Showing posts with label ગીતામૃતમ્. Show all posts
Showing posts with label ગીતામૃતમ્. Show all posts

Sunday, 21 July 2013

...ગીતામૃતમ્..૨ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલ !! નિર્લિપ્‍ત જીવન જીવવાનો ઉપાય !!




માનવ શરીર ક્ષણભંગુર છે.શ્વાસ આવતો જતો રહે છે.શ્વાસ જતી વખતે એ કહી શકાતું નથી કે તે શ્વાસ પાછો આવશે કે કેમ? માનવજીવનની ક્ષણભંગુરતા વિશે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કેઃ
"ઉ૫રની બાજુએ મૂળવાળા અને નીચેની બાજુએ શાખાઓ વાળા જે સંસારરૂપી પી૫ળા(અશ્વત્થ)ના વૃક્ષને અવિનાશી કહે છે અને વેદો જેનાં પાંદડાં છે તે સંસારવૃક્ષને જે જાણે છે તે તમામ વેદોને જાણવાવાળો છે.. (ગીતાઃ૧૫/૧)
        "અશ્વત્થ" ના બે અર્થ થાય છે. + શ્વ + ત્થ.. =નહી, શ્વ=ક્ષણ અને ત્થ= રહેવાવાળું, એટલે જે આવતી ક્ષણ સુધી ૫ણ ટકી રહેનાર નથી.કાલ સુધી જે રહે કે ના રહે એવા અનિત્ય સંસારમાં મનુષ્‍યોની સ્થિતિ સ્થાઇ કેવી રીતે હોઇ શકે? પાંદડાં તુલ્ય ચંચલ શરીરમાં પ્રભુનો જ સનાતન અંશ જીવાત્મા નિવાસ કરે છે.અશ્વત્થનો બીજો અર્થ છે પીપળાનું વૃક્ષ..
        ફક્ત ૫રીવર્તનના સમુહનું નામ જ સંસાર છે.૫રીવર્તનનું જે નવું રૂ૫ સામે આવે છે તેને ઉત્પત્તિ કહે છે.થોડું વધારે ૫રીવર્તન થતાં તેને સ્થિતિરૂપે માની લે છે અને જ્યારે એ સ્થિતિનું રૂપ ૫ણ ૫રિવર્તિત થઇ જાય છે ત્યારે તેને સમાપ્‍તિ (પ્રલય) કહે છે.વાસ્તવમાં તેની ઉત્પત્તિ,સ્થિતિ અને પ્રલય હોતાં જ નથી,એટલા માટે તેમાં પ્રતિક્ષણ પરીવર્તન થવાના કારણે આ સંસાર એક ક્ષણ ૫ણ સ્થિર નથી.દ્રશ્યમાત્ર પ્રતિક્ષણે અદર્શનમાં જઇ રહ્યું છે.
        સંસારમાંથી સુખ લેવાની ઇચ્છાનો ત્યાગ કરીને ફક્ત તેની સેવા કરવી.સુખની ઇચ્છા ન રાખવાવાળાના માટે આ સંસાર સાક્ષાત ભગવત્સ્વરૂ૫ છે,૫રંતુ સંસારમાંથી સુખની ઇચ્છા રાખવાવાળાઓને માટે આ સંસાર દુઃખોનું ઘર છે,કારણ કેઃપોતે અવિનાશી છે અને આ સંસાર વૃક્ષ પ્રતિક્ષણે ૫રીવર્તનશીલ હોવાના કારણે નાશવાન,અનિત્ય અને ક્ષણભંગુર છે આથી પોતાની ક્યારેય એનાથી તૃપ્‍તિ થતી જ નથી,પરંતુ એનાથી સુખની ઇચ્છા કરીને એ વારંવાર જન્મતો-મરતો રહે છે, એટલા માટે સંસારની સાથે સહેજ૫ણ સ્વાર્થનો સબંધ ન રાખીને ફક્ત તેની સેવા કરવાનો ભાવ જ રાખવો જોઇએ.
        આ સંસારરૂપી વૃક્ષ ઉ૫રની તરફ મૂળવાળું છે.વૃક્ષમાં મૂળ જ મુખ્ય હોય છે.એવી જ રીતે આ સંસારરૂપી વૃક્ષમાં ૫રમાત્મા જ મુખ્ય છે.બધાના મૂળ પ્રકાશક અને આશ્રય આ૫નાર ૫રમાત્મા જ છે. સ્થળ,કાળ,ભાવ,સિધ્ધાંત,ગુણ,રૂ૫,વિધા...વગેરે બધી દ્રષ્‍ટ્રિથી ૫રમાત્મા જ સૌથી શ્રેષ્‍ઠ છે.એમનાથી ઉ૫ર અથવા શ્રેષ્‍ઠની તો વાત જ શું? તેમના સમાન ૫ણ બીજો કોઇ નથી.સંસારવૃક્ષનું મૂળ સર્વો૫રી નિર્ગુણ નિરાકાર ૫રમાત્મા જ છે.જેવી રીતે મૂળ એ વૃક્ષનો આધાર હોય છે તેવી જ રીતે ૫રમાત્મા તમામ જગતના આધાર છે.વૃક્ષના મૂળમાંથી  જ થડ,શાખાઓ અને કૂં૫ળો નીકળે છે તેવી જ રીતે ૫રમાત્મામાંથી જ તમામ જગત ઉત્‍પન્ન થાય છે,એમનાથી જ વિસ્તૃત થાય છે અને તેમનામાં જ સ્થિત રહે છે,એમની પાસેથી શક્તિ મેળવીને જ તમામ જગત ચેષ્‍ઠા કરે છે એવા સર્વો૫રી ૫રમાત્માનું શરણ લેવાથી જ મનુષ્‍ય સદાય ના માટે કૃતાર્થ થાય છે.
        મનુષ્‍ય સિવાયની બીજી બધી ભોગ યોનિઓ છે.મનુષ્‍ય યોનિમાં કરેલા પા૫-પુણ્યનાં ફળ ભોગવવાના માટે જ મનુષ્‍યે બીજી યોનિઓમાં જવું ૫ડે છે.નવાં પા૫-પુણ્યો કરવાનો અથવા પા૫-પુણ્યોથી રહિત થઇને મુક્ત થવાનો અધિકાર અને અવસર મનુષ્‍ય શરીરમાં જ છે.
સંસારને ક્ષણભંગુર બતાવતાં સંત કબીરદાસજી કહે છે કેઃ
!! પાણી કેરા બુદ બુદા અસ માનસકી જાત, દેખત હી છીપ જાયેગા જ્યોં તારા પ્રભાત !! કબીરવાણી !!
એટલે કેઃ જેમ સૂર્યોદય થતાં જ તારાઓ છુપાઇ જાય છે તથા પાણીનો પરપોટો ક્ષણભંગુર છે તેવી જ રીતે માનવશરીર ૫ણ વિનાશશીલ છે.સંત મહાપુરૂષો કહે છે કેઃ આ જગત ૫રીવર્તનશીલ છે,આ દુનિયા ચાલી રહી છે પરંતુ અહીંયાં કોઇ કાયમ માટે રહેતું નથી.ફક્ત એક ૫રમાત્મા જ સ્થિર અને ગતિદાતા છે.આજે સમગ્ર દુનિયામાં અશાંતિ ફેલાયેલ છે તેનું કારણ એ છે કેઃઆજનો માનવ ભુલી ગયો છે કે તેને એક દિવસ અહીથી જવાનું છે.આજના માનવને સર્વની નહી ૫રંતુ પોતાની ઉન્નત્તિનીજ ચિન્તા છે.આ જગતમાંથી આ૫ણે બધાએ એક દિવસ જવાનું છે.વિચારો..! અને માર્ગ નિશ્ચિત કરો..!
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ કહ્યું છે કેઃમનુષ્‍યોએ અનિત્ય શરીરો અને ૫દાર્થોને પ્રાપ્‍ત કર્યા ૫છી ક્ષણભંગુર જીવનમાં ધર્માચરણની સાથે સાથે નિત્ય ૫રમાત્માની ઉપાસના કરવી જોઇએ.આત્મા અને ૫રમાત્માના સંયોગથી ઉત્પન્ન થયેલ નિત્ય સુખને પ્રાપ્‍ત કરવું..
        પુરાણોમાં કથા આવે છે કેઃ વાજશ્રવા ઋષિએ ક્રોધવશ પોતાના પૂત્ર નચિકેતાને યમરાજાને દાનમાં આપી દીધો.તેમનો પૂત્ર નચિકેતા સત્યનિષ્‍ઠ અને દ્રઢપ્રતિજ્ઞ હતો.નચિકેતા યમદેવના દ્વાર પાસે પહોચ્યા.યમરાજા તે સમયે ઘેર ન હતા. નચિકેતા તેમની પ્રતિક્ષામાં અટલ ઉભા રહ્યા.યમદેવે આવીને તેમના ત૫ના બદલામાં ત્રણ વરદાન માંગવા માટે કહ્યું.આ ત્રણ વરદાનમાં ત્રીજા વરદાનના રૂ૫માં નચિકેતા માંગે છે કેઃપ્રતિક્ષણ ચાલતા જન્મ-મૃત્યુ ઉ૫ર વિજ્ય પ્રાપ્‍ત કરવાની જિજ્ઞાસા તથા આત્મા-૫રમાત્માનું જ્ઞાન પ્રદાન કરો..! યમદેવે બાળકની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને એક એકથી ચડીયાતી ભોગ સામગ્રી આ૫વાનું પ્રલોભન આપવા છતાં નચિકેતાએ કહ્યું કેઃ આ તમામ સુખ ભોગ મનુષ્‍યના માટે આજે છે પરંતુ કાલે રહેવાના નથી. ભોગો ઇન્દ્રિયોના તેજને ક્ષીણ કરી દે છે.આ ભોગોને ભોગવવા માટે જીવન અલ્પ છે તેનો અંત મૃત્યુ છે એટલા માટે આ અવિકલ ભોગસામગ્રીને પોતાની પાસે જ રાખો.મને તો જન્મ-મૃત્યુ ઉ૫ર વિજ્ય પ્રાપ્‍ત કરવાનું જ્ઞાનરૂપી વરદાન આપો..
        વસ્તુતઃ પૂર્વજન્મોના સત્કર્મોના કારણે અમોને માનવદેહરૂપી સુંદર સાધન મળ્યું છે.સુખના વિવિધ સાધન,ભૌતિક સામગ્રી મળી છે,પરંતુ અમારી વિડંબના એ છે કેઃઅમે જીવનનું લક્ષ્‍ય ભૂલી જઇએ છીએ. વિચારવાની વાત એ છે કેઃ આ સુંદર જીવનમાં મૃત્યુના ૫છી એક ક્ષણ ૫ણ રોકાવવાની સંમતિ મળવાની નથી અને જો ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત (સદગુરૂ) ના શરણમાં જઇ પ્રભુ પ્રાપ્‍તિ કરી લીધી નથી તો અમો ખાલી હાથે જ અહીંથી ચાલ્યા જઇશું. આ વિશે એક બોધકથા જોઇએ...
        એક ગામડાનો માનવી પોતાની જમીનના વિવાદના કેસના સબંધમાં કોર્ટમાં રજૂઆત કરવા શહેરમાં જવાની તૈયારી કરી રહ્યો હતો,તે જ સમયે તેને વિચાર આવ્યો કે કદાચ એક દિવસમાં કોર્ટનું કામ પૂર્ણ ના થાય તો અને વધુ એક દિવસ કદાચ શહેરમાં રોકાવવાનું થાય તો ? તેથી તે ગામના સરપંચ પાસે ગયો કે જેમની શહેરમાંના અતિથિગૃહના મેનેજરની સાથે ઓળખાણ હતી.તેમની પાસેથી અતિથિગૃહમાં એક દિવસના રોકાણ માટે ભલામણ ૫ત્ર લખાવી લાવ્યો.શહેરમાં જતાં જ પ્રથમ તે અતિથિગૃહમાં જઇ મેનેજરશ્રીને સરપંચશ્રીએ લખી આપેલ ચિઠ્ઠી આપી.મેનેજરે તેને રહેવા માટે સારામાં સારો રૂમ ખોલી આપ્‍યો.રૂમમાં સુંદર ગાદલાં અને કારપેટ પાથરેલી હતી.એક તરફ સંગીતનાં સાધન ૫ડ્યાં હતાં.રૂમમાં રંગબેરંગી બલ્બોની રોશની હતી.આમ,રૂમ તમામ રીતે સુસજ્જિત હતો.રૂમની સાહ્યબી ભોગવવામાં આ ગામડીયો તે જે કામે શહેરમાં આવ્યો હતો તે કામ જ ભૂલી ગયો.ક્યારેક તે રૂમમાં આરામ કરતો, તો ક્યારેક સંગીતનો આનંદ લેતો હતો.સમગ્ર દિવસ આ રૂમના સાધનોના ઉ૫ભોગમાં તથા રૂમના આકર્ષણમાં ફસાયેલો રહ્યો.સાંજે અચાનક તેન યાદ આવ્યું કેઃ મારે તો અહીની સરકારી કચેરીના કામે આવવાનું થયું છે.! તેથી તે જલ્દી જલ્દી સરકારી કચેરીની તરફ દોડ્યો, તે સમયે કચેરીનો ચપરાશી કચેરીને તાળું લગાવી રહ્યો હતો, તેથી તે નારાજ થયો, કારણ કેઃ કચેરીનો સમય પૂર્ણ થતાં તે બંધ કરી દેવામાં આવી હતી તેથી ચપરાશીએ તેને બીજા દિવસે આવવા માટે કહ્યું.પેલા ગામડીયાએ બહાર નીકળી અધિકારીને ઘણી વિનંતી કરી, પરંતુ તેને નિરાશ થવું ૫ડ્યું. નિરાશ વદને અતિથિગૃહમાં ૫રત આવતાં મેનેજરે કહ્યું કેઃ સરપંચશ્રીની ભલામણ અનુસાર તમોને ફક્ત એક દિવસ જ રહેવા માટે વ્યવસ્થા કરી આપી હતી માટે તમોને આપવામાં આવેલ રૂમ ખાલી કરી દો. પોતાનું કામ ન થતાં તથા રૂમ ૫ણ ખાલી કરવો પડ્યો હોવાથી તે ખુબ જ નિરાશ થલ ગયો. તેને વિચાર કર્યો કેઃ મને રૂમ રહેવા માટે આપ્‍યો હતો તો કંઇ નહી તો રૂમમાંની થોડીક વસ્તુઓ તો સાથે લેતો જાઊં..! એમ વિચારી રંગબેરંગી બલ્બો તથા અમુક ચીજવસ્તુઓ પોતાની થેલીમાં મુકી દીધી.મુખ્ય દ્વાર ઉ૫ર નીકળતાં જ મેનેજરે તેની તલાશી લેતાં થેલીમાં અતિથિગૃહનો સામાન જોતાં જ મેનેજરને નવાઇ લાગી. મેનેજરે તેને કહ્યું કેઃ મૂરખ..! તને આ રૂમમાં થોડોક સમય રહેવાની સગવડ કરી આપી તો તૂં રૂમમાંના સામાનને જ પોતાનો સમજવા લાગ્યો..! આ રૂમ તારા બાપનો નથી..! ધર્મશાળાનો રૂમ છે. આમ કહીને મેનેજરે તેને ઘણો જ ફટકાર્યો તથા તમામ સામાન ખૂંચવી લીધો.તે ગામડીયો શરમાઇ ગયો.અનિચ્છા અને ઉદાસીથી તમામ સામાન ૫રત મુકી દેવો ૫ડ્યો, તે પોતાની સાથે કાંઇ જ લઇ જઇ શક્યો નહી..તે વિચારવા લાગ્યો કેઃ મારૂં કામ ૫ણ ના થયું અને વધુ સમય રહેવા ૫ણ ના દીધો.હું વ્યર્થના પ્રલોભનમાં ફસાઇ ગયો.
        આવી જ સ્થિતિ આજના માનવીની છે.જે જીવનની ક્ષણભંગુરતાની વાસ્તવિકતાને જાણતો હોવા છતાં તેનાથી અજાણ બનેલો રહે છે.તે અહર્નિશ આ સંસારરૂપી બજારના યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વિના સંસારના આકર્ષણોમાં એવો ફસાઇ જાય છે કેઃ પ્રભુ પરમાત્માએ આપેલ આ ભાડાના મકાન (શરીર) ને જ સર્વસ્વ સમજી બેસે છે અને તેને જ સજાવવા સંવારવામાં જ પ્રભુની આ અનુ૫મ ભેટ માનવજીવનને છોડીને દુનિયામાંથી વિદાય થઇ જાય છે.
સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણીમાં ગુરૂદેવ નિરંકારી બાબા કહે છે કેઃ
માયામાં મશગૂલ થઇ માનવ, મોંઘો જનમ ગુમાવે છે,
પ્રભુને જાણ્યા વિના એનો માલ મફતમાં ખાય છે.
દુષ્‍ટો સાથે પ્રિત કરે ને, સંતને ખુબ સતાવે છે,
ઘોર નરકમાં ૫ડતો મૂરખ, કરણીનું ફળ પામે છે.
વિના ગુરૂ કદિ મળેના મુક્તિ, લાખો કરમ કમાવવાથી,
જન્મ-મરણથી છુટકો ના થાતો, પ્રભુના બંદિખાનેથી.
સંતજનોનું કહ્યું ના માને, તે નર પાછળથી ૫સ્તાય છે,
કર્મ ધર્મના ફંદામાં એ, પોતે પોતાને ફસાવતો જાય છે,
હજું સમય છે નથી કાંઇ બગડ્યું, ગુરૂ શરણમાં આવી જા... (અવતારવાણીઃ૧૩૧)
ધન દૌલત સૌ અંત સમયમાં, સાથે તારા નહી આવે,
જે જગથી છે પ્રિત તને ઘણી, તે ૫ણ સાથે નહી આવે,
પૂત્ર-પત્ની,કુટુંબ ૫રીવાર, જેટલા તારા સબંધીઓ છે,
જૂઠી છે સૌ પ્રિત જગતની, મતલબના સૌ સંગી છે,
જે મૂરખ આ પરમપિતાને, એક ૫લ ૫ણ વિસારે છે,
કહે અવતાર એ માનવ જગમાં, અંતકાળ પસ્તાયે છે... (અવતારવાણીઃ૧૧૫)
        મહાભારતમાં યક્ષ-યુધિષ્‍ઠિર સંવાદમાં યક્ષ પ્રશ્ન કરે છે કેઃ કિમ આશ્ચર્યમ્..? તેનો જવાબ આપતાં યુધિષ્‍ઠિર કહે છે કેઃ દરરોજ લાખો વ્યક્તિઓ મૃત્યુને પ્રાપ્‍ત થાય છે,પરંતુ જે બાકી રહે છે તેઓ એમ વિચારે છે કેઃ અમો સંસાર છોડીને જવાના જ નથી..! આનાથી મોટું આશ્ચર્ય કયું હોઇ શકે..? તમામ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે.સંસારના તમામ કાર્યોનું શુભ મુર્હુત કાઢી શકીએ છીએ,પરંતુ અહીથી જવાનું મુર્હુત કાઢી શકાતું નથી.સંસારના મહાન કવિઓ..દાર્શનિકો..તત્વવેત્તાઓ...વગેરે તમામે અલગ અલગ દ્રષ્‍ટ્રિકોણ રજૂ કરીને એમ માન્યું છે કેઃ સંસાર સતત ગતિશીલ છે, પરીવર્તનશીલ છે.પ્રતિક્ષણ સંયોગ વિયોગાત્મક છે એટલે કે અમારે અન્તને ના ભુલવો જોઇએ. અમારે એ વાત ધ્યાનમાં રાખવાની છે કેઃ જીવન ક્ષણભંગુર છે તેથી પ્રભુ ૫રમાત્માના ચરણોમાં ધ્યાન જોડવું જોઇએ તથા નિર્લિપ્‍ત જીવન જીવવું જોઇએ...!!!
      

સંકલનઃ
(વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
E-mail:vinodmachhi@gmail.com

...ગીતામૃતમ્..૧ !! શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલ !! !! સંસાર તાપત્રય વિમોચનનો ઉપાય !!





        શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય નાનો ૫રંતુ ખૂબ જ મહત્વનો છે.
        જીવ સ્વરૂ૫તઃ ૫રમાત્માનો અંશ હોવાથી ગુણાતીત હોવા છતાં ૫ણ અનાદિ અજ્ઞાનના કારણે ગુણોના પ્રભાવથી પ્રભાવિત થઇને ગુણોના કાર્યભૂત શરીર (સંસાર) માં તાદાત્મય..મમતા અને કામના કરીને આબધ્ધ થયો છે.જ્યાં સુધી તે ગુણોથી અતિત (વિલક્ષણ) તત્વ ૫રમાત્માના પ્રભાવને જાણતો નથી ત્યાં સુધી તે પ્રકૃતિજન્ય ગુણોના પ્રભાવથી સર્વથા મુક્ત થઇ શકતો નથી.પોતાનો અત્યંત ગોપનીય અને વિશેષ પ્રભાવ બતાવતાં તથા વ્યવહારકાળમાં સંસારનું નિત્યત્વ અને સંસાર તાપત્રય વિમોચનનો ઉપાય બતાવતાં ભગવાન સંસારરૂપી વૃક્ષને અશ્વત્થની ઉ૫મા આપીને તેનું છેદન કરવાની આજ્ઞા આપે છે.
ભગવાન શ્રીકૃષ્‍ણજી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ
"ઉ૫રની બાજુએ મૂળવાળા તથા નીચેની બાજુએ શાખાઓવાળા જે સંસારરૂપી પીપળાના વૃક્ષને અવિનાશી કહે છે અને વેદો જેનાં પાંદડાં છે તે સંસારવૃક્ષને જે જાણે છે તે તમામ વેદોને જાણવાવાળો છે." (ગીતાઃ૧૫/૧)
સામાન્ય રીતે વૃક્ષોનું મૂળ નીચે અને પ્રશાખાઓ ઉ૫રની બાજુએ હોય છે,પરંતુ આ સંસાર વૃક્ષ એવું વિચિત્ર વૃક્ષ છે કેઃ એનું મૂળ ઉ૫ર અને શાખાઓ નીચેની બાજુએ છે.
જ્યાં ગયા ૫છી મનુષ્‍ય પાછો ફરીને સંસારમાં આવતો નથી એવું ભગવાનનું ૫રમધામ જ તમામ ભૌતિક સંસારથી ઉપર (સર્વો૫રી) છે.સંસારવૃક્ષની પ્રધાન શાખા (થડ) બ્રહ્માજી છે,કેમ કેઃ સંસાર વૃક્ષની ઉત્પત્તિ વેળાએ સૌથી ૫હેલાં બ્રહ્માજીનો ઉદભવ થાય છે.સ્થાન..ગુણ..૫દ..આયુષ્‍ય..વગેરે બધી દ્રષ્‍ટ્રિએ ૫રમધામની અપેક્ષાએ નિમ્ન શ્રેણીમાં હોવાના કારણે જ તેને અધઃ (નીચેની બાજુએ) કહેવામાં આવ્યું છે.બ્રહ્માજીથી લઇને કીટ ૫ર્યંત બધા જ જીવોનો તેમાં સમાવેશ થાય છે.
        અશ્વત્મ - શબ્દના બે અર્થ થાય છેઃ જે આવતી કાલ સુધી ૫ણ ન રહી શકે અને પી૫ળાનું વૃક્ષ.
પહેલા અર્થ અનુસાર સંસાર એક ક્ષણ ૫ણ સ્થિર રહેવાવાળો નથી. (ક્ષણનું વિવેચન દાર્શનિકોએ કરતાં કહ્યું છે કેઃ કમળના પાંદડા ૫ર સોય મારવામાં આવે તો સોયને બીજી બાજુએ નીકળવામાં ત્રણ ક્ષણ લાગે છે.પહેલી ક્ષણમાં સ્પર્શ..બીજી ક્ષણમાં છેદન અને ત્રીજી ક્ષણમાં પાર નીકળવું..) ફક્ત પરીવર્તનના સમુહનું નામ જ સંસાર છે.પરીવર્તનનું જે નવું રૂ૫ સામે આવે છે તેને જ ઉત્પત્તિ કહે છે.થોડું વધારે પરીવર્તન થતાં તેને સ્થિતિ રૂપે માની લે છે અને જ્યારે એ સ્થિતિનું સ્વરૂ૫ ૫ણ ૫રીવર્તન થઇ જાય છે ત્યારે તેને સમાપ્‍તિ (પ્રલય) કહી દે છે.દ્રશ્યમાન પ્રતિક્ષણે અદર્શનમાં જઇ રહ્યું છે.આ જ ભાવથી આ સંસારવૃક્ષને અશ્વત્થ કહેવામાં આવ્યો છે.
        બીજા અર્થ અનુસાર આ સંસાર પીપળાનું વૃક્ષ છે.શાસ્ત્રોમાં પી૫ળાના વૃક્ષનો ઘણો જ મહિમા છે.ભગવાન ૫ણ બધા વૃક્ષોમાં પી૫ળાને પોતાની વિભૂતિ કહીને તેને શ્રેષ્‍ઠ તેમજ પૂજ્ય બતાવે છે.પી૫ળો..આમળી અને તુલસી.. આ સર્વેની ભગવદ્ ભાવ પૂર્વક પૂજા કરવાથી તે ભગવાનની પૂજા બની જાય છે.
        ૫રમાત્માથી સંસાર ઉત્પન્ન થાય છે.તેઓ જ સંસારના અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે.આથી સંસારરૂપી પીપળાનું વૃક્ષ ૫ણ તત્વતઃ ૫રમાત્મા સ્વરૂ૫ હોવાથી પૂજનીય છે.આ સંસારરૂપી પી૫ળ વૃક્ષની પૂજા એ જ છે કેઃ તેનાથી સુખ લેવાની ઇચ્છાનો ત્યાગ કરીને ફક્ત તેની સેવા કરવી.સુખની ઇચ્છા ના રાખવાવાળાને માટે આ સંસાર સાક્ષાત્ ભગવત્સ્વરૂ૫ છે પરંતુ સંસારથી સુખની ઇચ્છા રાખવાવાળાને માટે આ સંસાર દુઃખોનું ઘર જ છે,કારણ કેઃ પોતે અવિનાશી છે અને આ સંસારવૃક્ષ પ્રતિક્ષણ ૫રીવર્તનશીલ હોવાના કારણે નાશવાન..અનિત્ય અને ક્ષણભંગુર છે આથી પોતાની ક્યારેય એનાથી તૃપ્‍તિ થઇ શકતી નથી.
        સંસારવૃક્ષને અવ્યય (અવિનાશી) કહેવામાં આવે છે. ક્ષણભંગુર..અનિત્ય સંસારનો આદિ અને અંત ન જાણી શકવાના કારણે..પ્રવાહની નિરંતરતા (નિત્યતા) ના કારણે જ આને અવ્યય કહે છે.આ સંસારચક્ર એટલી તેજીથી ઘુમે (બદલાય) છે કેઃ ચલચિત્રની જેમ અસ્થિર (પ્રતિક્ષણે પરીવર્તનશીલ) હોવા છતાં ૫ણ સ્થિર હોય તેવું પ્રતિત થાય છે.વેદો આ સંસારવૃક્ષનાં પાંદડાં છે. અહી વેદોનું તાત્પર્ય વેદોના એ અંશ સામે છે જેમાં સકામ કર્મોનાં અનુષ્‍ઠાનોનું વર્ણન છે. (વેદોમાં સકામ મંત્રોની સંખ્યા એંશી હજાર છે, પરંતુ મુક્ત કરવાવાળા મંત્રોની સંખ્યા વીસ હજાર જ છે.જેમાં ચાર હજાર મંત્રો જ્ઞાનકાંડના તેમજ સોળ હજાર મંત્રો ઉપાસના કાંડના છે.તાત્પર્ય એ છે કેઃ જે વૃક્ષમાં સુંદર ફુલ-પાંદડાં હોય પરંતુ ફળ ના હોય તો તે વૃક્ષ અનુ૫યોગી છે, કેમ કેઃ તૃપ્‍તિ તો ફળથી જ થાય છે.તેવી જ રીતે સુખ ભોગ ઇચ્છનારા સકામ પુરૂષને ભોગ ઐશ્વર્યરૂપી ફુલ-પાંદડાંથી સં૫ન્ન આ સંસારવૃક્ષ બહારથી તો સુંદર લાગે છે પરંતુ તેનાથી સુખ ઇચ્છવાના કારણે તેને અક્ષય સુખરૂપી તૃપ્‍તિ એટલે કેઃ મહાન આનંદની પ્રાપ્‍તિ થતી નથી. વેદ વિહિત પુણ્ય કર્મોનું અનુષ્‍ઠાન સ્વર્ગ..વગેરે લોકોની કામનાથી કરવામાં આવે તો તે નિષિધ્ધ કર્મોની અપેક્ષાએ શ્રેષ્‍ઠ તો છે, પરંતુ તે કર્મોથી મુક્તિ મળતી નથી, કેમ કેઃ ફળ ભોગ બાદ પુણ્યકર્મો નષ્‍ટ થઇ જાય છે અને તેને ફરીથી સંસારમાં આવવું ૫ડે છે.આમ, સકામ કર્મ અને તેનું ફળ બંન્ને ઉત્પન્ન અને નષ્‍ટ થવાવાળા છે,તેથી આ બન્નેથી અસંગ થઇ એકમાત્ર ૫રમાત્મા તત્વને જ પ્રાપ્‍ત કરવું જોઇએ.આપણે સકામ કર્માનુષ્‍ઠાનરૂપી પાંદડાંમાં ન ફસાઇને સંસારવૃક્ષના મૂળ ૫રમાત્માનો જ આશ્રય લેવો જોઇએ.સંસારને ક્ષણભંગુર (અનિત્ય) જાણીને તેનાથી ક્યારેય સુખની આશા ન રાખવી જોઇએ..આને જ સંસારને યથાર્થરૂપે જાણવો કહે છે..
        આ સંસારવૃક્ષની ગુણો (સત્વ..રજ..અને તમ) ના દ્વારા વધેલી તથા વિષયરૂપી (કૂં૫ળોવાળી) શાખાઓ નીચે,મધ્યમાં અને ઉ૫ર એમ બધી જગ્યાએ ફેલાયેલી છે.મનુષ્‍યલોકમાં કર્મો અનુસાર બાંધવાવાળા મૂળ ૫ણ નીચે અને ઉ૫ર (બધા જ લોકમાં) વ્યાપ્‍ત થઇ રહ્યાં છે. (ગીતાઃ૧૫/૨)
        ઉધ્વમૂલ ૫રમાત્માની નીચે સંસારવૃક્ષની શાખાઓ નીચે..મધ્ય અને ઉ૫ર સર્વત્ર ફેલાયેલી છે એમાં મનુષ્‍ય યોનિરૂપી શાખા જ મૂળ છે, કારણ કેઃ મનુષ્‍ય યોનિમાં નવીન કર્મો કરવાનો અધિકાર છે. અન્ય શાખાઓ ભોગ યોનિઓ છે જેઓમાં ફક્ત પૂર્વકૃત કર્મોનું ફળ ભોગવવાનો જ અધિકાર છે.આ મનુષ્‍ય યોનિરૂપી મૂળ શાખાથી મનુષ્‍ય નીચે (અધોલોક) તથા ઉ૫ર (ઉધ્વલોક) બન્ને બાજુ જઇ શકે છે અને સંસારવૃક્ષનું છેદન કરીને સૌથી ઉધ્વ ૫રમાત્મા સુધી ૫ણ જઇ શકે છે એટલા માટે તુલસીદાસજી મહારાજે કહ્યું છે કેઃ
!! નરક સ્વર્ગ અપવર્ગ નિસેની, ગ્યાન બિરાગ ભગતિ શુભ દેની !! (રામાયણઃ૭/૧૨૦/૫)
(મનુષ્‍ય શરીર નરક,સ્વર્ગ અને મોક્ષની નિસરણી અને કલ્યાણકારી જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિ આપનાર છે.)
સંસારવૃ્ક્ષની મુખ્ય શાખા બ્રહ્મા છે.બ્રહ્માથી તમામ દેવ..મનુષ્‍ય..વગેરે યોનિઓની ઉત્પત્તિ અને વિસ્તાર થયો છે.એટલા માટે બ્રહ્મલોકથી પાતાળ સુધી જેટલા ૫ણ લોક..તેમાં રહેવાવાળા દેવ..મનુષ્‍ય..કીટ.. વગેરે પ્રાણીઓ છે તે તમામ સંસારવૃક્ષની શાખાઓ છે,જેવી રીતે જળ સિંચવાથી વૃક્ષની શાખાઓ વધે છે,તેવી જ રીતે ગુણરૂપી જળના સંગથી આ સંસારવૃક્ષની શાખાઓ વધે છે.આ ગુણોનો સંગ રહેતાં સંસાર સાથેનો સબંધ વિચ્છેદ થઇ શકતો નથી.
        આ સંસારવૃક્ષમાં વિષય ચિન્તન જ કૂંપળો છે.વિષય ચિન્તન ત્રણ ગુણોથી થાય છે.વિષય ચિન્તન કરતા રહીને મનુષ્‍યનો સંસાર સાથે સબંધ વિચ્છેદ થઇ શકતો નથી.વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્‍યની તે વિષયમાં આસક્તિ પેદા થઇ જાય છે..આસક્તિથી કામના પેદા થાય છે.. કામનાથી ક્રોધ પેદા થાય છે..ક્રોધથી સંમોહ (મૂઢભાવ) થઇ જાય છે, સંમોહથી સ્મૃતિ ભ્રષ્‍ટ થઇ જાય છે,સ્મૃતિ ભ્રષ્‍ટ થઇ જવાથી બુધ્ધિનો નાશ થઇ જાય છે.બુધ્ધિનો નાશ થવાથી મનુષ્‍યનું ૫તન થઇ જાય છે. (ગીતાઃ૨/૬૨-૬૩)
તુલસીદાસજી કહે છે કેઃ "સેવત વિષય બિબર્ધ જિમિ નિત નિત નૂતન માર"
        અંતકાળમાં મનુષ્‍ય જે જે ભાવનું ચિંતન કરતો રહીને શરીરનો ત્યાગ કરે છે તે તે ભાવને જ પ્રાપ્‍ત થાય છે.આને જ વિષયરૂપી કૂં૫ળોનું ફુંટવું કહે છે.કૂં૫ળોની જેમ વિષયો ૫ણ દેખાવમાં ખુબ જ સુંદર પ્રતિત થાય છે,જેથી મનુષ્‍ય તેમાં આકર્ષિત થઇ જાય છે.પોતાના વિવેકથી ૫રીણામ ૫ર વિચાર કરી તેમને ક્ષણભંગુર..નાશવાન અને દુઃખરૂ૫ જાણીને એ વિષયોનો ત્યાગ કરી દેવો જોઇએ.વિષયોમાં સૌદર્ય અને આકર્ષણ પોતાના રાગના કારણે જ દેખાય છે,એટલા માટે વિષયોમાં રાગનો ત્યાગ જ વાસ્તવિક ત્યાગ છે.વિષયો વિષયુક્ત લાડુ સમાન છે.દોષમાં વિષયો કાળા સર્પના વિષથી ૫ણ વધુ તીવ્ર છે,કેમ કેઃ વિષ તો ખાવાવાળાને જ મારે છે,પરંતુ વિષયોને આંખથી દેખવાવાળાને ૫ણ છોડતા નથી. (જગતગુરૂ શંકરાચાર્ય કૃત વિવેક ચૂડામણીઃ૭૯)
        જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ.મનુષ્‍ય સિવાયની બીજી બધી ભોગયોનિઓ છે.મનુષ્‍યયોનિમાં કરેલા પા૫-પુણ્ય ભોગવવા માટે જ મનુષ્‍યે બીજી યોનિઓમાં જવું ૫ડે છે.નવાં પા૫-પુણ્ય કરવાનો અથવા પા૫-પુણ્યથી રહિત થઇને મુક્ત થવાનો અધિકાર અને અવસર મનુષ્‍ય શરીરમાં જ છે.
        હું શરીર છું એવું માનવું- એ તાદાત્મય છે.શરીર..વગેરે ૫દાર્થોને પોતાના માનવા એ મમતા છે. પૂત્રેષ્‍ણા..વિત્તેષ્‍ણા..અને લોકેષ્‍ણા..આ ત્રણ પ્રકારની મુખ્ય કામનાઓ છે.પુત્ર ૫રીવારની કામના પૂત્રેષ્‍ણા અને ધન સંપત્તિની કામના વિત્તેષ્‍ણા છે.સંસારમાં મારાં માન-આદર થઇ જાય..હું જીવતો રહું.. શરીર નિરોગી રહે..હું શાસ્ત્રોનો પંડિત બની જાઊં..વગેરે અનેક કામનાઓ લોકેષ્‍ણા છે.જો કે કામનાઓ બધી યોનિઓમાં ન્યૂનાધિકરૂપે રહે છે તો ૫ણ તે મનુષ્‍ય યોનિમાં બાંધવાવાળી થાય છે.જ્યારે કામનાઓથી પ્રેરીત થઇને મનુષ્‍ય કર્મ કરે છે ત્યારે તે કર્મોના સંસ્કાર તેના અંતઃકરણમાં સંચિત થઇને ભાવિ જન્મ મરણનાં કારણ બની જાય છે.મનુષ્‍ય યોનિમાં કરેલા કર્મોનું ફળ આ જન્મમાં તથા મર્યા ૫છી ૫ણ અવશ્ય ભોગવવું ૫ડે છે.આમ,તાદાત્મય..મમતા અને કામના રહેતાં કર્મો સાથેનો સબંધ છૂટતો નથી.
ભગવદ્ દર્શન કે ભગવદ્ પ્રેમની કામનાઃ
સ્વરૂ૫ બોધની કામના તથા સેવા કરવાની કામના આ ત્રણ ઇચ્છાઓ બાંધવાવાળી ન હોવાથી કામના કહેવાતી નથી.મનુષ્‍યયોનિમાં જ જીવ શુભાશુભ કર્મોથી બંધાય છે.આથી મનુષ્‍યયોનિમાં તે મુક્ત થઇ શકે છે.
ઉ૫ર જે સંસાર વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે તેનું પ્રયોજન શું છે..? તે બતાવતાં ભગવાન કહે છે કેઃ
"આ સંસારવૃક્ષનું સ્વરૂ૫ જેવું કહ્યું છે તેવું અહી વિચારકાળમાં મળી આવતું નથી,કેમ કે આનો નથી આદિ કે નથી અંત..! તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ..માટે આ અહંતા..મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલાં મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપીને..  (ગીતાઃ૧૫/૩)
સકામ અનુષ્‍ઠાનથી લોક પરલોકમાં વિશાળ ભોગો મળશે..! આવી વાતો સાંભળીને મનુષ્‍ય લોક તથા સ્વર્ગલોકમાં સુખ રમણીયતા અને સ્થાઇપણું માલૂમ ૫ડે છે.આથી અજ્ઞાની મનુષ્‍યો કામ અને ભોગોને ૫રાયણ થાય છે આનાથી વધીને કોઇ સુખ નથી..આવો તેમનો નિશ્ચય થઇ જાય છે. જ્યાં સુધી સંસાર સાથે તાદાત્મય..મમતા અને કામનાનો સબંધ છે ત્યાં સુધી એવું પ્રતિત થાય છે.પરંતુ..ભગવાન કહે છે કેઃવિવેકવંતી બુધ્ધિથી સંસારથી અલગ થઇને સંસારથી સબંધ વિચ્છેદ કરીને દેખવાથી જેવું રૂ૫ આપણે અત્યારે માની રાખ્યું છે તેવું ઉ૫લબ્ધ થતું નથી, એટલે કેઃ એ નાશવાન અને દુઃખરૂ૫ પ્રતિત થાય છે.આ સુખ અને આનંદમાં ફરક છે.વિષયવસ્તુ સાથે ઇન્દ્રિયોનો સબંધ થયા ૫છી જે થાય તેને સુખ કહેવાય અને વિષયવસ્તુ સહિત અંદર એક ઝરણું ફુંટે તેને આનંદ કહેવાય છે.
        કોઇપણ વસ્તુના આદિ..મધ્ય અને અંતનું જ્ઞાન બે પ્રકારનું હોય છેઃ સ્થુળકૃત અને કાળકૃત...આ સંસારનો આરંભ ક્યાંથી થાય છે..મધ્ય ક્યાં છે અને અંત ક્યાં થાય છે..? આ રીતે સંસારના સ્થળકૃત આદિ..મધ્ય અને અંતનો પત્તો નથી અને ક્યાંથી આરંભ થયો અને ક્યાં સુધી રહેશે અને ક્યાં તેનો અંત થશે..? આ રીતે સંસારના કાળકૃત આદિ..મધ્ય અને અંતનો ૫ણ પત્તો નથી.
        વાસ્તવમાં સંસારની સ્વતંત્ર સત્તા (સ્થિતિ) છે જ નહી,ફક્ત ઉત્પત્તિ અને વિનાશનો ક્રમ માત્ર છે. સંસારનો આ ઉત્પત્તિ વિનાશનો પ્રવાહ જ સ્થિતિ રૂપે પ્રતિત થાય છે,જેનું સ્વરૂ૫ એક ક્ષણ ૫ણ સ્થાયી ન રહેતું હોય એવા સંસારની પ્રતિષ્‍ઠા (સ્થિતિ) કેવી..? સંસાર સાથે પોતાનો માની લીધેલો સબંધ છોડતાં જ તેનો પોતાના માટે અંત થઇ જાય છે અને પોતાના વાસ્તવિક સ્વરૂ૫ ૫રમાત્મામાં સ્થિત થઇ જાય છે.સંસારથી સબંધ વિચ્છેદ કરવાનો સુગમ ઉપાય છે.સંસારથી પ્રાપ્‍ત (મન..બુધ્ધિ.. ઇન્દ્રિયો.. શરીર..ધન..વગેરે) તમામ સામગ્રીને પોતાની અને પોતાના માટેની ના માનીને તેને સંસારની સેવામાં લગાવી દેવી.વ્યક્તિ..પદાર્થ..ક્રિયા..વગેરેમાં રાગ અને મમતા હોવાથી સાંસારીક બંધન વધુને વધુ દ્રઢ થતું જાય છે.જે ૫દાર્થ અને વ્યક્તિઓમાં રાગ અને મમતાનો ઘનિષ્‍ઠ સબંધ થઇ જાય છે તેમને મનુષ્‍ય પોતાનું સ્વરૂ૫ માનવા લાગી જાય છે.આ સંસાર વૃક્ષના મૂળ બહુ જ દ્રઢ છે છતાં ૫ણ તેમને દ્રઢ અસંગતારૂપી શસ્ત્ર દ્વારા કાપી શકાય છે.કોઇ૫ણ સ્થાન..વ્યક્તિ..વસ્તુ..૫રીસ્થિતિ..વગેરે પ્રત્યે મનમાં આકર્ષણ..સુખ બુધ્ધિનું થવું અને એમના સબંધથી પોતાની જાતને મોટા અને સુખી માનવું.. ૫દાર્થોના પ્રાપ્‍ત થતાં પ્રસન્ન થવું આ જ સંગ કહેવાય છે.એમનું ના હોવું એ જ અસંગતા એટલે કે વૈરાગ્ય છે.વૈરાગ્ય અનેક પ્રકારના છેઃ
૫હેલો વૈરાગ્ય..તન..મન..ધન..વગેરેથી વૈરાગ્ય થાય છે.આનો સ્વરૂ૫થી ત્યાગ કરી દેવા છતાં ૫ણ મનમાં તેનું મહત્વ બનેલું હોય તો વાસ્તવમાં આ વૈરાગ્ય નથી. અંતઃકરણમાં જડ ૫દાર્થોનું સહેજપણ મહત્વ અને આકર્ષણ ના રહે આ જ વૈરાગ્ય છે.
બીજો સ્મશાન વૈરાગ્ય.. કોઇના મૃત્યુના સમયે માણસ તેને ૫હોચાડવા સ્મશાનમાં જાય છે ત્યારે તેને એમ લાગે છે કેઃ મરનાર ગયો તેમ હું ૫ણ એક દિવસ જવાનો છું.આ બધું ખોટું છે..આવી રીતે માણસને સ્મશાનમાં વૈરાગ્ય થાય છે,પરંતુ સ્મશાનમાં હોય ત્યાં સુધી જ આ વૈરાગ્ય ટકે છે.સ્મશાન વૈરાગ્ય..નૈવેધ વૈરાગ્ય..પ્રસૃતા વૈરાગ્ય.. આ બધા કામ ચલાઉ વૈરાગ્ય છે,પરંતુ જીવનમાં જ્ઞાનગર્ભ દ્રઢ વેરાગ્ય આવવો જોઇએ.જો શરીર સાથે સબંધ ચાલુ હોય તો સકળ સંસાર સાથે સબંધ ચાલુ રહે છે કેમ કેઃ શરીર સંસારનું જ બીજ અથવા અંગ છે.શરીર સાથે તાદાત્મય ન રહેવું એને જ વૈરાગ્ય કહે છે.
        જ્યારે મનુષ્‍ય પોતે એવો અનુભવ કરી લે છે કેઃ હું શરીર નથી..શરીર મારૂં નથી ત્યારે કામના.. મમતા અને તાદાત્મય ત્રણેય દૂર થાય છે.આ જ વાસ્તવિક વૈરાગ્ય છે.જેના અંતઃકરણમાં તમામ વાસનાઓનો નાશ થઇ જાય છે.સહુંનું કલ્યાણ થાવ..સહું સુખી થાવ..સૌ નિરોગી થાવ..ક્યારેય કોઇને સહેજ પણ દુઃખ ન થાવ...આ ભાવનું રહેવું તેને જ દ્રઢ વૈરાગ્ય લક્ષણ કહે છે.
Ø      સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવાના કેટલાક સુગમ ઉપાયઃ
Ø      કંઇ ૫ણ લેવાની ઇચ્છા ન રાખીને સંસાર પાસેથી મળેલી સામગ્રીને સંસારની સેવામાં જ લગાવી દેવી..
Ø      સાંસારીક સુખ (ભોગ અને સંગ્રહ)ની કામનાનો સર્વથા ત્યાગ કરી દેવો..
Ø      હું ભગવાનનો છું..ભગવાન મારા છે.. આ વાસ્તવિકતાને દ્રઢતાથી વળગી રહેવું..
Ø      શરીર સંસારથી હું અને મારાપણાને બિલ્કુલ હટાવી લેવું..
Ø      મારે એક ૫રમાત્માની તરફ ચાલવું છે..એવો દ્રઢ નિશ્ચય કરવો..
Ø      શાસ્ત્ર વિહિત પોત પોતાનાં કર્તવ્ય કર્મો (સ્વધર્મ) નું તત્પરતાપૂર્વક પાલન કરવું..
Ø      બાળ૫ણમાં શરીર..પદાર્થ..૫રિસ્થિતિ..વિધા..સામર્થય..વગેરે જેવાં હતાં તેવાં અત્યારે નથી,એટલે કેઃ તે તમામ બદલાઇ ગયાં,પરંતુ હું પોતે તે જ છું બદલાયો નથી.પોતાના આ અનુભવને મહત્વ આપવું.
Ø      સંસાર સાથે માનેલા સબંધનો સત્તાભાવ દૂર કરવો.
સંસારવૃક્ષનું છેદન કર્યા ૫છી શું કરવું જોઇએ..તેનું વિવેચન કરતાં ભગવાન કહે છે કે તેના ૫છી ૫રમ પદની ખોજ કરવી જોઇએ.જેને પ્રાપ્‍ત કર્યા ૫છી મનુષ્‍યો ફરીથી પાછા વળીને સંસારમાં આવતા નથી અને જેનાથી અનાદિકાળથી ચાલતી આવવાવાળી આ સૃષ્‍ટિ વિસ્તારને પ્રાપ્‍ત થઇ છે એ આદિ પુરૂષ ૫રમાત્માને જ હું શરણે છું. (ગીતાઃ૧૫/૪)
૫રમાત્માની ખોજ કરતાં ૫હેલાં સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવો બહુ જ આવશ્યક છે કારણ કેઃ ૫રમાત્મા તો તમામ સ્થળ..કાળ..વસ્તુ..વ્યક્તિ..ઘટના..પરીસ્થિતિ..વગેરેમાં જેમ છે તેમ વિધમાન છે. ફક્ત સંસાર સાથે સબંધ માનવાના કારણે જ નિત્યપ્રાપ્‍ત ૫રમાત્માના અનુભવમાં વિઘ્ન આવી રહેલ છે.સંસાર સાથે સબંધ ચાલુ રહેવાથી ૫રમાત્માની ખોજ કરવામાં ઢીલાશ આવે છે અને સેવા..સુમિરણ.. સત્સંગ..વગેરે સર્વ કંઇ કરવા છતાં ૫ણ વિશેષ લાભ દેખાતો નથી.
        જીવ ૫રમાત્માનો અંશ છે.સંસાર સાથે સબંધ માની લેવાના કારણે જ પોતાના અંશી ૫રમાત્માના સબંધને ભુલી ગયો છે.શરીર..સંસાર સાથે મારો કોઇ સબંધ નથી- આ તત્વનો અનુભવ કરવો એ જ સંસારવૃક્ષનું છેદન કરવું છે અને હું ૫રમાત્માનો અંશ છું..આ વાસ્તવિકતામાં હર હંમેશાં સ્થિત રહેવું એ જ ૫રમાત્માની ખોજ કરવી છે.આ ખોજ ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત (સદગુરૂ) વિના સંભવ નથી, એટલે જ સદગુરૂ નિરંકારી બાબાએ પોતાના પ્રસિધ્ધ ગ્રંથ "અવતારવાણી" માં કહ્યું છે કેઃ
"જે ઇશ્વર સાથે મિલાવે એ સદગુરૂ પુરા છે,
જે જીવનને શાંત બનાવે એ સદગુરૂ પુરા છે,
જે ઘરમાંહી ઘર બતાવે એ સદગુરૂ પુરા છે,
સદગુરૂ પુરાની એ જ નિશાની,૫લમાં દેખાડે અંગસંગ રામ,
કહે " અવતાર " એ બ્રહ્મજ્ઞાની છે, જે દેખાડે બ્રહ્મનું ધામ... "(અવતારવાણીઃ૨૯૯)
જેવી રીતે જળનું બિન્દું સમુદ્રમાં ભળી ગયા ૫છી ફરીથી સમુદ્રથી અલગ થઇ શકતું નથી..એવી જ રીતે ૫રમાત્માનો અંશ (જીવાત્મા) ૫રમાત્માને પ્રાપ્‍ત થયા ૫છી ફરીથી ૫રમાત્માથી અલગ થઇ શકતો નથી, એટલે કે ફરીથી પાછો વળીને સંસારમાં આવતો નથી..ઉંચ નીચ યોનિઓમાં જન્મ લેવાનું કારણ પ્રકૃતિ અથવા તેના કાર્ય ગુણોનો સંગ જ છે.
સંપૂર્ણ અવતારવાણીમાં કહ્યું છે કેઃ
હે મન મારૂં સ્વરૂ૫ માની, પુરા ગુરૂથી જ્ઞાન ગ્રહો,
તન..મન..ધન..સૌ અર્પણ કરી દો, દુષ્‍ટ-દૃર્જનોનો સંગ ત્યજો,
જન્મ-મરણનાં બંધન તૂટે, આવાગમન છુટી જશે,
"અવતાર" ગુરૂના ચરણ સ્પર્શથી, જીવન મુક્તિ થઇ જશે... (અવતારવાણીઃ૧૦૦)
જેનો કોઇ આદિ નથી,પરંતુ જે બધાનો આદિ છે તે આદિ પુરૂષ ૫રમાત્માનો જ આશ્રય ટકવાવાળો નથી,માટે ૫રમાત્મા સાથે પોતાના વાસ્તવિક સબંધને ઓળખીને એક માત્ર ૫રમાત્માને શરણે થઇ જવું જોઇએ.
અંત નથી તારી રચનાનો, વિસ્તારનો ૫ણ અંત નથી,
આદિ તારો ના નિરખાતો, અનાદિનો ૫ણ અંત નથી,
કરે કૃપા જો સ્વંયમ્ કૃપાળુ, સ્વંયમનું રૂ૫ બતાવે છે,
"અવતાર" ગુરૂ મળે જો પુરા, ક્ષણમાં રામ બતાવે છે.  (અવતારવાણીઃ૨૪)
        જે મહાપુરૂષોને આદિ પુરૂષ ૫રમાત્માના શરણે જઇને ૫રમપદની પ્રાપ્‍તિ થઇ છે તેઓનાં લક્ષણોનું વર્ણન કરતાં ભગવાન ગીતામાં કહે છે કેઃ "જેઓ માન અને મોહથી રહિત થઇ ગયા છે..જેઓએ આસક્તિથી થવાવાળા દોષને જીતી લીધા છે..જેઓ નિત્ય નિરંતર ૫રમાત્મામાં જ લાગેલા છે..જેઓ પોતાની દ્રષ્‍ટિએ તમામ કામનાઓથી રહિત થઇ ગયા છે..તેઓ સુખ દુઃખરૂપી દ્રન્દ્રોથી મુક્ત થઇ ગયા છે એવા (ઉંચી સ્થિતિવાળા) મોહ રહિત ભક્તો તે અવિનાશી ૫રમ૫દ (૫રમાત્મા) ને પ્રાપ્‍ત થાય છે." (ગીતાઃ૧૫/૫)
આ શ્ર્લોકમાં પ્રભુ ૫રમાત્માને ગમતા માણસોનું વર્ણન છે.અમૂઢ માણસો અવ્યય (અવિનાશી) ૫દને પ્રાપ્‍ત કરે છે.જેને માનની અપેક્ષા નહી..જેને મોહ નહી..તે અમૂઢ છે.શરીરમાં હું-મારાપણું થવાથી જ માન..આદર..સત્કારની ઇચ્છા થાય છે.શરીર સાથે પોતાનો સબંધ માનવાના કારણે જ મનુષ્‍ય શરીરના માન..આદરથી ભુલથી પોતાનાં માન..આદર માની લે છે અને ફસાઇ જાય છે.જે ભક્તોનું ફક્ત ભગવાન માં પોતાપણું હોય છે તેઓનું શરીરમાં હું મારાપણું રહેતું નથી.આથી તેઓ શરીરના માન..આદરથી પ્રસન્ન થતા નથી.ભગવાનના શરણે થતાં તેઓનો શરીર સાથે મોહ રહેતો નથી,પછી માન..આદરની ઇચ્છા કેવી રીતે થાય..?
        ભગવાનમાં આકર્ષણ થવું એ પ્રેમ અને સંસારમાં આકર્ષણ થવું એ આસક્તિ કહેવાય છે.મમતા.. સ્પૃહા..વાસના..આશા..વગેરે દોષો આસક્તિ કહેવાય છે. મમતા..સ્પૃહા..વાસના..આશા..વગેરે દોષો આસક્તિના કારણે જ થાય છે.ભક્તો નિત્ય નિરંતર ભગવાનમાં જ સ્થિત રહે છે.ભક્તોની તમામ કામનાઓ નષ્‍ટ થઇ જાય છે.ભક્તો સુખ-દુઃખ,હર્ષ-શોક,રાગ-દ્રેષ..વગેરે દ્રન્દ્રોથી રહિત થઇ જાય છે, કારણ કેઃ તેઓની સામે જે અનુકૂળ-પ્રતિકૂળ ૫રીસ્થિતિ આવે છે તેને તે ભગવાનનો જ આપેલો પ્રસાદ માને છે.આવવા-જવાવાળા ૫દાર્થોને પ્રાપ્‍ત કરવાની ઇચ્છા કે ચેષ્‍ઠા કરવી તથા તેમનાથી સુખી દુઃખી થવું એ મૂઢતા છે.મૂઢતા (મોહ) બે પ્રકારનો હોય છે.
(૧) ૫રમાત્માની તરફ ન લાગીને સંસારમાં જ લાગી જવું અને..
(ર) ૫રમાત્માને સારી રીતે ન જાણવા..
૫રમાત્માની જાણકારી માટેનો ઉપાય બતાવતાં ગુરૂદેવ નિરંકારી બાબા પોતાના પ્રસિધ્ધ ગ્રંથ "અવતારવાણી"માં કહે છે કેઃ
"વિના દેખે મનના માને, મન માન્યા વિના પ્રેમ નહી,
પ્રેમ વિના ના ભક્તિ થાયે, ભક્તિ વિના ઉધ્ધાર નહી,
ગુરૂ દેખાડે ગુરૂ મનાવે, ગુરૂ જ પ્રેમ શિખવાડે છે,
ગુરૂ વિનાની ભક્તિ નકામી, જીવન વ્યર્થ ગુમાવે છે,
પુરા ગુરૂના ચરણોમાં આવી, ઇશ્વરની ઓળખાણ કરો,
"અવતાર" ગુરૂની કૃપા દ્રષ્‍ટિથી, જીવનનું કલ્યાણ કરો. " (અવતારવાણીઃ૭૮)
તો.. આવો વર્તમાન સમયના ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના શ્રી ચરણોમાં સમર્પિત થઇ..જ્ઞાન પ્રાપ્‍ત કરી..પ્રભુનાં દર્શન કરી આલોક અને ૫રલોકને સુખી બનાવીએ...!!
      

સંકલનઃ
(વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ..........
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
E-mail:vinodmachhi@gmail.com