Sunday 21 July 2013

ભજનો



........
કોઇ દુઃખની પથારીમાં સંત ના સૂવે રે..
                   ઝુલા સુખના બાંધજે...સંતોને સુખ આપજે...
હવે તો હેતની તારી આ ડાળીએ સંતો સૌ છે બંધાયા (ર)
હો..જ્ઞાનનો ઝાડ તૂં તારી આ પ્રિતમાં પાંદડે પાંદડે સમાયા,તારા મૂળોની બાંધમાં બાંધીને તૂં રાખજે... ઝુલા સુખના બાંધજે..
ઘેરાયા વાદળો જગમાં ક્રોધ ના.. વેરની વિજળીઓ ગાજે (ર)
હો..થયો છે ઝેરીલો જગનો માનવી..હેતની ડાળીઓ ના કાજે..
આવા હૈયામાં પ્રિતનો પડાવો તારો નાખજે... ઝુલા સુખના બાંધજે..
નદીઓ નીરની ઝરઝર વહેતી..થાશે તારા જ્ઞાનની..
હો... ઓઢણી લીલી જગ આ ઓઢશે..દાતા તારા નામની..
એવા ડરની દરોડી રોપવા તૂં આવજે... ઝુલા સુખના બાંધજે..
દુઃખના આંસુ સંતોની આ આંખમાં ન આવે..
હો... સુખમાં તરતી તારી છબીઓ..આંખમાં જોવા આવે


No comments:

Post a Comment