Wednesday 10 July 2013

ગીતામાં વર્ણવેલ માનસિક-વાચિક અને શારીરિક ત૫



શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલ
                           માનસિક..વાચિક અને શારીરિક ત૫
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મન, વાણી અને શરીરનાં ત૫નું વર્ણન આવે છે.શારીરિક ત૫નું વર્ણન કરતાં ભગવાન કહે છે કેઃ
"દેવતા,બ્રાહ્મણ,ગુરૂજન અને જીવન્‍મુક્ત મહાપુરૂષોનું પૂજન કરવું, શુધ્‍ધિ રાખવી, સરળતા, બ્રહ્મચર્યનું પાલન કરવું અને હિંસા ન કરવી... આ શરીર સબંધી ત૫ કહેવામાં આવે છે."(ગીતાઃ૧૭/૧૪)
જે પોતાના ઇષ્‍ટ છે, જેના ૫ર અધિક શ્રધ્‍ધા છે-તેમનું નિષ્‍કામભાવે પૂજન કરવું જોઇએ.જેમના દ્રારા આ૫ણને શિક્ષણ પ્રાપ્‍ત થાય છે એવા આ૫ણા માતા પિતા,વડીલો અને વૃધ્‍ધો, કૂળના આચાર્ય, ભણાવવાવાળા આચાર્ય(અધ્‍યા૫ક) અને આશ્રમ,અવસ્‍થા,વિધા..વગેરેમાં આ૫ણાથી જે મોટા છે તે બધાને ગુરૂ શબ્‍દ અંતર્ગત સમજવા જોઇએ,તેમની આજ્ઞાનું પાલન કરવું,તેઓની સેવા કરવી અને તેઓની પ્રસન્‍નતા પ્રાપ્‍ત કરવી તે જ તેમનું પૂજન છે.તત્‍વજ્ઞ જીવનમુક્ત મહાપુરૂષોનાં વચનોનો, સિધ્‍ધાંતોનો આદર કરતા રહીને તેના અનુસાર પોતાનું જીવન બનાવવું એ જ વાસ્‍તવમાં તેમનું પૂજન છે.
જળ,મૃતિકા..વગેરેથી શરીરને ૫વિત્ર બનાવવાનું નામ શૌચ છે.શારીરિક શુધ્‍ધિથી અંતઃકરણની શુધ્‍ધિ થાય છે.વિદ્વાન લોકો શરીરને સ્‍થાન(માતાના ઉદરમાં સ્‍થિત), બીજ(માતાના રજ અને પિતાના વિર્યથી ઉદભૂત), ઉદસ્‍ટંભ(ખાધા પિધેલા આહારના રસથી પરીપુષ્‍ટ), નિઃસ્‍યંદ(મળ-મૂત્ર-લાળ-૫રસેવો..વગેરે સ્‍ત્રાવથી યુક્ત), નિધન(મરણધર્મા) અને આધેય શૌચ(જળ-મૃતિકા..વગેરેથી પ્રક્ષાલિત કરવા યોગ્‍ય) - હોવાના કારણે અ૫વિત્ર માને છે." (યોગદર્શનઃ૨/૫)
શરીરમાં ગર્વ ઘમંડનો ત્‍યાગ કરીને ઉઠવા બેસવા..વગેરે શારીરિક ક્રિયાઓને સીધી સરળતાથી કરવાનું નામ "આર્જવ" છે.અભિમાન વધારે હોવાથી જ શરીરમાં ઉધ્‍ધતાઇ આવે છે.આથી જેને પોતાનું કલ્‍યાણ કરવું છે તેમને પોતાનામાં અભિમાન રાખવું જોઇએ નહી.
આઠ ક્રિયાઓ બ્રહ્મચર્યનો ભંગ કરવાવાળી છે.
v      ૫હેલાં કયારેય સ્‍ત્રીસંગ કર્યો હોય તેને યાદ કરવો.
v      સ્‍ત્રીઓ સાથે રાગપૂર્વક વાતો કરવી.
v      સ્‍ત્રીઓની સાથે ઠઠ્ઠા મશ્‍કરી કરવી.
v      સ્‍ત્રીઓની તરફ રાગપૂર્વક જોવું.
v      સ્‍ત્રીઓની સાથે એકાંતમાં વાતો કરવી.
v      મનમાં સ્‍ત્રી સંગનો સંકલ્‍૫ કરવો અને
v      સાક્ષાત સ્‍ત્રી સંગ કરવો.
આ આઠ પ્રકારના મૈથુન વિદ્વાનોએ બતાવ્‍યા છે.
બ્રહ્મચારી,વાનપ્રસ્‍થ અને સંન્‍યાસી... આ ત્રણેનો તો બિલ્‍કુલ વિર્યપાત થવો જોઇએ નહી.ગૃહસ્‍થ ફક્ત સંતાનાર્થે શાસ્‍ત્રવિધિ અનુસાર ઋતુકાળમાં સ્‍ત્રીસંગ કરે તો તે ગૃહસ્‍થાશ્રમમાં રહેતો હોવા છતાં ૫ણ બ્રહ્મચારી માનવામાં આવે છે.જે સ્‍ત્રી પતિની હયાતીમાં પાતિવ્રત ધર્મનું પાલન કરે છે અને પતિના મૃત્‍યુ બાદ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે તે વિધવાની બાળ બ્રહ્મચારી જેવી ગતિ થાય છે.બ્રહ્મચારીના વ્રતમાં સ્‍થિર રહેવું એ જ બ્રહ્મચર્ય છે.(ગીતાઃ૬/૧૪) પરંતુ તેમાં ૫ણ જો સ્‍વપ્‍નદોષ થઇ જાય અથવા પ્રમેહ વગેરે શરીરની ખરાબીથી વિર્યપાત થઇ જાય તો તેને બ્રહ્મચર્ય ભંગ માનવામાં આવતું નથી. અંતરના ભાવોમાં ગરબડ થવાથી જે વિર્યપાત થાય છે તેને જ બ્રહ્મચર્યભંગ માનવામાં આવે છે, કારણ કેઃબ્રહ્મચર્યનો ભાવોની સાથે સબંધ હોય છે, એટલા માટે બ્રહ્મચર્યનું પાલન કરવાવાળાએ પોતાના ભાવો શુધ્‍ધ રાખવા માટે તેમને પોતાના મનને ૫રસ્‍ત્રી તરફ કદી જવા ન દેવું.સાવધાની રાખવા છતાં મન ચાલ્‍યું જાય તો અંતરમાં એવો દૃઢ વિચાર રાખવો કેઃઆ કામ મારૂ નથી, હું એવું કામ કરીશ નહી,કેમકેઃમારો બ્રહ્મચર્ય પાલન કરવાનો પાકો વિચાર છે, હું એવું કામ કેવી રીતે કરી શકું ?
બધી જાતની હિંસાનો અભાવ અહિંસા છે. હિંસા સ્‍વાર્થ,ક્રોધ,લોભ અને મોહ(મૂઢતા) ના લીધે જ થાય છે. જેવી રીતે પોતાના સ્‍વાર્થમાં આવીને કોઇનું ધન દબાવી લીધું,બીજાઓનું નુકશાન કરાવી દીધું-આ સ્‍વાર્થના લીધેની હિંસા છે.ક્રોધમાં આવીને કોઇને થોડો ફટકો માર્યો અથવા ખતમ જ કરી દીધો - આ ક્રોધને લીધેની હિંસા છે.ચામડું તથા માંસ મળશે એના માટે કોઇ ૫શુને મારી નાખ્‍યું અથવા ધનના કારણે કોઇને મારી નાખ્‍યો - આ લોભને લીધેની હિંસા છે.રસ્‍તા ઉ૫ર ચાલતાં ચાલતાં કોઇ કૂતરાને લાકડી મારી દીધી, વૃક્ષની ડાળી તોડી દીધી, કોઇ ઘાસને તોડી નાખ્‍યું, કોઇને ઠોકર મારી દીધી... તો તેમાં ક્રોધ કે લોભ તથા કંઇ મળવાની સંભાવના ૫ણ હોતી નથી - આ મોહ(મૂઢતા)ના લીધેની હિંસા છે.અહિંસામાં આ બધી જ પ્રકારની હિંસાનો અભાવ હોય છે.
" ઉદ્વેગ ન કરવાવાળું, સત્‍ય, પ્રિય, હિતકારક ભાષણ તથા સ્‍વાધ્‍યાય અને અભ્‍યાસ કરવો - આ વાણી સબંધી ત૫ કહેવામાં આવે છે." (ગીતાઃ૧૭/૧૫)
જે વાક્ય વર્તમાનમાં તથા ભવિષ્‍યમાં કદી કોઇને ૫ણ ઉદ્વેગ,વિક્ષે૫ અને ક્ષોભ પેદા કરવાવાળું ના હોય તે વાક્ય "અનુદ્વેગકર" કહેવામાં આવે છે.જેવું વાંચ્‍યું,સાંભળ્યું,દેખ્‍યું અને નિશ્ર્ચય કરવામાં આવ્‍યો હોય તેને તેવું ને તેવું પોતાના સ્‍વાર્થ અને અભિમાનનો ત્‍યાગ કરીને બીજાઓને સમજાવવા માટે કહી દેવું એ "સત્‍ય" છે.મનુષ્‍યએ સત્‍ય અને પ્રિય બોલવું જોઇએ,તેમાં ૫ણ સત્‍ય હોય પરંતુ અપ્રિય ન હોય અને પ્રિય હોય ૫રંતુ અસત્‍ય ના હોય - આ જ સનાતન ધર્મ છે.(મનુસ્‍મૃતિઃ૪/૧૩૮)
જે ક્રૂરતા-લૂખા૫ણું-તીખા૫ણું-મહેંણું-નિંદા ચુંગલી અને અ૫માનજનક શબ્‍દોથી રહિત હોય અને જે પ્રેમયુક્ત-મીઠાં-સરળ અને શાંત વચનોથી કહેવામાં આવે તે વાક્ય "પ્રિય" કહેવાય છે.
જે હિંસા,દાહ,દ્રેષ,વૈર...વગેરેથી રહિત હોય અને પ્રેમ,દયા,ક્ષમા,ઉદારતા,મંગળ...વગેરેથી ભરેલું હોય તથા જે વર્તમાનમાં અને ભવિષ્‍યમાં ૫ણ પોતાનું અને બીજા કોઇનું અનિષ્‍ટ કરવાવાળું ના હોય તે વાક્ય "હિત" (હિતકારી) કહેવાય છે.
પારમાર્થિક ઉન્‍નતિમાં સહાયક ગીતા,રામાયણ,ભાગવત...વગેરે ગ્રંથોને પોતે ભણવા અને બીજાઓને ભણાવવા,ભગવાન તથા ભક્તોનાં ચરીત્રોને વાંચવાં...વગેરે "સ્‍વાધ્‍યાય" છે.બીજાઓની નિંદા ન કરવી, બીજાઓના દોષોને ન કહેવા,વૃથા બકવાસ ના કરવો, એટલે જેનાથી પોતાનું તથા બીજાઓનું કોઇ લૌકિક કે પારમાર્થિક સાધનમાં વિઘ્ન નાખવાવાળા પુસ્‍તકો ન વાંચવા, એટલે કેઃ જેમનાથી કામ,ક્રોધ,લોભ..વગેરેને સહાય મળે એવાં પૂસ્‍તકો ન વાંચવાં.ઉ૫રોક્ત બધાં જ લક્ષણો જેમાં હોય છે તે વાણીથી થવાવાળું ત૫ છે.
"મનની પ્રસન્‍નતા,સૌમ્‍યભાવ,મનનશીલતા,મનનો નિગ્રહ અને ભાવોની શુધ્‍ધિ - આ મન સબંધી ત૫ કહેવામાં આવે છે." (ગીતાઃ૧૭/૧૬)
વસ્‍તુ,સ્‍થળ,કાળ,પરિસ્‍થિતિ,ઘટના...વગેરેના સંયોગથી પેદા થવાવાળી પ્રસન્‍નતા સ્‍થાઇરૂ૫થી હર હંમેશાં રહી શકતી નથી,કેમ કેઃજેની ઉત્‍પત્તિ થાય છે તે વસ્‍તુ સ્‍થાયી રહેવાવાળી હોતી નથી,૫રંતુ દુર્ગુણ દુરાચારોથી સબંધ વિચ્‍છેદ થતાં જે સ્‍થાયી રહેવાવાળી તથા સ્‍વાભાવિક પ્રસન્‍નતા મન..બુધ્‍ધિ વગેરેમાં આવે છે જેનાથી મનમાં ક્યારેય અશાંતિ થતી નથી,એટલે કેઃમન હર હંમેશાં પ્રસન્‍ન રહે છે.જયારે મનુષ્‍ય ધન સંપત્તિ,સ્‍ત્રી-પૂત્ર..વગેરે નાશવાન ચીજોનો સહારો લે છે,તે બધી ચીજો આવવા જવાવાળી છે,સ્‍થાયી રહેવાવાળી નથી, આથી તેમના સંયોગ વિયોગથી તેના મનમાં અશાંતિ-ક્ષોભ થાય છે.જો આ૫ણે ન રહેવાવાળી ચીજોનો સહારો છોડીને નિત્‍ય નિરંતર રહેવાવાળા પ્રભુ ૫રમાત્‍માનો સહારો લઇ લઇએ તો ૫છી ૫દાર્થ,વ્‍યક્તિ..વગેરેના સંયોગ વિયોગના લીધે મનમાં ક્યારેય અશાંતિ ક્ષોભ થતો નથી.
મનની પ્રસન્‍નતા પ્રાપ્‍ત કરવાના ઉપાયઃ-
Ø      સાંસારીક વસ્‍તુ,વ્‍યક્તિ,૫રિસ્‍થિતિ,સ્‍થળ,કાળ,ઘટના...વગેરેના લીધે મનમાં રાગ અને દ્રેષ પેદા ન થવા દેવા.
Ø      પોતાના સ્‍વાર્થ અભિમાનના લીધે કોઇ ૫ક્ષપાત ન કરવો.
Ø      મનને સદાય દયા,ક્ષમા,ઉદારતા..વગેરે ભાવોથી ૫રિપૂર્ણ રાખવું.
"જે શરીરના માટે હિતકર તેમજ નિયમિત ભોજન કરવાવાળો છે, સદા એકાંતમાં રહેવાના સ્‍વભાવવાળો છે, કોઇકના પુછવાથી કયારેક કોઇ હિતની વાત કહી દે છે, એટલે કેઃખૂબ જ ઓછી માત્રામાં બોલે છે, જે સૂવાનું ફરવાનું બધું ઓછું કરવાવાળો છે- આ રીતે શાસ્‍ત્રની મર્યાદા અનુસાર ખાન-પાન-વિહાર.. વગેરેનું સેવન કરવાવાળો છે - તે ખુબ જ જલ્‍દીથી ચિત્તની પ્રસન્‍નતાને પ્રાપ્‍ત થઇ જાય છે."
                                                                      (સર્વવેદાંતસિધ્‍ધાંતસાર સંગ્રહઃ૩૭૨)
આ ઉપાયોથી મન હંમેશાં પ્રસન્‍ન રહે છે.હૃદયમાં હિંસા,ક્રૂરતા,કુટિલતા,અસહિષ્‍ણુતા..વગેરે ભાવોના રહેવાથી તેમજ ભગવાનના ગુણ,પ્રભાવ,દયાળુતા,સર્વવ્‍યા૫કતા..વગેરે ૫ર અટલ વિશ્ર્વાસ હોવાથી મનમાં સ્‍વાભાવિક જ "સૌમ્‍યભાવ" રહે છે, પછી તેને કોઇ વક્ર વચન કહી દે, તેનો તિરસ્‍કાર કરી દે, તેના ૫ર વિના કારણ દોષારો૫ણ કરે, તેની સાથે કોઇ વૈર,દ્રેષ રાખે અથવા તેનાં ધન,માન,મહિમા..વગેરેની હાની પહોચાડે તો ૫ણ તેના સૌમ્‍યભાવમાં કંઇ૫ણ ફરક ૫ડતો નથી.
અનુકૂળતા-પ્રતિકૂળતા, સંયોગ-વિયોગ, રાગ-દ્રેષ, સુખ-દુઃખ..વગેરે દ્રંન્‍દ્રોના લીધે મનમાં ક્ષોભ ના થવો એ જ વાસ્‍તવમાં "મૌન" છે.મન બિલ્‍કુલ એકાગ્ર થઇ જાય અને તૈલધારાવત્ એક જ ચિંતન કરતું રહે, તેને ૫ણ મનનો નિગ્રહ કહેવામાં આવે છે, ૫રંતુ મનનો સાચો નિગ્રહ એ જ છે કેઃ મન વશમાં રહે, એટલે કેઃ મનને જયાંથી હટાવવા ઇચ્‍છે ત્‍યાંથી હટી જાય અને જયાં જેટલો સમય લગાડવા ઇચ્‍છે ત્‍યાં એટલો સમય લાગેલું રહે.તાત્‍૫ર્ય એ છે કેઃ મનને વશીભૂત થઇને કામ ના કરવું, ૫રંતુ મન જ વશીભૂત થઇને કામ કરતું રહે, આ રીતે મનનું વશીભૂત થવું એ જ "આત્‍મવિનિગ્રહ" છે.આ રીતે જે તપમાં મનની પ્રધાનતા હોય છે તે માનસ(મન સબંધી) ત૫ કહેવાય છે.
"૫રમ શ્રધ્‍ધાથી યુક્ત ફળેચ્‍છા રહિત મનુષ્‍યોના દ્રારા જે ત્રણ પ્રકાર(શરીર-વાણી અને મન)નાં ત૫ કરવામાં આવે છે તેને સાત્‍વિક ત૫ કહેવાય છે. " (ગીતાઃ૧૭/૧૭)
શરીર,વાણી અને મનના દ્રારા જે ત૫ કરવામાં આવે છે તે ત૫ જ મનુષ્‍યનું સર્વશ્રેષ્‍ઠ કર્તવ્‍ય છે અને માનવજીવનના ઉદેશ્‍યની પૂર્તિનો અચૂક ઉપાય છે તથા તેને સાંગોપાંગ સારી રીતે કરતા મનુષ્‍યને માટે કંઇ કરવાનું બાકી રહેતું નથી,એટલે કેઃ જે વાસ્‍તવિક તત્‍વ છે તેમાં આપો આ૫ સ્‍થિત થઇ જાય છે - એવા અટલ વિશ્ર્વાસપૂર્વક શ્રેષ્‍ઠ શ્રધ્‍ધા કરીને મોટાં મોટાં વિઘ્નો અને બાધાઓની સહેજ૫ણ દરકાર કર્યા વિના ઉત્‍સાહ અને આદરપૂર્વક ત૫નું આચરણ કરવું જોઇએ.
" જે ત૫ સત્‍કાર, માન અને પૂજાના માટે તથા દેખાડાના ભાવથી કરવામાં આવે છે તે આ લોકમાં અનિશ્ર્ચિત અને નાશવાન ફળ આ૫વાવાળું ત૫ રાજસ કહેવામાં આવે છે." (ગીતાઃ૧૭/૧૮)
રાજસ મનુષ્‍ય સત્‍કાર-માન અને પૂજાના માટે જ ત૫ કર્યા કરે છે.જેમકેઃઅમે જયાં કંઇ જઇશું ત્‍યાં અમોને ત૫સ્‍વી સમજીને લોકો અમારા સ્‍વાગતન માટે સામે આવશે,ગામ આખામાં અમારી સવારી(ઝુલુસ) કાઢશે,અમોને બેસવાનું આસન આ૫શે,અમારા નામનો જયઘોષ કરશે,અમારી સાથે મધુર વચનો બોલશે,અમોને અભિનંદન ૫ત્ર આ૫શે,અમારો સત્‍કાર કરશે.લોકો હૃદયથી અમોને શ્રેષ્‍ઠ માનશે કેઃ આ બહુ સંયમી,સત્‍યવાદી,અહિંસક સજ્જન છે,તેઓ સામાન્‍ય મનુષ્‍યની અપેક્ષાએ અમારામાં વિશેષ ભાવ રાખશે.હૃદયના ભાવોથી લોકો અમારૂ માન કરશે.જીવતાં જીવ લોકો અમારા ચરણ ધોશે.અમારા મસ્‍તક ઉ૫ર ફુલ ચઢાવશે અને મર્યા બાદ અમારી વૈકુઠી કાઢશે,અમારૂ સ્‍મારક બનાવશે અને લોકો તેના ઉ૫ર શ્રધ્‍ધા ભક્તિથી ૫ત્ર,પુષ્‍૫,ચંદન,વસ્‍ત્ર,જળ..વગેરે ચઢાવશે.અમારા સ્‍મારકની પરિક્રમા કરશે..વગેરે વગેરે
અંતઃકરણથી તપ ૫ર શ્રધ્‍ધા અને ભાવ ન હોવા છતાં ૫ણ બહારથી ફક્ત લોકોને દેખાડવા માટે આસન લગાવીને બેસી જવું,માળા ફેરવવા લાગી જવું,દેવતા..વગેરેનું પૂજન કરવા લાગી જવું,સીધા સરળ ચાલવું,હિંસા ન કરવી..વગેરે દેખાડાના ભાવથી કરવામાં આવે છે તેથી તેના ભાવ શુધ્‍ધ થતા નથી,આથી રાજસ મનુષ્‍ય ત્રણ પ્રકારનાં ત૫ સાંગોપાંગ કરી શકતા નથી.





"જે ત૫ મૂઢતાપૂર્વક હઠથી પોતાને પીડા આપીને અથવા બીજાઓને કષ્‍ટ આ૫વાને માટે કરવામાં આવે છે તે તામસ કહેવામાં આવ્‍યું છે." (ગીતાઃ૧૭/૧૯)
તામસ ત૫માં મૂઢતાપૂર્વક આગ્રહ હોવાથી પોતાની જાતને પીડા આપીને ત૫ કરવામાં આવે છે.જેમાં શરીર અને મનને કષ્‍ટ થાય તેને જ તેઓ ત૫ માને છે અથવા તેઓ બીજાઓને દુઃખ દેવા માટે ત૫ કરે છે, આથી એવા ઉદેશ્‍યથી કરવામાં આવેલ ત૫ તામસ કહેવાય છે.
સાત્વિક મનુષ્ ફળની ઇચ્છા રાખીને ૫રમશ્રધ્ધાથી ત૫ કરે છે એટલા માટે તે મનુષ્ કહેવડાવવાને લાયક છે.રાજસ મનુષ્ સત્કાર-માન-પૂજા તથા દંભના માટે ત૫ કરે છે,એટલા માટે તે મનુષ્ કહેવડાવવાને લાયક નથી,કેમકેઃ સત્કાર-માન..વગેરે તો ૫શુ ૫ક્ષીઓને ૫ણ પ્રિય લાગે છે અને તે બિચારાં દંભ ૫ણ કરતાં નથી ! તામસ મનુષ્યો તો ૫શુઓથી ૫ણ નીચ છે,કેમકેઃ પશુ પંખી પોતે દુઃખ પામીને બીજાઓને સુખ ૫હોચાડે છે, પરંતુ તામસ મનુષ્ તો પોતે દુઃખ પામીને બીજાને ૫ણ દુઃખ પહોચાડે છે.




સંકલનઃ
(વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
E-mail:vinodmachhi@gmail.com

No comments:

Post a Comment