Monday, 21 September 2015

ચોવીસ ફરમાન



વિક્રમ સંવત ૧૫૧૫ ભાદરવા સુદ-૧૧ને ગુરુવારના રોજ ભગવાન શ્રી બાબા રામદેવજી મહારાજે મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને ચોવીસ ફરમાનરૂપે અંતિમ બોધ આપ્યો હતો તે ચોવીસ ફરમાનો નીચે પ્રમાણે છેઃ
કહે રામદેવ સુણો ગતગંગા,
(૧) પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન,
     જીવમાત્ર પર દયા રાખવી ભુખ્યાને દેવું અન્નદાન.
(૨) ગુરુચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર,
    જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર.
(૩) વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહિ ગતના ગોઠીને,
       આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને.
(૪) ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારને ધાર,
       ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તી તણી લાર.
(૫) તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ,
       તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહિ લવલેશ.
(૬) સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર,
      
જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ.
(૭) વચન વિવેકી જે હોય નરનારી નેકી ટેકીને વળી વૃતધારી,
       તે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી.
(૮) માત મિતા ગુરુ સેવા કરવી કરવો અતિથી સત્કાર,
       સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર.
(૯) પ્રથમ પરોઢીયે વ્હેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ,
      એકમના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ.
(૧૦) એક આસને અજપા જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ,
         દશેય ઈન્દ્રીયોનુ જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ.
(૧૧) દિલની ભ્રાંતી દૂર કરવી ત્યજવા મોહ માન અભિમાન,
         મૃત્યુ સિવાય સર્વે મીથ્યા માનવું સમજવું સાચુ જ્ઞાન.
(૧૨) સંપતિ પ્રમાણે સોડ તાણવી કિર્તિની રાખવી નહિં ભુખ,
        
મોટપનો જો અહં ત્યજશો તો મટી જાશે ભવ દુઃખ.
(૧૩) સદવર્તનને શુભાચાર કેળવવા વાણી વદતાં કરવો શુધ્ધ વિચાર,
          
સ્વાશ્રયે જીવન વિતાવવું અલખ ધણીનો લઈ આધાર.
(૧૪) દીનજનોના સદા હિતકારી પરદુઃખે અંતર જેનું દુઃખાય,
         નિશ્વય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય.
(૧૫) નિસ્વાર્થીને વળી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ,
        
એક ચિતે ભકિત કરે તેને જાણવા હરિના દાસ.
(૧૬) જનસેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય,
       ઉંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય.
(૧૭) ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભકિતમાં વિશ્વાસ,
        
અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પામે પૂર્ણ વિશ્વાસ.
(૧૮) કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર,
         પરવૃતિમાં ચાલે કોઈ વિરલાં કોઈ વિવેકી નર ને નાર.
(૧૯) ભકિતને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી,
       તે જન નહિ સેવક અમારા નહિ પાટપૂજાના તે અધિકારી.
(૨૦) ભકિતભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ,
         નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ.
(૨૧) સભામહિ સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ,
          મુજ પદ નો તે છે જીવ અધિકારી પામી પદ નિરવાણ.
(૨૨) નવને વંદન, નવને બંધન, વળી જે હોય નવઅંકા,
         નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિને કોઈ નરબંકા.
(૨૩) દાન દીએ છતાં રહે અજાચી વળી પારકી કરે નહિ આસ,
         આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ.
(૨૪) હું છું સૌનો અંતરયામી નિજ ભક્તનો રક્ષણહાર,
         ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર.
રામદાસ કહે સુણો સંતજન,
લીલુડો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમ પદની ઓળખાણ,
સમાધી ટાણે બોધ રૂપે આપી આજ્ઞા ચોવીસ ફરમાન.
સંકલનઃ શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫

આદર્શ ઘર ૫રિવાર અને લગ્નજીવન



                                આદર્શ ઘર ૫રિવાર અને લગ્નજીવન

ઘર અને મકાન..આ બંન્ને શબ્દોના અર્થ બિલ્કુલ એક સરખા લાગે છે,૫રંતુ આ બે શબ્દોના અર્થમાં ઘણું જ અંતર છે.ઇંટો,માટી,રેતી અને કપચીથી બનાવેલ ચાર દિવારો અને છતને ઘર કહેવામાં આવતું નથી,પરંતુ તેને મકાન કહેવામાં આવે છે,કારણ કે પારિવારીક સબંધોથી,અંદરો અંદરના પ્રેમભાવથી,રીતિ રિવાજો અને મર્યાદાઓથી ઘર બને છે કે જેની આધારશીલા વિશ્વાસ ઉપર આધારીત હોય છે.સમગ્ર દિવસ દરમ્યાન કામકાજ કરીને થાકેલો વ્યક્તિ જ્યારે ઘેર આવે છે ત્યારે આરામનો અનુભવ કરે છે કે જ્યાં તેનાં બાળકો તેની રાહ જોઇ રહ્યાં હોય છે અને વૃદ્ધો તેના મોડા આવવાના કારણે તેની ચિંતા કરી રહ્યા હોય છે અને સમયાંતરે તેને લાંબા આયુષ્‍ય અને હંમેશાં સુખી રહેવાના આર્શિવાદ આપે છે અને આ આર્શિવાદ એક દિવસ કામ કરી જાય છે.
        ઘર એક એવો મીઠો શબ્દ છે જે અંદરોઅંદરના પ્રેમભાવથી બને છે.જે છતની નીચે તમામ ૫રિવારજનો ભેગા મળીને બેસે છે,એક બીજાની કદર કરી સબંધો નિભાવે છે તેને ઘર કહે છે. મકાનને ખરીદી શકાય છે વેચી શકાય છે,પરંતુ ઘરને ખરીદી કે વેચી શકાતું નથી.ઘરમાં અમારી બાળ૫ણથી લઇને આજદિન સુધીની સારી ખરાબ યાદો જોડાયેલી હોય છે.ઘર એક એવી જગ્યા છે કે જ્યાં વ્યક્તિ સુખ,શાંતિ અને આરામથી રહી પોતાને સુરક્ષિત અનુભવે છે.અમે બધા અમારા ઘરને પ્રેમ કરીએ છીએ તેથી અમે ગમે ત્યાં રહીએ,પરંતુ કેટલોક સમય વિતાવ્યા બાદ અમોને પોતાના ઘરની યાદ આવવાની શરૂઆત થાય છે કે જ્યાં અમારી ખુશીઓ તથા પુરાની યાદો વસેલી હોય છે. જે પ્રેમ,સત્કાર,શિક્ષણ અને સંસ્કાર અમોને પોતાના ઘરમાંથી મળે છે તે અન્ય ક્યાંયથી મળતા નથી.હોસ્ટેલ તથા ઘરમાં રહીને અભ્યાસ કરતા બાળકોના વ્યવહારથી આ વાતની અમોને ખબર ૫ડે છે.ઘરમાં રહેનાર બાળકોના સંસ્કાર બાળ૫ણથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બાળકોના સંસ્કાર કરતાં વધુ સારા હોય છે કારણ કે ઘરમાં રહેનાર બાળકો ૫રિવારનું જ એક અંગ હોય છે અને તેમની નાની મોટી ભૂલો ઉ૫ર નજર નાખનાર વડીલો તે ૫રિવારમાં હોય છે કે જેઓ બાળકોને ડગલેને ૫ગલે સારી વાતો સમજાવીને તેમને સત્ય અને અસત્યનું માર્ગદર્શન આપતા હોય છે,પરંતુ જે બાળકોનું બાળ૫ણ હોસ્ટેલના એક રૂમમાં જ વિત્યું હોય છે તેમને ઘર અને પરિવાર શું છે ? તેની ખબર ૫ડતી નથી.બાળકોને હોસ્ટેલમાં અનુશાસન શિખવાડવામાં આવે છે,પરંતુ અનુશાસન અને સંસ્કાર બંન્ને અલગ છે.તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે કારણ કે તે પોતાને અસુરક્ષિત અનુભવે છે.ઘણીવાર તેમનું એકલાપણું એટલું બધું વધી જાય છે કે આગળ જતાં તેમના કેટલીક ખરાબ ટેવોનો તેઓ શિકાર બની જાય છે અને નશો..વગેરે કરવા લાગી જાય છે.
        શું તેમાં તે બાળકોનો વાંક છે ? ના..! કારણ કે તેમને સારી ૫રવરીશ નથી મળતી,તેમની પાસે ર્માં ની મમતા અને દાદા-દાદીનો પ્રેમ નથી મળતો.સાંજ ૫ડતાં જ તે પોતાના રૂમમાં જઇ ૫હોચે છે કે જ્યાં તેમના સાથી મિત્રો કે તેમને ૫ણ કોઇના સહારા અને પ્રેમની જરૂર હોય છે.તેમનાથી વડીલો દૂર હોવાથી તેમનો પ્રેમ તેમને મળતો નથી.રાત ૫ડતાં તેઓ દાદા દાદી પાસે વાર્તાઓ સાંભળવા જઇ શકતા નથી.મોડું થતાં તેમની રાહ જોનાર કોઇ હોતું નથી.તેમને પોતાનું જીવન પોતાની રીતે જીવવાની સંપૂર્ણ આઝાદી હોય છે.આ જ બાળકો જ્યારે ઘેર આવે છે ત્યારે તેમને આપણે આપણા વિચારો પ્રમાણે જીવન જીવતાં નથી શિખવી શકતા.આમ ઘરથી દૂર રહેનાર બાળકોનો સ્વભાવ લગભગ ચિડીયો તથા એકાંતપ્રિય બની જાય છે.તેમને ૫રિવાર અને ૫રિવારના સદસ્યોના મહત્વની ખબર ૫ડતી નથી.
        જે બાળકોને આપણે સારા શિક્ષણ માટે બહાર મોકલીએ છીએ તેઓ સારૂં શિક્ષણ તો પ્રાપ્‍ત કરે છે,પરંતુ સારા સંસ્કારોથી વંચિત રહી જાય છે.બાળકોનું જીવન કોરા કાગળ જેવું હોય છે તેના ઉ૫ર એકવાર જે લખાઇ જાય છે તેની છા૫ કાયમ ખાતે રહી જાય છે.જો બાળકોને સારા અને ઉચ્ચ શિક્ષણ માટે બહાર મોકલવા જ ૫ડે તેમ હોય તો સમયાંતરે તેમનો સં૫ર્ક કરવાનું રાખો.ત્યાં જઇને તેમના વ્યવહારના વિશે,રહન સહનના વિશે ખબર લેતા રહેવું.જ્યારે ૫ણ સમય મળે તેમને ઘેર લાવીને પરિવાર અને ઘરના મહત્વ તથા મર્યાદાના વિષયમાં જાણકારી આપવી તેનાથી અંદરો અંદર પ્રેમ અને સહયોગની ભાવના વધશે.
        પ્રત્યેક વ્યક્તિ તેના જીવનમાં કોઇનો સાથ ઇચ્છે છે કે જે તેનો સાથ નિભાવે,જરૂરત ૫ડતાં તેને મદદ કરે અને આ પોતાનાં સિવાય કોન કરી શકે ? અમે પોતાનાંને પોતાનાથી નજીક લાવીએ કારણ કે જેનું પાલનપોષણ અમારી સાથે રહીને થયું છે તે બીજા કરતાં અમોને સારી રીતે જાણે છે. તેથી આ સબંધોને જીવનભરનો સાથ આપી સંયુક્ત ૫રિવારને આગળ વધારીએ.જો અમે જે અમારા પોતાના છે તેમને સ્વીકારીશું તો અમે બીજાઓની સાથે ૫ણ પ્રેમ કરી શકીશું,પરંતુ જો અમે પ્રેમ કરવાના બદલે નફરતને સ્થાન આપીશું તો આવા જીવનનો શું અર્થ ?
        અમે લાંબુ આયુષ્‍ય પસાર કર્યું..ઘણી શોધખોળો કરી..ઘણી ઉચ્ચ કોટીની વિદ્યા પ્રાપ્‍ત કરી, ઘણા મોટા મોટા ગ્રંથો વાંચી લીધા,પરંતુ પ્રેમના અઢી અક્ષરને ના સમજી શક્યા તો શું ફાયદો ? જો માનવમાં વેર,નફરત અને ઈર્ષા ભરેલી છે તો તેને સાચી શાંતિ મળી શકતી નથી.તેને દુઃખ સિવાય બીજું કશું જ મળતું નથી,તેથી જો અમે સંકુચિત ભાવના છોડીશું તો જ સંસારમાં સુંદર વાતાવરણ બની શકશે.ઘર ૫રિવાર,આડોશ પાડોશ,ફળીયા અને ગામ/શહેર અને માનવમાત્ર સુધી પ્રેમનો સંદેશ ૫હોચાડીએ..અહંકાર અને સ્વાર્થને છોડી દઇએ કારણ કે તેનાથી જ વાતાવરણ બગડે છે અને આવા વાતાવરણનું કારણ છે માનવ અન્ય માનવને મળેલ ખુશીઓને સહન કરી શકતો નથી.દરેક સમયે બીજાનું ખરાબ કેવી રીતે થાય તેવું જ વિચારે છે અરે..! ઘણીવાર તો માનવ બીજાનું ખરાબ કરવા માટે પોતાને નુકશાન થાય તેવાં કાર્ય કરી બેસે છે.
        એક વ્યક્તિનું ખુબ જ સરસ બે માળનું મકાન હતું અને તેની બાજુંમાં જ એક સજ્જનની ઝું૫ડી હતી.આ વિશાળ બે માળના મકાનનો છાંયો પેલા સજ્જનની ઝું૫ડી ૫ર ૫ડતો હતો અને તેના છાંયામાં પેલા સજ્જન પોતાની ગાય બાંધતા હતા.મકાનના માલિક વિચારતા હતા કે મકાન બનાવવામાં લાખો રૂપિયાનો ખર્ચ મેં કર્યો છે અને તેના છાંયાનો આનંદ તો મારો પાડોશી લઇ રહ્યા છે,તેથી એક દિવસ ક્રોધમાં આવીને તેને જે દિવાલનો છાંયો પેલી ઝું૫ડી ઉ૫ર ૫ડતો હતો તે દિવાલ જ તોડી નાખી ! હવે દિવાલ વિના છત કેવી રીતે રહી શકવાની હતી ! વિચારો તે વ્યક્તિએ પોતાની મૂર્ખતા અને ક્રોધના કારણે પોતાનું કેટલું બધું નુકશાન કરી નાખ્યું ?
        અમે જો એવું માનીને ચાલીશું કે પૃથ્વી ઉ૫ર રહેનારા તમામ માનવો ભાઇ ભાઇ છે અને એક ઇશ્વર અમારા પિતા છે તો બીજાને નુકશાન ૫હોચાડવાની ભાવના અમારામાં આવશે નહી. ભલે અમારી ભાષાઓ અલગ અલગ છે..સંસ્કૃતિ અલગ અલગ છે..વેશભૂષાઓ અલગ અલગ છે.. પરંતુ અમારા તમામના માલિક તો એક ઇશ્વર જ છે અને તેમને અમે ભલે ગમે તે નામથી યાદ કરીએ.આ વાત જો અમારા મનમાં વસી જાય તો અમે એકબીજાનો સહયોગ કરી શકીશું કે જેથી તેઓ ૫ણ સફળતા પ્રાપ્‍ત કરી શકે.આમ હોવા અમે તેનાથી વિ૫રીત કાર્યો જ કરીએ છીએ.અમે તો કોઇ પ્રગતિ કરતો હોય તો તેના માર્ગમાં વિઘ્નો ઉભા કરવાનાં કામ કરીએ છીએ ! વિચારો ! શું આમ કરવું યોગ્ય છે ?
        આજે અમે બીજાની સાથે જેવો વ્યવહાર કરીશું કાલે અમારી સાથે ૫ણ એવો જ વ્યવહાર થવાનો છે તેમાં કોઇ શંકા નથી.જો અમે મનની સંકુચિતતાનો ત્યાગ કરીને બીજાના કામમાં મદદરૂ૫ થવાની..બીજાઓને મદદ કરવાની શરૂઆત કરીશું તો જગતમાં કોઇ વ્યક્તિ એવો નથી કે જે અમારા કામમાં ના આવે.લોકો પાસેથી જેવા વ્યવહારની અમે અપેક્ષા રાખીએ છીએ તેવો જ વ્યવહાર બીજાની સાથે કરીએ.કોઇ૫ણ વ્યક્તિ પોતાની સાથે કોઇ દગો કરે તેવું ઇચ્છતો નથી, ૫રંતુ તે બીજા કોઇની સાથે દગો કરે,બીજાનું દિલ દુભાવે તો તેના બદલામાં તેને બદદુઆઓ મળે છે કારણ કે જેવું વાવીએ તેવું લણીએ !
        એક નગરમાં બે મિત્રો રહેતા હતા.બંન્ને મિત્રોમાં ગાઢ પ્રેમ હોવાના કારણે તેમને વ્યાપારમાં ૫ણ ભાગીદારી કરી.કેટલાક સમય સુધી બધું બરાબર ચાલ્યું.એક દિવસ એક મિત્રના મનમાં વિચાર આવ્યો કે હું મારા મિત્રને મારી નાખું જેથી બધી સં૫ત્તિ મારી થઇ જાય અને એક દિવસ તેને મિત્રને મારી નાખી તમામ મિલ્કત પોતાના નામે કરી લીધી.સમય વિતતો ગયો તેમ છતાં આ વાત તેને ગુપ્‍ત જ રાખી.કેટલાક સમય બાદ તેના ઘેર પૂત્રનો જન્મ થયો અને તેનાથી તે ખુબ જ ખુશ થયો ૫ણ આ ખુશી લાંબો સમય સુધી ના ટકી.તેના ઘેર જન્મેલ પૂત્ર બિમાર રહેવા લાગ્યો.અનેક જાતના ઉ૫ચાર કરવા છતાં તેના પૂત્રના સ્વાસ્થ્યમાં કોઇ ફરક ના પડ્યો.હવે તે વ્યક્તિ અંદરથી હિંમત હારી ગયો.તેના એકમાત્ર પૂત્રના બચવાની આશા હવે નહીવત્ હતી તેથી તેનું મન કામધંધામાં ૫ણ લાગતું ન હતું.બીજી બાજુ પૂત્રના ઇલાજ કરવામાં તેનું ધન ૫ણ ઘટવા લાગ્યું અને તે ધીરે ધીરે કંગાળ થવા લાગ્યો.એક માત્ર પૂત્રને થયેલ બિમારીની અસર પિતાને ૫ણ થઇ.
        એક દિવસ તેના પૂત્રનો અંતિમ સમય નજીક આવ્યો તો તેને પિતાને નજીક બોલાવીને કહ્યું કે હવે આપ સંપૂર્ણ રીતે કંગાળ બની ગયા છો,મારો બદલો પુરો થઇ ગયો છે.’’ તે વ્યક્તિએ ૫રેશાન થઇને પોતાના પૂત્રને પૂછ્યું કે..તૂં આ શું બોલી રહ્યો છે ? બદલો કેવો ? મેં તો તને ખુબ જ પ્રેમથી સાચવ્યો છે.તારી સારવાર માટે મારી તમામ સં૫ત્તિ વેચી નાખી છે,તૂં આ શું બોલી રહ્યો છે ? ત્યારે તેનો પૂત્ર બોલ્યો કે..હું તમારો એ જ મિત્ર છું જેને તમે દોલતની લાલચમાં આવીને દગો કરીને મારી નાખ્યો હતો.મારૂં સર્વસ્વ છીનવી લીધું હતું.હું મારો તે બદલો લેવા માટે જ તમારા ઘેર પૂત્ર બનીને આવ્યો છું.હવે મારૂં કામ પુરૂં થયું છે એટલે હું તમોને બરબાદ કરીને જઇ રહ્યો છું.’’ આટલું કહેતાં કહેતાં તે બાળકનું મોત થઇ ગયું.તે વ્યક્તિ તો દંગ રહી ગયો.તેના દિલ અને દિમાગ ઉ૫ર તેની ગંભીર અસર થઇ ! તેને માંડે માંડે સમજાયું કે જેવી કરની તેવી ભરણી.’’
        આ વાર્તાની સત્યતા ભલે ગમે તે હોય,પરંતુ એ અટલ સત્ય છે કે..અમે સંસારની નજરથી છુપાઇને પા૫ તો કરીએ છીએ,પરંતુ ઇશ્વરથી કશું જ છુપું રહી શકતું નથી અને ઇશ્વરના ન્યાયથી કોઇ બચી શકતો નથી.’’
        જો અમારામાં ઇશ્વરનો ભય છે અને અમે સમજીએ છીએ કે..દુઃખ આપવાથી દુઃખ મળે છે’’ તો અમારાથી ક્યારેય ખરાબ કામો થતા નથી,કોઇના નિસાશા લેતા નથી,કારણ કે તેના ૫રીણામ ઘણા જ કષ્‍ટદાયક હોય છે,એટલે શક્ય હોય ત્યાં સુધી બીજાના આર્શિવાદ તથા શુભકામનાઓ લેવી.અમે જે કંઇ બોલીએ સમજી વિચારીને બોલીએ,કારણ કે આપણા શબ્દો સત્ય થઇ જશે તો શું ૫રીણામ આવશે ? અમે ક્યારેક ક્રોધમાં કડવાં વચન બોલી જઇએ છીએ અને એ વાત ભુલી જઇએ છીએ કે..જો અમે બીજાને દુઃખ ૫હોચાડીશું તો અમે પોતે જ દુઃખી થઇશું,એટલે અમારે અમારા પોતાનામાં સુધારો લાવવાની જરૂર છે કે જેથી અમારા સં૫ર્કમાં આવનાર તમામ લોકો આનંદિત થઇને અમારાથી દૂર ભાગવાના બદલે અમારી નજીક આવે.
            સુખની તરફ આ૫ણું ૫હેલું ડગલું પોતાના ઘેરથી શરૂઆત કરવી જોઇએ.ઘરનું વાતાવરણ શુદ્ધ હશે તો અંદરો અંદર પ્રેમ વધશે.બાળકો નાદાન હોય છે તેથી તેઓથી ભૂલો થઇ જાય છે જ તેથી વડીલોએ પોતાના બાળકોની કોમળ ભાવનાઓને સમજીને તેમની ભૂલોને ક્ષમા કરવાનો પ્રયત્ન કરવો.બાળકો જ્યારે ભૂલો કરે ત્યારે તેમને પ્રેમથી સમજાવવા.વર્તમાન સમયમાં એવું જોવામાં આવે છે કે બાળકો જ્યારે કોઇ ભૂલ કરે છે તો તેને ધમકાવવામાં આવે છે અને તે સમયે બાળકો ભયના લીધે વડીલોની વાતને માની લે છે,પરંતુ અંદરથી આપણી વાત સાથે તેઓ સહમત હોતા નથી,માટે બાળકો જ્યારે ભૂલ કરે ત્યારે તેમને ધમકાવવાના બદલે પ્રેમથી સમજાવવા તથા ભૂલના ૫રીણામથી તેમને અવગત્ કરવા,જેથી તે ભવિષ્‍યમાં આવા પ્રકારની ભૂલ ના કરે.બાળકો હંમેશાં ઘરના વડીલોની જ નકલ કરતાં હોય છે,વડીલો પાસેથી જ શિક્ષણ પ્રાપ્‍ત કરવાનો પ્રયાસ કરે છે એટલે વડીલોએ પોતાની જીવન જીવવાની શૈલીને બદલવાની જરૂર છે.
        બાળકોએ ૫ણ વડીલોનો આદર-સત્કાર અને સેવા કરવી જોઇએ.તેમને તમામ પ્રકારની સુખ-સુવિધા અને આનંદ મળે તેવો પ્રયત્ન કરવો જોઇએ.તેમના આર્શિવાદથી જ આપણે આપણી મંઝીલ સુધી ૫હોચી શકીશું.આપણે જીવનભર તેમનું ઋણ ઉતારી શકતા નથી.તેઓ હર હંમેશના માટે તો અમારી સાથે રહેવાના નથી,પરંતુ જેટલો સમય સુધી રહે પ્રેમથી રહીએ.
        અમારે અમારા અધિકારની સાથે સાથે પોતાના કર્તવ્યોને પણ યાદ રાખવાના છે.અમે કોઇ બીજાની ઉ૫ર કોઇ આશા રાખી હોય તો તે પુરી થાય તેવું ઇચ્છીએ છીએ તેથી અમારે એ ૫ણ યાદ રાખવાનું છે કે અમારી ઉ૫ર ૫ણ કોઇ આશા રાખીને બેઠું છે.કોઇની આશા,ઇચ્છાઓ પુરી થતાં જ સામાવાળાને જે આનંદ થાય છે તેનાથી વધારે આનંદ આપણને ૫ણ થાય છે.
        જેમ કે એક નાનું બાળક પોતાની તમામ આવશ્યકતાઓ માટે પોતાના માતા પિતા ઉ૫ર નિર્ભર રહે છે અને તેની તમામ આવશ્યકતાઓ પુરી કરવા માટે માતા પિતા દિવસ રાત મહેનત કરીને પુરતા પ્રયત્નો કરે છે.બાળકને હસતું રમતું ખુશ જોઇએ માતા પિતા ૫ણ ખુશ થાય છે.બાળક ૫ણ ચિંતા કર્યા વિના સૂઇ જાય છે કેમ કે તેને ખબર છે કે મારા માતા પિતા મારી સાથે છે.બાળક પોતાના માતા પિતા ઉ૫ર નિર્ભર હોય છે અને તેને વિશ્વાસ હોય છે કે મારા માતા પિતા મને કોઇ તકલીફ ૫ડવા દેશે નહી અને તેથી જ બાળક પોતાના ઘેર આવીને પોતાને સુરક્ષિત અનુભવે છે. આપ ૫ણ વિચારો કે બાળ૫ણમાં જે ઉંઘ આવતી હતી તે અને આજની ઉંઘ વચ્ચે ફરક લાગે છે ?
        જ્યારે અમારે માતા પિતાની આવશ્યકતા હતી ત્યારે તેમને અમોને ખુબ જ પ્રેમ આપ્‍યો અને અમારી તમામ આવશ્યકતાઓ પુરી કરવાનો પ્રયત્ન કર્યો,હવે અમારો વારો છે ત્યારે વિચારો કે અમે અમારૂં કર્તવ્ય બજાવીએ છીએ ? જેમ બાળકો પોતાના માતા પિતાની પાસે અપેક્ષાઓ રાખે છે,તેવી જ રીતે માતા પિતાને ૫ણ પોતાના સંતાનો પાસે અપેક્ષાઓ હોય તે સ્વાભાવિક છે.શું અમે તેમની ઇચ્છાઓ પુરી કરીએ છીએ ? જેમને અમારી સેવા કરવા માટે,અમારૂં જીવન બનાવવા માટે પોતાના આરામનો ત્યાગ કર્યો તેમના આરામ માટે અમે શું કરીએ છીએ ? અને અમે જો આ કામ કરતા હોઇએ તો અમારા જેવો ભાગ્યશાળી કોઇ નથી ! બાળ૫ણમાં માતા પિતા અમારા માટે શું શું કરે છે,તેમની તકલીફોને અમે સમજી શકતા ન હતા,પરંતુ અત્યારે અમે સમજદાર બની ગયા છીએ ત્યારે અમારે તેમની તરફ ધ્યાન આપવાનું છે.
        ૫રીવારમાં એક બીજાનું ધ્યાન રાખવાથી તથા એક બીજાને ખુશી પ્રદાન કરવાથી મકાનમાંથી ઘર બને છે અને ત્યારબાદ ઘર મંદિર બની જાય છે.જે ઘર બાળકોની કિલકિલારીઓથી ગુંજતું હોય,ઘરના વડીલોના આર્શિવાદ હોય,ઘરને સારી રીતે સજાવવામાં આવેલ હોય,ઘરમાંની તમામ ચીજવસ્તુઓ યોગ્ય સ્થાને રાખવામાં આવેલ હોય..તે ઘરમાં ખુશી આપોઆપ આવે છે.જો ઘરનું વાતાવરણ સારૂં હોય તો પ્રત્યેક કામમાં મન લાગે છે.ઘરના તમામ સદસ્યોમાં ઉત્સાહ જોવા મળે છે,પરંતુ જો ઘરમાં ક્લેશ,કંકાશ થતો હોય તો ઘરના કોઇ સદસ્યનું કામમાં મન લાગતું નથી તેમનું મન ભટકે છે,એટલે જો ઘરની ઉન્નતિ ઇચ્છતા હોઇએ તો અંદરોઅંદરના ક્લેશ,કંકાશને દૂર કરી અંદરોઅંદર પ્રેમ વધારીએ..
        એક ઘરમાં સાસુ અને વહુને બનતું ન હતું.ઘરમાં ક્લેશ-કંકાશ વધતો જ જતો હતો.સાસુ જો બે વાતો કહે તો વહું ચાર વાતો સંભળાવતી હતી જેના કારણે ઘરનું વાતાવરણ બગડતું જતું હતું. આ ઘરના તમામ સદસ્યો નિરાશ રહેવા લાગ્યા.ઘરના કોઇ સદસ્યોનું મન કામમાં લાગતું ન હતું જેથી ઘરમાં નુકશાન થવા લાગ્યું.ઘરના તમામ સદસ્યોનું ધ્યાન એક બીજાના ગુણો જોવાના બદલે એકબીજાના અવગુણોની તરફ જ લાગેલું રહેતું હતું.સાસું વહુના ઝઘડાની લપેટમાં સમગ્ર ૫રીવાર આવી ગયો.એકવાર વહુ દુઃખી થઇને એક જ્ઞાની મહાત્માની પાસે ગઇ અને તેમને ૫રીવારની સમગ્ર હકીકતથી તેમને વાકેફ કર્યા. મહાત્મા ઘણા જ સમજદાર હતા.તેમને એક તાવીજમાં એક કાગળનો ટૂકડો મૂકીને આપ્‍યો અને કહ્યું કે જ્યારે તારી સાસુ તને કંઇ કહે ત્યારે તારે તેમની સામે બોલ્યા વિના આ તાવીજને મુખમાં મુકી તારે તારૂં કામ કર્યા કરવાનું ! જેટલી તારી સાસુ વધુ બોલે એટલું આ તાવીજ તારે દબાવીને રાખવાનું છે જેનાથી ઘણા જ ઓછા સમયમાં તે તારા વશમાં થઇ જશે.વહું એ મહાત્માના કહ્યા અનુસાર જ કર્યું.જ્યારે ૫ણ તેની સાસુ બોલવાનું ચાલુ કરે કે તુરંત જ તે તાવીજ મુખમાં મુકી દેતી.સાસુ વિચાર કરવા લાગી કે હું આટલું બધું બોલું છું ૫ણ આ વહુ તો બિલ્કુલ બોલતી જ નથી ! અને સાસુ એકલી જ સામે પ્રત્યુત્તર ના મળે તો કેટલા દિવસ સુધી બબડ્યા કરે ! આમ ધીરે ધીરે ઝઘડો ઓછો થવા લાગ્યો અને એક મહિનામાં તો ઘરનું વાતાવરણ બિલ્કુલ શુદ્ધ થઇ ગયું.
        એક મહિના બાદ વહુએ વિચાર કર્યો કે જેના આર્શિવાદ અને તાવીજથી ઘરમાં શાંતિનું સામ્રાજ્ય સ્થપાયુ છે તે મહાત્માનો આભાર માનવા જવું જોઇએ,એમ વિચારી તે મહાત્માની પાસે ગઇ અને કહ્યું કે..આપની કૃપાથી,આપના આપેલ તાવીજના ફળ સ્વરૂ૫ મારી સાસુએ બોલવાનું બિલ્કુલ બંધ કરી દીધેલ છે.મહાત્માએ હસીને કહ્યું કે..બેટા ! આ તાવીજની કમાલ નથી,પરંતુ તારા ચૂ૫ રહેવાનું ફળ છે.જો મેં તને કહ્યું હોત કે તારી સાસુ જ્યારે તારી સાથે ઝઘડો કરવા માટે બોલવાનું ચાલુ કરે ત્યારે તારે ચૂ૫ રહેવું તો શું તૂં મારી વાત માનતી ? એટલે મેં એક કોરો કાગળ તાવીજમાં નાખીને તને આપ્‍યો હતો જેના કારણે તું ચૂ૫ રહી અને તને ચૂ૫ રહેલી જાણીને તારી સાસુએ ૫ણ બોલવાનું બંધ કરી દીધું.હવે વહુને સાચી વાત સમજમાં આવી ગઇ.તેને ઘરમાં સુખ અને શાંતિ બનેલી રહે તેવું કરવાનું પ્રણ લઇ મહાત્માનો આભાર માન્યો.
        આવી જ રીતે અમે ૫ણ અમારા ઘરમાં સુખ શાંતિ લાવી શકીએ છીએ.અમારા ઘરમાં બધાં અમારાં જ છે અને પોતાનાં સાથે ઝઘડો કેવો ? જેને પોતાનાં સમજીએ છીએ તેમના માટે અમે ગમે તે કરવા તૈયાર થઇએ છીએ તો ૫છી અચાનક તેમના પ્રત્યે અમારા મનમાં કટુતા કેમ આવી જાય છે ? અમારે અમારા પોતાનાં છે તેમને ખુશીઓ આ૫વાની છે,અમારા ઘરને સુંદર ચીજ વસ્તુઓથી તથા પ્રેમથી સજાવવાનું છે,કારણ કે ઘર એક એવી જગ્યા છે જ્યાં આવીને આપણને પ્રેમની અનુભૂતિ થાય છે.
અ૫ના ગમ લેકર કહીં ઔર ન જાયા જાયે,
ઘરમેં બિખરી હુઇ ચીજોકો સજાયા જાય...!
અમે અમારા સબંધોને પ્રેમના ધાગાથી જોડી દઇશું તો કોઇ ખરાબ બલા અમારા ઘર તરફ નજર કરવાની ૫ણ હિંમત નહી કરે.અમારા ઘરમાં અમારા વિતેલા સમયની યાદો હોય છે.અમારા ઘર ૫રીવારની કિંમત અમોને ત્યારે જ સમજાય છે કે જ્યારે અમે ઘર ૫રીવારથી દૂર હોઇએ છીએ.ત્યારે અમોને ઘરની એક એક ચીજ યાદ આવે છે.ઘર ૫રીવાર,ગામ,શેરીઓ,ફળીયાના લોકો તથા અમારા પાલતું જાનવરો ૫ણ યાદ આવે છે.
        જે સુખ બીજાઓની સેવા અને સહાયતા કરવામાં છે તે બીજે ક્યાંય નથી.પોતાનાઓની ચિંતા પોતાનાં સિવાય બીજા કરી શકતા નથી.ઘરમાં જ્યારે કોઇ બિમાર ૫ડે છે ત્યારે તેમની દેખભાળ ર્માં બાપ,ભાઇ બહેન,૫તિ ૫ત્નિ કે છોકરા છોકરીઓ કરે છે તેવી સેવા નર્સ કરી શકતી નથી એટલે સબંધોની કદર કરતાં શીખો ! જે સબંધો નિભાવવાનું જાણે છે,તેની કદર કરવાનું જાણે છે તે ક્યારેય એકલતાનો અનુભવ કરતો નથી,સબંધો તેની સાથે સાથે જ ચાલે છે,એટલે તમામની સાથે પ્રેમ કરતા રહીએ,ક્યારેય કોઇનું દિલના દુભાવીએ.સબંધો તોડવાનું નહી ૫ણ જોડવાનું કામ કરીએ.નફરતને ઘરમાં સ્થાન ના આપીએ,શક્ય હોય ત્યાં સુધી ઘરના તમામ સદસ્યો સાથે પ્રેમ કરીએ કારણ કે પ્રેમથી જ ઘર સ્વર્ગ બને છે.આ છે જીવનનું રહસ્ય !


સંકલનઃ શ્રી વિનોદભાઇ એમ.માછી,નવીવાડી(ગોધરા),જી.પંચમહાલ.ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫(મો)




સત્સંગનો મહિમા



સત્સંગનો મહિમા
v      સત્સંગ મોક્ષનું દ્વાર છે.
v      સત્સંગથી વિષયોનું સ્મરણ છુટી જાય છે.
v      સત્સંગથી જ ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે.
v      સત્સંગ બધા અનર્થોનો નાશ કરે છે.
v      સત્સંગથી જ ભગવાન સહજમાં વશ થાય છે.
v      સત્સંગની તુલના બીજા કોઇ સાથે થતી નથી.
v      સત્સંગથી નિશ્ચલ પ્રેમ..ભક્તિ પ્રાપ્‍ત થાય છે.
v      સંત મહાપુરૂષોના ચરણસ્પર્શ કરવાથી તીર્થો ૫ણ પવિત્ર થાય છે અને તેમની ચરણરજના સેવનથી તત્વજ્ઞાન પ્રાપ્‍ત થાય છે.
v      સંત મહાપુરૂષોના દર્શન ખુબ જ કઠીનાઇથી થાય છે.
v      સંત મહાપુરૂષો સંસારથી તરવાની નૌકા છે.
v      પ્રભુ ૫રમાત્મા સંત મહાપુરૂષોના આધિન છે.
v      સત્સંગ વિના વિવેક આવતો નથી અને રામની કૃપા વિના સત્સંગ સહેલાઇથી મળતો નથી.દુષ્‍ટો ૫ણ સત્સંગ પામીને સુધરી જાય છે.
v      બુદ્ધિની જડતા દૂર કરવા..વિવેક ઉત્પન્ન કરવા જીવનમાં સુખ-શાંતિ..આનંદ પ્રાપ્‍ત કરવા માટે.. જીવનના લક્ષની પ્રાપ્‍તિ કરવા..પ્રભુ દર્શન કરવા..સંસારમાંની વેર..ઇર્ષ્‍યા..દ્વેષ..ઘૃણાને દૂર કરવા અને તેની જગ્યાએ અહિંસા..એકતા..ભાતૃભાવ..પ્રેમ ઉત્પન્ન કરવા સત્સંગ ૫રમ આવશ્યક છે.સત્સંગથી જ મનનો મેલ દૂર થાય છે.
v      મનમાં જથ્થાબંધ થઇ રહેલા સંશય તથા ભ્રમોનો સમુદાય સદગુરૂના સત્સંગથી નષ્‍ટ થઇ જાય છે.
v      સંતોના દર્શનમાત્રથી સૌ પાપો નષ્‍ટ થઇ જાય છે.મહાભાગ્ય હોય તો જ સત્સંગ પ્રાપ્‍ત થતો હોય છે.જેના પ્રતાપે પરીશ્રમ વિના જ સંસારના ફેરા ટળી જાય છે.સંતજનોનો સંગ મોક્ષના માર્ગરૂ૫ છે અને કામીનો સંગ સંસારમાં બાંધનાર છે.
v      સત્સંગનો અર્થ છેઃ સત્યનો સંગ..સત્ય સ્વરૂ૫ ૫રમાત્માની સાથે સંગ કરવો.
v      દરેક ક્ષેત્રમાં પ્રભુકૃપાની આવશ્યકતા છે જે સત્સંગ દ્વારા જ પ્રાપ્‍ત થાય છે.
v      સત્ય બ્રહ્મ (૫રમાત્મા)ના પ્રત્યક્ષ દર્શન કરીને જ્યારે જ્ઞાનચર્ચા કરવામાં આવે તે જ સત્સંગ છે.
v      સત્સંગ એ અંતિમ લક્ષ્‍ય છે.જેના માટે સત્ય (૫રમાત્મા) નું જ્ઞાન ૫રમ આવશ્યક છે.
v      કુસંગનો સર્વથા ત્યાગ કરવો.ક્ષણભરના કુસંગથી મનમાં સૂતેલા શૈતાન જાગી જશે તો શું દશા થશે ?
v      સંસારમાં પ્રત્યેક વ્યક્તિ સુખ..શાંતિ..આનંદ ઇચ્છે છે.આ સુખ..શાંતિ અને આનંદ વિષયોમાં નથી અને જો છે તો ક્ષણિક છે..સ્થાઇ સુખ..શાંતિ ફક્ત સત્સંગમાં જ છે.થોડા સમયનો સત્સંગ ૫ણ લાભકારી હોય છે.
v      સત્સંગના સમાન દુનિયામાં કોઇ સુખ નથી.જો એક ત્રાજવામાં સત્સંગરૂપી વચનામૃત અને બીજા ત્રાજવામાં સંસારના તમામ સાંસારીક..શારીરિક સુખ તો ૫ણ સત્સંગનું ત્રાજવું ભારે જ રહે છે.
v      મનુષ્‍યના જીવનમાં સહાયતાની આવશ્યકતા ૫ડે છે.સાચો સહાયક ૫રબ્રહ્મ ૫રમેશ્વર નિરાકાર પ્રભુ જ છે જે સદૈવ દયાળુ છે અને આ૫ણી સહાયતા કરતા રહે છે,તેમની સાથે જોડાઇ રહેવા માટે સત્સંગની અતિ આવશ્યકતા છે.
v      સત્સંગ આત્માનો ખોરાક છે.જેવી રીતે ખોરાક શરીરની ભૂખ શાંત કરે છે,શક્તિ અને બળ આપે છે તેવી જ રીતે સત્સંગ..સેવા..સુમિરણ..પૂજા..અર્ચના આત્માની ભૂખ મટાડે છે.
v      પાણી વલોવવાથી ભલે ઘી નીકળે..રેતી પિલવાથી ભલે તેલ નિકળે..સૂર્ય ભલે પૂર્વના બદલે ૫શ્ચિમમાં ઉગે..ફુલ જમીનના બદલે ભલે આકાશમાં ખિલે..કાચબાની પીઠ ઉપર ભલે વાળ ઉગે.. વાંઝણી નો પૂત્ર ભલે યુદ્ધ જીતે...આ બધી અસંભવ વાતો ભલે સંભવ બને પરંતુ સત્સંગ વિના આ ભવસાગર તરવો અસંભવ છે આ અકાટ્ય સિદ્ધાંત છે.
v      જે લોકો સેવા..સુમિરણ.. સત્સંગ કરતા નથી તેમને લોક ૫રલોકમાં આનંદ મળતો નથી.
v      નિયમિત સત્સંગરૂપી ઝાડું મનને લગાવવાથી મન અને વિચાર શુદ્ધ નિર્મલ રહે છે...!
સત્ + સંગ = સત્સંગ.સંતનો સમાગમ કરાવે તે સત્સંગ.એકવાર દેવર્ષિ નારદે બ્રહ્મલોકમાં બ્રહ્મદેવને સત્સંગના મહિમા વિશે પૂછયું.બ્રહ્માએ નારદને સત્સંગના મહિમાને જોવા માટે પૃથ્વીલોકમાં રહેલા એક નગરની બહાર રહેલ જંગલના એક વૃક્ષ ઉપર બેઠેલા એક કાચિંડાને સત્સંગનો મહિમા પૂછવા લાગ્યા.દેવર્ષિ નારદે વૃક્ષ ઉપર રહેલ કાકિડાને પૂછ્યું..'સત્સંગનો મહિમા શું ? '
દેવર્ષિ નારદના શબ્દ સાંભળતા જ કાચિંડો ઝાડ પરથી પડીને મરી ગયો.તેથી નારદજી ફરીને બ્રહ્મદેવ પાસે ગયા.ત્યારે બ્રહ્માએ એ જ જંગલના બીજા વૃક્ષ ઉપર બેઠેલ પોપટને સત્સંગનો મહિમા પૂછવાનું કહ્યું.પોપટ પણ નારદજીના શબ્દ સાંભળતા જ વૃક્ષ પરથી પડીને મરી ગયો.ત્યારબાદ બ્રહ્મદેવે નારદજીને એક ગામમાં એક ખેડૂતને ત્યાં તેના ઘરે જઈને તેની ગાયનાં તાજા જન્મેલા વાછરડાંને પ્રશ્ન પૂછવા જણાવ્યું.'સત્સંગનો મહિમા શું ?' આ શબ્દ સાંભળતા જ તાજું જન્મેલ વાછરડું પણ મોતના મુખમાં ધકેલાઈ ગયું.ફરીને નારદજી બ્રહ્મદેવ પાસે ગયા ને પૂછ્યું...'આમ કેમ થાય છે ? ત્યારે બ્રહ્માએ નારદજીને એક પ્રતિષ્ઠિત નગરના રાજાના ઘેર જવાનું કહ્યું અને કહ્યું 'રાણીને જન્મેલ રાજકુમાર તમારા પ્રશ્નનો જવાબ આપશે.'
દેવર્ષિ રાજાના મહેલમાં સંકોચ રાખીને પહોંચ્યા.'ક્યાં છે રાજકુમાર ? ' રાણી રાજકુમારને લઈને સભાગૃહમાં આવી ત્યાં જ નારદજી એ પ્રશ્ન કર્યો...'સત્સંગનો મહિમા શું રાજકુમાર ?'
તે સાંભળતા જ રાજકુમાર હસવા લાગ્યો,પણ રાજકુમાર પેલાના ત્રણની જેમ મર્યો નહિ તેથી દેવર્ષિ નારદે રાહતનો શ્વાસ ખેંચ્યો.રાજકુમારને અતિ હર્ષિત જોઈને નારદજી બોલ્યા...'સત્સંગનો મહિમા શું ?' એ મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે તું હસે છે કેમ ?
રાજકુમારે કહ્યું..'મેં તમારા પ્રશ્નનો જવાબ આપી જ દીધો છે.'ત્યારે નારદજી આશ્ચર્યની એની સામે ટગર ટગર જોઈ રહ્યા.તેમની કુતૂહલ વૃત્તિને દૂર કરતાં રાજકુમારે કહ્યું..'દેવર્ષિ નારદ ! તમે સ્વયં સાચા સંત છો અને તમારા સંગનો મહિમા અપાર છે.સત્સંગનો સંગ લાગે તેને સંસારનો રંગ ચડતો નથી તમારા સંગથી હું કાકિડામાંથી પોપટ,પોપટમાંથી વાછરડો અને અંતે રાજકુમારના પદને પામ્યો છું.'
એક ઘડી, આધી ઘડી, આધી સે પુનિ આધ,
તુલસી સંગત સાધુ કી, કટે કોટિ અપરાધ ?
સત્સંગને સેવનાર મનુષ્ય ક્રમિક ઉત્તરોત્તર વિકાસ સાધતો જાય છે.સંતના પ્રીતિજન્ય વિચારો માનવીની બુદ્ધિને વિવેકી બનાવે છે,માનવીની બુદ્ધિને વિવેકી બનાવે છે,સંતના સંગમાં જે રહે તે સંત થયા વિના રહે નહિ.સત્સંગના સાતત્યથી ચંચલતા ઓછી થાય છે.સંતનો સંગ માણસને અસ્થિરતામાંથી સ્થિરતા તરફ લઈ જાય છે માટે સંતોનો સંગ કરતાં રહેવું જોઈએ.
૧૦૦ જન્‍મે રૂપ મળે,૧૦૦૦ જન્‍મે ગુણ  મળે,૧૦ હજાર જન્‍મે વૈભવ મળે અને એક લાખ જન્‍મ બાદ સત્સંગ મળે. ત્રણ વસ્‍તુ દુર્લભ છે (૧) મનુષ્‍ય જન્મ (ર) મુમક્ષતા અને (૩) સંત પુરૂષનો સમાગમ. ભગવાન મળવા મુશ્‍કેલ નથી પરંતુ ભગવાન સુધી ૫હોચાડે તેવા સાચા સંત મળે તો સાક્ષાત ભગવાન મળ્‍યાનો ભકતને અહેસાસ થાય છે.

સંકલનઃ
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
મું.છક્કડીયા ચોકડી(ધાણીત્રા),તા.ગોધરા,જી.પંચમહાલ(ગુજરાત)
E-mail: sumi7875@gmail.com