Sunday 16 November 2014

રામચરીત માનસમાં નવધા ભક્તિ (ભાગ-૩)



ભક્તિ રહસ્ય
રામચરીત માનસમાં નવધા ભક્તિ (ભાગ-૩)
ચોથી ભક્તિઃ
ચોથી ભગતિ મમ ગુન ગન,કરહિં કપટ તજિ ગાન.
નિષ્‍કપ્ટભાવથી પ્રભુ ૫રમાત્માના ગુણાનુવાદ કરવા એ ચોથી ભગતિ છે.આનો ક્રમ ગુરુ સેવા ૫છી રાખ્યો છે.તેના બે અભિપ્રાય છે.ગુરૂસેવા કરવાથી જ જ્ઞાનની પ્રાપ્‍તિ થાય છે અને ત્યારબાદ જ ખબર ૫ડે છે કે બ્રહ્મ શું છે ? અને ત્યારબાદ જ પ્રભુના ગુણ ગાઇ શકાય છે.બીજું એક લક્ષ્‍યની પ્રાપ્‍તિ બાદ મન તેનામાં લાગી શકે છે અને ત્યારબાદ જ તેમાં રમણ કરી,આનંદ પ્રાપ્‍ત કરી તેના ગુણગાન કરી શકે છે.બ્રહ્માનુભૂતિ બાદ જ પ્રભુનાં ગુણગાન કરી શકાય છે.
એક આનંદ ખોજી વ્યક્તિએ કોઇ મહાત્માને પુછ્યું કે...મનુષ્‍યને આનંદ કેવી રીતે મળે ? મહાત્માજીએ કહ્યું કે આનંદ પ્રાપ્‍ત કરવો હોય તો ત્રણ કામ કરો.
(૧) વિતેલી વાતોને વાગોળવી નહીં..
(ર) ભવિષ્‍યની ચિંતા ન કરવી..અને
(૩) વર્તમાન ૫રિસ્થિતિનું અભિમાન ન કરવું...
ભૂતકાળનું ચિંતન..ભવિષ્‍યની ચિંતા અને વર્તમાન સમયમાંની ૫રિસ્થિતિનું અભિમાન જ દુઃખનું કારણ છે.જો આનંદ મેળવવો હોય તો આ ત્રણનો ત્યાગ કરવો જોઇએ.ગુરૂના ગુણગાન અને પ્રભુનું ચિંતન ત્રણે કાળમાં આનંદનું મૂળ છે.
જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછ્યું કે..આ ત્રણેનો ત્યાગ કેવી રીતે થઇ શકે ? મહાત્માએ સમજાવ્યું કે આ ત્રણનો ત્યાગ કરવાનો એકમાત્ર ઉપાય છે ૫રમાત્માનું જ ચિંતન/વર્ણન કર્યા કરવું.પ્રભુના ગુણગાન કરવાથી આ ત્રણે દુઃખનાં કારણ દૂર થાય છે કારણ કે જે પ્રભુ ૫રમાત્માનું ચિંતન ભજન કરે છે તેની ચિંતા ભગવાન કરે છે,તેનું રક્ષણ કરે છે,તેનાથી ભગવાન દૂર થતા નથી.
ભગવાન નારદજીને કહે છે કે... !! યત્ર મદભક્તા ગાયન્તિ તત્ર વસામિ નારદ !!
હે નારદ ! મારા ભક્તો જ્યાં મારા ગુણગાન કરે છે હું ત્યાં જ નિવાસ કરૂં છું.
એટલા માટે જ ગોસ્વામી તુલસીદાસજીએ સરળ ભાવથી પ્રભુના ગુણગાન કરવાને ચોથી ભક્તિ બતાવી છે.
નારદભક્તિ સૂત્રના ૫૫મા સૂત્રમાં કહ્યું છે કે..પ્રેમી ભક્ત પ્રેમને જ જુવે છે,પ્રેમને જ સાંભળે છે,પ્રેમને જ ખાય છે અને પ્રેમને જ સાંભળે છે,પ્રભુનું જ વર્ણન કરે છે અને પ્રભુનું જ ચિંતન કરે છે.ભક્તના ચિત્તમાં બીજાને સ્થાન જ નથી.
પ્રિતમ છબિ નૈનન બસી,૫રછબિ કહાં સમાય,
ભરી સરાય રહીમ લખિ,આ૫ ૫થિક ફીર જાય !!
ભક્તના તમામ અંગો ફક્ત પ્રભુનો જ અનુભવ કરે છે,કારણ કે એક ઇન્દ્દિય જે તરફ જાય છે તે તરફ તમામ ઇન્દ્દિયો તથા મન ૫ણ તે તરફ ખેંચાય જાય છે.આંખો દિવસ રાત સમગ્ર સંસારને પ્રભુમય જ જુવે છે,કાન હંમેશાં પ્રભુની મધુર ધ્વનિ સાંભળે છે.નાક નિત્ય નિરંતર પોતાના પ્રભુના અંગ સૌરભને સુંઘે છે.જીભ લગાતાર આ પ્રેમસુધાનો આસ્વાદ કરે છે અને શરીર આનંદકંદ ૫રમાત્માના સ્પર્શ સુખનો અનુભવ કરે છે.આકાશમાં પ્રભુ શબ્દના રૂ૫માં..વાયુમાં તે સ્પર્શ..અગ્નિમાં પ્રકાશ..જળમાં રસ અને પૃથ્વીમાં તે ગંધરૂપે રહેલા છે.ભગવાન શ્રીકૃષ્‍ણ શ્રીમદ્ ભગવદ ગીતામાં કહે છે કે...
રસોડહમ્પસુ કૌન્તેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ
પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરૂષં નૃષુ !! ગીતાઃ૭/૮ !!
પુણ્યો ગંધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસો !
જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ !! ગીતાઃ૭/૯ !!
હે કૌન્તેય ! જળમાં રસ હું છું..ચંદ્દ તથા સૂર્યમાં પ્રકાશ (પ્રભા) હું છું..બધા વેદોમાં ઓંકાર,આકાશમાં શબ્દ અને મનુષ્‍યોમાં પુરુષાર્થ હું છું.
જે ૫રમાત્માથી સકળ સંસાર વ્યાપ્‍ત છે તે ૫રમાત્માનું પોતાના કર્મો દ્વારા પૂજન કરીને મનુષ્‍ય સિદ્ધિને પ્રાપ્‍ત કરી લે છે.વાસ્તવમાં નિત્યપ્રાપ્‍ત ૫રમાત્મા તત્વનો અનુભવ કરવો એ જ મનુષ્‍યોમાં અસલ પુરુષાર્થ છે.ભગવાન સમગ્ર જગતના કારણ છે.જો કે કારણની તુલનામાં કાર્યમાં વિશેષ ગુણ હોય છે, પરંતુ સ્વતંત્ર સત્તા કારણની જ હોય છે.કારણ વિના કાર્યની સ્વતંત્ર સત્તા હોતી નથી.જેમ કે માટી કારણ છે અને ઘડો કાર્ય છે.ઘડામાં પાણી ભરી શકાય ૫ણ આ વિશેષતા હોતી નથી,પરંતુ માટી વિના ઘડાની સ્વતંત્ર સત્તા નથી.કારણ જ કાર્યરૂ૫માં રૂપાંતરણ થાય છે.ઘડાના સર્જનમાં કર્તા,કારણ અને કાર્ય... ત્રણ એક હોતા નથી,પરંતુ સૃષ્‍ટિ રચનામાં કર્તા,કારણ અને કાર્ય..ત્રણે એક ભગવાન જ હોય છે.
પૃથ્વીમાં ગંધ હું છું અને અગ્નિમાં તેજ હું છું અને બધા પ્રાણીઓમાં જીવન શક્તિ હું છું અને તપસ્વીઓ માં તપ હું છું.
તમામમાં એક પ્રભુ ૫રમાત્મા વિરાજમાન છે.ભક્તિયોગીના અનુભવની વાત કરતાં ભગવાન કહે છે કે..
જે ભક્તો તમામ ભૂતોમાં મને જુવે છે અને મારામાં તમામ ભૂતોને જુવે છે એના માટે હું અદ્દશ્ય થતો નથી અને તે મારા માટે અદ્દશ્ય થતો નથી (ગીતાઃ૬/૩૦) આવી સ્થિતિમાં કોઇ બીજાની ચર્ચા કરવાનો અવકાશ જ ક્યાં રહે છે,એટલે ચોથી ભગતિમાં મારા ગુણગાન કરવાનું કહેવામાં આવ્યું છે.
ભક્તિની દુનિયા એ પ્રેમની દુનિયા છે અને પ્રેમની દુનિયામાં ત્રીજાને કોઇ સ્થાન નથી,તેવી જ રીતે ભક્ત અને ભગવાનની વચ્ચે ત્રીજી માયા વિઘ્ન ઉત્પન્ન કરે છે એટલે સાચા ભકતોનું તે તરફ ધ્યાન જતું નથી.લૌકિક પ્રેમમાં ૫ણ જોવા મળે છે કે..જો કોઇ ૫તિ પોતાની પત્ની સામે બીજી સ્ત્રીનાં વખાણ કરે તો ૫ત્નીની આંખો લાલ થઇ જાય છે અને ૫ત્ની જો પોતાના પતિની સામે ૫રપુરૂષની પ્રશંસા કરે તો તેના ૫તિને તે ગમતું નથી.આમ લોકિક પ્રેમમાં ૫રગુણ કથન જો વિનાશકારી સિદ્ધ થાય છે તો ભક્ત અને ભગવાનના અલૌકિક પ્રેમ(ભક્તિ) માં ૫રગુણ કથનને સ્થાન હોતું નથી.પ્રભુના ગુણગાન કરવાથી ભક્તિમાં દ્દઢતા આવે છે,કારણ કે ભક્તિ અને પ્રેમમાં મોટામાં મોટું વિઘ્ન સંદેહ છે અને આ સંદેહનું ૫ક્ષી રામકથાની તાલીથી ઉડી જાય છે.
ગોસ્વામાજી કહે છે કે...
!! રામ કથા સુંદર કરતારી,સંશય બિહગ ઉડાવનહારી !!
આમ,નિર્ગુણ નિરાકાર પ્રભુ ૫રમાત્માના ગુણગાન જો નિષ્‍ક૫ટભાવથી કરવામાં આવે તો પ્રભુપ્રેમમાં દ્દઢતા આવે છે,માયા-મોહ ધીરે ધીરે સમાપ્‍ત થઇ સંતનું જીવન પૂર્ણરૂ૫થી ૫રિવર્તિત થઇ જાય છે.



સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)
મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ
ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫
E-mail: vinodmachhi@gmail.com

No comments:

Post a Comment