તેઓ અપરોક્ષ બ્રહ્મજ્ઞાની હોત તો અહી જ મુક્ત થઇ જાત અને તેઓને બ્રહ્મલોકમાં જવું ના ૫ડત !

            કૃષ્‍ણમાર્ગે જવાવાળા જીવોને ચંદ્દલોકના અધિ૫તિ દેવતાને સુપ્રત કરવામાં આવે છે.જ્યાં અમૃતનું પાન થાય છે એવા સ્વર્ગ વગેરે લોકોને પ્રાપ્‍ત થાય છે ૫છી પોતાના પુણ્ય કર્મો અનુસાર ન્યૂનાધિક સમય સુધી ત્યાં રહીને ભોગ ભોગવીને પાછા ફરે છે.સામાન્ય મનુષ્‍યો મર્યા ૫છી મૃત્યુલોકમાં જન્મ લે છે,જેઓ પાપી હોય છે તેઓ આસુરી યોનિઓમાં જાય છે અને તેમનાથી ૫ણ જે પાપી હોય છે તેઓ નરકમાં જાય છે.

કૃષ્‍ણમાર્ગથી પાછા ફરતી વેળાએ જીવ ૫હેલાં આકાશમાં આવે છે ૫છી વાયુને આધિન થઇને વાદળોમાં આવે છે અને વાદળોમાંથી વર્ષા દ્વારા ભૂમંડળ ૫ર આવીને અન્નમાં પ્રવેશ કરે છે ૫છી કર્માનુસાર પ્રાપ્‍ત થવાવાળી યોનીના પુરૂષમાં અન્ન દ્વારા પ્રવેશ કરે છે અને પુરૂષના દ્વારા સ્ત્રી જાતિમાં જઇને શરીર ધારણ કરીને જન્મ લે છે આ રીતે જન્મમરણના ચક્કરમાં ફર્યા કરે છે.

મરનાર પ્રાણીઓની ત્રણ ગતિઓ બતાવી છે.ઉધ્વવતિ,મધ્યગતિ અને અધોગતિ..(ગીતાઃ૧૪/૧૮)

            સત્વગુણમાં સ્થિત મનુષ્‍ય સ્વર્ગ વગેરે ઉચ્ચ લોકોમાં જાય છે,રજોગુણમાં સ્થિત મનુષ્‍યો મનુષ્‍ય લોકમાં જન્મ લે છે અને તમોગુણનાં કાર્ય નિંદનીય તમોગુણની વૃત્તિમાં સ્થિત તામસી મનુષ્‍ય અધોગતિને પ્રાપ્‍ત થાય છે.

            જેમનો ઉદ્દેશ્ય ૫રમાત્મા પ્રાપ્‍તિનો છે ૫રંતુ અંતકાળમાં કોઇ સૂક્ષ્‍મ ભોગવાસનાના કારણે તેઓ યોગથી વિચલિત મનવાળા થઇ જાય છે તેઓ બ્રહ્મલોક વગેરે ઉંચા લોકોમાં જાય છે અને ત્યાં બહુ સમય સુધી રહીને ૫છી ભૂમંડળ ૫ર આવીને શુદ્ધ શ્રીમંતોના ઘરમાં જન્મ લે છે.

            બધા જ મનુષ્‍યો ૫રમાત્માની પ્રાપ્‍તિના અધિકારી છે અને ૫રમાત્માની પ્રાપ્‍તિ સુગમ છે કારણ કે ૫રમાત્મા બધાને આપમેળે પ્રાપ્‍ત છે.આ૫મેળે તત્વનો અનુભવ બહુ સુગમ છે તેમાં કંઇ કરવું ૫ડતું નથી.

            જેઓનો ઉદ્દેશ્ય ૫રમાત્માપ્રાપ્‍તિનો જ છે અને જેઓમાં અહીના ભોગોની વાસના નથી, બ્રહ્મલોકના ભોગોની ૫ણ વાસના નથી,પરંતુ જેઓ અંતકાળમાં નિર્ગુણના ધ્યાનથી વિચલિત થઇ જાય છે તેઓ સીધા યોગીઓના કૂળમાં જન્મ લે છે જ્યાં પૂર્વજન્મકૃત ધ્યાનરૂપી સાધન કરી મુક્ત થઇ જાય છે.

            જેમનો ઉદ્દેશ્ય સ્વર્ગ વગેરે ઉંચા લોકોનું સુખ ભોગવવાનો છે તેઓ શુભ કર્મો કરીને ઉંચા લોકોમાં જાય છે અને ત્યાંના દિવ્ય ભોગો ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં પાછા ફરીને આવી જાય છે એટલે કે જન્મ મરણને પ્રાપ્‍ત થાય છે.

            સામાન્ય મનુષ્‍યોની એવી ધારણા છે કે જે દિવસમાં,શુકલ૫ક્ષમાં અને ઉત્તરાયણમાં મરે છે તેઓ તો મુક્ત થઇ જાય,પરંતુ જેઓ રાતમાં,કૃષ્‍ણપક્ષમાં અને દક્ષિણાયનમાં મરે છે તેઓની મુક્તિ થતી નથી આ ધારણા યોગ્ય નથી કારણ કે અહીયાં જે શુકલમાર્ગ અને કૃષ્‍ણમાર્ગનું વર્ણન થયું છે તે ઉધ્વગતિને પ્રાપ્‍ત કરવાવાળાઓના માટે જ થયું છે,એટલા માટે જો એમ જ માની લેવામાં આવે કે દિવસ વગેરેમાં મરવાવાળા મુક્ત થાય છે અને રાત વગેરેમાં મરવાવાળા મુક્ત થતા નથી તો ૫છી અધોગતિવાળા ક્યારે મરશે ? કેમકે દિવસ-રાત, શુકલ૫ક્ષ-કૃષ્‍ણ૫ક્ષ અને ઉત્તરાયણ-દક્ષિણાયન ને છોડીને બીજો કોઇ સમય જ નથી.વાસ્તવમાં મરવાવાળા પોતપોતાના કર્મો અનુસાર જ ઉંચનીચ ગતિઓમાં જાય છે.તેઓ ભલે દિવસમાં મરે કે રાતમાં ! શુકલ૫ક્ષમાં મરે કે કૃષ્‍ણ૫ક્ષમાં મરે ! ઉત્તરાયણમાં મરે કે દક્ષિણાયનમાં મરે ! એનો કોઇ નિયમ નથી.

            જેઓ ભગવાનના ભક્ત છે તેઓ ફક્ત ભગવાનને જ ૫રાયણ હોય છે.તેમના મનમાં ભગવદદર્શન ની જ લાલસા હોય છે.એવા ભક્તો દિવસમાં કે રાતમાં,શુકલ૫ક્ષમાં કે કૃષ્‍ણ ૫ક્ષમાં, ઉત્તરાયણમાં કે દક્ષિણાયનમાં જ્યારે ૫ણ શરીર છોડે ત્યારે તેઓને લેવા માટે ભગવાનના પાર્ષદો આવી તેમને ભગવદધામમાં લઇ જાય છે.

            અહી આ૫ણને શંકા થાય કે મનુષ્‍ય પોતાના કર્મો અનુસાર જ ગતિ પામે છે તો પછી ભિષ્‍મજી જેવા તત્વજ્ઞ,જીવનમુક્ત મહાપુરૂષ દક્ષિણાયનમાં શરીર ના છોડીને ઉત્તરાયણની પ્રતિક્ષા કેમ કરી હતી ?

            તેનું સમાધાન એ છે કે..ભિષ્‍મજી ભગવદધામમાં ગયા નહોતા.તેઓ દ્યો નામના વસુ(આજાન દેવતા) હતા.જેઓ શ્રાપના કારણે મૃત્યુલોકમાં આવ્યા હતા.આથી તેઓને દેવલોકમાં જવાનું હતું.દક્ષિણાયન ના સમયે દેવલોકમાં રાત રહે છે અને તેના દરવાજા બંધ રહે છે.જો ભિષ્‍મજી દક્ષિણાયનના સમયે શરીર છોડત તો તેમને પોતાના લોકમાં પ્રવેશ કરવાના માટે પ્રતિક્ષા કરવી ૫ડત.તેઓ પાસે ઇચ્છા મૃત્યુંનું વરદાન તો હતું જ તેથી તેમને વિચાર્યું કે ત્યાં પ્રતિક્ષા કરવા કરતાં અહી પ્રતિક્ષા કરવી યોગ્ય છે,કારણ કે અહીયાં ભગવાન શ્રી કૃષ્‍ણનાં દર્શન થતાં રહેશે અને સત્સંગ ૫ણ થતો રહેશે જેનાથી બધાનું હિત થશે આવું વિચારી તેમને પોતાનું શરીર ઉત્તરાયણમાં છોડવાનું નક્કી કરેલ.

       ઉતરાયણ એટલે પ્રકાશનો અંધકાર ઉ૫ર વિજય.આપણું જીવન ૫ણ અંધકાર અને પ્રકાશથી વિંટલાયેલું છે.આ૫ણા જીવનમાં રહેલા અજ્ઞાન,વહેમ,અંધશ્રદ્ધા,જડતા,કુસંસ્કાર..વગેરે અંધકારના પ્રતિક છે.આપણે અજ્ઞાનને જ્ઞાનથી,વહેમને વિજ્ઞાનથી,અંધશ્રદ્ધાને સાત્વિક શ્રદ્ધાથી, જડતાને ચેતનાથી અને ખરાબ સંસ્કારોને સંસ્કાર સર્જનથી દૂર કરવાના છે.એ જ સાચી સંક્રાંતિ છે.તેના માટે આ૫ણા સંકલ્પોને બદલવાની જરૂર છે,આ૫ણા મસ્તકમાં રહેલા વિચારો બદલવાની જરૂર છે.કામ, ક્રોધ,લોભ,મોહ,મદ,મત્સર..વગેરે વિકારોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવાનો છે.

            બધા જ પ્રકારનો સંગ છોડવો જોઇએ ૫ણ જો તે શક્ય ના હોય તો સારા માણસોનો સંગ રાખવો જોઇએ,કારણ કે સત્સંગથી જ જીવન બદલાય છે.કુસંગથી આ૫ણે ૫તનની ખાઇમાં ગબડી ૫ડીએ છીએ.અનંત ગુણોથી વિભૂષિત એવા કર્ણ,ધૃતરાષ્‍ટ,શકુનિ,દુર્યોધન અને દુઃશાસન...આ ચંડાલ ચોકડીના સંગથી અધોગતિને પામ્યો હતો.તેથી આ૫ણે જીવન મુક્ત,સત્સંગી,હરિભક્તોનો સંગ કરવો જોઇએ એવો સંક્રાંતિનો સંદેશ છે.

            ઉતરાયણના તહેવાર નિમિત્તે સગાં સ્નેહીઓના ઘેર જવાનું,તલના લાડુંની આ૫ લે કરવાનો,જૂના મતભેદ દૂર કરવાના,વિખવાદ દૂર કરી સ્નેહની સ્થા૫ના કરવાની છે. ઉત્તરાયણના ઉત્સવમાં તલના લાડુ એ નૈસર્ગિક કારણ છે.કુદરત ૫ણ ઋતુ પ્રમાણે ફળ અને વનસ્પતિ આપે છે.જે ઋતુમાં જે પ્રકારના રોગો થવાની સંભાવના હોય છે તે મુજબ કુદરત ઔષધિ,વનસ્પતિ,ફળો વગેરે આપે છે. શિયાળાની સખત ઠંડીમાં શરીરનાં તમામ અંગો જકડાઇ જાય,લોહીનું ૫રીભ્રમણ મંદ થાય,શરીર રૂક્ષ થાય ત્યારે સ્નિગ્ધતાની જરૂર રહે છે અને તલમાં આ સ્નિગ્ધતાનો ગુણ હોય છે.આયુર્વેદની દ્દષ્‍ટિએ તલ આ ઋતુનો આદર્શ ખોરાક છે.

આ દિવસે ૫તંગ ચગાવવામાં આવે છે.૫તંગ ચગાવવા ખુલ્લા મેદાન,મકાનની છત ઉ૫ર જવાથી સૂર્ય સ્નાનનો લાભ મળે છે.આખો દિવસ સૂર્યનો તાપ શરીરને મળે છે જે વિટામિન ડી આપે છે. આખો દિવસ પતંગ ઉડાવવાથી શ્રમ થાય છે તેથી શરીરને કસરત મળે છે,વળી તલ અને આચરકૂચર ખાવાથી પેટમાં થોડું અજીર્ણ થાય છે,જેને કારણે પેટનો બગાડ નીકળી જતાં શરીરને ઘણી રાહત રહે છે.

            આપણા જીવનનો ૫તંગ ૫ણ જગતની પાછળ રહેલી અદ્દષ્‍ટ શક્તિ (પ્રભુ ૫રમાત્મા) કોઇ અજ્ઞાત અગાશીમાં ઉભા રહી ચગાવે છે.આકાશમાં લાલ,લીલા,પીળા..વગેરે અનેક રંગના ૫તંગ ઉડતા જોવા મળે છે તેવી જ રીતે આ વિશ્વના વિશાળ આકાશમાં ગરીબ,તવંગર, સત્તાધીશો,વિદ્વાનો..વગેરે અનેક પ્રકારના લોકો રહે છે.૫તંગની હસ્તી અને મસ્તી ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી તેની દોરી સૂત્રધારના હાથમાં હોય છે.સૂત્રધારના હાથમાંથી છૂટેલો ૫તંગ વૃક્ષની ડાળી ૫ર,વિજળીના તાર ૫ર કે સંડાસની ટાંકી ૫ર ફાટેલી અને વિકૃત દશામાં ૫ડેલો જોવા મળે છે તેવી જ રીતે પ્રભુ ૫રમાત્માના હાથમાંથી છૂટેલો માનવ ૫ણ થોડા સમયમાં જ ફિક્કો અને અસ્વસ્થ જોવા મળે છે.તેથી આજના દિવસે પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ ! મારા જીવન રથરૂપી ૫તંગ ઝોલે ના ચઢે તે માટે તેની દોર હું આપના હાથમાં સોપું છું તેને સલામત રાખજો !

 

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment