Sunday 21 July 2013

ગુરૂ વચનામૃત -૧



Ø      ઉચ્ચ વિચાર..શુભ કર્મ અને કપટ રહિત વ્યવહાર ચરીત્ર નિર્માણનો મૂળ આધાર છે અને તેની પ્રગતિના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.
Ø      જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઇ જાય છે.
Ø      કર્તાભાવનો ત્યાગ કરીને કરવામાં આવેલ કર્મ જ સાચો આનંદ આપે છે.
Ø      જેવી રીતે ધીરજ ગુમાવીને છોડને વારંવાર ઉપાડી નાખવાથી તેનો વિકાસ થતો નથી,તેવી જ રીતે ભક્તિમાં ધીરજ ના રાખવાથી વિકાસ રૂંધાય છે.
Ø      જ્યારે વચન અને કર્મમાં અંતર આવી જાય છે ત્યારે સંકોચ આવે છે.
Ø      પસ્તાવાના આંસુથી ક્યારેય પા૫ ધોવાતા નથી,પરંતુ તેના કારણે થયેલ વિનાશને ફરીથી સુધારી લેવું..એ જ સાચું પ્રાયશ્ચિત છે.
Ø      જેનામાં અભિમાન છે..અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે..વિનમ્રતા છે..જેના હ્રદયમાં મિઠાસ છે..જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.
Ø      સંતુષ્‍ટિ અને તૃપ્‍તિનો એકમાત્ર રસ્તો છેઃ પ્રભુનું જ્ઞાન.
Ø      નમ્રતાને અ૫નાવવાથી જ માનવતાનું કલ્યાણ સંભવ છે.
Ø      સંતુષ્‍ટિ..કરૂણા..દયા અને પ્રેમની ભાવના ભક્તના જીવનમાં દેખાવવી જોઇએ.
Ø      સહનશીલતા અને ક્ષમા માનવનો સૌથી મોટો ગુણ છે.
Ø      નરક એ છે કે જ્યાં બેગુનાહ લોકોની હત્યા કરવામાં આવે છે અને સ્વર્ગ એ છે કે જ્યાં સંત ૫રમપિતા ૫રમાત્માના ગુણગાન કરે છે અને આ બન્ને આ ધરતી ૫ર જ વિધમાન છે.
Ø      સંસારમાં ભલાઇ કરનારની ભલાઇ કરનાર તો અનેક મળે છે,પરંતુ બુરાઇ કરનારનું ભલું કરનાર માનવ દુર્લભ હોય છે.
Ø      જો અમારા હ્રદયમાં વેર..નફરત..ઇર્ષા તથા અભિમાનની ભાવના છે તો અમે સુખી થઇ શકવાના નથી,કારણ કેઃ આ ભાવના સળગતા કોલસા જેવી છે જે પોતે બળે છે અને બીજાને ૫ણ બાળે છે.
Ø      શુભ કર્મો કરવાથી જ શુભકામનાઓ સાર્થક થાય છે.
Ø                                (ગુરૂદેવ હરદેવજી મહા.(નિરંકારી બાબા)ના પ્રવચનમાંથી સાભાર...)


સંકલનઃ
(વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail:vinodmachhi@gmail.com


No comments:

Post a Comment