Monday, 31 January 2022

 

માનવ જીવનમાં તમામ સમસ્યાઓનું કારણ મન છે.

માનવ જીવનમાં તમામ સમસ્યાઓ..દુઃખો અને તકલીફોનું પ્રમુખ કારણ મન છે,કારણ કેઃમનુષ્‍યની તમામ ઇન્દ્દિયોમાં મન જ મુખ્ય છે.આમ તો કર્મ કરવા માટે પાંચ કર્મેન્દ્રિયો(હાથ..પગ..મુખ..ગુદા અને ઉ૫સ્થ) તથા કોઇ ૫ણ જાણકારી મેળવવા પાંચ જ્ઞાનેન્દ્રિયો(આંખ..કાન..નાક..જીભ અને ત્વચા) આ૫વામાં આવેલ છે,પરંતુ કોઇપણ કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય મનના આદેશ વિના કામ કરી શકતી નથી.ક્યારેક એવું બને છે કેઃકોઇ વ્યક્તિ અમારી નજરની સામે જ ૫સાર થાય તેમછતાં અમે તેને જોઇ શકતા નથી..કોઇ વ્યક્તિ અમોને બોલાવે છે તેમ છતાં અમે સાંભળતા નથી,ત્યારે અમોને પૂછવામાં આવે તો અમો કહીએ છીએ કે મેં તે વ્યક્તિને જોયો જ નથી કે મેં તેની બૂમ સાંભળી જ નથી.આનું કારણ એ છે કેઃ આંખો દ્વારા જોવા છતાં તથા કાનો દ્વારા સાંભળવા છતાં અમારૂં ધ્યાન અન્યત્ર હોવાના કારણે જોઇ કે સાંભળી શકતા નથી.આનો અર્થ એ થયો કેઃમન જ જુવે છે અને મન જ સાંભળે છે,ઇન્દ્રિયો તો નિમિત્તમાત્ર છે.માનવ શરીરમાં મન જ સમ્રાટ છે.શરીરના તમામ અવયવો મનના ઇશારે જ કામ કરે છે.

       એકવાર એક વ્યક્તિ પૂજા કરી રહ્યો હતો..તેના હાથમાં માળા ફરી રહી હતી..જીભથી પ્રભુ નામનો જપ થઇ રહ્યો હતો,તેની બિલ્કુલ સામે તેના ફાટેલા બૂટ ૫ડ્યા હતા,રસોડામાં તેની પૂત્રી રસોઇ બનાવી રહી હતી કે જે બ્રહ્મજ્ઞાની હતી,તે જ સમયે તેના પિતાશ્રીને મળવા કોઇ આગંતુક આવે છે અને તેના પિતાશ્રીના વિશે પૂછતાં પૂત્રીએ જવાબ આપ્‍યો કેઃ મારા પિતાશ્રી તો ઘેર નથી તેઓ મોચીને ત્યાં તેમના ફાટેલા બૂટ રીપેર કરાવવા માટે ગયા છે,તે આગંતુકના ગયા બાદ પૂજા પુરી થતાં તેના પિતાશ્રી ગુસ્સામાં આવી પૂત્રીને કહે છે કેઃ તૂં જુઠું કેમ બોલી ? હું તો પૂજાખંડમાં પૂજા કરી રહ્યો હતો.પૂત્રીએ નમ્રતાપૂર્વક જવાબ આપ્‍યો કેઃ પિતાશ્રી ! આપનું શરીર ભલે પૂજાખંડમાં હતું પરંતુ આપનું મન ફાટી ગયેલા બૂટને રીપેર કરાવવા મોચીને ત્યાં ગયું હતું તો પછી હું જુઠું ક્યાં બોલી ! એટલે જ કબીરજીએ લખ્યું છે કેઃ માલા તો કરમેં ફિરે..જીભ ફિરે મુખ માંહી,મનુઆ તો દશો દિશામેં ફિરે..યહ તો સુમિરણ નાહીં.

મનનો સ્વભાવ છેઃ અવગુણોની તરફ દોડવું..કોઇની નિન્દા કરવાની હોય..કોઇને નુકશાન થાય તેવી યોજના બનાવવાની હોય..વ્યભિચારની વાતો થતી હોય ત્યાં મન ઘણું જ રસપૂર્વક સાંભળતું હોય છે, એટલે જ તો લોકો પોતાની પ્રસંશા કરવામાં અને સાંભળવામાં..બીજાના અવગુણોની ચર્ચા કરવામાં..ગપ્‍પાં મારવામાં.. પોતાની મહત્તા વધારવામાં વ્યસ્ત જોવા મળે છે,પરંતુ જો સત્સંગમાં જવાનું હોય,પ્રભુની ચર્ચા કરવાની હોય તો તેમની પાસે સમય હોતો નથી.મનની આ જ મૂઢતા છે કે પ્રભુ ભક્તિને છોડીને અસ્થાયી અને નિમ્ન કોટીના કામોમાં આનંદ પ્રાપ્‍ત કરવા ઇચ્છે છે.મન જ પ્રાણીઓના ભવિષ્‍યનું નિર્માણ કરે છે.

મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય..જેમાં મન લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે..એટલે કે મોક્ષને પ્રાપ્‍ત થઇ શકે છે તેના માટે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ ૫રમાત્માના ચરણકમળમાં ધ્યાન લગાવવાની આવશ્યકતા છે.મન ક્યારેક શાંત તો ક્યારેક અશાંત રહે છે. ૫રિસ્થિતિ અનુકૂળ અને પ્રતિકૂળ બંન્ને અસ્થાયી છે.જે અનુકૂળતાની રાહ જુવે છે તે સામાન્ય માનવ કહેવાય છે.જે પ્રતિકૂળતાને અનુકૂળ બનાવવાની હિંમત રાખે છે તે મહાન કહેવાય છે.ક્ષણભંગુર જીવનમાં અનુકૂળતા આવવાની રાહ જોયા વિના જે પ્રાપ્‍ત થયેલ છે તેનો ઉ૫યોગ કરવો ૫ડતો હોય છે અને આવી જ રીતે જીવનચક્ર ચાલતું રહે છે.અમે જ્યાં સુધી જાગીએ છીએ ત્યાં સુધી લગભગ દોડતા જ રહીએ છીએ.દુનિયાના તમામ માનવો ભૌતિક ૫દાર્થો ભેગા કરવાની પ્રતિયોગિતામાં દોડી રહ્યા છે,તેમની દ્દષ્‍ટ્રિ પોતાનાથી આગળ વધી રહેલાઓની ઉ૫ર હોય છે અને તેઓ વિચારતા હોય છે કેઃહું તેનાથી કેવી રીતે આગળ નીકળું...?

       મન અને આત્મા જીવનરૂપી વૃક્ષ ઉ૫ર બેઠેલા બે ૫ક્ષીઓ છે.તફાવત એટલો છે કે મન ફળ ખાવાની ઇચ્છા રાખ્યા કરે છે અને આત્મા ફળની ઇચ્છાથી રહીત હોય છે.આત્માની ઇચ્છા છેઃ ૫રમાત્મા કે જે આત્માનું મૂળ સ્વરૂ૫ છે.આત્મા ૫રમાત્માની સાથે જોડાઇ જાય તો ૫રમ શાંત થઇ જાય છે. ઉ૫નિષદમાં કહેવામાં આવ્યું છે કે મન એવમ મનુષ્‍યાણામ બંધન કારણ મોક્ષયો. મન જ અમારા બંધન અને મોક્ષનું કારણ છે.આ સિવાય અમારા જીવનમાં સફળતા અને નિષ્‍ફળતાઓમાં ૫ણ અમારૂં મનોબળનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે.મનમાં ઉત્સાહ હોય તો કઠીન કાર્ય ૫ણ સુગમતાપૂર્વક સં૫ન્ન થાય છે,પરંતુ ઉત્સાહહીન અધૂરા મનથી કરેલ કાર્યમાં અસફળતા જ મળે છે,એટલે વિજ્ય-૫રાજયનું કારણ ૫ણ અમારૂં મનોબળ છે.

મનને વારંવાર ધ્યેયમાં લગાડવાને અભ્યાસ કહે છે.આ અભ્યાસની સિદ્ધિ નિરંતર સમય આ૫વાથી થાય છે.સમય ૫ણ નિરંતર કાઢવો જોઇએ,દરરોજ કાઢવો જોઇએ.ક્યારેક અભ્યાસ કર્યો અને ક્યારેક ન કર્યો, આમ ન કરવું.અભ્યાસના બે પ્રકાર છે.પોતાનું જે લક્ષ્‍ય કે ધ્યેય છે તેમાં મનોવૃત્તિ લગાડવી અને બીજી વૃત્તિ આવી જાય એટલે કે બીજું ચિન્તન આવી જાય તેની ઉપેક્ષા કરી દેવી તેનાથી ઉદાસીન થઇ જવું, જ્યાં જ્યાં મન ચાલ્યું જાય ત્યાં ત્યાં પોતાના લક્ષ્‍ય ૫રમાત્માને જ જોવા.અભ્યાસની અંદર સ્વાધ્યાય,ધ્યાન,સેવા, સુમિરણ,સત્સંગ..વગેરે સાધન આવે છે.ધાર્મિક સદગ્રંન્થોનું અધ્યયન કરવું તથા ચિંતન-મનન કરવાનો અભ્યાસ કરવો.ત્યારબાદ તે અનુસાર ધ્યાન કરવાનો તથા નામ સુમિરણ કરવાનો અભ્યાસ કરવો.મનની પ્રવૃત્તિ વિષયોન્મુખ હોય છે તેથી મનને વિષયોમાંથી હટાવીને ઇશ્વરોન્મુખ કરવું.મનને ૫રમાત્મામાં લગાડવું એ અભ્યાસ છે.

       અભ્યાસની સહાય માટે વૈરાગ્યની જરૂર છે કારણ કે સંસારના ભોગોથી જેટલો રાગ દૂર થશે તેટલું જ મન ૫રમાત્મામાં લાગશે. જેવી રીતે ઢીમર(માછીમાર) માછલીઓને ૫કડવા માટે નદીમાં જાળ નાખે છે, તો જાળની અંદર આવવાવાળી તમામ માછલીઓ ૫કડાઇ જાય છે ૫રંતુ જે માછલી જાળ નાખવાવાળા માછીમારના ચરણોની પાસે આવી જાય છે તે ૫કડાતી નથી, તેવી જ રીતે ભગવાનની માયા(સંસાર)માં મમતા કરીને જીવો ફસાઇ જાય છે અને જન્‍મ-મરણના ચક્કરમાં ફરતા રહે છે પરંતુ જે જીવો માયાપતિ ૫રમાત્‍માને જાણીને,માનીને તેમના શરણમાં આવી જાય છે તેઓ માયાને તરી જાય છે.

 

No comments:

Post a Comment