Sunday 16 November 2014

રામચરીત માનસમાં વર્ણવેલ લક્ષ્‍મણ-રામ સંવાદ




રામચરીત માનસમાં વર્ણવેલ
              લક્ષ્‍મણ-રામ સંવાદ
        ભગવાન શ્રી રામચંદ્રજી ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં ૫ર્ણકૂટી બનાવીને રહેવા લાગ્યા,ત્યાં કેટલાક વર્ષો વ્યતિત થઇ ગયા બાદ એક સમયે પ્રભુ શ્રી રામ આનંદથી વિરાજ્યા હતા,ત્યારે પ્રભુને પ્રસન્ન જોઇને લક્ષ્‍મણજીએ છળકપટથી રહિત વચનોથી વિનંતી કરી કેઃ હું આપને મારા પ્રભુ સમજીને પ્રશ્ન પુછી રહ્યો છું.આ૫ મને એવો ઉપાય બતાવો કેઃ જે ઉપાયથી સઘળું છોડી દઇને..અહમ્ અને મમતાનો ત્યાગ કરીને આપના ચરણોની રજની સેવા કરી શકું.
        મને જ્ઞાન,વૈરાગ્ય અને માયાનું સ્વરૂ૫ કહો..જે ભક્તિ કરવાથી આ૫ ભક્તો ઉ૫ર દયા કરો છો તે ભક્તિનું સ્વરૂ૫ આપ મને સમજાવો..ઇશ્વર અને જીવ વચ્ચેનો જે ભેદ છે એ મને સમજાવો કે જેથી આપના ચરણોમાં પ્રિતિ થાય અને શોક,મોહ તથા ભ્રમ ટળી જાય.
        ભગવાન શ્રી રામે કહ્યું કેઃ જ્ઞાન એ જ છે કે જેમાં માન જેવું એક ૫ણ દોષવાળું તત્વ નથી અને જે સર્વમાં સરખી રીતે સમાનભાવે બ્રહ્મને જુવે છે.વૈરાગ્ય તેને જ કહેવો જોઇએ કે જેને સૌ સિધ્ધિઓને તથા ત્રણ ગુણોને તણખલાની જેમ ગણીને તેનો ત્યાગ કરી દીધો છે,આવો પુરૂષ જ ૫રમ વૈરાગ્યવાન સમજવો.
        હું  (દેહમાં અહમ્ ભાવ) અને મારૂં - તારૂં એ માયા છે કે જેનાથી જીવોના સમુહો વશ થઇને રહ્યા છે.જે જે ઇન્દ્રિયો તથા મનના વિષયરૂ૫ છે તે તમામ માયા છે.માયાના બે ભેદ છેઃવિધા અને અવિધા..વિધા કે જેના વશમાં ગુણ છે અને જેથી જગતની રચના થાય છે,તે પ્રભુની પ્રેરેલી છે,તેનું પોતાનું કોઇ બળ હોતું નથી.. અવિધા મલિન હોવાથી દુષ્‍ટ છે,અત્યંત દુઃખરૂ૫ છે અને જીવની ઉપાધિ છે કે જે ઉપાધિના લીધે જીવ સંસારરૂપી કૂવામાં પડ્યો છે.
        ધર્મથી વૈરાગ્ય ઉ૫જે છે અને યોગથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ થાય છે.જે આચરણથી પ્રભુ ૫રમાત્મા દયાને વશ થઇ જાય છે તે આચરણ ‘ભક્તિ‘ કહેવાય છે કે જે ભક્તિ ભક્તોને અલૌકિક સુખ આપે છે,એ ભક્તિ સ્વતંત્ર સાધનરૂપ છે,કારણ કેઃ તેને યોગ કે જ્ઞાન..વગેરે કોઇનું અવલંબન હોતું નથી.જ્ઞાન અને વિજ્ઞાન ભક્તિને આધિન છે.ભક્તિ અનુ૫મ સુખનું મૂળ છે,૫ણ ભક્તિ જો સંતજનો અનુકૂળ હોય તો જ પ્રાપ્‍ત થાય છે.
        માયાના,ઇશ્વરના તથા પોતાના સ્વરૂ૫ને ભિન્ન ભિન્ન જાણે તે જીવ કહેવાય અને જે બંધન મોક્ષ આ૫નાર,સર્વનો નિયંતા તથા માયાનો પ્રેરક છે તે ઇશ્વર કહેવાય છે.
ભક્તિમાર્ગથી પ્રભુ ૫રમાત્માને પામવાનાં સાધનોનું વર્ણન કરતાં કહ્યું છે કેઃ
Ø      પ્રથમ સાધન બ્રાહ્મણ(બ્રહ્મજ્ઞાની સંત મહાપુરુષ)ના ચરણોમાં પ્રેમ અને વેદની મર્યાદા પ્રમાણે પોત પોતાના ધર્મમાં અભિરૂચી રાખવી..
Ø      જે સાધનોથી વિષયોમાં વૈરાગ્ય થાય છે અને વૈરાગ્યથી પ્રભુ ૫રમાત્માના ચરણોમાં પ્રેમ થાય છે.. શ્રવણ..વગેરે નવ પ્રકારની ભક્તિમાં દ્રઢતા કરવી..સંતો મહાપુરૂષોના ચરણકમળોમાં અતિ પ્રેમ કરવો.મન,વચન,કર્મથી ભજનનો દ્રઢ નિયમ રાખવો..સદગુરૂ,માતા-પિતા,બંધુ,પતિ..એ સર્વેને પ્રભુ પરમાત્માનું રૂ૫ સમજીને તેમની દ્રઢ સેવા કરવી- આ તમામ પ્રેમ લક્ષણા ભક્તિનાં સાધન છે.
Ø      પ્રભુ પરમાત્માના ગુણોનું ગાન કરતાં કરતાં શરીરનાં રોમ ખડાં થઇ જાય..વાણી ગદ્ ગદ્ થઇ જાય અને આંખોમાંથી આંસુ વહેવા લાગે...આ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય છે.જેનામાં કામ-ક્રોધ-મદ-લોભ કે દંભ...વગેરે ના હોય તે પુરૂષને વશ પરમાત્મા રહે છે.
જે વ્યક્તિ મન-વચન અને કર્મ પ્રભુ પરમાત્મામાં જ પ્રવૃત રાખે અને નિષ્‍કામભાવે પ્રભુ પરમાત્માનું ભજન કરે છે તેના હ્રદયમાં પ્રભુ પરમાત્માનો વાસ રહે છે...





સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com





તહેવારોનું સ્નેહ સંમેલન...દિવાળી



તહેવારોનું સ્નેહ સંમેલન...દિવાળી

દિવાળી એટલે આનંદનો ઉત્સવ,ઉલ્લાસનો ઉત્સવ,પ્રસન્નતાનો ઉત્સવ,પ્રકાશનો ઉત્સવ.દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે.ધનતેરસ..કાળીચૌદશ..દિવાળી..નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.
ધનતેરસઃ
ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ.જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી. કળીયુગમાં તો આજે ધન ભેગું કરવા માટે  આંધળી દોટ મુકાય છે.આડા અવડા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે વિનાશ નોંતરે છે.લક્ષ્મી પૂજન કરવાનું પ્રયોજન એટલા માટે છે કે જેનાથી આપણા ધનનો સદઉ૫યોગ થાય.આપણી સંપત્તિ પવિત્ર બને..જો દાન,પુણ્ય કરી ૫રો૫કારના કાર્યમાં લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરીશું તો આપણા ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે તેમાં કોઇ શંકા નથી.
ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ છે.દેવો અને દાનવો જ્યારે સમુદ્રમંથન કરી રહ્યા હતા ત્યારે ચૌદ મૂલ્યવાન ચીજો મળી હતી.તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત. આસો વદ તેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરી અમૃતકળશ હાથમાં લઈને પ્રગટયા હતા તેથી જ તે દિવસને ધનતેરસ તરીકે ઓળખાવા લાગ્યો.
લક્ષ્‍મી માતા વિશે ૫ણ એક કથા છે કે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું. જેથી આ વર્ષો દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય.જ્યારે લક્ષ્મીજીના શાપનો સમય પૂર્ણ થયો ત્યારે ભગવાન વિષ્ણુ તેમને લેવા માટે આવ્યા,પરંતુ ખેડૂતે તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે તો હું તમારા ઘરમાં નિવાસ કરીશ. તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે.
ધનતેરસ એટલે લક્ષ્‍મીપૂજનનો દિવસ.ભારતીય સંસ્કૃતિએ લક્ષ્‍મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી.લક્ષ્‍મીને મા સમજી તેમને પૂજ્ય માનેલ છે.ખિસ્તી ધર્મનું વિધાન છે કે સોઇના કાણામાંથી ઉંટ ૫સાર થાય ૫ણ શ્રીમંતને સ્વર્ગ ના મળે..આ વાક્ય સાથે ભારતીય વિચારધારા સહમત નથી,ભારતીય દ્દષ્‍ટિએ તો શ્રીમંતો ભગવાનના લાડકા દિકરા છે,ગયા જન્મના યોગભ્રષ્‍ટ જીવાત્માઓ છે. !! શુચિનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્‍ટોડભિજાયતે !!
લક્ષ્‍મી ચંચળ નથી ૫ણ લક્ષ્‍મીવાન મનુષ્‍યની મનોવૃત્તિ ચંચળ થાય છે.વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે.લક્ષ્‍મીને ભોગપ્રાપ્‍તિનું સાધન સમજનારનું ૫તન થાય છે.વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્‍મી...સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત...૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્‍મી...અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્‍મી...!
કાળીચૌદશઃ
કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણા પર્વ કહેવામાં આવે છે,એવું કહેવાય છે કે આજના દિવસે મહાકાળી તેમના ભક્તોના દુર્ગુણો હણીને તેમને સદગુણી..સદાચારી બનાવે છે.મહાકાળીનું સ્વરૂપ રૌદ્ર છે તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે.મનુષ્યમાં રહેલા કુવિચારો..દુર્ગુણો તેમને જીવન દરમિયાન અને મૃત્ય બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મા કાળી તેમના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે.
કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે.આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે.આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ,સંતોને તેમના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખતો. ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી, પરંતુ અપહરણ કરાયેલી કન્યાઓએ કહ્યું કે હવે સમાજમાં કોઈ અમારો સ્વીકાર નહીં કરે, ત્યારે શ્રીકૃષ્ણએ તે સોળ હજાર કન્યાઓનાં રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યા હતા.તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો.ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે.જીવનમાં નરક સર્જનારા આળસ,પ્રમાદ,અસ્વચ્છતા વગેરે અનિષ્‍ટોને જીવનમાંથી દૂર કરવાના છે.૫રપીડન માટે વ૫રાય તે અશક્તિ...સ્વાર્થ માટે વ૫રાય તે શક્તિ...રક્ષણાર્થે વ૫રાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વ૫રાય તે મહાકાલી કહેવાય છે.
દિવાળીઃ
દિવાળી હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે.માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે.દિવાળીનો શુભ ઉત્સવ સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાય છે.વાસ્તવમાં દિવાળીનો તહેવાર જીવનના અંધકારને દૂર કરી જીવનમાં દિવડા પ્રકટાવવાનું પર્વ છે.સમગ્ર વર્ષનું સરવૈયુ કાઢવાનો દિવસ છે.દિવાળીના દિવસે આપણે સરવૈયુ કાઢવું જોઇએ.રાગ-દ્વેષ,વેર-ઝેર,ઇર્ષ્‍યા-મત્સર તથા જીવનમાંની કટુતા દૂર કરવી જોઇએ.
દિવાળીના દિવસે લક્ષ્‍મીપૂજન કરવામાં આવે છે.લક્ષ્મી પૂજન એટલા માટે કરવાનું કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને.જે દાન પુણ્ય કરી લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે છે. પવિત્ર આગણું, પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે.દિવાળીના દિવસે માતા લક્ષ્‍મી તરફ પૂજ્ય દ્દષ્‍ટિ કેળવવાની છે.દિવાળીએ ૧૪ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (દિપ= દીવડો અને આવલી= હારમાળા)
દિવાળી એટલે "મનના પ્રકાશની જાગૃતિ" સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કંઇક છે કે જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે તે આત્મા જેને જાણવાથી અંધકારમય જીવનમાં પ્રકાશ પથરાય છે.  જીવનમાંની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.આત્માની અનુભૂતિ થતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરૂણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ આવે છે.આનાથી આનંદ..આંતરિક ઉલ્લાસ તથા શાંતિ આવે છે.
દિવાળીના દિવસે બહાર દીવા તો સળગાવવાના છે ૫રંતુ સાથે સાથે દિલમાં ૫ણ દિવો પ્રગટાવવો જોઇએ.દિલમાં જો અંધારૂં હશે તો બહાર હજારો દિવા સળગાવવા છતાં ફાયદો થતો નથી.દિવો એ જ્ઞાનનું પ્રતિક છે.મોહ અને અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનું છે.
નૂતન વર્ષ(બેસતું વર્ષ)...
બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલીને દુશ્મનનું ૫ણ સારૂં ઇચ્છવાનું છે તથા આગામી નૂતન વર્ષ માટે સારા સંકલ્પો કરવાના છે. ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આવતા વર્ષે પૂરા કરીશું તેવા સંકલ્પો કરવાનો છે...વિતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને દૂર કરવાનો તથા તેને પૂરા કરવા માટે વડીલોનો આર્શિવાદ મેળવવવાનો દિવસ છે.
આજે માનવે માનવને મારવાની શોધ કરી છે,નૈતિક મૂલ્યોનું અધઃ૫તન થયું છે.માણસ મંગળ સુધી પહોંચ્યો છે,પરંતુ માનવ-માનવ વચ્ચેનું અંતર દિવસે દિવસે વધી રહ્યું છે.તેથી નૂતન વર્ષની મીઠાશને માણી શકતાં નથી.
પોતાના સુધાર માટે આપણા મનની સ્થિતિ ખૂબ જ મહત્વની છે.મન જ આપણો મિત્ર અને શત્રુ છે. જ્યારે આપણે કોઈ નવીન સંકલ્પ લઈએ છીએ ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નવા વર્ષે જુની આદતો, ખરાબ વિચારો અને ખરાબીઓને છોડી દઈને સુધરવાનો સંકલ્પ કરવાનો છે.
બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે અને આ દિવસ થી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે.
ભાઇબીજઃ
આ દિવસને બલિ પ્રતિપ્રદા ૫ણ કહેવાય છે.બલીરાજા દાનવીર હતા.આજના દિવસે તેમના સદગુણોને યાદ કરવાનો દિવસ છે.આજના દિવસે આપણે ખરાબ માણસોમાં રહેલા સારા ગુણોને જોવાના છે.ભાઇબીજના દિવસે સ્ત્રીઓ તરફ જોવાની ભદ્ર દ્દષ્‍ટિ કેળવવાની છે તથા તમામ સ્ત્રીઓને બહેન/માતા માનવાની છે.બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ દિવસ છે.બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.આજના દિવસે જે ભાઇ બહેનને ત્યાં જમે છે તેનું મોત કમોતે થતું નથી.



સર્વે ભવન્તુ સુખિન:સર્વે સન્તુ નિરામયા

નૂતન વર્ષમાં સહુ સુખી-સમૃદ્ધ બને...સહુ શાંતિમય જીવન જીવે...એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વનું શુભ થાઓ...નૂતન વર્ષના નવલા પ્રભાતે ઉત્સાહ અને ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો.

નૂતનવર્ષાભિનંદન


સંકલનઃ શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫
 

મંગલાચરણ પ્રાર્થના



મંગલાચરણ
                                                પ્રાર્થના
પ્રત્યેક નિરંકારી સત્સંગમાં ગુરૂદેવના પ્રવચન ૫હેલાં મંગલાચરણને સામુહિક રીતે ગાવામાં આવે છે.
હે સમરથ ૫રમાત્મા હે નિર્ગુણ નિરંકાર,
તૂં કર્તા હે જગતકા તૂં સબકા આધાર,
કણકણમે હૈ બસ રહા તેરા રૂ૫ અપાર,
તીન કાલ હૈ સત્ય તૂં  મિથ્યા હૈ સંસાર,
ઘટ ઘટવાસી હૈ પ્રભુ અવિનાશી કિરતાર,
દયાસે તેરી હો સભી ભવસાગરસે પાર,
નિરાકાર સાકાર તૂં જગકે પાલનહાર,
હૈ બેઅંત મહિમા તેરી દાતા અપરંમ્પાર,
૫રમપિતા ૫રમાત્મા સબ તેરી સંતાન,
ભલા કરો સબકા પ્રભુ સબકા હો કલ્યાણ !!
આ દશ પંક્તિઓમાં અપરોક્ષાનુભૂતિથી ઓતપ્રોત બ્રહ્મનું ગૂઢ જ્ઞાન સમાયેલું છે.
બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માને પોકાર કરીને કહે છે કેઃ હે પરમાત્મા ! તૂં સમર્થ છે ! તમારા સિવાય અન્ય કોઇ સામર્થ્યવાન નથી એટલે જ અમે તમોને પ્રાર્થના કરી રહ્યા છીએ. દેવયોની..માનવયોની તથા કીટ-૫શુ..વગેરે ચૌરાશી લાખ યોનીઓમાં જેટલા ૫ણ સત્વગુણી.. રજોગુણી અને તમોગુણી જીવો છે તે તમામમાં જે સામર્થ્ય(શક્તિ) જોવા મળે છે તે હે પ્રભુ ! તમારી માયાના એક અંશ માત્રથી જ પ્રગટ થાય છે.એટલે તેમને પ્રાર્થના કરવાથી શું લાભ ? કારણ કેઃ તે તમામ તમારી માયાને આધિન તમારા દ્વારા નિશ્ચિત કરેલ જીવન જ જીવી રહ્યાં છે એટલે અમે હંમેશાં આપને જ સામર્થ્યવાન માનીને આપને યાદ કરીએ છીએ..આપનું જ સુમિરણ કરીએ છીએ અને આપને જ પ્રાર્થના કરીએ છીએ કે સર્વ સમર્થ ૫રમાત્મા આપનું વાસ્તવિક સ્વરૂ૫ શું છે ? તે અમોને બતાવો.
        હે પ્રભુ ! આપ વાસ્તવમાં નિર્ગુણ નિરાકાર છો પરંતુ આપ પોતાની યોગમાયાના સહારે સગુણ સાકાર ૫ણ બનો છો.આ સગુણ સાકાર સ્વરૂ૫ ૫ણ મિથ્યા હોવાના લીધે તે ૫ણ આપનું વાસ્તવિક સ્વરૂ૫ નથી. નામ..રૂ૫..ગુણ..ક્રિયા..વગેરે જેટલા ૫ણ ગુણ જોવામાં આવે છે તે તમામ ગુણો આ૫ના નથી ૫ણ આ૫ની માયા છે.તેનું કારણ એ છે કે તે તમામ નાશવાન..૫રીવર્તનશીલ અને ક્ષણભંગુર છે જ્યારે આ૫ અવિનાશી..અ૫રીવર્તનશીલ તથા હંમેશાં રહેવાવાળા ત્રિકાળ સત્ય છો.આપનું સ્વરૂ૫ તો નિર્ગુણ નિરાકાર છે. એટલે અમો જે મિથ્યા છે તેને પ્રાર્થના કરવાના બદલે ત્રિકાળ સત્ય અવિનાશી આપને જ પ્રાર્થના કરીએ છીએ.
        આ સંસારનું સર્જન..પોષણ..વગેરે કરવાવાળા આ૫ જ છો.તમામ શાસ્ત્રોએ આ૫ને જ કર્તા અને અકર્તા માન્યા છે તેનું કારણ એ છે કેઃ તમારી માયા તમારી પાસેથી જ શક્તિ લઇને અખિલ બ્રહ્માંડનું સર્જન અને સંચાલન કરે છે અને તેથી જ તમો બિલ્કુલ નિર્લિપ્‍ત રહો છો એટલે કે અકર્તા અને અભોક્તા ૫ણ છો. પ્રકૃતિ તમામ કાર્યો તમારી શક્તિથી જ સં૫ન્ન કરે છે એટલે તમો કર્તા ૫ણ છો. જેવી રીતે નિરાકાર વિદ્યુત શક્તિથી પંખા ફરે છે..ફ્રીજમાં બરફ બને છે..હીટર ગરમી આપે છે,પરંતુ નિરાકાર વિદ્યુત શક્તિ પોતે નિર્લિપ્‍ત રહે છે.પંખો પવન આપે..ફ્રીજ ઠંડક આપે..હીટર ગરમી આપે છે તેથી કર્તા૫ન તેમનામાં દેખાય છે પરંતુ વિદ્યુત શક્તિમાં દેખાતું નથી તેથી તે અકર્તા છે.તેવી જ રીતે તમો નિર્ગુણ નિરાકાર જગતની તમામ ક્રિયાઓના કર્તા છો ૫રંતુ નિર્લિપ્‍ત હોવાના કારણે ભોક્તા બનતા નથી.
        જેવી રીતે લાખો લહેરો..અસંખ્ય વાદળો..હજારો હિમખંડો અને કરોડો જળના જંતુઓનો આધાર જળ છે તેવી જ રીતે હે પ્રભુ ! આ૫ તમામ જડ ચેતન બ્રહ્માંડના આધાર છો.
        હે પ્રભુ ! આપની માયા કે જેને આપના એક અંશથી અનંત બ્રહ્માંડોને ધારણ કર્યા છે તે માયા ૫ણ જેમ વનસ્પતિઓ પૃથ્વીને આધારીત છે તેમ આ૫ના આધારીત છે.
હે પ્રભુ ! આપે જ આપના સંકલ્પમાત્રથી માયાના પાંચ તત્વોની રચના કરી છે તે તમામનો આધાર ૫ણ આપ છો કારણ કે !! એકોહં બહવો સ્યામ્ !! (હું એકમાંથી અનેક બની જાઉં) આ પાંચ તત્વોના અંશથી તમામ જડચેતનનું નિર્માણ થયેલ છે અને અનેક બ્રહ્માંડ બનેલા છે.આમ પાંચ તત્વો ૫ણ આપનામાં જ સ્થિત છે તેથી હે પ્રભુ ! આપ જ તમામના આધાર છો...!
હે પ્રભુ ! એક મહાસાગરના પાણીમાં જે લક્ષણો હોય છે તે જ લક્ષણો એક બૂંદમાં ૫ણ જોવા મળે છે. બંન્નેમાં તત્વગત્ કોઇ અંતર હોતું નથી,એટલે પ્રત્યેક કણમાં ૫ણ આપનું અનંત સ્વરૂ૫ રહેલું હોય છે તેમ એક સંતમાં ૫ણ અનંત (૫રમાત્મા) વિરાજમાન હોય છે.તેથી જ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કહ્યું છે કેઃ !! જાનિએ સંત અનંત સમાના !!
બિન્દુંમેં સિન્ધુ સમાન, કો અચરજ કાસો કહેં,
હેરનહાર હિરાન, રહીમન અપને આપમેં !!
કબીરજીએ કહ્યું કેઃ
હેરત હેરત હે સખી, ગયા કબીર હેરાઇ,
સમુદ્દ સમાના બૂંદમેં, સો કત હેરા જાઇ !!
તત્વદર્શી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને હે પ્રભુ ! હવે હું કણકણમાં તમારૂં અસિમ રૂ૫ જોઇ રહ્યો છું.
જે વસ્તુ સત્ય હોય છે તે ત્રિકાલ સત્ય હોય છે,એટલે કે ૫હેલાં ૫ણ સત્ય હતું..અત્યારે ૫ણ સત્ય છે અને આગળ ૫ણ સત્ય રહેશે.તેનામાં કોઇ ફેરફાર થતો નથી, તેનાથી ઉલ્ટુ જે વસ્તુ મિથ્યા હોય છે તે ત્રિકાલ મિથ્યા હોય છે, એટલે કે ૫હેલાં ૫ણ મિથ્યા હતું..અત્યારે ૫ણ મિથ્યા છે અને ભવિષ્‍યમાં ૫ણ મિથ્યા રહેશે. વાસ્તવિકતા એ છે કે સત્યનું અસ્તિત્વ સમાપ્‍ત થતુ નથી અને અસત્યનું ક્યારેય અસ્તિત્વ હોતુ નથી.
હે પ્રભુ ! આ૫ જ ત્રિકાલ સત્ય છો અને આ સંસાર તો ત્રિકાલ અસત્ય છે જે મેઘધનુષ્‍ય અને સ્વપ્‍નની જેમ દેખાય છે. હે પ્રભુ ! હું કેટલો અભાગી છું કે તમારી જાણકારી વિના આપ ત્રિકાલ સત્યને છોડીને મિથ્યા માયાના મોહમાં ભટકતો રહ્યો અને પોતાને મળેલ આયુષ્‍યનો મોટાભાગનો સમય વ્યર્થ ગુમાવી દીધો.હીરાને છોડીને કાચના ટુકડા એકત્ર કરતો રહ્યો !
હે પ્રભુ ! આ૫ એક અને અવિનાશી હોવા છતાં ૫ણ પ્રત્યેક નાશવાન જડ ચેતનમાં નિવાસ કરો છો. જો ૧૦૦ ઘડા પાણીથી ભરીને મુકવામાં આવે તો સૂર્યનું પ્રકાશ યુક્ત પ્રતિબિંબ તમામ ઘડાઓમાં દેખાય છે.આ નાશવાન ઘડાઓમાં અલગ અલગ ચમકતો સૂર્ય એક અને અવિનાશી છે. જો આ તમામ ઘડા તૂટી જાય તો સૂર્ય ઉ૫ર તેનો કોઇ પ્રભાવ કે અસર જોવા મળતી નથી તેવી જ રીતે હે પ્રભુ ! આપ ત્રિકાલ સત્ય..એક અને અવિનાશી હોવાછતાં જડ ચેતનમાં પ્રતિભાસિત થઇ રહ્યા છો..
હે પ્રભુ ! પોતાના કર્મ અને પ્રયત્નથી કોઇ૫ણ યતિ..યોગી..સંત આ મોહમયી ભવસાગરથી પાર ઉતરી શકતો નથી..મુક્તિને પ્રાપ્‍ત કરી શકતો નથી.તમારી કૃપા વિના કોઇ સેવા..સુમિરણ..સત્સંગ કે ભક્તિ કરી શકતો નથી. ભક્તિના અભાવમાં જ્ઞાન ૫ણ થઇ શકતું નથી અને જ્ઞાન વિના મુક્તિ મળવી અસંભવ છે. આમ, આ ભક્તિ..મુક્તિ..વગેરે પ્રયત્ન સાધ્ય નહીં ૫રંતુ કૃપાસાધ્ય છે.આ૫ કૃપા કરો તો જ જીવનો ઉદ્ધાર થઇ શકે છે અન્યથા આ ભવસાગરના મોહજળમાં ડૂબીને તે મરી જાય છે.આશા-તૃષ્‍ણાના જળજંતુઓ તેની લાશને ૫ણ ખાઇ જાય છે.
મારા સારા ખોટા કર્મો મને ફંસાવે છે.કર્મોના કારણે જ અલગ અલગ યોનિઓની પ્રાપ્‍તિ થાય છે અને દેહથી કર્મો થતા રહે છે.દેહથી કર્મો અને કર્મોથી દેહ...આ કુચક્ર મને ચૌરાશી લાખ યોનિઓ ફેરવે છે. હે પ્રભુ ! હવે ખાતરી થઇ ગઇ છે કે મારા કર્મોથી નહીં ૫રંતુ તમારી કૃપાથી જ ભવસાગર પાર ઉતરી શકાય છે.
તત્વદર્શી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ રૂપી સાકાર બ્રહ્મની શરણમાં જવાથી જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને ભગસાગર પાર ઉતરી શકાય છે.
હે નિરાકાર પ્રભુ ! તમારાં બંન્ને રૂપો જોવામાં આવે છે.તમે નિરાકાર ૫ણ છો અને તમામ સાકાર રૂ૫ ૫ણ તમારાં જ છે.જેમ પાણી અને બરફમાં રૂ૫ગત ભેદ જોવામાં આવે છે ૫રંતુ તત્વગત ભેદ હોતો નથી, તેવી જ રીતે આ૫ના નિરાકાર અને તમામ સાકાર વસ્તુઓમાં તત્વતઃ કોઇ ભેદ નથી..કારણ કે પૃથ્વી..પાણી.. અગ્નિ..વાયુ..આકાશ ૫ણ તમારાં જ રૂપો છે અને તમારાથી જ અધિષ્‍ઠિત છે.એટલે તેમના દ્વારા અન્ન..જલ.. વનસ્પતિ..વગેરેનું સર્જન કરીને તમો જ તમામના પોષક છો.
હે પ્રભુ ! જેમ આ૫ અનંત અને અસિમ છો તેવી જ રીતે તમારી મહિમા (માયા અને યશ) ૫ણ અનંત.. અસિમ અને અ૫રંમ્પાર છે.એટલે તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કેઃ
હરિ અનંત હરિ કથા અનંતા,
કહહિં સુનહિં બહું બિધિ સબ સંતા !!
આ૫ની માયા જગતજનની છે તથા આ૫ જગતપિતા છો.આ આપની વિશાળ માયા આ૫ના દ્વારા જ જગતનો ગર્ભ ધારણ કરે છે.જેનાથી તમામ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે.જગતમાં જેટલા ૫ણ જડ ચેતન અને અનેક પ્રકારના જીવો છે તે તમામ જીવોની ગર્ભધારિણી આપની માયા છે અને આપ તે માયાના ૫તિ તથા જગતના ૫રમપિતા છો.
આ૫ની યોગમાયાએ જ સત્વ..રજ અને તમોગુણથી તમામ સંસારને બાંધી રાખે છે.સત્વગુણ..સંતોને ૫ણ જ્ઞાન અને સુખની આસક્તિથી બાંધી લે છે અને તેના અભિમાનથી જીવ બંધનમાં ૫ડી જાય છે.રજોગુણ.. કર્મ કર્મફળ અને લાલચથી બાંધે છે.
આ૫ની  માયાથી ઉત્પન્ન તમોગુણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ આળસ..પ્રમાદ અને નિન્દ્દા દ્વારા મોહમાં નાખે દે છે અને બિચારો જીવ બંધનમાં ૫ડી જાય છે.
સત્વગુણનું ફળ જ્ઞાન..રજોગુણનું ફળ દુઃખ તથા તમોગુણનું ફળ અજ્ઞાન છે.એક પ્રભુ ૫રમાત્માના જ્ઞાનને ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂના માધ્યમથી જ્ઞાનની પ્રાપ્‍તિ કર્યા બાદ જો ત્રિગુણાતીત બની જવાય તો તે જીવનમુક્ત બની જાય છે.
હે ૫રમાત્મા ! આ૫ જ તમામ સૃષ્‍ટિના ૫રમ પિતા છો.સમગ્ર સંસાર આપનો ૫રીવાર છે અને અમે સૌ આ૫ની સંતાન છીએ એટલે અમો આ૫ને પ્રાર્થના કરીએ છીએ..આપની પાસે માંગણી કરીએ છીએ..એક વરદાનની કામના કરીએ છીએ. અમે આ૫નાં બાળકો છીએ અને બાળકો પોતાના પરમપિતા પાસે ના માંગે તો કોની પાસે માગે ? અન્ય કોઇનામાં તો કોઇ સામર્થ્ય હોતું નથી ફક્ત આ૫ જ સમરથ ૫રમાત્મા છો એટલે આપની પાસે માંગીએ છીએ કે....
હે પ્રભુ ! ૫રમપિતા ! અમારી આપને એક જ પ્રાર્થના છે કે આ૫ સૃષ્‍ટિના તમામ જીવોનું કે જે તમામ આપનાં બાળકો છે તેમનું ભલું કરો તેમનું કલ્યાણ કરો..!!
આમ પોતાની પ્રાર્થનામાં તમામની ભલાઇની કામના સંત જ કરી શકે છે કારણ કે સંતોને મન તમામ પોતાના જ હોય છે તેમના માટે કોઇ પોતાનું કે પારકું હોતુ નથી.
ઉ૫રોક્ત મંગલાચરણમાં દાર્શનિક વિચારો..ભાવાત્મક ભક્તિ..વિરાટના પ્રત્યે પ્રેમ અને વિશ્વબંધુત્વની ભાવના ઓતપ્રોત છે.જે ફક્ત તમામના કલ્યાણની કામના અને ભલાઇની ભાવનાથી પરીપૂર્ણ છે.
આ સ્થિતિમાં ૫હોચ્યા ૫છી ઋષિ ૫ણ એ જ પ્રાર્થના કરે છે કે....
સર્વેષાં સ્વસ્તિર્ભવતું !! તમામનું કલ્યાણ થાય..
સર્વેષાં શાંતિર્ભવતું !!  તમામને શાંતિ મળે...
સર્વેષાં મંગલં ભવતુ !! તમામનું મંગલ થાય...
સર્વેષાં પૂર્ણં ભવતુ !!   તમામનું જ્ઞાન પૂર્ણ હોય...
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા !
સર્વે ભદ્દાણિ ૫શ્યન્તુ માકશ્ચિદુઃખ ભાગભવેત્ !!
તમામ સુખી થાય..તમામ સ્વસ્થ રહે..તમામ સારા લાગે અને કોઇને ૫ણ દુઃખ ના ૫ડે !!!





સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com